સોરઠિયા દુહા/25

From Ekatra Wiki
Jump to navigation Jump to search


25

દુવો(હો) દિલમાંય, ઉલટ વિણ આવે નહિ;
ખાવું ખોળામાંય, ભૂખ વિના ભાવે નહિ.

માણસને ખોળામાં બેસાડીને ગમે તેટલાં માનપાનથી કે લાડથી ખવરાવો, પણ તેને ભૂખ ન હોય ત્યાં સુધી એ ભોજન ભાવતાં નથી. તેમ અંતરની અંદરથી આપોઆપ ઊમળકો ન ઊઠે ત્યાં સુધી માત્ર કોઈના કહેવાથી કે ધન-કીર્તિની લાલચથી કે બીજાં પ્રલોભનોથી સાચો દુહો રચી શકાતો નથી