સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ગિરિતળાટી ને કુંડ દામોદર
૫. ગિરિતળાટી ને કુંડ દામોદર
નરસિંહ
ગિરિ તળાટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નહાવા જાય;
કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિ તણાં બહુ વદ્યા રે વચન;
પ્રેમ પદારથ અમો પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ;
પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન;
મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ;
ઘેર પધાર્યા હરિજશ ગાતા, વાતા તાળ ને શંખ મૃદંગ;
મૌન ગ્રહીને મહેતાજી ચાલ્યા, અધવધરાને શો ઉત્તર દેઉં?
નાત ન જાણો ને જાત ન જાણો, ન જાણો કંઈ વિવેક વિચાર;