દેવોની ઘાટી/કુડલ સંગમદેવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કુડલ સંગમદેવ |ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} <center>ચામુંડેશ્વરી આદિરંગ...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|કુડલ સંગમદેવ |ભોળાભાઈ પટેલ}}
{{Heading|કુડલ સંગમદેવ |ભોળાભાઈ પટેલ}}


{{Poem2Open}}
<center>ચામુંડેશ્વરી આદિરંગમ્</center>
<center>ચામુંડેશ્વરી આદિરંગમ્</center>
<center>કુડલ સંગમદેવ</center>
<center>કુડલ સંગમદેવ</center>
Line 11: Line 10:


<center>મૈસૂર – હૉસ્પેટ</center>
<center>મૈસૂર – હૉસ્પેટ</center>
 
{{Poem2Open}}
પ્રિય,
પ્રિય,


Line 17: Line 16:


પણ એ વાત પછી લખું. તને થશે કે ગાડીમાંથી એકદમ ચામુંડી વસ્તીગૃહમાં કેવી રીતે પહોંચી ગયા? આઇલૅન્ડ એક્સપ્રેસની ગતિ સાથે ઇષત્ વક્ર અક્ષરોમાં લખેલો પત્ર મળ્યો હશે. રાત્રે મને ઊંઘવા કરતાં બારી પાસે બેસી રહેવાનું બહુ ગમ્યું હતું. આ વખતે કવિ ઉમાશંકરની લીટીઓ આપણને યાદ આવે :
પણ એ વાત પછી લખું. તને થશે કે ગાડીમાંથી એકદમ ચામુંડી વસ્તીગૃહમાં કેવી રીતે પહોંચી ગયા? આઇલૅન્ડ એક્સપ્રેસની ગતિ સાથે ઇષત્ વક્ર અક્ષરોમાં લખેલો પત્ર મળ્યો હશે. રાત્રે મને ઊંઘવા કરતાં બારી પાસે બેસી રહેવાનું બહુ ગમ્યું હતું. આ વખતે કવિ ઉમાશંકરની લીટીઓ આપણને યાદ આવે :
 
{{Poem2Close}}
<poem>
'''માઈલોના માઈલો મારી અંદર પસાર થાય છે'''
'''માઈલોના માઈલો મારી અંદર પસાર થાય છે'''
'''દોડતી ગાડીમાં હું સ્થિર અચલ.'''
'''દોડતી ગાડીમાં હું સ્થિર અચલ.'''
 
</poem>
{{Poem2Open}}
એ વાત કરી લઉં કે રાત્રિના અંધકારમાં કશું બહાર દેખાય નહિ, પણ મનમાં તો બધું છલકાયા કરે. મનોચક્ષુને પ્રકાશની ક્યાં જરૂર પડે છે? અને અંધકાર પણ ક્યાં એક દૃશ્ય નથી? કેરલની રમ્યભૂમિથી વછૂટા પડ્યાનું દર્દ તો હતું, પણ તું કહીશ કે પ્રવાસી આમ જ્યાં જાય ત્યાં પ્રીત કરી બેસે તે ઠીક નહિ. કોઇમ્બતુર સ્ટેશને ગાડી ઊભી હતી, તે યાદ છે. એટલે કે તામિલનાડુમાં પ્રવેશ થયો હતો. નકશો ખોલવાનું કહીશ તો તું ચિડાઈશ, પણ તું નજર તો કર કે ગાડીની ગતિ કયા કયા પ્રદેશોને પાર કરતી રહી!
એ વાત કરી લઉં કે રાત્રિના અંધકારમાં કશું બહાર દેખાય નહિ, પણ મનમાં તો બધું છલકાયા કરે. મનોચક્ષુને પ્રકાશની ક્યાં જરૂર પડે છે? અને અંધકાર પણ ક્યાં એક દૃશ્ય નથી? કેરલની રમ્યભૂમિથી વછૂટા પડ્યાનું દર્દ તો હતું, પણ તું કહીશ કે પ્રવાસી આમ જ્યાં જાય ત્યાં પ્રીત કરી બેસે તે ઠીક નહિ. કોઇમ્બતુર સ્ટેશને ગાડી ઊભી હતી, તે યાદ છે. એટલે કે તામિલનાડુમાં પ્રવેશ થયો હતો. નકશો ખોલવાનું કહીશ તો તું ચિડાઈશ, પણ તું નજર તો કર કે ગાડીની ગતિ કયા કયા પ્રદેશોને પાર કરતી રહી!


