કથાવિવેચન પ્રતિ/ટૂંકી વાર્તાની વિભાવના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 21: Line 21:
કળાનું કાર્ય જીવનનાં ગૂઢ રહસ્યો પ્રકાશિત કરી આપવાનું છે, અને આકૃતિની નિર્મિતિ દ્વારા જ એ શક્ય બને છે. ટૂંકી વાર્તાના સર્જકે પણ દરેક કથાસૃષ્ટિને આગવી આકૃતિમાં રજૂ કરવાની છે. પણ આધુનિક રીતિની વાર્તાઓમાં આકૃતિ સ્વયં કૃતિના રહસ્યને ઢાંકી દેતી હોય એવી વારંવાર લાગણી થતી રહે છે. કળાકૃતિમાં વ્યંજનાની સમૃદ્ધિ(ambiguity)નો આપણે જરૂર મહિમા કરીએ પણ દુર્બોધતા(obscurity)નું શું?
કળાનું કાર્ય જીવનનાં ગૂઢ રહસ્યો પ્રકાશિત કરી આપવાનું છે, અને આકૃતિની નિર્મિતિ દ્વારા જ એ શક્ય બને છે. ટૂંકી વાર્તાના સર્જકે પણ દરેક કથાસૃષ્ટિને આગવી આકૃતિમાં રજૂ કરવાની છે. પણ આધુનિક રીતિની વાર્તાઓમાં આકૃતિ સ્વયં કૃતિના રહસ્યને ઢાંકી દેતી હોય એવી વારંવાર લાગણી થતી રહે છે. કળાકૃતિમાં વ્યંજનાની સમૃદ્ધિ(ambiguity)નો આપણે જરૂર મહિમા કરીએ પણ દુર્બોધતા(obscurity)નું શું?
તો, આધુનિક રીતિની ટૂંકી વાર્તાના મર્મગ્રહણમાં સામાન્ય ભાવકને જે મુશ્કેલી અનુભવાય છે તે, સવિશેષ તો, તેની વિલક્ષણ fictionalityનું પરિણામ છે. એમાં, સ્વપ્ન ભ્રાંતિ કપોલકલ્પિત કે પરીકથાના જેવું વિશ્વ ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય ત્યાં, મોટો અવરોધ એ fictional worldના ગ્રહણમાં નડે છે. ‘ગુજરીની ગોદડી’, ‘માને ખોળે’, ‘વાત્રકને કાંઠે’, ‘લોહીનું ટીપું’, ‘અંતઃસ્રોતા’ જેવી વાર્તાઓ આપણને પરિચિત એવી વાસ્તવિકતાના ટેકે ઊભી છે. એમાં જે કંઈ બને છે – પાત્રો પ્રસંગો ક્રિયાઓ સંવેદનો જેવાં તત્ત્વો જે રીતે સંયોજાય છે – તે સર્વ સ્થળકાળનાં પરિચિત પરિમાણો વચ્ચે રજૂ થઈ છે. અમુક સ્થિર અને નિશ્ચિત એવી વાસ્તવિકતાનો એમાં સહજ સ્વીકાર થયો છે. પરિચિત વાસ્તવિકતાના વચ્ચે જ ઘણું ખરું એની સંભવાસંભવની ભૂમિકાઓ રચાય છે. પાત્રો અને પ્રસંગોની સાથે એમાં ક્યાંક સ્વપ્ન દીવાસ્વપ્ન કે ભ્રાંતિની ઘટનાઓ જોડાઈને આવે તોપણ એની નીચે અફર અને અવિકારી એવી વાસ્તવિકતા પડેલી હોય એમ જણાય છે. એટલે પાત્ર પાત્ર વચ્ચેના, પ્રસંગ પ્રસંગ વચ્ચેના, અને પાત્ર પ્રસંગ અને લાગણીના સંબંધોની ઠીક ઠીક બુદ્ધિગ્રાહ્ય એવી સાંકળ મળી આવે છે. કૃતિની મુખ્ય ઘટનાનું તર્કસૂત્ર એ રીતે સતત પકડમાં આવતું રહે છે. સ્થળકાળનો બોધ, પ્રસંગો વચ્ચે કાર્યકારણની સાંકળની ઓળખ, અને પાત્રોનાં સંવેદનો અને સંચલનોની સભાન સ્તરની ગતિવિધિ – એ બધું કૃતિના મર્મને પ્રકાશિત કરવામાં સહાયભૂત બની શકે. આ રીતે વાસ્તવવાદી રીતિની ટૂંકી વાર્તાઓના આકાર અને અર્થ પામવામાં સહૃદયને ભાગ્યે જ કશી મુશ્કેલી નડતી હોય છે. એમાં કેટલીક વાર પાત્રોનાં કાર્યો કે વર્તન પાછળની માનસશાસ્ત્રીય ભૂમિકા સમજવાની મુશ્કેલી આવે ખરી, કે પ્રસંગોના સંભવાસંભવની સમજ પણ પ્રશ્નો ઊભા કરી આપે પણ વાસ્તવવાદી કૃતિઓ પ્રમાણમાં સુગ્રાહ્ય બની રહે છે એમ કહેવામાં