રાધે તારા ડુંગરિયા પર/વૃન્દાવન છે રૂડું: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વૃન્દાવન છે રૂડું|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} <poem> '''મારું વૃન્દાવન...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|વૃન્દાવન છે રૂડું|ભોળાભાઈ પટેલ}}
{{Heading|વૃન્દાવન છે રૂડું|ભોળાભાઈ પટેલ}}


{{Poem2Open}}
<poem>
<poem>
'''મારું વૃન્દાવન છે રૂડું * આનંદ વૃંદાવન'''
'''મારું વૃન્દાવન છે રૂડું * આનંદ વૃંદાવન'''
Line 10: Line 9:
'''નંદ ગાંવ * સેવાકુંજ * નિધુવન * મથુરા'''
'''નંદ ગાંવ * સેવાકુંજ * નિધુવન * મથુરા'''
</poem>
</poem>
{{Poem2Open}}
પંદર વર્ષનો કિશોર હતો ત્યારે વ્રજમંડલની–મથુરા, ગોકુલ, વૃન્દાવનની યાત્રા થયેલી. મથુરામાં વિશ્રામઘાટે જમુનામાં કલાકો સુધી સ્નાન કરેલું. ઉનાળાના એ દિવસો હતા. પાણી સ્વચ્છ હતું. ખોબલા જેવડાથી માંડી ટોપલા કદના કાચબા એ પાણીમાં વિહરતા જોઈ શકાતા. જમુના પાર કરીને ગોકુલ ગયેલા અને પછી વૃન્દાવન. વૃન્દાવનમાં શ્રીકૃષ્ણે કાલીનાગને નાથ્યો હતો તે કાલીદહનું સ્થાન પંડાએ બતાવ્યું હતું અને એ કદંબનું વૃક્ષ પણ, જેના પર ચઢી બાલકૃષ્ણે જમુનામાં ભૂસકો માર્યો હતો. એ ચીરઘાટ પણ બતાવ્યો હતો, જ્યાં જમુનામાં નગ્ન સ્નાન કરતી ગોપીઓનાં ચીર કૃષ્ણે હરી લીધેલાં. પણ વૃન્દાવનની જમુના કાંઠેથી ઘણી દૂર હતી. પવિત્ર યમુનાપુલિનની રેત તગતગતી હતી.
પંદર વર્ષનો કિશોર હતો ત્યારે વ્રજમંડલની–મથુરા, ગોકુલ, વૃન્દાવનની યાત્રા થયેલી. મથુરામાં વિશ્રામઘાટે જમુનામાં કલાકો સુધી સ્નાન કરેલું. ઉનાળાના એ દિવસો હતા. પાણી સ્વચ્છ હતું. ખોબલા જેવડાથી માંડી ટોપલા કદના કાચબા એ પાણીમાં વિહરતા જોઈ શકાતા. જમુના પાર કરીને ગોકુલ ગયેલા અને પછી વૃન્દાવન. વૃન્દાવનમાં શ્રીકૃષ્ણે કાલીનાગને નાથ્યો હતો તે કાલીદહનું સ્થાન પંડાએ બતાવ્યું હતું અને એ કદંબનું વૃક્ષ પણ, જેના પર ચઢી બાલકૃષ્ણે જમુનામાં ભૂસકો માર્યો હતો. એ ચીરઘાટ પણ બતાવ્યો હતો, જ્યાં જમુનામાં નગ્ન સ્નાન કરતી ગોપીઓનાં ચીર કૃષ્ણે હરી લીધેલાં. પણ વૃન્દાવનની જમુના કાંઠેથી ઘણી દૂર હતી. પવિત્ર યમુનાપુલિનની રેત તગતગતી હતી.