Line 90: Line 91:


પ્રિય,
પ્રિય,
 
{{Poem2Close}}
<poem>
'''ઉળ્‌ળવરુ શિવાલયવ માડુવરુ'''
'''ઉળ્‌ળવરુ શિવાલયવ માડુવરુ'''
'''નાનેનુ માડુવે? બનવનય્યા.'''
'''નાનેનુ માડુવે? બનવનય્યા.'''
Line 98: Line 100:
'''સ્થાવર ક્કળિવુંડુ'''
'''સ્થાવર ક્કળિવુંડુ'''
'''જંગમ ક્કળિવિલ્લા!'''
'''જંગમ ક્કળિવિલ્લા!'''
 
</poem>
{{Poem2Open}}
આ લીટીઓ વાંચતાં તને મુશ્કેલી પડી હશે. હું પણ એ બરાબર ઉચ્ચારી શકું છું એવું નથી, પરંતુ કર્ણાટકની ભૂમિ પર, એનાં ભૂતકાળનાં ભવ્ય ખંડેરોમાં, એનાં કલાત્મક મંદિરોમાં, એના વૈભવી મહેલોમાં ફરતાં ફરતાં આ લીટીઓ હું ગણગણ્યા કરું છું.
આ લીટીઓ વાંચતાં તને મુશ્કેલી પડી હશે. હું પણ એ બરાબર ઉચ્ચારી શકું છું એવું નથી, પરંતુ કર્ણાટકની ભૂમિ પર, એનાં ભૂતકાળનાં ભવ્ય ખંડેરોમાં, એનાં કલાત્મક મંદિરોમાં, એના વૈભવી મહેલોમાં ફરતાં ફરતાં આ લીટીઓ હું ગણગણ્યા કરું છું.


Line 106: Line 109:


કદાચ અંગ્રેજી અને મૂળ કન્નડાને લક્ષ્યમાં રાખીને કરેલો આ ગુજરાતી અનુવાદ તને ગમે. અનુવાદ બરાબર થયો છે કે નહિ, તેની પરીક્ષા અટાણે કરવા પાછી ન બેસતી :
કદાચ અંગ્રેજી અને મૂળ કન્નડાને લક્ષ્યમાં રાખીને કરેલો આ ગુજરાતી અનુવાદ તને ગમે. અનુવાદ બરાબર થયો છે કે નહિ, તેની પરીક્ષા અટાણે કરવા પાછી ન બેસતી :
 
{{Poem2Close}}
<poem>
'''ધનિકો બાંધશે શિવાલયો,'''
'''ધનિકો બાંધશે શિવાલયો,'''
'''હું શું બંધાવું? ગરીબ માણસ,'''
'''હું શું બંધાવું? ગરીબ માણસ,'''
Line 115: Line 119:
'''સ્થાવરનો નાશ થશે,'''
'''સ્થાવરનો નાશ થશે,'''
'''જંગમ તો અક્ષય રહેશે.'''
'''જંગમ તો અક્ષય રહેશે.'''
 