ઝાઝી મુશ્કેલી નથી. કમનસીબે, સામાન્ય ભાવક આવી વાર્તાઓને એક અલગ સ્વતંત્ર fictional world તરીકે ઓળખવાની સમજ ધરાવતો હોતો નથી. એટલે કૃતિમાં રજૂ થયેલાં પાત્રો, પ્રસંગો, ક્રિયાઓ, એ સર્વ પોતાની આસપાસની પરિચિત વાસ્તવિકતાનો એક ખંડ હોય કે તેનો જ વિસ્તારમાત્ર હોય, એ રીતે કૃતિની ઘટનાને પ્રત્યક્ષ કરવા પ્રેરાય છે. એ કારણે કૃતિના ભાવસંવેદનની અતિસૂક્ષ્મ છાયાઓ ગ્રહણ કરવાને બદલે તેની વૃત્તિ એને પરિચિત લાગણીઓમાં ઢાળીને માણવાની રહે છે.
તો, આધુનિક રીતિની ટૂંકી વાર્તાના મર્મગ્રહણમાં સામાન્ય ભાવકને જે મુશ્કેલી અનુભવાય છે તે, સવિશેષ તો, તેની વિલક્ષણ fictionalityનું પરિણામ છે. એમાં, સ્વપ્ન ભ્રાંતિ કપોલકલ્પિત કે પરીકથાના જેવું વિશ્વ ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય ત્યાં, મોટો અવરોધ એ fictional worldના ગ્રહણમાં નડે છે. ‘ગુજરીની ગોદડી’, ‘માને ખોળે’, ‘વાત્રકને કાંઠે’, ‘લોહીનું ટીપું’, ‘અંતઃસ્રોતા’ જેવી વાર્તાઓ આપણને પરિચિત એવી વાસ્તવિકતાના ટેકે ઊભી છે. એમાં જે કંઈ બને છે – પાત્રો પ્રસંગો ક્રિયાઓ સંવેદનો જેવાં તત્ત્વો જે રીતે સંયોજાય છે – તે સર્વ સ્થળકાળનાં પરિચિત પરિમાણો વચ્ચે રજૂ થઈ છે. અમુક સ્થિર અને નિશ્ચિત એવી વાસ્તવિકતાનો એમાં સહજ સ્વીકાર થયો છે. પરિચિત વાસ્તવિકતાના વચ્ચે જ ઘણું ખરું એની સંભવાસંભવની ભૂમિકાઓ રચાય છે. પાત્રો અને પ્રસંગોની સાથે એમાં ક્યાંક સ્વપ્ન દીવાસ્વપ્ન કે ભ્રાંતિની ઘટનાઓ જોડાઈને આવે તોપણ એની નીચે અફર અને અવિકારી એવી વાસ્તવિકતા પડેલી હોય એમ જણાય છે. એટલે પાત્ર પાત્ર વચ્ચેના, પ્રસંગ પ્રસંગ વચ્ચેના, અને પાત્ર પ્રસંગ અને લાગણીના સંબંધોની ઠીક ઠીક બુદ્ધિગ્રાહ્ય એવી સાંકળ મળી આવે છે. કૃતિની મુખ્ય ઘટનાનું તર્કસૂત્ર એ રીતે સતત પકડમાં આવતું રહે છે. સ્થળકાળનો બોધ, પ્રસંગો વચ્ચે કાર્યકારણની સાંકળની ઓળખ, અને પાત્રોનાં સંવેદનો અને સંચલનોની સભાન સ્તરની ગતિવિધિ – એ બધું કૃતિના મર્મને પ્રકાશિત કરવામાં સહાયભૂત બની શકે. આ રીતે વાસ્તવવાદી રીતિની ટૂંકી વાર્તાઓના આકાર અને અર્થ પામવામાં સહૃદયને ભાગ્યે જ કશી મુશ્કેલી નડતી હોય છે. એમાં કેટલીક વાર પાત્રોનાં કાર્યો કે વર્તન પાછળની માનસશાસ્ત્રીય ભૂમિકા સમજવાની મુશ્કેલી આવે ખરી, કે પ્રસંગોના સંભવાસંભવની સમજ પણ પ્રશ્નો ઊભા કરી આપે પણ વાસ્તવવાદી કૃતિઓ પ્રમાણમાં સુગ્રાહ્ય બની રહે છે એમ કહેવામાં ઝાઝી મુશ્કેલી નથી. કમનસીબે, સામાન્ય ભાવક આવી વાર્તાઓને એક અલગ સ્વતંત્ર fictional world તરીકે ઓળખવાની સમજ ધરાવતો હોતો નથી. એટલે કૃતિમાં રજૂ થયેલાં પાત્રો, પ્રસંગો, ક્રિયાઓ, એ સર્વ પોતાની આસપાસની પરિચિત વાસ્તવિકતાનો એક ખંડ હોય કે તેનો જ વિસ્તારમાત્ર હોય, એ રીતે કૃતિની ઘટનાને પ્રત્યક્ષ કરવા પ્રેરાય છે. એ કારણે કૃતિના ભાવસંવેદનની અતિસૂક્ષ્મ છાયાઓ ગ્રહણ કરવાને બદલે તેની વૃત્તિ એને પરિચિત લાગણીઓમાં ઢાળીને માણવાની રહે છે.
