સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નાણું આપે નરભો રે
Jump to navigation
Jump to search
નાણું આપે નરભો રે
નરભેરામ
નાણું આપે નરભો રે, વાવરજો છોગાળા;
કપટી કેશવ જાણત તો શાને આવત પચાસ જોજન,
સાંભળ્યું શ્રવણે સાધુને છાપે છે, માટે મળવા ધસ્યું મન.
ભેખ દેખીને અજર નથી કરતા, છાપ આપો છો હરિ;
પાઘડી ભાળી, છાપ ખાળી, છબીલા, પરીક્ષા તો એવી કરી.
હારો છો જનથી, નથી હરવતા, માટે હરિ હઠ મેલ,
કહે નરભો છોટાલાલ પ્રતાપે, નથી એ તલમાં તેલ.
સ્વાધ્યાય
૧. નરભેરામે શી રીતે કૃષ્ણને ઊધડા લીધા?
૨. ‘દ્વારકાની છાપ’ એટલે? અત્યારે આપણે એ પ્રયોગ આજના જમાનાની બીજી કઈ છાપ માટે કરીએ છીએ?
૩. ‘નથી એ તલમાં તેલ’ એટલે?