દેવતાત્મા હિમાલય/એક બીજી ગંગોત્રી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading|એક બીજી ગંગોત્રી|ભોળાભાઈ પટેલ}}
{{Heading|એક બીજી ગંગોત્રી|ભોળાભાઈ પટેલ}}


{{Poem2Open}}
<poem>
Home is where one starts from…
Home is where one starts from…


‘East Coker’— T. S. Eliot
‘East Coker’— T. S. Eliot
 
</poem>
{{Poem2Open}}
પોતાના ગામથી જ્યારે નીકળ્યા ત્યારે શબ્દ લઈને નીકળ્યા હતા એમ કવિ ઉમાશંકરે નોંધ્યું છે. એ શબ્દ પછી એમને ક્યાં ક્યાં લઈ ગયો? તો કહે છે કે, એ શબ્દ એમને ‘સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં’ લઈ ગયો.
પોતાના ગામથી જ્યારે નીકળ્યા ત્યારે શબ્દ લઈને નીકળ્યા હતા એમ કવિ ઉમાશંકરે નોંધ્યું છે. એ શબ્દ પછી એમને ક્યાં ક્યાં લઈ ગયો? તો કહે છે કે, એ શબ્દ એમને ‘સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં’ લઈ ગયો.


Line 33: Line 34:


અમે પરસાળમાં બેઠાં. કવિ આવી ગયા હતા. નાનપણની વાત કરતાં કરતાં દેવુભાઈ, કાન્તિભાઈ સૌ ભાઈઓને, ગામમાં જ રહેતાં બહેનને, મિત્રોને કવિ સ્મરી રહ્યા. ચા પીતાં પીતાં કવિએ કહ્યું : ત્યાં બેસી ‘ગીતાનિષ્કર્ષ વાંચ્યું હતું. ઓસરી બતાવતાં કહે : આ ઓસરી અનેક કવિતાઓનું જન્મસ્થળ છે. ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહની ઘણી કવિતાઓ બામણામાં લખાઈ છે. એ વખતે કવિની વય વીસ-બાવીસની હશે. ‘વિશ્વશાંતિ’ના રચયિતા તરુણ કવિએ સ્વતંત્રતતા માટેની લડતમાં ઉચ્ચ અભ્યાસ છોડી દઈ ઝંપલાવ્યું હતું. વિસાપુરનો જેલવાસ વેઠીને બામણા આવ્યા છે. મા-બાપને તો ઘણી આશાઓ હતી – જેવી દરેક મા-બાપને હોય છે – પણ આદર્શઘેલા આ તરુણ કવિને તો દૂરના ‘અદીઠ વડવાગ્નિ બૂઝવવા દોડી જવું હતું. ઘેર ઘરડાં માવતરની આશાઓનું શું? પિતાનો પ્રેમ, મીઠી માડીનું વહાલ, ભલે, પણ તરુણ એ બધાયનો સ્વીકાર કરીને કહે છે :
અમે પરસાળમાં બેઠાં. કવિ આવી ગયા હતા. નાનપણની વાત કરતાં કરતાં દેવુભાઈ, કાન્તિભાઈ સૌ ભાઈઓને, ગામમાં જ રહેતાં બહેનને, મિત્રોને કવિ સ્મરી રહ્યા. ચા પીતાં પીતાં કવિએ કહ્યું : ત્યાં બેસી ‘ગીતાનિષ્કર્ષ વાંચ્યું હતું. ઓસરી બતાવતાં કહે : આ ઓસરી અનેક કવિતાઓનું જન્મસ્થળ છે. ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહની ઘણી કવિતાઓ બામણામાં લખાઈ છે. એ વખતે કવિની વય વીસ-બાવીસની હશે. ‘વિશ્વશાંતિ’ના રચયિતા તરુણ કવિએ સ્વતંત્રતતા માટેની લડતમાં ઉચ્ચ અભ્યાસ છોડી દઈ ઝંપલાવ્યું હતું. વિસાપુરનો જેલવાસ વેઠીને બામણા આવ્યા છે. મા-બાપને તો ઘણી આશાઓ હતી – જેવી દરેક મા-બાપને હોય છે – પણ આદર્શઘેલા આ તરુણ કવિને તો દૂરના ‘અદીઠ વડવાગ્નિ બૂઝવવા દોડી જવું હતું. ઘેર ઘરડાં માવતરની આશાઓનું શું? પિતાનો પ્રેમ, મીઠી માડીનું વહાલ, ભલે, પણ તરુણ એ બધાયનો સ્વીકાર કરીને કહે છે :
 
{{Poem2Close}}
<poem>
મને રોકો ના, ના, ખડક ધરી આડે! યમશિલા
મને રોકો ના, ના, ખડક ધરી આડે! યમશિલા
વચાળે રંધો મા! શીદ ભીડી રહો બાથ જડમાં…
વચાળે રંધો મા! શીદ ભીડી રહો બાથ જડમાં…
 