Line 15: Line 15:


ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિનાં એ સ્થળો કિશોરકાળની શ્રદ્ધાથી જોયાં હતાં, ચમત્કારો માનવાની અને ન માનવાની વયસંધિના એ દિવસો હતા. વૃન્દાવનની મનમાં કેવી કલ્પના હતી! કૃષ્ણજીવનની કથાઓ સાંભળીને, પદો સાંભળીને એ વૃન્દાવનની રચના થઈ હતી, પણ વૃન્દાવનના વાસ્તવદર્શનો સાથે મનવૃન્દાવનનો કોઈ મેળ સધાતો ન હતો :
ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિનાં એ સ્થળો કિશોરકાળની શ્રદ્ધાથી જોયાં હતાં, ચમત્કારો માનવાની અને ન માનવાની વયસંધિના એ દિવસો હતા. વૃન્દાવનની મનમાં કેવી કલ્પના હતી! કૃષ્ણજીવનની કથાઓ સાંભળીને, પદો સાંભળીને એ વૃન્દાવનની રચના થઈ હતી, પણ વૃન્દાવનના વાસ્તવદર્શનો સાથે મનવૃન્દાવનનો કોઈ મેળ સધાતો ન હતો :
 
{Poem2Close}}
<poem>
<poem>
'''વાગે છે રે વાગે છે'''
'''વાગે છે રે વાગે છે'''
Line 27: Line 27:
'''વૈકુંઠ નહિ રે આવું?'''
'''વૈકુંઠ નહિ રે આવું?'''
</poem>
</poem>
{{Poem2Open}}
કિશોરાવસ્થાની એ નિરાશાના ભાવની પડખે, તેમ છતાં, તે પછી આજ સુધી કલ્પનાનું વૃંદાવન ફરી ફરી રચાતું રહ્યું છે. તેમાં થોડા થોડા ફેરફાર થતા રહ્યા છે. નરસિંહ-મીરાં, દયારામ આદિ કૃષ્ણકવિઓનાં પદો વાંચતાં, વ્રજભાષાના અષ્ટછાપ કવિઓનાં, તેમાંય ખાસ કરીને સુરદાસ અને નંદદાસનાં પદો વાંચતાં, વિદ્યાપતિ, ચંડીદાસ જેવા ગૌડીયધારાના વૈષ્ણવ કવિઓનાં પદો વાંચતાં, ચૈતન્ય ચરિતામૃત વાંચતાં, ગીતગોવિંદ વાંચતાં, શ્રીમદ્ ભાગવત વાંચતાં આ વૃન્દાવન જેમ દરેક ભાવિક જનના હૃદયમાં રચાય, તેમ આ મારા મનમાં રચાયું છે. એ હવે આજના વાસ્તવિક વૃન્દાવનનાં દર્શનથી નંદવાશે નહિ, પણ એટલે આજના વૃન્દાવનનાં ફરીથી દર્શન કરવાનું ઔત્સુક્ય ઓછું નહોતું. ભલે ફરી વળી થોડાક નિરાશ થવાય.
કિશોરાવસ્થાની એ નિરાશાના ભાવની પડખે, તેમ છતાં, તે પછી આજ સુધી કલ્પનાનું વૃંદાવન ફરી ફરી રચાતું રહ્યું છે. તેમાં થોડા થોડા ફેરફાર થતા રહ્યા છે. નરસિંહ-મીરાં, દયારામ આદિ કૃષ્ણકવિઓનાં પદો વાંચતાં, વ્રજભાષાના અષ્ટછાપ કવિઓનાં, તેમાંય ખાસ કરીને સુરદાસ અને નંદદાસનાં પદો વાંચતાં, વિદ્યાપતિ, ચંડીદાસ જેવા ગૌડીયધારાના વૈષ્ણવ કવિઓનાં પદો વાંચતાં, ચૈતન્ય ચરિતામૃત વાંચતાં, ગીતગોવિંદ વાંચતાં, શ્રીમદ્ ભાગવત વાંચતાં આ વૃન્દાવન જેમ દરેક ભાવિક જનના હૃદયમાં રચાય, તેમ આ મારા મનમાં રચાયું છે. એ હવે આજના વાસ્તવિક વૃન્દાવનનાં દર્શનથી નંદવાશે નહિ, પણ એટલે આજના વૃન્દાવનનાં ફરીથી દર્શન કરવાનું ઔત્સુક્ય ઓછું નહોતું. ભલે ફરી વળી થોડાક નિરાશ થવાય.


