ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 72: Line 72:
<br>
<br>


પદ(મીરાંબાઈ) : ગુજરાતી, રાજસ્થાની અને વ્રજમાં હસ્તપ્રતો અને મૌૈખિક રૂપે ઉપલબ્ધ થતાં મીરાંબાઈનાં પદોની સંખ્યા આમ તો ઘણી મોટી છે. પરંતુ એમનાં પદોની જૂનામાં જૂની ૨ હસ્તપ્રત - ૧ ડાકોરની (લે.ઈ.૧૫૮૬) ૬૯ અને બીજી કાશીની (લે.ઈ.૧૬૭૧) ૧૦૩ પદવાળી-ઉપલબ્ધ થાય છે, જેમાંની પહેલી તેમની કોઈ લલિતા નામની સખી દ્વારા લખાઈ છે. કાશીની પ્રતમાં ડાકોરની પ્રતનાં ૬૯ પદ એ જ ક્રમમાં પહેલાં મળે છે અને બીજાં ૩૪ પદ નવાં ઉમેરાયેલાં છે. એટલે આ પદોને મીરાનાં સૌથી વધુ અધિકૃત પદો માનવાનું વલણ વિદ્વાનોનું છે. આ પદો પાછળથી શબ્દો, પંક્તિઓના ઓછાવત્તા ફેરફાર સાથે અનેક રૂપે જનસમાજમાં ફેલાયાં તેમ જ બીજાં અનેક પદ એમાં ઉમેરાયાં. માત્ર ગુજરાતીમાં ૪૦૦ જેટલાં એમનાં પદ મુદ્રિત સ્વરૂપે મળે છે. આ સૌથી જૂની ૨ હસ્તપ્રતોનાં પદોની ભાષા પ્રાચીન રાજસ્થાની છે.
<span style="color:#0000ff">'''પદ(મીરાંબાઈ) '''</span>: ગુજરાતી, રાજસ્થાની અને વ્રજમાં હસ્તપ્રતો અને મૌૈખિક રૂપે ઉપલબ્ધ થતાં મીરાંબાઈનાં પદોની સંખ્યા આમ તો ઘણી મોટી છે. પરંતુ એમનાં પદોની જૂનામાં જૂની ૨ હસ્તપ્રત - ૧ ડાકોરની (લે.ઈ.૧૫૮૬) ૬૯ અને બીજી કાશીની (લે.ઈ.૧૬૭૧) ૧૦૩ પદવાળી-ઉપલબ્ધ થાય છે, જેમાંની પહેલી તેમની કોઈ લલિતા નામની સખી દ્વારા લખાઈ છે. કાશીની પ્રતમાં ડાકોરની પ્રતનાં ૬૯ પદ એ જ ક્રમમાં પહેલાં મળે છે અને બીજાં ૩૪ પદ નવાં ઉમેરાયેલાં છે. એટલે આ પદોને મીરાનાં સૌથી વધુ અધિકૃત પદો માનવાનું વલણ વિદ્વાનોનું છે. આ પદો પાછળથી શબ્દો, પંક્તિઓના ઓછાવત્તા ફેરફાર સાથે અનેક રૂપે જનસમાજમાં ફેલાયાં તેમ જ બીજાં અનેક પદ એમાં ઉમેરાયાં. માત્ર ગુજરાતીમાં ૪૦૦ જેટલાં એમનાં પદ મુદ્રિત સ્વરૂપે મળે છે. આ સૌથી જૂની ૨ હસ્તપ્રતોનાં પદોની ભાષા પ્રાચીન રાજસ્થાની છે.
