ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 996: Line 996:
<br>
<br>
   
   
‘કુસુમશ્રી-રાસ’ [૨.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, કારતક સુદ ૧૩, શનિવાર] : નિત્યવિજયશિષ્ય ગંગવિજયની દુહા-દેશીબદ્ધ, ૫૪ ઢાળ અને ૧૨૫૬ કડીની આ કૃતિ(મુ.)માં રાજપુત્ર વીરસેન અને રાજકુંવરી કુસુમશ્રીની કથા કહેવાયેલી છે. કુસુમશ્રીની સૂચના અનુસાર વીરસેન એની સાથેના લગ્નપ્રસંગે પોતાના સસરા પાસેથી દૈવી અશ્વ, મનવાંછિત વસ્તુ આપતો પલંગ અને વિબુદ્ધ ચૂડામણિ સૂડો (પોપટ) માગી લે છે. પરંતુ પોતાને ગામ પાછા જતાં પલંગ અને અશ્વ ચોરાઈ જાય છે ને એમના વહાણને સમુદ્રનું તોફાન નડતાં નાયક-નાયિકા પણ છૂટાં પડી જાય છે. સંયોગવશાત્ વેશ્યાને પનારે પડેલી કુસુમશ્રી પોતાના પોપટની મદદથી એની પાસે આવતા જાર પુરુષોને ચતુરાઈથી સમાલી લઈ પોતાની શીલરક્ષા કરે છે. છેલ્લે વીરસેન સાથે કુસુમશ્રીનો મેળાપ થાય છે ત્યારે કુસુમશ્રીની કુળદેવીએ યોજેલા ચમત્કારપ્રસંગ દ્વારા વીરસેનને એની ચારિત્રશુદ્ધિની ખાતરી થાય છે. આ અદ્ભુતરસિક કથામાં ચારિત્ર્યરક્ષા અંગે ભયભીત થયેલી કુસુમશ્રીને હિંમત આપવા સૂડાએ કહેલું ધનવતીનું વૃત્તાંત પણ ૧૫ ઢાળ અને ૩૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરેલું છે. લોલુપ પુરોહિત, દુર્ગપાલ, પ્રધાન અને રાજાને પોતાને ત્યાં નિમંત્રી ચતુરાઈપૂર્વક પેટીમાં પૂરી દઈને એમનો ફજેતો કરનાર ધનવતીનું આ વૃત્તાંત પણ રસપ્રદ છે. પ્રસંગોના વીગતપૂર્ણ આલેખનને કારણે પ્રસ્તારી બનેલી આ કૃતિમાં વિવિધ સુગેય દેશીબંધોનો ઉપયોગ ધ્યાન ખેંચે છે. [ર.સો.]
<span style="color:#0000ff">'''‘કુસુમશ્રી-રાસ’'''</span> [૨.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, કારતક સુદ ૧૩, શનિવાર] : નિત્યવિજયશિષ્ય ગંગવિજયની દુહા-દેશીબદ્ધ, ૫૪ ઢાળ અને ૧૨૫૬ કડીની આ કૃતિ(મુ.)માં રાજપુત્ર વીરસેન અને રાજકુંવરી કુસુમશ્રીની કથા કહેવાયેલી છે. કુસુમશ્રીની સૂચના અનુસાર વીરસેન એની સાથેના લગ્નપ્રસંગે પોતાના સસરા પાસેથી દૈવી અશ્વ, મનવાંછિત વસ્તુ આપતો પલંગ અને વિબુદ્ધ ચૂડામણિ સૂડો (પોપટ) માગી લે છે. પરંતુ પોતાને ગામ પાછા જતાં પલંગ અને અશ્વ ચોરાઈ જાય છે ને એમના વહાણને સમુદ્રનું તોફાન નડતાં નાયક-નાયિકા પણ છૂટાં પડી જાય છે. સંયોગવશાત્ વેશ્યાને પનારે પડેલી કુસુમશ્રી પોતાના પોપટની મદદથી એની પાસે આવતા જાર પુરુષોને ચતુરાઈથી સમાલી લઈ પોતાની શીલરક્ષા કરે છે. છેલ્લે વીરસેન સાથે કુસુમશ્રીનો મેળાપ થાય છે ત્યારે કુસુમશ્રીની કુળદેવીએ યોજેલા ચમત્કારપ્રસંગ દ્વારા વીરસેનને એની ચારિત્રશુદ્ધિની ખાતરી થાય છે. આ અદ્ભુતરસિક કથામાં ચારિત્ર્યરક્ષા અંગે ભયભીત થયેલી કુસુમશ્રીને હિંમત આપવા સૂડાએ કહેલું ધનવતીનું વૃત્તાંત પણ ૧૫ ઢાળ અને ૩૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરેલું છે. લોલુપ પુરોહિત, દુર્ગપાલ, પ્રધાન અને રાજાને પોતાને ત્યાં નિમંત્રી ચતુરાઈપૂર્વક પેટીમાં પૂરી દઈને એમનો ફજેતો કરનાર ધનવતીનું આ વૃત્તાંત પણ રસપ્રદ છે. પ્રસંગોના વીગતપૂર્ણ આલેખનને કારણે પ્રસ્તારી બનેલી આ કૃતિમાં વિવિધ સુગેય દેશીબંધોનો ઉપયોગ ધ્યાન ખેંચે છે. [ર.સો.]
કુંભર્ષિ [               ]: જૈન સાધુ. ‘ચોવીસ તીર્થકર-ગણધરસાધુ-સ્તવન’ના કર્તા.
કુંભર્ષિ [               ]: જૈન સાધુ. ‘ચોવીસ તીર્થકર-ગણધરસાધુ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
   
