સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/ઉશનસ્‌ની કવિતાના મર્મકોષોમાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
“કવિ લેખે હવે બીજું કોઈ કામ કરવાનું બાકી રહ્યું નથી; મારી કવિતાએ સંદેશા આપવાનું કામ ક્યારનુંય છોડી દીધું છે. હવે હું સર્જનના રહસ્યની બરાબર સંમુખ ઊભો રહેવા માગું છું, ઊઘડવા માગું છું.
“કવિ લેખે હવે બીજું કોઈ કામ કરવાનું બાકી રહ્યું નથી; મારી કવિતાએ સંદેશા આપવાનું કામ ક્યારનુંય છોડી દીધું છે. હવે હું સર્જનના રહસ્યની બરાબર સંમુખ ઊભો રહેવા માગું છું, ઊઘડવા માગું છું.
હવે હું માત્ર સર્જનના આદ્ય વિસ્મય સાથે તાલબદ્ધ થઈ જવા માગું છું; આ રહસ્યમય પંચભૂતોની વચ્ચે ઊભા રહેવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું છે તે નકામા ડહાપણનો જલ્પ કરી એળે નહિ જવા દઉં. મારે આ પંચભૂતોના વિસ્મય વચ્ચે વિસ્મયના જ એક સજીવ માધ્યમ તરીકે ઊભા રહેવું છે...”
હવે હું માત્ર સર્જનના આદ્ય વિસ્મય સાથે તાલબદ્ધ થઈ જવા માગું છું; આ રહસ્યમય પંચભૂતોની વચ્ચે ઊભા રહેવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું છે તે નકામા ડહાપણનો જલ્પ કરી એળે નહિ જવા દઉં. મારે આ પંચભૂતોના વિસ્મય વચ્ચે વિસ્મયના જ એક સજીવ માધ્યમ તરીકે ઊભા રહેવું છે...”
ત્રણ દાયકાથીયે કંઈક વધુ લાંબા સમયની – ‘પ્રસૂન’થી ‘રૂપના લય’ સુધીની<ref>તેમના મુખ્ય કાવ્યસંગ્રહો આ પ્રમાણે છે : ‘પ્રસૂન’{{Right|(૧૯૫૫), ‘નેપથ્યે’{{Right|(૧૯૫૬), ‘મનોમુદ્રા’{{Right|(૧૯૬૦), ‘આર્દ્રા’{{Right|(૧૯૬૧), ‘તૃણનો ગ્રહ’{{Right|(૧૯૬૪), ‘સ્પંદ અને છંદ’{{Right|(૧૯૬૮), ‘અશ્વત્થ’{{Right|(૧૯૭૫) અને ‘રૂપના લય’{{Right|(૧૯૭૬). ‘પ્રસૂન’માં છેક ૧૯૪૦ની આસપાસ રચાયેલી કૃતિઓ ગ્રંથસ્થ થઈ છે. આ લેખમાં કાવ્યસંગ્રહોનાં શીર્ષકો કેવળ પ્રથમ અક્ષરથી નોંધ્યાં છે : જેમ કે, ‘પ્રસૂન’ – પ્ર., ‘તૃણનો ગ્રહ’ – તૃ. ગ્ર. વગેરે.</ref> – તેમની કાવ્યપ્રવૃત્તિમાં, પાછળના તબકકે પ્રાપ્ત થતા કવિના આ નિવેદનને આપણે શી રીતે ઘટાવીશું? કેવળ વાગ્મિતા ગણીને એને એમની કવિતાને સંદર્ભે અપ્રસ્તુત ગણીશું કે એમાં તેમની કવિતાની બદલાતી ગતિવિધિનો સંકેત જોઈશું? મને લાગે છે કે કેવળ વાગ્મિતા ગણીને આ ઉક્તિઓની અવગણના કરીએ, તો સંભવતઃ તેમની ઉત્તરકાલીન કવિતાના મર્મકોષોમાં પ્રવેશ કરવાની એક મહત્ત્વની ભૂમિકા આપણે ગુમાવી બેસીએ. ખરું જોતાં આ નિવેદનમાં ઉશનસ્‌ની ઉત્તરકાલીન કવિતાનું કેન્દ્રીય સંચલન પ્રગટ થઈ જાય છે. તેમનું કવિસંવિત્‌ જે રીતે ઊઘડી રહ્યું છે તેની આત્મપ્રતીતિ અહીં અભીપ્સા રૂપે વ્યક્ત થઈ છે. ‘તૃણનો ગ્રહ’માં અને તે પછીના સંગ્રહોમાં, સૃજનનાં પંચભૂતો પ્રતિ વિસ્મયની જે એક વિશેષ મુદ્રા ખીલતી આવતી દેખાય છે, તે સંદર્ભમાં આ નિવેદન પ્રસ્તુત બની રહેતું લાગે છે.
ત્રણ દાયકાથીયે કંઈક વધુ લાંબા સમયની – ‘પ્રસૂન’થી ‘રૂપના લય’ સુધીની<ref>તેમના મુખ્ય કાવ્યસંગ્રહો આ પ્રમાણે છે : ‘પ્રસૂન’(૧૯૫૫), ‘નેપથ્યે’(૧૯૫૬), ‘મનોમુદ્રા’(૧૯૬૦), ‘આર્દ્રા’(૧૯૬૧), ‘તૃણનો ગ્રહ’(૧૯૬૪), ‘સ્પંદ અને છંદ’(૧૯૬૮), ‘અશ્વત્થ’(૧૯૭૫) અને ‘રૂપના લય’(૧૯૭૬). ‘પ્રસૂન’માં છેક ૧૯૪૦ની આસપાસ રચાયેલી કૃતિઓ ગ્રંથસ્થ થઈ છે. આ લેખમાં કાવ્યસંગ્રહોનાં શીર્ષકો કેવળ પ્રથમ અક્ષરથી નોંધ્યાં છે : જેમ કે, ‘પ્રસૂન’ – પ્ર., ‘તૃણનો ગ્રહ’ – તૃ. ગ્ર. વગેરે.</ref> – તેમની કાવ્યપ્રવૃત્તિમાં, પાછળના તબકકે પ્રાપ્ત થતા કવિના આ નિવેદનને આપણે શી રીતે ઘટાવીશું? કેવળ વાગ્મિતા ગણીને એને એમની કવિતાને સંદર્ભે અપ્રસ્તુત ગણીશું કે એમાં તેમની કવિતાની બદલાતી ગતિવિધિનો સંકેત જોઈશું? મને લાગે છે કે કેવળ વાગ્મિતા ગણીને આ ઉક્તિઓની અવગણના કરીએ, તો સંભવતઃ તેમની ઉત્તરકાલીન કવિતાના મર્મકોષોમાં પ્રવેશ કરવાની એક મહત્ત્વની ભૂમિકા આપણે ગુમાવી બેસીએ. ખરું જોતાં આ નિવેદનમાં ઉશનસ્‌ની ઉત્તરકાલીન કવિતાનું કેન્દ્રીય સંચલન પ્રગટ થઈ જાય છે. તેમનું કવિસંવિત્‌ જે રીતે ઊઘડી રહ્યું છે તેની આત્મપ્રતીતિ અહીં અભીપ્સા રૂપે વ્યક્ત થઈ છે. ‘તૃણનો ગ્રહ’માં અને તે પછીના સંગ્રહોમાં, સૃજનનાં પંચભૂતો પ્રતિ વિસ્મયની જે એક વિશેષ મુદ્રા ખીલતી આવતી દેખાય છે, તે સંદર્ભમાં આ નિવેદન પ્રસ્તુત બની રહેતું લાગે છે.
ઉશનસ્‌ની કવિતાએ વિસ્મયની આભા ખીલવતાં આંતરિક વિકાસ સાધ્યો છે, અને અત્યારની ‘અદ્યતન’ કહેવાતી કવિતા જોડે કેટલુંક અનુસંધાન પણ કેળવી લીધું છે. પણ કાવ્યશૈલી અભિવ્યક્તિ અને છંદોલયની બાબતમાં તેઓ વિશેષતઃ પરંપરા તરફ ઢળેલા રહ્યા છે. એટલે તેમની કાવ્યપ્રવૃત્તિ વિશે આપણા અભ્યાસીઓમાં ક્યાંક આવા પ્રશ્નો પણ થતા રહ્યા છે : કવિ ઉશનસ્‌ની કવિતામાં ખરેખર કોઈ આંતરવિકાસ થયો છે ખરો કે રૂઢ કાવ્યરૂપો, રૂઢ રચનારીતિ અને રૂઢ લયમાં બંધાઈને તે સ્થગિત થઈ ગઈ છે? આપણી અત્યારની કવિતા નવા નવા ઉન્મેષો પ્રગટાવવાને પોતાનાં ઉપકરણો બદલી રહી છે ત્યારે ઉશનસ્‌ની કવિતામાં ઉપકરણો બદલાયાં છે ખરાં? તેમની કવિતામાં અદ્યતન રુચિને સંતર્પે એવાં નૂતન તત્ત્વો ખીલ્યાં છે ખરાં? અને એક કવિ લેખે તેમનો આગવો સ્વર અને આગવી મુદ્રા બંધાઈ છે ખરી? વગેરે.
ઉશનસ્‌ની કવિતાએ વિસ્મયની આભા ખીલવતાં આંતરિક વિકાસ સાધ્યો છે, અને અત્યારની ‘અદ્યતન’ કહેવાતી કવિતા જોડે કેટલુંક અનુસંધાન પણ કેળવી લીધું છે. પણ કાવ્યશૈલી અભિવ્યક્તિ અને છંદોલયની બાબતમાં તેઓ વિશેષતઃ પરંપરા તરફ ઢળેલા રહ્યા છે. એટલે તેમની કાવ્યપ્રવૃત્તિ વિશે આપણા અભ્યાસીઓમાં ક્યાંક આવા પ્રશ્નો પણ થતા રહ્યા છે : કવિ ઉશનસ્‌ની કવિતામાં ખરેખર કોઈ આંતરવિકાસ થયો છે ખરો કે રૂઢ કાવ્યરૂપો, રૂઢ રચનારીતિ અને રૂઢ લયમાં બંધાઈને તે સ્થગિત થઈ ગઈ છે? આપણી અત્યારની કવિતા નવા નવા ઉન્મેષો પ્રગટાવવાને પોતાનાં ઉપકરણો બદલી રહી છે ત્યારે ઉશનસ્‌ની કવિતામાં ઉપકરણો બદલાયાં છે ખરાં? તેમની કવિતામાં અદ્યતન રુચિને સંતર્પે એવાં નૂતન તત્ત્વો ખીલ્યાં છે ખરાં? અને એક કવિ લેખે તેમનો આગવો સ્વર અને આગવી મુદ્રા બંધાઈ છે ખરી? વગેરે.
આ જાતના પ્રશ્નો પાછળ, અલબત્ત, આપણી બદલાતી કાવ્યરુચિ અને કાવ્યભાવના રહી છે એમ જોઈ શકાશે. કવિતાની સર્જકતાનો એક વિશેષ ખ્યાલ એમાં પુરસ્કાર પામ્યો છે. એમાં એક એવી સમજ અભિપ્રેત રહી છે કે આજની ક્ષણે જે કવિ લખવા ચાહે છે તેને ગઈ કાલની કાવ્યબાની કે રીતિ પૂરતાં કાર્યસાધક ન નીવડે. અને, એ દૃષ્ટિએ સર્જકતાનો પ્રશ્ન સભાન કવિકર્મ જોડે – અને તેના વિસ્તારરૂપે ભાષાના પુનર્વિધાન જોડે – સીધો સંકળાયેલો છે. કવિ જ્યારે પોતાના સંવેદનને સફળતાથી તાગવા ચાહે છે ત્યાર ભાષાનાં રૂપો, છંદોલય, કે રચનારીતિના કોઈ ને કોઈ પ્રશ્નનો સામનો કરવાના પ્રસંગો તેને આવે જ છે. સર્જનની ક્ષણોમાં રૂઢ ભાષાતંત્ર જોડે મુકાબલો ચાલતો જ હોય છે, અને સિદ્ધ થયેલી કૃતિ આવા કોઈ મુકાબલાનું પરિણામ હોય છે. પણ આ બધું તો કવિતાની વિભાવનામાં ભાષાનું સ્થાન તમે ક્યાં મૂકો છો તે પર પણ અવલંબે છે. જેઓ કવિતા માટે અંતઃપ્રેરણા પર જ બધો આધાર રાખે છે, અથવા મોટો આધાર રાખે છે, તેઓ કવિકર્મની સભાન પ્રવૃત્તિનો ઝાઝો સ્વીકાર ન કરે, એમ બને. ઉશનસ્‌ની અત્યાર સુધીની એકધારી ભરચક કાવ્યપ્રવૃત્તિ વિશે આપણા કેટલાક અભ્યાસીઓમાં એવી એક છાપ રહી છે કે વિશેષતઃ પ્રેરણાના આવેશમાં તેઓ લખતા રહ્યા છે, અને એટલે જ અંતઃપ્રેરિત ‘વસ્તુ’ પર તેમની કવિતા મદાર બાંધે છે. પણ આ જાતની માન્યતા બરોબર નથી. ઉશનસ્‌ની કવિતામાં જે કેટલુંક ઉત્તમ છે, સંતર્પક છે, તેમાં કવિ-કર્મની સિદ્ધિ નોંધપાત્ર છે. એવી કૃતિઓમાં ભાષાની ક્ષમતાનો તેમણે સારી રીતે કસ કાઢ્યો છે. અદ્યતન કાવ્યરીતિનાં સૂક્ષ્મ તત્ત્વો તેમણે આત્મસાત્‌ કરી લીધાં છે. પરંપરાગત કાવ્યરૂપો અને છંદોલયમાં રહીને અભિવ્યક્તિની સૂક્ષ્મતા સાધવાનો તેમનો એ ધ્યાનપાત્ર પ્રયાસ રહ્યો છે.
આ જાતના પ્રશ્નો પાછળ, અલબત્ત, આપણી બદલાતી કાવ્યરુચિ અને કાવ્યભાવના રહી છે એમ જોઈ શકાશે. કવિતાની સર્જકતાનો એક વિશેષ ખ્યાલ એમાં પુરસ્કાર પામ્યો છે. એમાં એક એવી સમજ અભિપ્રેત રહી છે કે આજની ક્ષણે જે કવિ લખવા ચાહે છે તેને ગઈ કાલની કાવ્યબાની કે રીતિ પૂરતાં કાર્યસાધક ન નીવડે. અને, એ દૃષ્ટિએ સર્જકતાનો પ્રશ્ન સભાન કવિકર્મ જોડે – અને તેના વિસ્તારરૂપે ભાષાના પુનર્વિધાન જોડે – સીધો સંકળાયેલો છે. કવિ જ્યારે પોતાના સંવેદનને સફળતાથી તાગવા ચાહે છે ત્યાર ભાષાનાં રૂપો, છંદોલય, કે રચનારીતિના કોઈ ને કોઈ પ્રશ્નનો સામનો કરવાના પ્રસંગો તેને આવે જ છે. સર્જનની ક્ષણોમાં રૂઢ ભાષાતંત્ર જોડે મુકાબલો ચાલતો જ હોય છે, અને સિદ્ધ થયેલી કૃતિ આવા કોઈ મુકાબલાનું પરિણામ હોય છે. પણ આ બધું તો કવિતાની વિભાવનામાં ભાષાનું સ્થાન તમે ક્યાં મૂકો છો તે પર પણ અવલંબે છે. જેઓ કવિતા માટે અંતઃપ્રેરણા પર જ બધો આધાર રાખે છે, અથવા મોટો આધાર રાખે છે, તેઓ કવિકર્મની સભાન પ્રવૃત્તિનો ઝાઝો સ્વીકાર ન કરે, એમ બને. ઉશનસ્‌ની અત્યાર સુધીની એકધારી ભરચક કાવ્યપ્રવૃત્તિ વિશે આપણા કેટલાક અભ્યાસીઓમાં એવી એક છાપ રહી છે કે વિશેષતઃ પ્રેરણાના આવેશમાં તેઓ લખતા રહ્યા છે, અને એટલે જ અંતઃપ્રેરિત ‘વસ્તુ’ પર તેમની કવિતા મદાર બાંધે છે. પણ આ જાતની માન્યતા બરોબર નથી. ઉશનસ્‌ની કવિતામાં જે કેટલુંક ઉત્તમ છે, સંતર્પક છે, તેમાં કવિ-કર્મની સિદ્ધિ નોંધપાત્ર છે. એવી કૃતિઓમાં ભાષાની ક્ષમતાનો તેમણે સારી રીતે કસ કાઢ્યો છે. અદ્યતન કાવ્યરીતિનાં સૂક્ષ્મ તત્ત્વો તેમણે આત્મસાત્‌ કરી લીધાં છે. પરંપરાગત કાવ્યરૂપો અને છંદોલયમાં રહીને અભિવ્યક્તિની સૂક્ષ્મતા સાધવાનો તેમનો એ ધ્યાનપાત્ર પ્રયાસ રહ્યો છે.

Navigation menu