બોલે ઝીણા મોર/ભાગવતી ભાવલોકમાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ભાગવતી ભાવલોકમાં| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} જે અષાઢમાં મન મેઘદૂ...")
 
No edit summary
Line 11: Line 11:


પરંતુ આ ચિરંતન વૃન્દાવનની કોઈ ભૂગોળ નથી. સ્થળ-સમયથી પર એક ચિરંતન મનોમય વૃન્દાવન છે. એ વૃન્દાવનમાં એક ચિરંતન શિશુની, એક ચિરંતન લીલા ચાલ્યા કરે છે. આ શ્રાવણમાં મનમાં તેનું ઉદ્બોધન થયા કરે છે. એક અદૃષ્ટ મોરલી બજ્યા કરે છે.
પરંતુ આ ચિરંતન વૃન્દાવનની કોઈ ભૂગોળ નથી. સ્થળ-સમયથી પર એક ચિરંતન મનોમય વૃન્દાવન છે. એ વૃન્દાવનમાં એક ચિરંતન શિશુની, એક ચિરંતન લીલા ચાલ્યા કરે છે. આ શ્રાવણમાં મનમાં તેનું ઉદ્બોધન થયા કરે છે. એક અદૃષ્ટ મોરલી બજ્યા કરે છે.
 
{{Poem2Close}}
<poem>
'''વાગે છે રે વાગે છે'''
'''વાગે છે રે વાગે છે'''
'''વનરાવન મોરલી વાગે છે'''
'''વનરાવન મોરલી વાગે છે'''
'''એનો શબ્દ ગગનમાં ગાજે છે,'''
'''એનો શબ્દ ગગનમાં ગાજે છે,'''
'''વનરાવન મોરલી વાગે છે.'''
'''વનરાવન મોરલી વાગે છે.'''
 
</poem>
એ મોરલીનો નાદ સાંભળતાં આપણું ગોપીમન સૌ સંસારી બંધનો વીસરી વૃન્દાવનને મારગે અભિસારે ચાલી નીકળે છે. ના, પણ એટલે દૂર જવાની જરૂર શી? આ સાંભળો :
એ મોરલીનો નાદ સાંભળતાં આપણું ગોપીમન સૌ સંસારી બંધનો વીસરી વૃન્દાવનને મારગે અભિસારે ચાલી નીકળે છે. ના, પણ એટલે દૂર જવાની જરૂર શી? આ સાંભળો :
 
<poem>
'''ઓધવજી મારા ઘર પછવાડે'''
'''ઓધવજી મારા ઘર પછવાડે'''
'''મોહન મોરલી વગાડે જો.'''
'''મોહન મોરલી વગાડે જો.'''
 
</poem>
{{Poem2Open}}
ના, બહુ દૂર નથી, આ ઘર પછવાડે – મનોનેપથ્યમાં. હા, ત્યાં મોહન – મનને વિહ્વલ કરનાર વાંસળી બજે છે. એ વાંસળી આજ-કાલની નથી બજતી. એ પણ ચિરંતન વાંસળી છે. મધુરાપતિ શ્રીકૃષ્ણની એ માધુરી તે આ મુરલીમાધુરી. એ સતત એમનું સ્મરણ કરે છે. મુરલી બજાવતા કૃષ્ણ મુરલીધર એમના લલિત ત્રિભંગથી ભારતીય ચિત્તમાં પેલી સુરદાસની ગોપીઓ કહે છે તેમ ‘તિરછે હ્વૈ અડે’ – ત્રાંસા બની એવા જડાઈ ગયા છે કે ખસે એમ નથી, કદાચ સીધો હોત તો નીકળત. પરંતુ કૃષ્ણની સાથે સીધાપણું જતું નથી — એટલે તો એ વાંકા વનમાળી કહેવાય છે.
ના, બહુ દૂર નથી, આ ઘર પછવાડે – મનોનેપથ્યમાં. હા, ત્યાં મોહન – મનને વિહ્વલ કરનાર વાંસળી બજે છે. એ વાંસળી આજ-કાલની નથી બજતી. એ પણ ચિરંતન વાંસળી છે. મધુરાપતિ શ્રીકૃષ્ણની એ માધુરી તે આ મુરલીમાધુરી. એ સતત એમનું સ્મરણ કરે છે. મુરલી બજાવતા કૃષ્ણ મુરલીધર એમના લલિત ત્રિભંગથી ભારતીય ચિત્તમાં પેલી સુરદાસની ગોપીઓ કહે છે તેમ ‘તિરછે હ્વૈ અડે’ – ત્રાંસા બની એવા જડાઈ ગયા છે કે ખસે એમ નથી, કદાચ સીધો હોત તો નીકળત. પરંતુ કૃષ્ણની સાથે સીધાપણું જતું નથી — એટલે તો એ વાંકા વનમાળી કહેવાય છે.