Line 68: Line 69:


કૃષ્ણ સાથે બે વૃક્ષો અભિન્ન રીતે જોડાયેલાં છે. એક કદંબ અને બીજું તે તમાલ. આ તમાલ એટલે, કૃષ્ણનું વૃક્ષરૂપ. કૃષ્ણલીલાની વાત કરતાં કવિઓ તમાલની વાત કરે જ. કવિ જયદેવના ગીતગોવિંદના પહેલા શ્લોકની પહેલી લીટીમાં જ તમાલ આવે છે. નંદ રાધાને કહે છે:
કૃષ્ણ સાથે બે વૃક્ષો અભિન્ન રીતે જોડાયેલાં છે. એક કદંબ અને બીજું તે તમાલ. આ તમાલ એટલે, કૃષ્ણનું વૃક્ષરૂપ. કૃષ્ણલીલાની વાત કરતાં કવિઓ તમાલની વાત કરે જ. કવિ જયદેવના ગીતગોવિંદના પહેલા શ્લોકની પહેલી લીટીમાં જ તમાલ આવે છે. નંદ રાધાને કહે છે:
{Poem2Close}}


<poem>
<poem>
Line 77: Line 79:
'''તો હે રાધા, એને તું ઘેર લઈ જા.'''
'''તો હે રાધા, એને તું ઘેર લઈ જા.'''
</poem>
</poem>
{{Poem2Open}}
પછી કવિ ઉમેરે છે કે નંદની આવી આજ્ઞાથી માર્ગમાં આવતી કુંજોનાં વૃક્ષોને વટાવીને જતાં જતાં રાધાકૃષ્ણ યમુનાતટ પર જે કેલિક્રીડાઓ કરી તેનો જય હો.
પછી કવિ ઉમેરે છે કે નંદની આવી આજ્ઞાથી માર્ગમાં આવતી કુંજોનાં વૃક્ષોને વટાવીને જતાં જતાં રાધાકૃષ્ણ યમુનાતટ પર જે કેલિક્રીડાઓ કરી તેનો જય હો.


Line 82: Line 85:


કવિ વિદ્યાપતિનું એક ૫દ છે. એક વાર ચાંદની રાતે રાધા અને કૃષ્ણ બંને એક સ્થળે સામસામે ઊભાં છે, પણ એકબીજાંને જોતાં નથી. રાધાને થાય છે કે સામે તમાલ ઊભું છે અને કૃષ્ણને થાય છે સામે ચંદ્ર છે:
કવિ વિદ્યાપતિનું એક ૫દ છે. એક વાર ચાંદની રાતે રાધા અને કૃષ્ણ બંને એક સ્થળે સામસામે ઊભાં છે, પણ એકબીજાંને જોતાં નથી. રાધાને થાય છે કે સામે તમાલ ઊભું છે અને કૃષ્ણને થાય છે સામે ચંદ્ર છે:
{{Poem2Close}}
<poem>
<poem>
'''દુહુ મુખ હેરઇત'''
'''દુહુ મુખ હેરઇત'''
Line 97: Line 101:
'''નલિનનયન.'''
'''નલિનનયન.'''
</poem>
</poem>
{{Poem2Open}}
– શ્યામ તમાલવન છે, નીલ જમનાજીનાં જળ છે અને આંસુથી છલોછલ થતાં બે કમળનેત્ર છે. પંક્તિઓ વાંચતાં જ મન ખોવાઈ જાય છે, એ સનાતન વૃન્દાવનમાં.
– શ્યામ તમાલવન છે, નીલ જમનાજીનાં જળ છે અને આંસુથી છલોછલ થતાં બે કમળનેત્ર છે. પંક્તિઓ વાંચતાં જ મન ખોવાઈ જાય છે, એ સનાતન વૃન્દાવનમાં.