</poem>
{{Poem2Open}}
આ ગુજરાતી અનુવાદ બરાબર તો થયો નથી, પણ એ તો પછી હું ફરી રંધો ફેરવીશ. અત્યારે એને કામચલાઉ ગણજે. હાં, તો આ લીટીઓ કર્ણાટકના પ્રસિદ્ધ સંતકવિ બસવેશ્વરની છે. બસવેશ્વર છેક ૧૨મી સદીમાં થઈ ગયા. કર્ણાટકમાં સૌ આદરથી કહે છે બસવણ્ણા. અણ્ણા એટલે મોટાભાઈ. બસવેશ્વર શૈવકવિ છે. નહિ, વીર શૈવકવિ છે. મધ્યકાળમાં કર્ણાટકમાં શૈવ, વૈષ્ણવો અને જૈનો વચ્ચે પ્રચંડ સંઘર્ષ ચાલતો હતો. એની વાત ક્યારેક કરીશ; પણ આ શૈવોનો એક સંપ્રદાય તે વીરશૈવ. એમાં જે સંતો થયા તે બધા એક પ્રકારે વિદ્રોહી હતા. પૂજા-અર્ચના બાહ્યાડંબરના કબીરની જેમ વિરોધી. એમાં જે મોટા મોટા સંતકવિઓ થયા તેમાં બસવણ્ણા ઉપરાંત દેવર દાસીમય્યા, મહાદેવી અક્કા, અલ્લમ્ પ્રભુ આદિ છે. બસવેશ્વરે સોળ વર્ષની વયે જ નક્કી કરી લીધેલું કે પોતાનું જીવન શિવની ઉપાસનામાં વ્યતીત કરીશ. એ જાતિજ્ઞાતિના પ્રચંડ વિરોધી. કર્મકાંડના વિરોધી. શિવ માટેની ભક્તિને કર્મકાંડ સાથે શી લેવાદેવા? એમ કહી એમણે જનોઈના ત્રાગડાને તોડી નાખ્યો, ઘરની છાયા ત્યજી દીધી, સગાંવહાલાં પણ. કોઈને પણ કહ્યા વિના પૂર્વભણી પ્રભુપ્રેમમાં મત્ત બની ચાલી નીકળ્યા, અને જ્યાં ત્રણ નદીઓનો સંગમ થાય છે તે કપ્પડીસંગમ પહોંચ્યા. ત્યાં જે દેવતા હતા, તે તેમના ઇષ્ટ દેવતા બન્યા – કુડલ સંગમદેવ – ‘લૉર્ડ ઑફ ધ મિટિંગ રિવર્સ.’
આ ગુજરાતી અનુવાદ બરાબર તો થયો નથી, પણ એ તો પછી હું ફરી રંધો ફેરવીશ. અત્યારે એને કામચલાઉ ગણજે. હાં, તો આ લીટીઓ કર્ણાટકના પ્રસિદ્ધ સંતકવિ બસવેશ્વરની છે. બસવેશ્વર છેક ૧૨મી સદીમાં થઈ ગયા. કર્ણાટકમાં સૌ આદરથી કહે છે બસવણ્ણા. અણ્ણા એટલે મોટાભાઈ. બસવેશ્વર શૈવકવિ છે. નહિ, વીર શૈવકવિ છે. મધ્યકાળમાં કર્ણાટકમાં શૈવ, વૈષ્ણવો અને જૈનો વચ્ચે પ્રચંડ સંઘર્ષ ચાલતો હતો. એની વાત ક્યારેક કરીશ; પણ આ શૈવોનો એક સંપ્રદાય તે વીરશૈવ. એમાં જે સંતો થયા તે બધા એક પ્રકારે વિદ્રોહી હતા. પૂજા-અર્ચના બાહ્યાડંબરના કબીરની જેમ વિરોધી. એમાં જે મોટા મોટા સંતકવિઓ થયા તેમાં બસવણ્ણા ઉપરાંત દેવર દાસીમય્યા, મહાદેવી અક્કા, અલ્લમ્ પ્રભુ આદિ છે. બસવેશ્વરે સોળ વર્ષની વયે જ નક્કી કરી લીધેલું કે પોતાનું જીવન શિવની ઉપાસનામાં વ્યતીત કરીશ. એ જાતિજ્ઞાતિના પ્રચંડ વિરોધી. કર્મકાંડના વિરોધી. શિવ માટેની ભક્તિને કર્મકાંડ સાથે શી લેવાદેવા? એમ કહી એમણે જનોઈના ત્રાગડાને તોડી નાખ્યો, ઘરની છાયા ત્યજી દીધી, સગાંવહાલાં પણ. કોઈને પણ કહ્યા વિના પૂર્વભણી પ્રભુપ્રેમમાં મત્ત બની ચાલી નીકળ્યા, અને જ્યાં ત્રણ નદીઓનો સંગમ થાય છે તે કપ્પડીસંગમ પહોંચ્યા. ત્યાં જે દેવતા હતા, તે તેમના ઇષ્ટ દેવતા બન્યા – કુડલ સંગમદેવ – ‘લૉર્ડ ઑફ ધ મિટિંગ રિવર્સ.’


