સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/અરસિક શિરોમણિને યે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઘણા સાહિત્યકારો કે કલાકારો પોતાની કૃતિનો આનંદ પામવા માટે લોકો પાસે ચોક્કસ રસવૃત્તિની કે કેળવણીની અપેક્ષા રાખે છે. પણ અરસિક શિરોમણિને યે રસ પમાડે એ જ સાચો કવિ કહેવાય. કોકિલા ગાય છે, તે સૌનું ધ્યાન ખેંચે છે; એને કેળવાયેલા કાનની અપેક્ષા નથી. સુંદર કમળો ખીલે છે, તે સૌનું મન ખેંચી લે છે; એને કેળવાયેલી દૃષ્ટિની અપેક્ષા નથી.