Line 112: Line 117:


આકાશમાં વાદળ હતાં, પણ દિવસ ખુલ્લો જ કહેવાય. આકરા તડકાની પરવા કર્યા વિના વૃન્દાવનની ગલીઓ વટાવતા જમનાતીરે જવા નીકળ્યા, વૃન્દાવન અને તેમાંય યમુનાતીર. હજારો કવિઓની કલ્પના મહોરી ઊઠી છે. નરસિંહ મહેતાની પંક્તિ સ્મરણમાં આવતી હતીઃ
આકાશમાં વાદળ હતાં, પણ દિવસ ખુલ્લો જ કહેવાય. આકરા તડકાની પરવા કર્યા વિના વૃન્દાવનની ગલીઓ વટાવતા જમનાતીરે જવા નીકળ્યા, વૃન્દાવન અને તેમાંય યમુનાતીર. હજારો કવિઓની કલ્પના મહોરી ઊઠી છે. નરસિંહ મહેતાની પંક્તિ સ્મરણમાં આવતી હતીઃ
{{Poem2Close}}
<poem>
<poem>
'''કેણી પેરે ભરીએ'''
'''કેણી પેરે ભરીએ'''
Line 117: Line 123:
'''જમનાને આરે, વાલા!'''
'''જમનાને આરે, વાલા!'''
</poem>
</poem>
{{Poem2Open}}
ખરા બપોરની વેળાએ અમે જમુનાતીરે જતા હતા એમ જાણી કોઈ અમને અરસિક જરૂર કહેશે. ગીતગોવિંદકારની ‘ધીર સમીરે યમુના તીરે’ એ પ્રસિદ્ધ પંક્તિનું અમને સ્મરણ હતું. વૃન્દાવન, યમુનાતીર, કદંબની કુંજ, બંસીવટ, એની નીચેથી વહેતું થતું કૃષ્ણનું વેણુગીત, એ વેણુગીતથી ઘેલી બની દોડી આવતી ગોપીઓનાં વૃન્દ અને ઘરમાંથી નહિ નીકળી શકવાથી મનોમન હિજરાતી રાધા, એમ કલ્પના કરતાં તો આકાશમાં વાદળની બહાર આવીને સૂર્ય ધરતી પર લાવી દે.
ખરા બપોરની વેળાએ અમે જમુનાતીરે જતા હતા એમ જાણી કોઈ અમને અરસિક જરૂર કહેશે. ગીતગોવિંદકારની ‘ધીર સમીરે યમુના તીરે’ એ પ્રસિદ્ધ પંક્તિનું અમને સ્મરણ હતું. વૃન્દાવન, યમુનાતીર, કદંબની કુંજ, બંસીવટ, એની નીચેથી વહેતું થતું કૃષ્ણનું વેણુગીત, એ વેણુગીતથી ઘેલી બની દોડી આવતી ગોપીઓનાં વૃન્દ અને ઘરમાંથી નહિ નીકળી શકવાથી મનોમન હિજરાતી રાધા, એમ કલ્પના કરતાં તો આકાશમાં વાદળની બહાર આવીને સૂર્ય ધરતી પર લાવી દે.


Line 126: Line 134:


ખરેખર તે આજે રાત્રે આવવા જેવું હતું. ગઈ કાલે પૂર્ણિમા હતી, આજે વદ એકમ છે. પણ ચંદ્ર આજે પંદર કળાએ તે પ્રકટશે. એવા સમયે આવીએ તો મનના વૃન્દાવન સાથે આ વૃન્દાવનનો કશોક સંવાદ રચાય. હોડીઓ ફરતી જોઈ થયું તે ખરું –
ખરેખર તે આજે રાત્રે આવવા જેવું હતું. ગઈ કાલે પૂર્ણિમા હતી, આજે વદ એકમ છે. પણ ચંદ્ર આજે પંદર કળાએ તે પ્રકટશે. એવા સમયે આવીએ તો મનના વૃન્દાવન સાથે આ વૃન્દાવનનો કશોક સંવાદ રચાય. હોડીઓ ફરતી જોઈ થયું તે ખરું –
 
{{Poem2Close}}
<poem>
<poem>
'''માછીડા ઉડી હલકાર'''
'''માછીડા ઉડી હલકાર'''
'''મારે જાવું હરિ મળવાને…'''
'''મારે જાવું હરિ મળવાને…'''
</poem>
</poem>
{{Poem2Open}}
પણ એમ હરિ મળે?
પણ એમ હરિ મળે?


