સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/‘દ્વિરેફ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામનારાયણ વિ. પાઠકે ‘શેષ’ને ઉપનામે કાવ્યો લખ્યાં, ‘દ્વિરેફ’ને ઉપનામે નવલિકાઓ લખી, અને હળવા નિબંધો લખ્યા ‘સ્વૈરવિહારી’ના ઉપનામે. આ ઉપરાંત એમણે મૂળ નામે સંશોધન, સંપાદન, વિવેચન અને ઇતર સાહિત્યપ્રવૃત્તિઓ કરી. એમની કવિતામાં એક પ્રકારની શિષ્ટતા અને સુઘડતા વરતાય છે. પ્રભુ, પ્રકૃતિ અને પ્રણય, આ ત્રણ એમના પ્રિય કવનવિષયો છે. અસાધારણ સંયમ સાથે ઊર્મિનું ચિંતનશીલ નિરૂપણ, એ એમની કવિતાની લાક્ષણિકતા છે. ‘જમનાનું પૂર’ માત્ર એમની જ નહિ, ગુજરાતી સાહિત્યની એક વિશિષ્ટ વાર્તા છે. ટૂંકી વાર્તામાં લાઘવ કેવું હોઈ શકે, એનું આ ઉદાહરણ છે. ‘જક્ષણી’ પાઠકની લાક્ષણિક કૃતિ છે. પ્રસન્ન દાંપત્યની આવી હાસ્યસભર વાર્તા આપણે ત્યાં ભાગ્યે જ લખાઈ છે. ‘મુકુન્દરાય’ પાઠકની ઉત્તમ વાર્તામાંની એક લેખાય છે. પાઠકનો વિશેષ નિબંધમાં પ્રગટ થાય છે. ચિંતનપરાયણતા એમના નિબંધની કરોડરજ્જુ છે. [‘પ્રતિભાપુરુષ પાઠકસાહેબ’ પુસ્તક: ૨૦૦૪]