શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૩. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૮૩. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી



આકાશનાં મોતી તો
મળી ગયેલાં માટીમાં;
પાછાં બંધાઈને આવ્યાં બહાર,
ઝબક્યાં ડૂંડે ડૂંડે.


શું તારો જ ખર્યો છે?
જોનારનું તો આકાશ પણ ખરી ગયું,
આંખમાંથી!


નાવ ભાંગી ખડક પર,
ને મોજું ભાંગ્યું કાંઠે,
ને એ જોતાં જ ભાંગ્યું આકાશ
મારી અંદર દરિયે!


અંદર હચમચી ગયાં છે મૂળિયાં,
પાન, ફૂલ, ફળના નહીં;
ખાલીપાના ભારે!

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)