Line 154: Line 163:


આનંદવૃન્દાવન વિશે સ્વામી અખંડાનંદ સરસ્વતીએ રચેલો અને આનંદવૃન્દાવનની ભીંતે કોતરેલો એક શ્લોક છે:
આનંદવૃન્દાવન વિશે સ્વામી અખંડાનંદ સરસ્વતીએ રચેલો અને આનંદવૃન્દાવનની ભીંતે કોતરેલો એક શ્લોક છે:
 
{{Poem2Close}}
<poem>
<poem>
રાધામાધવકેલિગંધમધુરં દોલાકદંબાસ્પદમ્
રાધામાધવકેલિગંધમધુરં દોલાકદંબાસ્પદમ્
Line 161: Line 170:
કિંકિં ચેતસિ ના દધાતિ ભજતામાનન્દવૃન્દાવનમ્
કિંકિં ચેતસિ ના દધાતિ ભજતામાનન્દવૃન્દાવનમ્
</poem>
</poem>
 
{{Poem2Open}}
અધિક શ્રાવણ અને શ્રાવણના દિવસોમાં વૃન્દાવનમાં ઠેર ઠેર રાસલીલાઓ થાય છે. રાસલીલામાં ગવાતાં પદોને ‘રસિયા’ કહે છે. આપણા ગુજરાત-સૌરાષ્ટ્રના રાસ સાથે આ રાસનો મેળ નથી. ભાગવતમાં જે એક એક ગોપી એક એક કૃષ્ણના મંડલાકાર રાસની કલ્પના છે, તેનાથી પણ આ અલગ છે. તેમાં કૃષ્ણજીવનની લીલાઓનાં નાટ્ય રૂપ ભજવાય છે. ક્યાંક સ્થિર ઝાંકી—યુગલરૂપનું દર્શનમાત્ર હોય છે.
અધિક શ્રાવણ અને શ્રાવણના દિવસોમાં વૃન્દાવનમાં ઠેર ઠેર રાસલીલાઓ થાય છે. રાસલીલામાં ગવાતાં પદોને ‘રસિયા’ કહે છે. આપણા ગુજરાત-સૌરાષ્ટ્રના રાસ સાથે આ રાસનો મેળ નથી. ભાગવતમાં જે એક એક ગોપી એક એક કૃષ્ણના મંડલાકાર રાસની કલ્પના છે, તેનાથી પણ આ અલગ છે. તેમાં કૃષ્ણજીવનની લીલાઓનાં નાટ્ય રૂપ ભજવાય છે. ક્યાંક સ્થિર ઝાંકી—યુગલરૂપનું દર્શનમાત્ર હોય છે.


Line 231: Line 240:


