સોરઠિયા દુહા/91

From Ekatra Wiki
Jump to navigation Jump to search


91

ભાણું ભાંગ્યું હોય, (એને) રેવણ દઈને રાખિયેં;
(પણ) કરમ ફૂટ્યું હોય, (એને) સાંધો ન મળે, સૂરના.

કોઈ વાસણ ભાંગ્યું હોય તો એને રેણ દઈને રાખી શકાય છે, પરંતુ માણસનું કરમ ફૂટી જાય તે પછી એને સાંધી શકાતું નથી.