સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/કવિ અને કવિતા
સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે.
થોડાક જ શબ્દોમાં કેટલી પ્રચંડ શક્તિ રહેલી છે તે કવિતા આપણને સમજાવે છે, અને વાચાળતાને અંકુશમાં રાખે છે.
પ્રેમમાં પડે છે ત્યારે દરેક માણસ કવિ હોય છે.
કવિતા એટલે જીવનમાં જે કાંઈ સ્મરણમાં રાખવા જેવું છે તે બધું.
મારી આસપાસ જે કાંઈ છે તેની અંદર સારપ અને સૌંદર્યની ખોજ કરવાની પ્રકૃતિ કવિતાએ મને આપી છે.
જેના મગજનો એકાદ પણ સ્ક્રૂ ઢીલો ન હોય તેવો કોઈ પણ માણસ કદાચ કવિ ન બની શકે કે કવિતાને માણી પણ ન શકે.
કવિતાની કાયામાં હાડપિંજર કલ્પનાનું હોય છે, એમાં લોહી લાગણીઓનું વહે છે, અને શબ્દોની નાજુક, મજબૂત ચામડી વડે આખું માળખું બંધાયું હોય છે.
કવિ એટલે, પહેલાં પ્રથમ તો, એવો મનુષ્ય
જે ભાષાની સાથે મહોબ્બતમાં ચકચૂર હોય.
સૃષ્ટિનું જે સૌંદર્ય ઢંકાયેલું પડ્યું છે, તેની ઉપરથી કવિ પરદો ઉઠાવે છે અને પરિચિત વસ્તુઓ પણ જાણે કે અપરિચિત હોય તેવી મોહક બનાવે છે.
કવિ તો દરેક ઝાડ પરથી ફળ એકત્ર કરે છે-
હા, કાંટામાંથી દ્રાક્ષ અને ઝાંખરાંમાંથી અંજીર.
સાચો કવિ કાવ્યમય બનવાની કોશિશ કરતો નથી :
બાગબાન પોતાનાં ગુલાબ ઉપર અત્તર છાંટતો નથી.
એક વૃક્ષની તોલે આવે એવું કાવ્ય તો હું કદી જોવા પામીશ નહીં.
Template:જોય્સ કિલ્મર
ગદ્ય : શબ્દોની શ્રેષ્ઠ ગોઠવણી;
પદ્ય : શ્રેષ્ઠ શબ્દોની શ્રેષ્ઠ ગોઠવણી.
કવિઓ : માનવજાતના પ્રથમ શિક્ષકો.
મહાન કવિ બનવાની આકાંક્ષા જેને છે,
તેણે પ્રથમ તો નાના બાળક બનવાનું છે.
કવિતાનો ઘાટ ઘડાય છે ધીમે ધીમે, ધીરજથી એક એક કડીને પરસેવા, રુધિર ને આંસુથી સાંકળીને.
કવિતા લખવામાં જેટલું ગૌરવ છે,
એટલું જ ગૌરવ ખેતર ખેડવામાં પણ રહેલું છે.
પોતે જે બધાં મહાન સત્યો ઉચ્ચારે છે,
તે કવિઓ પોતે પણ સમજતા હોતા નથી.
દરેક માનવીના અંતરમાં ક્યાંક કવિતાનું ઝરણ વહેતું હોય છે.
કવિતા એ મનુષ્યજાતિની માતૃભાષા છે.
સાચી કવિતા આપણને સમજાય તે પહેલાં જ પોતાની વાત કહી જાણે છે.
કવિતા મોજાંનાં ફીણ જેટલી તાજી અને ખડક જેટલી જૂની હોવી જોઈએ.
મને જે કંઈ લાધ્યાં રતન અહીં સંસારજલનાં, લઈ આવ્યો તારે ચરણ, કવિતે! સર્વ ધરવા
શિશુઓનું હાસ્ય : મારી કવિતાનો શુભ છંદ… કન્યાઓની આશા : મારી કવિતાની નસોનું રુધિર.
છાપખાનાની શોધ થઈ ત્યાર બાદ કવિતા આખા સમૂહનો આનંદ મટી ગઈ છે અને થોડાક લોકોનું મનોરંજન બની ગઈ છે.