પરંતુ અહીંની શોભાએ તરત અમારી મનોવૃત્તિ બદલી નાખી. શ્રાવણનું આકાશ, બરસાનાની આ હરિયાળી પહાડી અને તેમાં મોરલાનો પ્રદીર્ઘ કેકારવ સંભળાયો, જે આખી પહાડી પર વ્યાપી વળ્યો. અમારી ચેતનાને રણરણાવી ગયો. ત્યાં પપીહાએ એને સાથ આપ્યો. ક્યાંકથી આવી મીરાંબાઈની પંક્તિઓ સ્મરણમાં અથડાઈ:
પરંતુ અહીંની શોભાએ તરત અમારી મનોવૃત્તિ બદલી નાખી. શ્રાવણનું આકાશ, બરસાનાની આ હરિયાળી પહાડી અને તેમાં મોરલાનો પ્રદીર્ઘ કેકારવ સંભળાયો, જે આખી પહાડી પર વ્યાપી વળ્યો. અમારી ચેતનાને રણરણાવી ગયો. ત્યાં પપીહાએ એને સાથ આપ્યો. ક્યાંકથી આવી મીરાંબાઈની પંક્તિઓ સ્મરણમાં અથડાઈ:
{{Poem2Close}}
<poem>
<poem>
રાધે તારા ડુંગરિયા પર
રાધે તારા ડુંગરિયા પર
Line 238: Line 248:
કોયલ કરે કલશોર…
કોયલ કરે કલશોર…
</poem>
</poem>
{{Poem2Open}}
મનમાં થયું કે મીરાંના આ પદમાં જે ચિત્રણ છે, તેની આ ઉદ્ભવસ્થલી છે. આ જ આ પ્રસિદ્ધ પદનો લૅન્ડસ્કેપ. વૃન્દાવનવાસનાં વરસોમાં મીરાંબાઈ રાધાને ગામ આવ્યાં હશે. શ્રાવણની ત્રીજ હરિયાળી ત્રીજ કહેવાય છે. એનું ઘણું માહાત્મ્ય છે. એવા મેઘભર્યા દિવસોમાં આવ્યાં હશે અને મોર કેકારવ કરતા હશે, ઝરમર ઝરમર વરસતા મેહુલાથી એમના સાળુડાની કોર ભીંજાઈ હશે.
મનમાં થયું કે મીરાંના આ પદમાં જે ચિત્રણ છે, તેની આ ઉદ્ભવસ્થલી છે. આ જ આ પ્રસિદ્ધ પદનો લૅન્ડસ્કેપ. વૃન્દાવનવાસનાં વરસોમાં મીરાંબાઈ રાધાને ગામ આવ્યાં હશે. શ્રાવણની ત્રીજ હરિયાળી ત્રીજ કહેવાય છે. એનું ઘણું માહાત્મ્ય છે. એવા મેઘભર્યા દિવસોમાં આવ્યાં હશે અને મોર કેકારવ કરતા હશે, ઝરમર ઝરમર વરસતા મેહુલાથી એમના સાળુડાની કોર ભીંજાઈ હશે.


Line 251: Line 262:


એક રસિયાની લીટીઓ એ બોલ્યા :
એક રસિયાની લીટીઓ એ બોલ્યા :
 
{{Poem2Close}}
<poem>
<poem>
કાન્હા બરસાને મેં આ જઇયો,
કાન્હા બરસાને મેં આ જઇયો,
બુલાય ગઈ રાધા પ્યારી…
બુલાય ગઈ રાધા પ્યારી…
</poem>
</poem>
{{Poem2Open}}
ગહ્‌વરવનમાં એક ગહન અનુભૂતિ થતી હતી. રાધાકૃષ્ણની આ લીલાભૂમિ! રાધાનાં દર્શન કરવા અહીં કૃષ્ણ કેટકેટલા વેશ બદલીને આવતા! ક્યારેક વૈદ બનીને, ક્યારેક છૂંદણાં ગોદનાર બનીને, ક્યારેક બંગડીવાળા બનીને… કોઈ પણ ઉપાયે રાધાને પામવી! ગહ્વરવનમાં મોરલા બોલતા હતા, તે જાણે મનના કોઈ ઊંડાણેથી બોલતા હતા.
ગહ્‌વરવનમાં એક ગહન અનુભૂતિ થતી હતી. રાધાકૃષ્ણની આ લીલાભૂમિ! રાધાનાં દર્શન કરવા અહીં કૃષ્ણ કેટકેટલા વેશ બદલીને આવતા! ક્યારેક વૈદ બનીને, ક્યારેક છૂંદણાં ગોદનાર બનીને, ક્યારેક બંગડીવાળા બનીને… કોઈ પણ ઉપાયે રાધાને પામવી! ગહ્વરવનમાં મોરલા બોલતા હતા, તે જાણે મનના કોઈ ઊંડાણેથી બોલતા હતા.