   
કુંવર (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ) : આખ્યાનકાર. જ્ઞાતિએ ખંભાતના મકર કુલના વડનગરા નાગર બ્રાહ્મણ. અકબરપુરના રહેવાસી. ગુરુ બાલકૃષ્ણ ભટ્ટ. કવિ પોતાને ‘રામજન’ કે ‘જન’ તરીકે પણ ઓળખાવે છે. ‘મહીસંગમ-કથા’ (૨.ઈ.૧૬૫૫), ૩૯ કડવાંનું સ્કંદપુરાણ-આધારિત ‘તારકાસુરનું આખ્યાન’ (૨.ઈ.૧૬૫૭/સં. ૧૭૧૬, શ્રાવણ વદ ૧૪, બુધવાર) તથા ૫૭ કડવાંનું વાલ્મીકિ-રામાયણ પર આધારિત ‘રામાયણ-ઉત્તરકાંડ’ (૨.ઈ.૧૬૬૦/સં. ૧૭૧૬, આસો વદ ૩, સોમવાર) તેમની કૃતિઓ છે. ‘રામાયણ-ઉત્તરકાંડ’ ઉદ્ધવકૃત ‘રામાયણ’માં ભાલણસુત વિષ્ણુદાસની કૃતિ તરીકે પ્રકાશિત થયું છે.  
<span style="color:#0000ff">'''કુંવર'''</span> (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ) : આખ્યાનકાર. જ્ઞાતિએ ખંભાતના મકર કુલના વડનગરા નાગર બ્રાહ્મણ. અકબરપુરના રહેવાસી. ગુરુ બાલકૃષ્ણ ભટ્ટ. કવિ પોતાને ‘રામજન’ કે ‘જન’ તરીકે પણ ઓળખાવે છે. ‘મહીસંગમ-કથા’ (૨.ઈ.૧૬૫૫), ૩૯ કડવાંનું સ્કંદપુરાણ-આધારિત ‘તારકાસુરનું આખ્યાન’ (૨.ઈ.૧૬૫૭/સં. ૧૭૧૬, શ્રાવણ વદ ૧૪, બુધવાર) તથા ૫૭ કડવાંનું વાલ્મીકિ-રામાયણ પર આધારિત ‘રામાયણ-ઉત્તરકાંડ’ (૨.ઈ.૧૬૬૦/સં. ૧૭૧૬, આસો વદ ૩, સોમવાર) તેમની કૃતિઓ છે. ‘રામાયણ-ઉત્તરકાંડ’ ઉદ્ધવકૃત ‘રામાયણ’માં ભાલણસુત વિષ્ણુદાસની કૃતિ તરીકે પ્રકાશિત થયું છે.  
કૃતિ : (ભાલણસુત ઉદ્ધવકૃત) રામાયણ, સં. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા, નાથાશંકર પૂ. શાસ્ત્રી, ઈ.૧૮૯૩(+સં.).
કૃતિ : (ભાલણસુત ઉદ્ધવકૃત) રામાયણ, સં. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા, નાથાશંકર પૂ. શાસ્ત્રી, ઈ.૧૮૯૩(+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. * ગુજરાતી, દીપોત્સવી અંક, ઈ.૧૯૩૨ - ‘રામાયણના ઉત્તરકાંડનો કર્તા કોણ ?’ રામલાલ ચુ. મોદી;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ:૨. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. * ગુજરાતી, દીપોત્સવી અંક, ઈ.૧૯૩૨ - ‘રામાયણના ઉત્તરકાંડનો કર્તા કોણ ?’ રામલાલ ચુ. મોદી;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ:૨.{{Right|}}{{Right|[ચ.શે.]}}
<br>
   
