33,475
edits
(+1) |
No edit summary |
||
| Line 44: | Line 44: | ||
શ્રી જ્યોતીન્દ્રની હાસ્યરસ ઉપાસના વિડંબનથી, શબ્દલીલાથી અને તર્કચ્છલથી, વાણી, વિચાર અને બુદ્ધિથી અસાધારણ લીલા સુધીનો વિકાસ સાધે છે. જ્યાં સાધારણતઃ વિનોદ ન હોય ત્યાં વિનોદનું અને હાસ્યનું તત્ત્વ જોવાની શક્તિ એમણે ખીલવી છે. અર્થાત્ એમનો હાસ્યરસ દૃષ્ટનિષ્ઠ છે. પણ એમની હાસ્યરસ ખીલવવાની પ્રક્રિયા એવી છે કે જે પ્રકારનું જીવન એ પ્રત્યક્ષ જુએ એ પ્રકારનું એમનું હાસ્યરસિક લેખક તરીકેનું જીવનદર્શન નથી. એમની આરસી જીવનનું યથાસ્થિત પ્રતિબિંબ ઝીલનારી નથી—એ પ્રતિબિંબને વિકૃત કરનારી છે, તેમજ પ્રમાણવિસ્તારક છે. જ્યોતીન્દ્ર દવેની દૃષ્ટિ સૂક્ષ્મદર્શક જેવી, અન્યની દૃષ્ટિને ન દેખાય તેવા સૂક્ષ્મ ભેદવિભેદો જોનારી છે અને વિષયના કુદરતી પ્રમાણનો અનેકગણો વિસ્તાર કરનારી છે. એમના કલ્પનાતરંગો, અને અવનવી પ્રતીકયોજના, એ એમના દર્શનનું વક્રીભવન કરનારાં તત્ત્વો છે. પણ એ વક્રીભવન છે, તો આપણને હાસ્યરસની પ્રસાદી મળે છે. | શ્રી જ્યોતીન્દ્રની હાસ્યરસ ઉપાસના વિડંબનથી, શબ્દલીલાથી અને તર્કચ્છલથી, વાણી, વિચાર અને બુદ્ધિથી અસાધારણ લીલા સુધીનો વિકાસ સાધે છે. જ્યાં સાધારણતઃ વિનોદ ન હોય ત્યાં વિનોદનું અને હાસ્યનું તત્ત્વ જોવાની શક્તિ એમણે ખીલવી છે. અર્થાત્ એમનો હાસ્યરસ દૃષ્ટનિષ્ઠ છે. પણ એમની હાસ્યરસ ખીલવવાની પ્રક્રિયા એવી છે કે જે પ્રકારનું જીવન એ પ્રત્યક્ષ જુએ એ પ્રકારનું એમનું હાસ્યરસિક લેખક તરીકેનું જીવનદર્શન નથી. એમની આરસી જીવનનું યથાસ્થિત પ્રતિબિંબ ઝીલનારી નથી—એ પ્રતિબિંબને વિકૃત કરનારી છે, તેમજ પ્રમાણવિસ્તારક છે. જ્યોતીન્દ્ર દવેની દૃષ્ટિ સૂક્ષ્મદર્શક જેવી, અન્યની દૃષ્ટિને ન દેખાય તેવા સૂક્ષ્મ ભેદવિભેદો જોનારી છે અને વિષયના કુદરતી પ્રમાણનો અનેકગણો વિસ્તાર કરનારી છે. એમના કલ્પનાતરંગો, અને અવનવી પ્રતીકયોજના, એ એમના દર્શનનું વક્રીભવન કરનારાં તત્ત્વો છે. પણ એ વક્રીભવન છે, તો આપણને હાસ્યરસની પ્રસાદી મળે છે. | ||
ફરી પાછી, પુનરાવૃત્તિનો દોષ વહોરીને પણ, જ્યોતીન્દ્ર દવેની વિશિષ્ટ માનસમુક્તતાને યાદ કરવી પડે છે. એ માનસમુક્તિ એટલે રાગદ્વેષ, ક્રોધ, મત્સર આદિ મનોવૃત્તિઓના આવેશથી અને અભિનિવેશથી સદાકાળ મુક્ત રહેવાનું સામર્થ્ય ઉપજાવતી તટસ્થતા. એ તટસ્થતા એકંદર રીતે હાસ્યની નિષ્પત્તિને અંગે મ્હોટો આવશ્યક ગુણ છે. છતાં એથી જ્યોતીન્દ્ર દવેનાં હાસ્યરસિક દર્શનમાં અને સમર્પણમાં એક મર્યાદા ઉત્પન્ન થાય છે. ક્રોધાદિવૃત્તિથી અસ્પૃષ્ટ રહેવાની એ તટસ્થતા એમને માનવતામાં રહેલી ઘેરી કરુણતા તરફ પણ તટસ્થ બનાવે છે, વિનોદની અખંડ ઉપાસના માટે આવશ્યક દ્વન્દ્વમુક્ત મનોદશા જાળવવા સાથે જ્યોતીન્દ્રનું જીવનદર્શન આ માનવતામાં ઊંડું ઊતરે તો તેથી એમની હાસ્યસિદ્ધિ ઘટે નહિ બલકે સવિશેષ સત્ત્વશાલિની બને એ નિઃશંક છે. | ફરી પાછી, પુનરાવૃત્તિનો દોષ વહોરીને પણ, જ્યોતીન્દ્ર દવેની વિશિષ્ટ માનસમુક્તતાને યાદ કરવી પડે છે. એ માનસમુક્તિ એટલે રાગદ્વેષ, ક્રોધ, મત્સર આદિ મનોવૃત્તિઓના આવેશથી અને અભિનિવેશથી સદાકાળ મુક્ત રહેવાનું સામર્થ્ય ઉપજાવતી તટસ્થતા. એ તટસ્થતા એકંદર રીતે હાસ્યની નિષ્પત્તિને અંગે મ્હોટો આવશ્યક ગુણ છે. છતાં એથી જ્યોતીન્દ્ર દવેનાં હાસ્યરસિક દર્શનમાં અને સમર્પણમાં એક મર્યાદા ઉત્પન્ન થાય છે. ક્રોધાદિવૃત્તિથી અસ્પૃષ્ટ રહેવાની એ તટસ્થતા એમને માનવતામાં રહેલી ઘેરી કરુણતા તરફ પણ તટસ્થ બનાવે છે, વિનોદની અખંડ ઉપાસના માટે આવશ્યક દ્વન્દ્વમુક્ત મનોદશા જાળવવા સાથે જ્યોતીન્દ્રનું જીવનદર્શન આ માનવતામાં ઊંડું ઊતરે તો તેથી એમની હાસ્યસિદ્ધિ ઘટે નહિ બલકે સવિશેષ સત્ત્વશાલિની બને એ નિઃશંક છે. | ||
{{Poem2Close}} | |||
'''પાદટીપ''' | '''પાદટીપ''' | ||
{{reflist}} | {{reflist}} | ||
{{right|(વાઙ્મયવિમર્શ) | {{right|'''(વાઙ્મયવિમર્શ)'''}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||