કૃષ્ણપ્રીતિ એમની કવિતાનો સ્થાયી ભાવ છે, પરંતુ પ્રેમલક્ષણા ભક્તિની કવિતામાં કૃષ્ણપ્રીતિની આસપાસ રહીને પણ જે ભાવવૈવિધ્ય ગુજરાતી-હિન્દી કવિતામાં સધાયું છે તે મીરાંબાઈનાં પદોમાં એટલા પ્રમાણમાં નથી. કોઈપણ પ્રકારની સાંપ્રદાયિકતાથી મુક્ત એમનાં પદોમાં વાત્સલ્યપ્રીતિ નથી અને શૃંગારપ્રીતિમાંય વિરહપ્રીતિ જ મુખ્ય છે. સંભોગપ્રીતિ તો કવચિત્ કોઈ પદમાં અને તે પણ એના સંયત રૂપમાં વ્યક્ત થઈ છે. મનોમન જેને પોતાનો પતિ માની લીધો છે તે કૃષ્ણના મિલન માટેનો ઊંડો તલસાટ ને એમાંથી જન્મતાં વ્યાકુળતા-દર્દ એમનાં પદોમાં ઘૂંટાઈઘૂંટાઈને વ્યક્ત થાય છે. એમની કવિતાનો ઉત્તમાંશ આ પ્રેમવિહ્વળ દશાને વ્યક્ત કરતાં પદો છે. કોઈ રચનાચાતુરી વગર ક્યારેક કોઈ હૃદયસ્પર્શી કલ્પનથી, અત્યંત લાઘવ ને સાવ સરળ પણ સંગીતમય પદાવલિથી આ પદોમાં રહેલો વિરહભાવ એની તીવ્રતા, ગહનતા ને કોમળતા સમેત હૃદયને સ્પર્શે છે. ફાગણના હોળીખેલનના દિવસ હોય કે અસાડની વર્ષા હોય, પીંછીના આછા લસરકાથી પ્રેમવિહ્વળ સ્ત્રીનું ચિત્ર તેઓ આંકી દે છે. પતિના આગમનની રાહ જોતી વિરહિણીનું ચિત્ર “ઊંચો ચઢચઢ પંથ નિહારયાં કલપકલપ અખયાં રાંતી” કે પ્રિયતમની પ્રતીક્ષાની તીવ્રતા, વ્યાકુળતા, કંઈક થાક ને નિરાશા એ સૌ ભાવોને વ્યક્ત કરતાં “પાના જ્યું પીલી પડી રે લોગ કહ્યાં પિંડ બાય” ને “ગણતાંગણતાં ઘીશ ગયાં રેખાં આંગરિયાં રિ શારી” એ ચિત્રો મીરાંની કલ્પનનિર્માણની શક્તિનાં ઉત્તમ દૃષ્ટાંત છે. વિરહિણી સ્ત્રીના મનોભાવ રૂપે વ્યક્ત થયેલી કૃષ્ણમિલન માટેની આ વ્યાકુળતામાં શૃંગારની પ્રગલ્ભતા ને સાંસારિક વાસનાનો સ્પર્શ નથી, રિસાળપણું કે માનિનીપણું પણ નથી. એમાં દાસીપણું છે, સહજતા ને સાત્ત્વિકતા છે. કૃષ્ણરૂપવર્ણનનાં પણ કેટલાંક પદ મીરાંબાઈ પાસેથી મળે છે, જે કૃષ્ણ સતત એમના ચિત્તમાં રમ્યા કરતા હશે એની પ્રતીતિ કરાવે છે.
