સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય/“પ્રાર્થના કરીશ કે — ”

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનાગત ભવિષ્યકાળમાં મારાં લખાણનું મૂલ્ય રહેશે કે નહિ એનો હું વિચાર કરતો નથી. તેનું આયુષ્ય જો પૂરું થઈ જાય તો તે એક જ કારણે પૂરું થઈ જશે — કે તેના કરતાં વધારે વિશાળ, વધારે સુંદર, વધારે પરિપૂર્ણ સાહિત્યના સર્જનમાં તેના હાડપિંજરની જરૂર પડી હશે. હું તો આ વિશે દુઃખ ન કરતાં ઊલટો પ્રાર્થના કરીશ કે મારા દેશમાં, મારી ભાષામાં, એવું મહાન સાહિત્ય જન્મ પામો કે જેની તુલનામાં મારાં લખાણ તુચ્છ લાગે.