26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કૃતિપરિચય : રમણ સોની|}} {{Poem2Open}} પદ્મિની : સાહિત્યકૃતિ તરીકે તે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કૃતિપરિચય | {{Heading|કૃતિપરિચય|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પદ્મિની : સાહિત્યકૃતિ તરીકે તેમજ રંગભૂમિ કૃતિ તરીકે આ નાટક શ્રીધરાણીનું સૌથી ઉત્તમ નાટક છે. આમ તો જાણીતી ઐતિહાસિક ઘટનાને એ આલેખે છે — ભીમદેવની રાણી પદ્મિનીના અપ્રતિમ સૌંદર્યની અલાઉદ્દીન ખીલજીએ એવી પ્રશંસા સાંભળી છે કે એને એક વાર જોવા મળે તો એ ચિતોડ પરનું આક્રમણ જતું કરવા તૈયાર છે. પણ આવા શરત-સ્વીકારમાં રાજપૂત-ગૌરવનું શું? એટલે, સર્વનાશની શક્યતા હોવા છતાં રાજપૂતો યુદ્ધ વહોરી લે છે. | {{Color|Blue|પદ્મિની }}: સાહિત્યકૃતિ તરીકે તેમજ રંગભૂમિ કૃતિ તરીકે આ નાટક શ્રીધરાણીનું સૌથી ઉત્તમ નાટક છે. આમ તો જાણીતી ઐતિહાસિક ઘટનાને એ આલેખે છે — ભીમદેવની રાણી પદ્મિનીના અપ્રતિમ સૌંદર્યની અલાઉદ્દીન ખીલજીએ એવી પ્રશંસા સાંભળી છે કે એને એક વાર જોવા મળે તો એ ચિતોડ પરનું આક્રમણ જતું કરવા તૈયાર છે. પણ આવા શરત-સ્વીકારમાં રાજપૂત-ગૌરવનું શું? એટલે, સર્વનાશની શક્યતા હોવા છતાં રાજપૂતો યુદ્ધ વહોરી લે છે. | ||
લેખક આ પરિસ્થિતિને જુદી રીતે, નીતિશાસ્ત્રની એક સમસ્યા તરીકે આલેખે છે : સ્ત્રીના ચારિત્ર્યની રક્ષા અને સમગ્ર પ્રજાની રક્ષા એ બે વચ્ચે પસંદગી કરવાની આવે તો શું સ્વીકારવું ઈષ્ટ ગણાય? જગતના એક નાટકમાં એની નાયિકાએ પ્રજા-રક્ષણ માટે ચારિત્ર્યની આહુતિ આપવાનું સ્વીકારેલું. પરંતુ, શ્રીધરાણી સ્ત્રી-ચારિત્ર્ય-રક્ષાનો વિકલ્પ સ્વીકારીને પદ્મિનીના પાત્રને કેન્દ્રમાં લાવે છે. | લેખક આ પરિસ્થિતિને જુદી રીતે, નીતિશાસ્ત્રની એક સમસ્યા તરીકે આલેખે છે : સ્ત્રીના ચારિત્ર્યની રક્ષા અને સમગ્ર પ્રજાની રક્ષા એ બે વચ્ચે પસંદગી કરવાની આવે તો શું સ્વીકારવું ઈષ્ટ ગણાય? જગતના એક નાટકમાં એની નાયિકાએ પ્રજા-રક્ષણ માટે ચારિત્ર્યની આહુતિ આપવાનું સ્વીકારેલું. પરંતુ, શ્રીધરાણી સ્ત્રી-ચારિત્ર્ય-રક્ષાનો વિકલ્પ સ્વીકારીને પદ્મિનીના પાત્રને કેન્દ્રમાં લાવે છે. | ||
પાત્ર-સંવેદન એથી પણ વધુ સૂક્ષ્મ ભૂમિકાએ આલેખન પામે છે. ચારિત્ર્ય ને સૌંદર્ય કરતાંય પહેલું ને વધુ મહત્ત્વનું તો સ્ત્રીનું સ્ત્રી લેખેનું, એક માનવ-વ્યક્તિ તરીકેનું ગૌરવ સ્વીકાર્ય બનવું જોઈએ. એટલે, અરીસામાં પોતાનું પ્રતિબંબિ જોવાની બાદશાહની લાલસા માટે પોતાને હાજર રાખવામા આવે છે એ પણ પદ્મિનીને અપમાનજનક લાગે છે. એની આ સંવેદન-સૂક્ષ્મતા એ નારીમાત્રની, સમયનિરપેક્ષ, વેદના છે. | પાત્ર-સંવેદન એથી પણ વધુ સૂક્ષ્મ ભૂમિકાએ આલેખન પામે છે. ચારિત્ર્ય ને સૌંદર્ય કરતાંય પહેલું ને વધુ મહત્ત્વનું તો સ્ત્રીનું સ્ત્રી લેખેનું, એક માનવ-વ્યક્તિ તરીકેનું ગૌરવ સ્વીકાર્ય બનવું જોઈએ. એટલે, અરીસામાં પોતાનું પ્રતિબંબિ જોવાની બાદશાહની લાલસા માટે પોતાને હાજર રાખવામા આવે છે એ પણ પદ્મિનીને અપમાનજનક લાગે છે. એની આ સંવેદન-સૂક્ષ્મતા એ નારીમાત્રની, સમયનિરપેક્ષ, વેદના છે. | ||
લેખકે નાટકને કથાગતિમય ને સંઘર્ષના નિરૂપણવાળું પણ બનાવ્યું છે. કાજી અને મંત્રી વચ્ચેના સંવાદો, ભીમદેવને બાદશાહ પાસેથી છોડાવવાની પદ્મિનીની યુક્તિ, વગેરેને કારણે નાટક ઘટનારસવાળું ને અભિનયક્ષમ બન્યું છે. | લેખકે નાટકને કથાગતિમય ને સંઘર્ષના નિરૂપણવાળું પણ બનાવ્યું છે. કાજી અને મંત્રી વચ્ચેના સંવાદો, ભીમદેવને બાદશાહ પાસેથી છોડાવવાની પદ્મિનીની યુક્તિ, વગેરેને કારણે નાટક ઘટનારસવાળું ને અભિનયક્ષમ બન્યું છે. | ||
આવા કુતૂહલ જગાડનાર સ્પૃહણીય નાટકમાં પ્રવેશવું સૌને ગમશે. {{Poem2Close}} | આવા કુતૂહલ જગાડનાર સ્પૃહણીય નાટકમાં પ્રવેશવું સૌને ગમશે. {{Poem2Close}} | ||
{{Right |—રમણ સોની|}} | {{Right |'''—રમણ સોની'''|}} | ||
{{HeaderNav | |||
|previous = [[પદ્મિની/લેખક-પરિચય|લેખક-પરિચય]] | |||
|next = [[પદ્મિની/‘પદ્મિની’ નાટ્યકૃતિ (ટૅક્સ્ટ) |‘પદ્મિની’ નાટ્યકૃતિ (ટૅક્સ્ટ) ]] | |||
}} |
edits