પણ વાસ્તવવાદી કથાઓમાં સ્પર્શાતી વાસ્તવિકતા પ્રમાણમાં છીછરી અને સપાટિયા પુરવાર થઈ, અને વળી બરડ પણ એટલી જ. એની સામે તીવ્ર પ્રતિક્રિયા રૂપે કથાસાહિત્યમાં સ્વપ્ન ભ્રાંતિ કપોલકલ્પિત જેવી અતિવિલક્ષણ fictionality વાળી રચનાઓ જન્મી. આપણા આધુનિક સાહિત્યમાં અગાઉની પેઢીની મૂળ વાસ્તવવાદી કથાઓ સામે બળવાન પ્રતિક્રિયા જોવા મળી. ૧૯૫૭માં સુરેશ જોષીનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ પ્રગટ થયો. એ સંગ્રહની કૃતિઓમાં આજે એટલી ઉત્કૃષ્ટ કળાત્મક સિદ્ધિ પ્રત્યક્ષ થતી નથી. પણ આપણી નવી ટૂંકી વાર્તાને નવો વળાંક આપવામાં એ સંગ્રહ ઘણો પ્રભાવક નીવડ્યો. અને, એમાંની ટૂંકી વર્તાઓ કરતાંયે એમાં ટૂંકી વાર્તાની રૂપરચના પરત્વે – એના નવા એસ્થેટિક્સ વિશે – જે વિચારો પ્રગટ થયા, તે વિશેષ પરિણામકારી નીવડ્યા એમ સમજાય છે. કળાનું નિર્માણ એ હવે એક ‘લીલામય’ પ્રવૃત્તિ બની રહી. સામાજિક પ્રશ્નો અને પરિસ્થિતિઓ રજૂ કરી વિવિધ આપવાનું વલણ હવે લુપ્ત થયું. એક પ્રકારે અમાનવીયકરણની પ્રવૃત્તિ કળામાં પ્રભાવક બનતી રહી, સામગ્રીને સ્થાને રૂપરચનાનું મહત્ત્વ વધ્યું. રૂઢ કથનરીતિ અને સંવિધાનમાં સ્થગિત થઈ જવા આવેલી ટૂંકી વાર્તા અવનવી રીતિ અને શૈલીના પ્રયોગો કરવા આતુર બની. કેવળ ભાષાના નવવિધાન દ્વારા કે ભાષાના વિશિષ્ટ સંયોજન દ્વારા ક્રીડા કરવાની વૃત્તિ પણ કામ કરતી રહી. ઘટનાના ‘હ્રાસ’નો ખ્યાલ ઘટનાના ‘લોપ’માં પલટાઈ રહ્યો. ચૈતસિક વાસ્તવનાં રૂપો રચવાની એક અનોખી પ્રવૃત્તિ એની સાથે ચાલી. ‘હાર્મોનિકા’ કે ‘DASEIN’ એનાં આત્યંતિક પરિણામો છે.  