અરે, અંગ્રેજી અનુવાદની લીટી આવી. ગઈ. આખો અનુવાદ આપી દઉં એ. કે. રામાનુજમ્‌નો? તને સરખાવવાનું ઠીક પડશે. બને તો તું પણ એક સ્વતંત્ર અનુવાદ કરજે. અંગ્રેજી અનુવાદમાં કેવી મુશ્કેલી પડે છે તે પણ તને સમજાશે. એમાં તું ‘સ્થાવર’, ‘જંગમ’ અને ‘કુડલ સંગમદેવ’નો અનુવાદ જરા વિચારી જજે. અંગ્રેજી અનુવાદનું શીર્ષક છે – ‘ધ ટેમ્પલ ઍન્ડ ધ બૉડી.’
અરે, અંગ્રેજી અનુવાદની લીટી આવી. ગઈ. આખો અનુવાદ આપી દઉં એ. કે. રામાનુજમ્‌નો? તને સરખાવવાનું ઠીક પડશે. બને તો તું પણ એક સ્વતંત્ર અનુવાદ કરજે. અંગ્રેજી અનુવાદમાં કેવી મુશ્કેલી પડે છે તે પણ તને સમજાશે. એમાં તું ‘સ્થાવર’, ‘જંગમ’ અને ‘કુડલ સંગમદેવ’નો અનુવાદ જરા વિચારી જજે. અંગ્રેજી અનુવાદનું શીર્ષક છે – ‘ધ ટેમ્પલ ઍન્ડ ધ બૉડી.’
 
{{Poem2Close}}
<poem>
'''The rich'''
'''The rich'''
'''will'''
'''will'''
Line 135: Line 141:
'''but the moving'''
'''but the moving'''
'''ever shall stay.'''
'''ever shall stay.'''
 
</poem>
{{Poem2Open}}
કેવી અદ્ભુત લીટીઓ છે આ! ઈંટ-ચૂનાની દીવાલો કે સુવર્ણકલશના મંદિરની જરૂર શી? દેહ એ જ દેવળ. અદ્ભુત! તું જાણે છે ખરી કે આ દેવળની કલ્પના પણ આપણા દેહ પરથી ઉદ્ભવી છે? જાણકારો તો કહે છે, દેવળમંદિરની પરિભાષાના શબ્દો અને દેહના અવયવોના શબ્દો એક જ છે. કેટલા ગર્વથી કહે છે બસવણ્ણા કે મારે તો દેહ એ જ દેવળ, અને એ દેવળ તો જંગમ છે. હાલતુંચાલતું છે. પણ તને અહીં ટૂંકમાં કહું કે ‘જંગમ’ અને ‘સ્થાવર’ શબ્દોની પાછળ તો વીરશૈવોનું આખું દર્શન પડેલું છે. બસવણ્ણાના શિવ કુડલ સંગમદેવ ત્રણ નદીઓના સંગમસ્થળે આવેલા દેવતા છે – ‘લૉર્ડ ઑફ ધ મિટિંગ રિવર્સ’ — અંગ્રેજી બરાબર કહેવાય?
કેવી અદ્ભુત લીટીઓ છે આ! ઈંટ-ચૂનાની દીવાલો કે સુવર્ણકલશના મંદિરની જરૂર શી? દેહ એ જ દેવળ. અદ્ભુત! તું જાણે છે ખરી કે આ દેવળની કલ્પના પણ આપણા દેહ પરથી ઉદ્ભવી છે? જાણકારો તો કહે છે, દેવળમંદિરની પરિભાષાના શબ્દો અને દેહના અવયવોના શબ્દો એક જ છે. કેટલા ગર્વથી કહે છે બસવણ્ણા કે મારે તો દેહ એ જ દેવળ, અને એ દેવળ તો જંગમ છે. હાલતુંચાલતું છે. પણ તને અહીં ટૂંકમાં કહું કે ‘જંગમ’ અને ‘સ્થાવર’ શબ્દોની પાછળ તો વીરશૈવોનું આખું દર્શન પડેલું છે. બસવણ્ણાના શિવ કુડલ સંગમદેવ ત્રણ નદીઓના સંગમસ્થળે આવેલા દેવતા છે – ‘લૉર્ડ ઑફ ધ મિટિંગ રિવર્સ’ — અંગ્રેજી બરાબર કહેવાય?


18,450

edits

Navigation menu