સોરઠિયા દુહા/92

From Ekatra Wiki
Jump to navigation Jump to search


92

કાપડ ફાટ્યું હોય, (એને) તાણો લઈને તૂનિયેં;
(પણ) કાળજ ફાટ્યું હોય, (એને) સાંધો ન મળે, સૂરના!

લૂગડું ફાટ્યું હોય તો એને તૂની લઈને અસલ જેવું બનાવી શકાય છે, પરંતુ માનવીનું કાળજું એક વાર ચિરાઈ ગયા પછી એને ક્યાંય સાંધો કરી શકાતો નથી.