</poem>
{{Poem2Open}}
આદર્શપ્રિય તરુણ વિચારે છે : માવતર પહેલાં? દેશ પહેલો? આ ઓસરીમાં ભારે મનોમંથન અનુભવતો હશે. આ ઘર નાનું પડે છે, આ ગામ. હવે તો ‘વિશ્વ જ એની સામે છે. સિંહગઢનાં ‘બળતાં પાણીમાં એનું વસ્તુગત પ્રતિરૂપ લાધી ગયું – મા-બાપની પણ સેવા ખરી, પણ પછી –
આદર્શપ્રિય તરુણ વિચારે છે : માવતર પહેલાં? દેશ પહેલો? આ ઓસરીમાં ભારે મનોમંથન અનુભવતો હશે. આ ઘર નાનું પડે છે, આ ગામ. હવે તો ‘વિશ્વ જ એની સામે છે. સિંહગઢનાં ‘બળતાં પાણીમાં એનું વસ્તુગત પ્રતિરૂપ લાધી ગયું – મા-બાપની પણ સેવા ખરી, પણ પછી –


Line 96: Line 99:


જાન્યુઆરીની સવારનો તડકો ઓઢવો ગમે તેવો હૂંફાળો લાગતો હતો. ગઢની તળેટીએ પહોંચી ગયાં. નંદિનીબહેન નીચે રહ્યાં. અમે પગથિયાં ચઢવાનું શરૂ કર્યું. ઈડરનો આ ડુંગરો અરવલ્લીની પર્વતમાળાનો આખરી છેડો છે, પણ આ ડુંગરા નર્યા ખડકોના છે. આપણી ભાષાની એક જૂની દેશી કવિએ યાદ કરી :
જાન્યુઆરીની સવારનો તડકો ઓઢવો ગમે તેવો હૂંફાળો લાગતો હતો. ગઢની તળેટીએ પહોંચી ગયાં. નંદિનીબહેન નીચે રહ્યાં. અમે પગથિયાં ચઢવાનું શરૂ કર્યું. ઈડરનો આ ડુંગરો અરવલ્લીની પર્વતમાળાનો આખરી છેડો છે, પણ આ ડુંગરા નર્યા ખડકોના છે. આપણી ભાષાની એક જૂની દેશી કવિએ યાદ કરી :
 
{{Poem2Close}}
ઈડર આંબા આંબલી
ઈડર આંબા આંબલી
ઈડર દાડમ દ્રાખ…
ઈડર દાડમ દ્રાખ…


મેં વિનોદમાં આચાર્ય હરિહરજીએ કહેલ ઈડરનાં પંચરત્નો વિશેનો એક શ્લોક બોલી બતાવ્યો :
મેં વિનોદમાં આચાર્ય હરિહરજીએ કહેલ ઈડરનાં પંચરત્નો વિશેનો એક શ્લોક બોલી બતાવ્યો :
 
<poem>
ઈડરે પંચ રત્નાનિ
ઈડરે પંચ રત્નાનિ
હાડ પાષાણ પાંદડાં
હાડ પાષાણ પાંદડાં
ચતુર્થ ગાલિદાનં ચ
ચતુર્થ ગાલિદાનં ચ
પંચમ વસ્ત્રલોચનમ્.
પંચમ વસ્ત્રલોચનમ્.
 
</poem>
{{Poem2Open}}
કવિના મોઢા પર હાસ્ય છલકાયું.
કવિના મોઢા પર હાસ્ય છલકાયું.


Line 116: Line 120:


એક તસવીરકાર પોતાના કેમેરામાં આ ખડકોના સૌંદર્યને પકડી આપણી સામે ધરે છે અને એક કવિ શબ્દોમાં. કવિ ઉમાશંકરની આ ખડકો વિશેની કવિતા પણ એટલી જ અદ્ભુત છે :
એક તસવીરકાર પોતાના કેમેરામાં આ ખડકોના સૌંદર્યને પકડી આપણી સામે ધરે છે અને એક કવિ શબ્દોમાં. કવિ ઉમાશંકરની આ ખડકો વિશેની કવિતા પણ એટલી જ અદ્ભુત છે :
 
{{Poem2Close}}
<poem>
મુઠ્ઠીભરે નાખેલ
મુઠ્ઠીભરે નાખેલ
બેફામ આમતેમ
બેફામ આમતેમ
Line 136: Line 141:
કોઈ અલૌકિક રૂપસી..
કોઈ અલૌકિક રૂપસી..
અમે ઈડરિયા પથ્થરો?
અમે ઈડરિયા પથ્થરો?
 
</poem>
ખડકોના વિવિધ આકારો જોતાં કવિતાના ખંડ યાદ કરતો હતો. એ કવિતા તો કવિએ છેક પાંસઠ વર્ષની વયે લખી હતી, પણ આ ઈડરિયા પથ્થરો તો દસ વર્ષની એમની વયથી તેમનામાં ઊતરતા જતા હતા – એ પોતે જાણે એમાંના એક.
ખડકોના વિવિધ આકારો જોતાં કવિતાના ખંડ યાદ કરતો હતો. એ કવિતા તો કવિએ છેક પાંસઠ વર્ષની વયે લખી હતી, પણ આ ઈડરિયા પથ્થરો તો દસ વર્ષની એમની વયથી તેમનામાં ઊતરતા જતા હતા – એ પોતે જાણે એમાંના એક.


18,450

edits

Navigation menu