સાહિત્ય પલ્લવ – ભાગ ૩/એવા રે અમો એવા
૬. એવા રે અમો એવા
નરસિંહ
એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે;
જેનું મન જે સાથે બંધાણું, પહેલું હતું ઘર રાતું રે;
સઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;
કર્મ ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે;
હળવાં કર્મનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે;