હરીશ મીનાશ્રુની કવિતા/પદપ્રાંજલિ : ૩૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદપ્રાંજલિ : ૩૪

સાધો, એ શું મદિરા ચાખે
દરાખનો જે મરમ ભૂલીને વળગ્યો જોઈ રુદરાખે

નભ આલિંગન લિયે નિરંતર
તો ય વિહગ બૈરાગી
ભગવામાં યે ભરત ભરીને
સોહે તે અનુરાગી

એક અજાયબ મુફલિસ દેખ્યો જેને લેખાં લાખે
તુલાવિધિ મુરશિદની કરવા
મળે જો એક તરાજુ
સવા વાલ થઈ પડખેના
પલ્લામાં હું જ બિરાજુ
ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે