36,217
edits
(+૧) |
(+૧) |
||
| Line 31: | Line 31: | ||
“યદુશ્રેષ્ઠ, આપની વીરતાને કોણ નથી જાણતું? આપે અનેક યુદ્ધોમાં અદ્વિતીય પરાક્રમ દાખવ્યું છે. પણ આ મહાયુદ્ધ તો સહુથી નિરાળું થશે. આપ જો મહારાજા દુર્યોધનને પક્ષે લડશો તો યુગો સુધી આપની કીર્તિ ગવાશે. કૃષ્ણ તો શસ્ત્ર ધારણ કરવાના નથી, એટલે તેમનો સામનો કરવાનો તો પ્રશ્ન જ નથી ઊઠતો. આપનું યુદ્ધકૌશલ્ય નિહાળવાનો અમને અવસર આપો, બળભદ્ર!” | “યદુશ્રેષ્ઠ, આપની વીરતાને કોણ નથી જાણતું? આપે અનેક યુદ્ધોમાં અદ્વિતીય પરાક્રમ દાખવ્યું છે. પણ આ મહાયુદ્ધ તો સહુથી નિરાળું થશે. આપ જો મહારાજા દુર્યોધનને પક્ષે લડશો તો યુગો સુધી આપની કીર્તિ ગવાશે. કૃષ્ણ તો શસ્ત્ર ધારણ કરવાના નથી, એટલે તેમનો સામનો કરવાનો તો પ્રશ્ન જ નથી ઊઠતો. આપનું યુદ્ધકૌશલ્ય નિહાળવાનો અમને અવસર આપો, બળભદ્ર!” | ||
કૃપાચાર્યનાં વચનો સાંભળી પહેલાં તો બળરામને હસવું આવ્યું. પણ એ હસી ન શક્યા. ગમે તેટલા કોમળ રહેવાનો પ્રયત્ન કરવા છતાં એમના અવાજમાં કરડાકી આવી ગઈ. કહ્યું : | કૃપાચાર્યનાં વચનો સાંભળી પહેલાં તો બળરામને હસવું આવ્યું. પણ એ હસી ન શક્યા. ગમે તેટલા કોમળ રહેવાનો પ્રયત્ન કરવા છતાં એમના અવાજમાં કરડાકી આવી ગઈ. કહ્યું : | ||
“આચાર્ય, મહાયુદ્ધમાં ભાગ લઈ અમર કીર્તિ રળવાની વાત તમારી પાસેથી નવી સાંભળી. તમને પણ યુદ્ધનો ઠીક ચસકો ચડ્યો લાગે છે. ભલા, ક્ષત્રિયોનો તો લોહી રેડવાનો ધંધો છે અને એ ભાઈ ભાઈનાં ગળાં કાપતા આવ્યા છે. પણ તમે આવા વિપ્રશિરોમણિ, આવા વિદ્વાન, શું જોઈને લડાઈમાં કૂદી પડ્યા છો? તમે, આચાર્ય દ્રોણ, આ તમારો ભાણિયો અશ્વત્થામા આમ ક્ષત્રિયોની હરીફાઈ કરવા માંડશો તો આ દેશનું બ્રહ્મતેજ ક્યાં જશે? કે તમે જ એને ખાડમાં નાખવા બેઠા છો?” | |||
કૃપાચાર્ય થરથરી ઊઠ્યા, અશ્વત્થામાના ચહેરા પર લોહી ધસી આવ્યું. પણ છેલ્લો ઘા હજી બાકી હતો. બળરામે ન શમાવી શકાય, ન દબાવી શકાય એવી નફરતથી હોઠ ભીંસી કહી નાખ્યું : | કૃપાચાર્ય થરથરી ઊઠ્યા, અશ્વત્થામાના ચહેરા પર લોહી ધસી આવ્યું. પણ છેલ્લો ઘા હજી બાકી હતો. બળરામે ન શમાવી શકાય, ન દબાવી શકાય એવી નફરતથી હોઠ ભીંસી કહી નાખ્યું : | ||
“યાદ રાખજો, આચાર્ય, બ્રાહ્મણ ઊજળો રહે છે ત્યારે સૂર્ય પણ એના જેવો ઊજળો નથી હોતો. પણ કાળો ધબ થઈ જાય છે ત્યારે રાહુ કરતાં પણ વધારે કાળો ને નપાવટ બને છે. તમે તમારા કપાળે કાળાં ટીલાં ચીતરતાં પહેલાં ચેતો તો સારું, મારી કીર્તિ પડી ચૂલામાં. તમારું કલંક કાયમનું ન રહી જાય એ જોજો!” | “યાદ રાખજો, આચાર્ય, બ્રાહ્મણ ઊજળો રહે છે ત્યારે સૂર્ય પણ એના જેવો ઊજળો નથી હોતો. પણ કાળો ધબ થઈ જાય છે ત્યારે રાહુ કરતાં પણ વધારે કાળો ને નપાવટ બને છે. તમે તમારા કપાળે કાળાં ટીલાં ચીતરતાં પહેલાં ચેતો તો સારું, મારી કીર્તિ પડી ચૂલામાં. તમારું કલંક કાયમનું ન રહી જાય એ જોજો!” | ||