સોરઠિયા દુહા/23

From Ekatra Wiki
Jump to navigation Jump to search


23


મનવેધુ કોઈ મળ્યા નહિ, મળ્યા એટલા ગરજી;
દિલની ભીતર જામા ફાટ્યા, કેમ સીવે દરજી!

મારા હૈયામાં ઊંડે ઊંડે સંઘરેલી વાતોનો મરમ પારખનાર કોઈ મળ્યું નહિ. જેટલા મળ્યા એટલા બધી પોતપોતાના સ્વાર્થ પતાવીને જતા રહ્યા. આ કલેજારૂપી જામા ફાટી ગયા છે, પણ તે સામાન્ય દરજી જેવા માણસો કેમ કરીને સીવી શકે? એને માટે તો મનવેધુ જ જોઈએ.