સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બાલશંકર કંથારિયા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બાલાશંકર કંથારિયા

[સ્વ. બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનાં જાણીતાં કાવ્યોમાં નીચે ઉતારેલા કાવ્યની ગણના થાય છે. સામાન્ય રીતે બોધનાં કાવ્યો હાલ ઓછાં લખાય છે, પણ અગાઉ એ પ્રકારનાં કાવ્યો સારા પ્રમાણમાં લખાતાં. એવાં કાવ્યો કેટલીક વાર શુષ્ક થઈ જવાનો ભય રહે છે, પણ આ કાવ્ય એવા દેશમાંથી મુક્ત છે એટલું જ નહિ, પણ વારંવાર વાંચવું અને યાદ કરવું ગમે એવું છે. એમાંની કોઈ કોઈ પંક્તિઓ તો કહેવતરૂપ થઈ પડે એવી છે. ૨. પ્યારાએ— ઈશ્વરે. ૫. કચેરી - ઈશ્વરનો દરબાર. ૬. જગતકાજી – દુનિયાના સદસદ્ વર્તનનો ન્યાયાધીશ-પંચાતિયા. ૭. જગતના કાચના યંત્રે - દુનિયાની નજરે. દૂરબીન જેવા કાચના યંત્રે જોતાં વસ્તુ હોય તેના કરતાં નજીક દેખાય, અથવા તેને બીજે છેડેથી જોતાં હોય તેનાથી દૂર દેખાય, પણ હોય તેવી તો ન જ દેખાય. એવું જ સૂક્ષ્મદર્શક કાચમાંથી જોવા જતાં પણ થાય. જગત પણ એવું જ કાચનું યંત્ર છે, જે વસ્તુને તેના સાચા સ્વરૂપમાં આપણને નથી બતાવતું. ૧૩. ઉન્મત્ત – અહીં આગળ મગ્નના અર્થમાં. ૨૨. ગ્રીવા - ડોક.]