Line 349: Line 361:


આ પ્રેમકુંજોની વચ્ચેથી પસાર થતાં ભાગવત કરતાં વધારે તો વૈષ્ણવ કવિઓની પદાવલિ યાદ આવે. અહીં બંગાળી વૈષ્ણવીઓની સંખ્યા વધારે જોવા મળી. બંગાળના વૈષ્ણવ કવિઓએ રાધા-કૃષ્ણલીલાનાં અજસ્ર પદો રચ્યાં છે. તેમાં વિદ્યાપતિ ચંડીદાસ તો ચૈતન્ય મહાપ્રભુ પહેલાં થઈ ગયા. એમની રાધા તો કોઈ પ્રણયમુગ્ધ નાયિકા જ લાગે. વિદ્યાપતિ તો હતા પણ દરબારી કવિ. પણ ચૈતન્ય મહાપ્રભુ આ કવિઓનાં પદો સાંભળીને મહાભાવની અવસ્થામાં પહોંચી જતા. એટલે બંગાળની વૈષ્ણવ પદાવલિ શરૂ થાય છે વિદ્યાપતિ ચંડીદાસથી. એક પ્રસિદ્ધ પદમાં ‘પ્રેમનો અનુભવ કેવો હોય?’ એવા સખીના પ્રશ્નના ઉત્તરમાં રાધા સખીને કહે છે: “હે સખી, તું મને પૂછે છે કે પ્રેમનો અનુભવ કેવો હોય? પણ કેવી રીતે વર્ણવું? એ અનુભવ તો ‘તિલ તિલ નૂતન હોય.’ પ્રત્યેક ક્ષણે એ અભિનવ હોય છે.” પછી અંતમાં જતાં એ કહે છે:
આ પ્રેમકુંજોની વચ્ચેથી પસાર થતાં ભાગવત કરતાં વધારે તો વૈષ્ણવ કવિઓની પદાવલિ યાદ આવે. અહીં બંગાળી વૈષ્ણવીઓની સંખ્યા વધારે જોવા મળી. બંગાળના વૈષ્ણવ કવિઓએ રાધા-કૃષ્ણલીલાનાં અજસ્ર પદો રચ્યાં છે. તેમાં વિદ્યાપતિ ચંડીદાસ તો ચૈતન્ય મહાપ્રભુ પહેલાં થઈ ગયા. એમની રાધા તો કોઈ પ્રણયમુગ્ધ નાયિકા જ લાગે. વિદ્યાપતિ તો હતા પણ દરબારી કવિ. પણ ચૈતન્ય મહાપ્રભુ આ કવિઓનાં પદો સાંભળીને મહાભાવની અવસ્થામાં પહોંચી જતા. એટલે બંગાળની વૈષ્ણવ પદાવલિ શરૂ થાય છે વિદ્યાપતિ ચંડીદાસથી. એક પ્રસિદ્ધ પદમાં ‘પ્રેમનો અનુભવ કેવો હોય?’ એવા સખીના પ્રશ્નના ઉત્તરમાં રાધા સખીને કહે છે: “હે સખી, તું મને પૂછે છે કે પ્રેમનો અનુભવ કેવો હોય? પણ કેવી રીતે વર્ણવું? એ અનુભવ તો ‘તિલ તિલ નૂતન હોય.’ પ્રત્યેક ક્ષણે એ અભિનવ હોય છે.” પછી અંતમાં જતાં એ કહે છે:
{{Poem2Close}}
<poem>
<poem>
જનમ અનધિ હમ રૂપ નેહારલું
જનમ અનધિ હમ રૂપ નેહારલું
નયન ન તિરપિત ભેલ.
નયન ન તિરપિત ભેલ.
</poem>
</poem>
{{Poem2Open}}
– જનમ ધરી પ્રિયનું એ રૂપ જોયા કર્યું છે; પણ નયનોને તૃપ્ત નથી થયાં.
– જનમ ધરી પ્રિયનું એ રૂપ જોયા કર્યું છે; પણ નયનોને તૃપ્ત નથી થયાં.


18,450

edits