કૃષ્ણપ્રીતિ એમની કવિતાનો સ્થાયી ભાવ છે, પરંતુ પ્રેમલક્ષણા ભક્તિની કવિતામાં કૃષ્ણપ્રીતિની આસપાસ રહીને પણ જે ભાવવૈવિધ્ય ગુજરાતી-હિન્દી કવિતામાં સધાયું છે તે મીરાંબાઈનાં પદોમાં એટલા પ્રમાણમાં નથી. કોઈપણ પ્રકારની સાંપ્રદાયિકતાથી મુક્ત એમનાં પદોમાં વાત્સલ્યપ્રીતિ નથી અને શૃંગારપ્રીતિમાંય વિરહપ્રીતિ જ મુખ્ય છે. સંભોગપ્રીતિ તો કવચિત્ કોઈ પદમાં અને તે પણ એના સંયત રૂપમાં વ્યક્ત થઈ છે. મનોમન જેને પોતાનો પતિ માની લીધો છે તે કૃષ્ણના મિલન માટેનો ઊંડો તલસાટ ને એમાંથી જન્મતાં વ્યાકુળતા-દર્દ એમનાં પદોમાં ઘૂંટાઈઘૂંટાઈને વ્યક્ત થાય છે. એમની કવિતાનો ઉત્તમાંશ આ પ્રેમવિહ્વળ દશાને વ્યક્ત કરતાં પદો છે. કોઈ રચનાચાતુરી વગર ક્યારેક કોઈ હૃદયસ્પર્શી કલ્પનથી, અત્યંત લાઘવ ને સાવ સરળ પણ સંગીતમય પદાવલિથી આ પદોમાં રહેલો વિરહભાવ એની તીવ્રતા, ગહનતા ને કોમળતા સમેત હૃદયને સ્પર્શે છે. ફાગણના હોળીખેલનના દિવસ હોય કે અસાડની વર્ષા હોય, પીંછીના આછા લસરકાથી પ્રેમવિહ્વળ સ્ત્રીનું ચિત્ર તેઓ આંકી દે છે. પતિના આગમનની રાહ જોતી વિરહિણીનું ચિત્ર “ઊંચો ચઢચઢ પંથ નિહારયાં કલપકલપ અખયાં રાંતી” કે પ્રિયતમની પ્રતીક્ષાની તીવ્રતા, વ્યાકુળતા, કંઈક થાક ને નિરાશા એ સૌ ભાવોને વ્યક્ત કરતાં “પાના જ્યું પીલી પડી રે લોગ કહ્યાં પિંડ બાય” ને “ગણતાંગણતાં ઘીશ ગયાં રેખાં આંગરિયાં રિ શારી” એ ચિત્રો મીરાંની કલ્પનનિર્માણની શક્તિનાં ઉત્તમ દૃષ્ટાંત છે. વિરહિણી સ્ત્રીના મનોભાવ રૂપે વ્યક્ત થયેલી કૃષ્ણમિલન માટેની આ વ્યાકુળતામાં શૃંગારની પ્રગલ્ભતા ને સાંસારિક વાસનાનો સ્પર્શ નથી, રિસાળપણું કે માનિનીપણું પણ નથી. એમાં દાસીપણું છે, સહજતા ને સાત્ત્વિકતા છે. કૃષ્ણરૂપવર્ણનનાં પણ કેટલાંક પદ મીરાંબાઈ પાસેથી મળે છે, જે કૃષ્ણ સતત એમના ચિત્તમાં રમ્યા કરતા હશે એની પ્રતીતિ કરાવે છે.
મીરાંબાઈએ પોતાને કુટુંબ સાથે થયેલા સંઘર્ષની અંગત જીવનની વીગતોનો ઉલ્લેખ કરતાં કેટલાંક આત્મચરિત્રાત્મક પદો રચ્યાં છે. એમનો સાધુસંતો સાથેનો સમાગમ, રાણાનો રોષ, એમને મારી નાખવા માટે રાણાએ મોકલેલો ઝેરનો પ્યાલો કે કરંડિયામાં મોકલેલો નાગ, વગેરે વીગતોનો એમાં ઉલ્લેખ છે. આ પદોમાંથી મીરાંબાઈની અવિચલિત ગિરિધરનિષ્ઠા, ભક્તિની મસ્તી ને જગનિંદાની બેપરવાઈ ઊપસી આવે છે. પ્રભુભક્તિનો મહિમા કરતાં પણ થોડાંક પદ મીરાંએ રચ્યાં છે.
