સાહિત્ય પલ્લવ – ભાગ ૨/શંખનાદ સંભળાયે ભૈયા
Jump to navigation
Jump to search
૨. શંખનાદ સંભળાયે ભૈયા
નર્મદાશંકર
શંખનાદ સંભળાયે ભૈયા, શૂર પુરુષને તેડું હો,
શું એ કહે, સાધુ દેહ છોડે? શું એ કહે, દેવ જાગે હો?
એ બોલે – શું બેસી રહ્યા છો? શત્રુએ કોટ પડ્યો હો,
રક્ષણ કરવા ધાઈ વળો સહુ, હજી રહી છે આશા હો,
રણમાં મૂઆ તોયે રૂડું, દાસપણાથી છૂટશું હો,
દેશજનની સ્વતંત્રતાને અર્થે વીર ઝૂઝી મરશો હો,
હા ભૈયા, હું તો આ ચાલ્યો, શંખનાદ હજુ થાયે હો,