કાવ્યચર્ચા/સુધીન્દ્રનાથ દત્ત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 111: Line 111:
સુધીન્દ્રનાથ રુદ્ર ભવિષ્યને ઝંખનારા કવિ હતા. કવિ પોતાને કરુણાન્ત થવાને નિર્માયેલા નાટકના ઉદ્યોગી નાયક તરીકે ઓળખાવે છે. એમણે જે રાજ્ય કલ્પેલું તે તો ન્યાય, ક્ષમા, મૈત્રી, મનીષા – આ ગુણોને આધારે ટકી રહેતું રાજ્ય હતું. પણ આજે તો બોમ્બર વિમાન, તોપગોળા ને પાયદળથી ટકતું રાજ્ય જોવાનું રહ્યું. આજે તો શાન્તિ ને કલાન્તિમાં કશો ફેર રહ્યો નથી. જાતિભેદથી માણસો વિખૂટાં પડી ગયાં છે; કેવળ સરમુખત્યારો જ નિરંકુશ છે. એમની વજ્રમુષ્ટિની પકડમાં બધાં જકડાઈ ગયાં છે. કોટ, કિલ્લા, ખાઈ, ગુપ્તચર, રક્ષક વગેરેની જંજાળ રચ્યા છતાં, આ સરમુખત્યારો ઉન્નિદ્ર છે. નદીએ નદીએ સેતુ ભાંગતા રહે છે, નગરે નગરે રણ સરજાય છે. શિથિલકુંડલી શેષનાગ આજે કીટનો ખોરાક બન્યો છે. સુધીન્દ્રનાથ આપણા યુગનું આ ચિત્ર એમની કવિતામાં સ્થિર હાથે આંકી ગયા છે. માનવની આ સ્થિતિને એમણે સ્થિર દૃષ્ટિએ જોઈ છે, ને એ જોઈને ભયાકુલ બનીને, લાગણીથી થરથર કંપતી, શિથિલ વાણીમાં એના ઉદ્ગાર નથી કાઢ્યા. બંગાળના એક વિવેચકે કહ્યું છે તેમ, logic અને passionનો વિરલ સમન્વય એમની કવિતામાં દેખાય છે. કવિતા જનસાધારણ માટે છે, એમ એમણે કદી માન્યું નહોતું. હતાશાને પ્રગલ્ભતાથી વર્ણવતાં એઓ ખંચકાયા નહોતા. જીવન પ્રત્યેની, માનવમાત્ર પ્રત્યેની પ્રબળ આસક્તિ જ એમની આ હતાશાના મૂળમાં રહેલી છે. જો એમણે ઉદાસીનતા કેળવી હોય તો સોંઘી શ્રદ્ધાનો શુકપાઠ સરળ થઈ પડ્યો હોત. યુગચેતનાને પોતાના વિરલ કવિકર્મથી આપણને ગોચર બનાવનાર એ કવિને વંદન.
સુધીન્દ્રનાથ રુદ્ર ભવિષ્યને ઝંખનારા કવિ હતા. કવિ પોતાને કરુણાન્ત થવાને નિર્માયેલા નાટકના ઉદ્યોગી નાયક તરીકે ઓળખાવે છે. એમણે જે રાજ્ય કલ્પેલું તે તો ન્યાય, ક્ષમા, મૈત્રી, મનીષા – આ ગુણોને આધારે ટકી રહેતું રાજ્ય હતું. પણ આજે તો બોમ્બર વિમાન, તોપગોળા ને પાયદળથી ટકતું રાજ્ય જોવાનું રહ્યું. આજે તો શાન્તિ ને કલાન્તિમાં કશો ફેર રહ્યો નથી. જાતિભેદથી માણસો વિખૂટાં પડી ગયાં છે; કેવળ સરમુખત્યારો જ નિરંકુશ છે. એમની વજ્રમુષ્ટિની પકડમાં બધાં જકડાઈ ગયાં છે. કોટ, કિલ્લા, ખાઈ, ગુપ્તચર, રક્ષક વગેરેની જંજાળ રચ્યા છતાં, આ સરમુખત્યારો ઉન્નિદ્ર છે. નદીએ નદીએ સેતુ ભાંગતા રહે છે, નગરે નગરે રણ સરજાય છે. શિથિલકુંડલી શેષનાગ આજે કીટનો ખોરાક બન્યો છે. સુધીન્દ્રનાથ આપણા યુગનું આ ચિત્ર એમની કવિતામાં સ્થિર હાથે આંકી ગયા છે. માનવની આ સ્થિતિને એમણે સ્થિર દૃષ્ટિએ જોઈ છે, ને એ જોઈને ભયાકુલ બનીને, લાગણીથી થરથર કંપતી, શિથિલ વાણીમાં એના ઉદ્ગાર નથી કાઢ્યા. બંગાળના એક વિવેચકે કહ્યું છે તેમ, logic અને passionનો વિરલ સમન્વય એમની કવિતામાં દેખાય છે. કવિતા જનસાધારણ માટે છે, એમ એમણે કદી માન્યું નહોતું. હતાશાને પ્રગલ્ભતાથી વર્ણવતાં એઓ ખંચકાયા નહોતા. જીવન પ્રત્યેની, માનવમાત્ર પ્રત્યેની પ્રબળ આસક્તિ જ એમની આ હતાશાના મૂળમાં રહેલી છે. જો એમણે ઉદાસીનતા કેળવી હોય તો સોંઘી શ્રદ્ધાનો શુકપાઠ સરળ થઈ પડ્યો હોત. યુગચેતનાને પોતાના વિરલ કવિકર્મથી આપણને ગોચર બનાવનાર એ કવિને વંદન.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કાવ્યચર્ચા/જીવનાનન્દ દાસની કાવ્યસૃષ્ટિ|જીવનાનન્દ દાસની કાવ્યસૃષ્ટિ]]
|next = [[કાવ્યચર્ચા/ભૂમાનો કવિ|ભૂમાનો કવિ]]
}}
18,450

edits

Navigation menu