મીરાંબાઈએ પોતાને કુટુંબ સાથે થયેલા સંઘર્ષની અંગત જીવનની વીગતોનો ઉલ્લેખ કરતાં કેટલાંક આત્મચરિત્રાત્મક પદો રચ્યાં છે. એમનો સાધુસંતો સાથેનો સમાગમ, રાણાનો રોષ, એમને મારી નાખવા માટે રાણાએ મોકલેલો ઝેરનો પ્યાલો કે કરંડિયામાં મોકલેલો નાગ, વગેરે વીગતોનો એમાં ઉલ્લેખ છે. આ પદોમાંથી મીરાંબાઈની અવિચલિત ગિરિધરનિષ્ઠા, ભક્તિની મસ્તી ને જગનિંદાની બેપરવાઈ ઊપસી આવે છે. પ્રભુભક્તિનો મહિમા કરતાં પણ થોડાંક પદ મીરાંએ રચ્યાં છે.
ગુજરાતીમાં મુદ્રિત રૂપે ઠીકઠીક મોટી સંખ્યામાં ઉપલબ્ધ થતાં મીરાંબાઈનાં પદોમાં એમનાં અધિકૃત ગણાતાં ઘણાં પદ પ્રક્ષેપો સાથે ને પાઠભેદે મળી આવે છે, પરંતુ એમની કવિતાનો ઉત્તમાંશ જેમાં છે તે વિરહભાવનાં પદ ગુજરાતીમાં વિશેષ નથી. આત્મચરિત્રાત્મક પદોની સંખ્યા મોટી છે. એ સિવાય દાણલીલા, કૃષ્ણની મોરલીના સૂર કે કૃષ્ણના અબોલાથી જન્મતી વ્યાકુળતા, કૃષ્ણને ભોજન માટે અપાતાં ઇજન વગેરે ગોપીભાવનાં વિશેષ પ્રમાણમાં મળતાં પદો; “સત્સંગનો રસ ચાખ પ્રાણી” કે “મળ્યો જટાધારી જોગેશ્વર બાવો” જેવાં નાથસંપ્રદાયની અસર બતાવતાં પદ કે “જૂનું થયું રે દેવળ જૂનું થયું” જેવાં નિર્ગુણઉપાસનાવાળાં વૈરાગ્યબોધક પદ વગેરે મીરાંની સૌથી જૂની ગણાતી ઉપર નિર્દિષ્ટ પ્રતોમાં નથી. એમાંનાં કેટલાંક પદ અન્ય મધ્યકાલીન કવિઓનાં હોવાનું સ્વીકારાયું છે. બીજાં પદોનું મીરાંકર્તૃત્વ શંકાસ્પદ હોવાનો હિન્દી વિદ્વાનોનો મત ઉચિત લાગે છે. [જ.ગા.]
ગુજરાતીમાં મુદ્રિત રૂપે ઠીકઠીક મોટી સંખ્યામાં ઉપલબ્ધ થતાં મીરાંબાઈનાં પદોમાં એમનાં અધિકૃત ગણાતાં ઘણાં પદ પ્રક્ષેપો સાથે ને પાઠભેદે મળી આવે છે, પરંતુ એમની કવિતાનો ઉત્તમાંશ જેમાં છે તે વિરહભાવનાં પદ ગુજરાતીમાં વિશેષ નથી. આત્મચરિત્રાત્મક પદોની સંખ્યા મોટી છે. એ સિવાય દાણલીલા, કૃષ્ણની મોરલીના સૂર કે કૃષ્ણના અબોલાથી જન્મતી વ્યાકુળતા, કૃષ્ણને ભોજન માટે અપાતાં ઇજન વગેરે ગોપીભાવનાં વિશેષ પ્રમાણમાં મળતાં પદો; “સત્સંગનો રસ ચાખ પ્રાણી” કે “મળ્યો જટાધારી જોગેશ્વર બાવો” જેવાં નાથસંપ્રદાયની અસર બતાવતાં પદ કે “જૂનું થયું રે દેવળ જૂનું થયું” જેવાં નિર્ગુણઉપાસનાવાળાં વૈરાગ્યબોધક પદ વગેરે મીરાંની સૌથી જૂની ગણાતી ઉપર નિર્દિષ્ટ પ્રતોમાં નથી. એમાંનાં કેટલાંક પદ અન્ય મધ્યકાલીન કવિઓનાં હોવાનું સ્વીકારાયું છે. બીજાં પદોનું મીરાંકર્તૃત્વ શંકાસ્પદ હોવાનો હિન્દી વિદ્વાનોનો મત ઉચિત લાગે છે.