Line 41: Line 43:


અને મીરાંબાઈ – એના તો પ્રભુ જ ગિરિધરનાગર. એ તો સ્વયં રાધા, જેને મોહન પ્યારાના મુખડાની માયા લાગી છે. લાગે છે કે મીરાંબાઈ આ શ્રાવણ માસમાં એક વખત વૃન્દાવન ગયાં હોય. ત્યાંથી ગયાં હશે બરસાના. બરસાના એ શ્રી રાધાનું ગામ. એક ઊંચી પહાડી પર હરિયાળી ઝાડીથી શોભે છે. ત્યાં રચાયું હશે આ પદ :
અને મીરાંબાઈ – એના તો પ્રભુ જ ગિરિધરનાગર. એ તો સ્વયં રાધા, જેને મોહન પ્યારાના મુખડાની માયા લાગી છે. લાગે છે કે મીરાંબાઈ આ શ્રાવણ માસમાં એક વખત વૃન્દાવન ગયાં હોય. ત્યાંથી ગયાં હશે બરસાના. બરસાના એ શ્રી રાધાનું ગામ. એક ઊંચી પહાડી પર હરિયાળી ઝાડીથી શોભે છે. ત્યાં રચાયું હશે આ પદ :
 
{{Poem2Close}}
<poem>
'''રાધે તારા ડુંગરિયા પર'''
'''રાધે તારા ડુંગરિયા પર'''
'''બોલે ઝીણા મોર.'''
'''બોલે ઝીણા મોર.'''
 
</poem>
{{Poem2Open}}
એક શ્રાવણમાં રાધાને ગામ જતાં અમને આવો જ પરિવેશ રચાયેલો જોવા મળ્યો હતો.
એક શ્રાવણમાં રાધાને ગામ જતાં અમને આવો જ પરિવેશ રચાયેલો જોવા મળ્યો હતો.


Line 50: Line 54:


ભાગવત તો છે, તેમાં ભક્તિની મીમાંસા છે, જ્ઞાનની મીમાંસા છે; પણ આ લોકગીતો તો મીમાંસાથી પર છે, પણ લોકહૃદયની કેટલાં નજીક :
ભાગવત તો છે, તેમાં ભક્તિની મીમાંસા છે, જ્ઞાનની મીમાંસા છે; પણ આ લોકગીતો તો મીમાંસાથી પર છે, પણ લોકહૃદયની કેટલાં નજીક :
 
{{Poem2Close}}
<poem>
'''આવો રૂડો જમનાજીનો આરો'''
'''આવો રૂડો જમનાજીનો આરો'''
'''કદંબ કેરી છાયા રે'''
'''કદંબ કેરી છાયા રે'''
'''ત્યાં કોઈ બેઠાં રાધાજી નાર'''
'''ત્યાં કોઈ બેઠાં રાધાજી નાર'''
'''કસુંબલ ઓઢી રે'''
'''કસુંબલ ઓઢી રે'''
 
