સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લાલજી કાનપરિયા/વણઝારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search



અમે વિફલતાના વણઝારા,
અમે ખોટ ના કશી ગણનારા.

વાટમાં આવે રેત, તો એને ગૂંજે ઘાલી લઈએ,
વન આખાની લીલપ અમે રણમાં વેરી દઈએ.

અમે રણરેતીના ફરનારા,
અમે વિફલતાના વણઝારા.
[‘બુદ્ધિપ્રકાશ’ માસિક : ૧૯૭૮]