પણ વાસ્તવવાદી કથાઓમાં સ્પર્શાતી વાસ્તવિકતા પ્રમાણમાં છીછરી અને સપાટિયા પુરવાર થઈ, અને વળી બરડ પણ એટલી જ. એની સામે તીવ્ર પ્રતિક્રિયા રૂપે કથાસાહિત્યમાં સ્વપ્ન ભ્રાંતિ કપોલકલ્પિત જેવી અતિવિલક્ષણ fictionality વાળી રચનાઓ જન્મી. આપણા આધુનિક સાહિત્યમાં અગાઉની પેઢીની મૂળ વાસ્તવવાદી કથાઓ સામે બળવાન પ્રતિક્રિયા જોવા મળી. ૧૯૫૭માં સુરેશ જોષીનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ પ્રગટ થયો. એ સંગ્રહની કૃતિઓમાં આજે એટલી ઉત્કૃષ્ટ કળાત્મક સિદ્ધિ પ્રત્યક્ષ થતી નથી. પણ આપણી નવી ટૂંકી વાર્તાને નવો વળાંક આપવામાં એ સંગ્રહ ઘણો પ્રભાવક નીવડ્યો. અને, એમાંની ટૂંકી વર્તાઓ કરતાંયે એમાં ટૂંકી વાર્તાની રૂપરચના પરત્વે – એના નવા એસ્થેટિક્સ વિશે – જે વિચારો પ્રગટ થયા, તે વિશેષ પરિણામકારી નીવડ્યા એમ સમજાય છે. કળાનું નિર્માણ એ હવે એક ‘લીલામય’ પ્રવૃત્તિ બની રહી. સામાજિક પ્રશ્નો અને પરિસ્થિતિઓ રજૂ કરી વિવિધ આપવાનું વલણ હવે લુપ્ત થયું. એક પ્રકારે અમાનવીયકરણની પ્રવૃત્તિ કળામાં પ્રભાવક બનતી રહી, સામગ્રીને સ્થાને રૂપરચનાનું મહત્ત્વ વધ્યું. રૂઢ કથનરીતિ અને સંવિધાનમાં સ્થગિત થઈ જવા આવેલી ટૂંકી વાર્તા અવનવી રીતિ અને શૈલીના પ્રયોગો કરવા આતુર બની. કેવળ ભાષાના નવવિધાન દ્વારા કે ભાષાના વિશિષ્ટ સંયોજન દ્વારા ક્રીડા કરવાની વૃત્તિ પણ કામ કરતી રહી. ઘટનાના ‘હ્રાસ’નો ખ્યાલ ઘટનાના ‘લોપ’માં પલટાઈ રહ્યો. ચૈતસિક વાસ્તવનાં રૂપો રચવાની એક અનોખી પ્રવૃત્તિ એની સાથે ચાલી. ‘હાર્મોનિકા’ કે ‘DASEIN’ એનાં આત્યંતિક પરિણામો છે.  


કૃતિને ટૂંકી વાર્તા તરીકે ઓળખાવી શકાય તે માટે અલ્પતમ પણ રહસ્યસભર ઘટના તો જોઈએ જ. એમાં પરિચિત વાસ્તવની સામગ્રી સ્વીકારાઈ હોય કે કપોલકલ્પિત(અથવા સ્વપ્ન)ની સામગ્રી હોય, પ્રશ્ન એની કેન્દ્રીય ઘટનાને અમુક વિશેષ મરોડ આપવાનો છે. પરિચિત વાસ્તવિકતાની સામે લેખક ભલે કોઈ fictional fabulated world ઊભું કરે, પણ એનો રચનાગત નિયમ પ્રચ્છન્ન રહી જાય કે તેના સંકેતોની વ્યવસ્થા જ દુર્ગ્રાહ્ય રહી જાય તો એ કૃતિ વંધ્ય નીવડવા સંભવ છે.
કૃતિને ટૂંકી વાર્તા તરીકે ઓળખાવી શકાય તે માટે અલ્પતમ પણ રહસ્યસભર ઘટના તો જોઈએ જ. એમાં પરિચિત વાસ્તવની સામગ્રી સ્વીકારાઈ હોય કે કપોલકલ્પિત(અથવા સ્વપ્ન)ની સામગ્રી હોય, પ્રશ્ન એની કેન્દ્રીય ઘટનાને અમુક વિશેષ મરોડ આપવાનો છે. પરિચિત વાસ્તવિકતાની સામે લેખક ભલે કોઈ fictional fabulated world ઊભું કરે, પણ એનો રચનાગત નિયમ પ્રચ્છન્ન રહી જાય કે તેના સંકેતોની વ્યવસ્થા જ દુર્ગ્રાહ્ય રહી જાય તો એ કૃતિ વંધ્ય નીવડવા સંભવ છે.

Navigation menu