</poem>
કેવું એક આત્મીય ચિત્ર! રૂડો જમનાજીનો આરો, કદંબની છાંય, ત્યાં રાધા બેઠી છે, કસુંબલ ઓઢી. કસુંબે કસબી કોર છે, રૂડો પાલવ ઝળકે છે, ત્યાં દાણી કાનુડો આવે છે, છેડો તાણે છે. વારંવાર રાધાને બોલાવે છે, પણ રાધા બોલતી નથી. કાનુડો કહે છે :
કેવું એક આત્મીય ચિત્ર! રૂડો જમનાજીનો આરો, કદંબની છાંય, ત્યાં રાધા બેઠી છે, કસુંબલ ઓઢી. કસુંબે કસબી કોર છે, રૂડો પાલવ ઝળકે છે, ત્યાં દાણી કાનુડો આવે છે, છેડો તાણે છે. વારંવાર રાધાને બોલાવે છે, પણ રાધા બોલતી નથી. કાનુડો કહે છે :
 
{{Poem2Open}}
'''બોલો બોલો રાધાગોરી નાર'''
'''બોલો બોલો રાધાગોરી નાર'''
'''અબોલા શાને લીધા રે'''
'''અબોલા શાને લીધા રે'''
 
{{Poem2Close}}
રાધા જે જવાબ આપે છે, જવાબમાં જે ઉપમાનો વ્યવહાર કરે છે, તે મહાન ભાગવતકાર વ્યાસ ભગવાનની કલ્પનામાં ન પણ હોય. રાધાને ઉપાલંભ આપવો છે, કૃષ્ણ છોડી જવાના છે એ માટે. એ કહે છે કે વહાલા! તમે હીરના હીંચોળા બંધાવી એક વખત અમને હીંચોળ્યાં અને – હવે :
રાધા જે જવાબ આપે છે, જવાબમાં જે ઉપમાનો વ્યવહાર કરે છે, તે મહાન ભાગવતકાર વ્યાસ ભગવાનની કલ્પનામાં ન પણ હોય. રાધાને ઉપાલંભ આપવો છે, કૃષ્ણ છોડી જવાના છે એ માટે. એ કહે છે કે વહાલા! તમે હીરના હીંચોળા બંધાવી એક વખત અમને હીંચોળ્યાં અને – હવે :
 
<poem>
'''હવે કૂવામાં ઉતારી'''
'''હવે કૂવામાં ઉતારી'''
'''વરત વાઢો'''
'''વરત વાઢો'''
'''ઘટે નહિ તમને રે…'''
'''ઘટે નહિ તમને રે…'''
 
</poem>
{{Poem2Open}}
આ લોકગીતકારનો વ્યાસજી પર વિજય. કેટલી ઘરેલુ ઉપમા! કૂવામાં ઉતારી હવે વરત વાઢવા તૈયાર થયા છો? રાધા દુઃખથી કહે છે.
આ લોકગીતકારનો વ્યાસજી પર વિજય. કેટલી ઘરેલુ ઉપમા! કૂવામાં ઉતારી હવે વરત વાઢવા તૈયાર થયા છો? રાધા દુઃખથી કહે છે.


Line 72: Line 78:


પરંતુ મારું મન તો આ લોકગીતમાં વ્યાસના ભાગવતનો જ ભાવલોક અનુભવે છે. જમુનાજીનો આરો છે, કદંબની છાયા છે, દુભાયેલી રાધા છે અને શ્રીકૃષ્ણ છે અનુનય કરતા. શ્રાવણમાં આવાં ગીતો સાંભરી આવે છે. આ સીધીસાદી અભિવ્યક્તિ જુઓ, ગોપીની? રાધાની? આજની કોઈ પણ પ્રણયિનીની?
પરંતુ મારું મન તો આ લોકગીતમાં વ્યાસના ભાગવતનો જ ભાવલોક અનુભવે છે. જમુનાજીનો આરો છે, કદંબની છાયા છે, દુભાયેલી રાધા છે અને શ્રીકૃષ્ણ છે અનુનય કરતા. શ્રાવણમાં આવાં ગીતો સાંભરી આવે છે. આ સીધીસાદી અભિવ્યક્તિ જુઓ, ગોપીની? રાધાની? આજની કોઈ પણ પ્રણયિનીની?
 
{{Poem2Close}}
<poem>
'''અમને ગમતું નથી ઘનશ્યામ'''
'''અમને ગમતું નથી ઘનશ્યામ'''
'''હરિ તમ વન્યા રે'''
'''હરિ તમ વન્યા રે'''
{{Poem2Close}}
</poem>
18,450

edits

Navigation menu