   
કુંવરજી : આ નામે ‘પંચાશતજિન-સ્તવન’ અને ૧૨ કડીનું ‘શીલ-ઉપદેશ-પદ’ એ કૃતિઓ નોંધાયેલ છે પણ તે ક્યા કુંવરજી છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.  
<span style="color:#0000ff">'''કુંવરજી'''</span> : આ નામે ‘પંચાશતજિન-સ્તવન’ અને ૧૨ કડીનું ‘શીલ-ઉપદેશ-પદ’ એ કૃતિઓ નોંધાયેલ છે પણ તે ક્યા કુંવરજી છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.  
સંદર્ભ : લીંહસૂચી. [ર.સો.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[ર.સો.]}}
<br>
   
   
કુંવરજી-૧ [ઈ.૧૫૬૮માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં જીવરાજના શિષ્ય. ૨૪૬ કડીની ‘સાધુવંદના’ (૨.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, શ્રાવણ સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા.
<span style="color:#0000ff">'''કુંવરજી-૧'''</span> [ઈ.૧૫૬૮માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં જીવરાજના શિષ્ય. ૨૪૬ કડીની ‘સાધુવંદના’ (૨.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, શ્રાવણ સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ર.સો.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). {{Right|[ર.સો.]}}
<br>


કુંવરજી-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હર્ષસાગરની પરંપરામાં રાજસાગરના શિષ્ય. ‘સનત્કુમાર-રાજર્ષિ-રાસ’ (૨.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, અસાડ સુદ ૫; સ્વલિખિતપ્રત, ઈ.૧૬૦૭) તથા વિજયસેનસૂરિના ઈ.૧૬૧૬માં થયેલા અવસાન પછી રચાયેલા અને ભૂલથી સમરચંદ્રગણિને નામે પણ નોંધાયેલા ૧૪૯/૧૭૬ કડીના ‘વિજયસેનસૂરિ-રાસ’ના કર્તા.
કુંવરજી-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હર્ષસાગરની પરંપરામાં રાજસાગરના શિષ્ય. ‘સનત્કુમાર-રાજર્ષિ-રાસ’ (૨.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, અસાડ સુદ ૫; સ્વલિખિતપ્રત, ઈ.૧૬૦૭) તથા વિજયસેનસૂરિના ઈ.૧૬૧૬માં થયેલા અવસાન પછી રચાયેલા અને ભૂલથી સમરચંદ્રગણિને નામે પણ નોંધાયેલા ૧૪૯/૧૭૬ કડીના ‘વિજયસેનસૂરિ-રાસ’ના કર્તા.
18,450

edits

Navigation menu