સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મીરાં-ચરિત્ર
દયારામ
મીરાં મન મોહનશું માન્યું;
જેમલ રાઠોડની દીકરી રે, સુણો મેડતા એનું ધામ;
જોશીએ વાંચી જનમોતરી રે, તેમાં લખ્યું નીકળ્યું એહ;
ઉદ્યોતપુરનો રાણો રાજિયો રે, તે સાથે કરી રે સગાઈ;
દેવીને દેવા વધામણાં રે ચાલ્યાં વરકન્યા સહુજન;
સાસુ કહે, ‘સૌભાગ્ય વધે રે, વહુ, નમો શક્તિને પાય.’
સાસુ કહે, ‘સામું બોલી, આજથી મારે નથી એ વહુનું કામ.’
એવું સુણીને મીરાં મગ્ન થયાં રે, ‘ભલું થયું ભાંગી જંજાળ; ૧૫
નંદનંદન સાથે ન્યારાં રહ્યાં રે મીરાં, હરિજન આવે ઘણા ઘેર;
નણંદ આવી મીરાંબાઈની પાસે : ‘ભાભી, આ શો માંડ્યો ઉત્પાત?
અંબર આભ્રણ પહેરો અનુપમ, સજો સુંદર શણગાર;
છાપાં તિલક આ શી તુલસીની માળા, નાચો કૂદો વેરાગીને વેશ?
મીરાં કહે રે, ‘બાઈ કલેશ ટાળવાનો એક જ છે ઉપાય;
વળી સોનું રૂપું પહેર્યે રે શું સુધર્યું રે? કાઢી નાંખો એ ડાકડમાળ;
તમે પણ જાઓ શીદ સાસરે રે, બાઈ વૃથા વટાળો દેહ?
કહેજો તમારી માતને રે : વૃદ્ધ થયાં, ગોવિંદગુણ ગાય;
સુણી એમ છણકતી ખીજતી રે બાળા આવી બંધવની પાસ;
એવું સુણીને આવ્યો રોષ રાણાને, પ્રેષ્યો સેવક મીરાંને આવાસ;
અનુચરે આવી એમ કહ્યું જે, ‘નથી ત્રીજું માણસ આ વાર;
સુણતામાં રાણો થયો રાતડો રે, ખેંચી ખડગ ધાયો તેણી વાર;
આવી જોયું તો મીરાં એકલી રે, પ્રભુએ તેને ના દીધું દર્શન;
‘કાઢી નાંખોજી આ કલેશ કપટ, સંગે નિર્મળ કરો મન,
એવું સુણીને આગ લાગી ઘણી રે, પણ ભાવ ન આવ્યો ભૂપ;
તોયે મૂરખ સમજ્યો નહિ રે, મન સાથે ન કીધો વિચાર;
છોભો પડ્યો, પાછો ફર્યો રે, રાણો આવ્યો પોતાને ઘેર;
લીધો મીરાંએ મન મગ્ન થઈને રે પ્રભુને દેખાડી કર્યું વિષપાન;
મીરાંબાઈ ગયાં વૃંદાવનમાં રે પ્રેમે નીરખ્યા શ્રીવ્રજરાય;
હરિજન જાણી મીરાં મળવાનું કહાવ્યું, તેણે કહાવ્યું, ‘ના જોઉં સ્ત્રીનું મુખ.’
આજ લગી હું એમ જાણતી જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક;
એવું સુણીને જ્ઞાન પામિયા રે, જીવા ગોસાંઈ મળ્યા છે. સામા ધાઈ;
કરી તૈયારી ચાલ્યાં દ્વારિકા રે, પ્રેમે નીરખ્યા શ્રીરણછોડ;
પાછળ પસ્તાવો રાણાને થયો રે, ગયું ઊતરી મનનું ઝેર,
ઉપરાઉપરી તેડાં મોકલ્યાં રે, આવીને લાગ્યા સહુ પાય;
જહાં રે લગી તમો રહેશો દ્વારિકા રે, ત્યાં લગી કરું ઉપવાસ.’
હરિએ હકીકત સાંભળીને રે, ચાંપી હૃદયા સાથ;
ચરિત્ર એ મીરાંબાઈનું રે જે કો શીખે, સાંભળે ને ગાય;
સ્વાધ્યાય