{{Right|[જ.ગા.]}}
<br>


પદ(રવિદાસ) : ગરબી, ગરબો, ધોળ, સરવડાં, કાફી, રેખતા આદિ પ્રકારો અને વિવિધ રાગોનો નિર્દેશ ધરાવતાં અને અનેક પ્રસંગે વિવિધ પ્રકારની ધ્રુવાઓનો વિનિયોગ કરી રમણીય ગેયતા સિદ્ધ કરતાં ૩૫૦ ઉપરાંત પદો (મુ.) વિષય અને નિરૂપણરીતિના વૈવિધ્યથી પણ ધ્યાન ખેંચે છે. અહીં જ્ઞાન અને ભક્તિમાર્ગના પ્રવાહીનું વિલક્ષણ સંમિશ્રણ થયેલું છે. થાળ, બાળલીલા, ઉદ્ધવસંદેશ, શૃંગારલીલા વગેરે કૃષ્ણચરિત્રના પરંપરાગત વિષયો આલેખાયા છે અને એમાં પ્રણયાર્દ્ર ગોપીભાવનાં, મનોરમ કૃતકકલહનાં અને પ્રગલ્ભ સંયોગશૃંગારનાં ચિત્રણો પણ મળે છે. પ્રેમલક્ષણા ભક્તિનાં આ પદોની બહુલતા ધ્યાન ખેંચે આવી છે, તો બીજી બાજુથી સદ્ગુરુમહિમા, નામમહિમા, વૈરાગ્યબોધ અને અધ્યાત્મજ્ઞાનનાં પદો પણ ઠીક સંખ્યામાં મળે છે. ખીમ-રવિ પ્રશ્નોત્તરીનાં પદો તેમ જ પ્રીતમદાસ વગેરેને પત્રો રૂપે લખાયેલાં પદોમાં જ્ઞાનચર્ચા જ છે. સદ્ગુરુ પ્રત્યેનો કવિનો આર્દ્ર ભક્તિભાવ સ્પર્શી જાય એવો છે. જ્ઞાન-વૈરાગ્યનાં પદોમાં રૂપકાત્મક નિરૂપણરીતિનું પ્રાધાન્ય દેખાય છે. રેંટીડો/ચરખો, કટારી, હોક્કો વગેરે તો પરંપરામાં કાવ્યપ્રકાર તરીકે રૂઢ થઈ ગયેલી રૂપકગ્રંથિઓ છે. અવિનાશીનો વિવાહ, કાયાગરબો, ઝાલરી વગેરે પણ આવી રૂપકગ્રંથિવાળી રચનાઓ છે. આ ઉપરાંત માર્મિક દૃષ્ટાંતગ્રથન અને સીધી સોંસરી વાણીથી પણ આ પદોની અભિવ્યક્તિ અસરકારક બનેલી છે. ખીમદાસ તથા શામદાસના ‘ઉમાવા’ (=મૃત્યુગીત) જેવી પ્રાસંગિક રચનાઓ પણ રવિદાસે કરેલી છે. રવિદાસનાં પદો પર હિંદીનો પ્રભાવ છે, અને રેખતા વગેરે પ્રકારની કેટલીક રચનાઓ તો હિંદીમાં જ છે. કંઠસ્થ ભજનપરંપરામાં રવિદાસની કૃતિઓ ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. [જ.કો.]
<span style="color:#0000ff">'''પદ(રવિદાસ)'''</span> : ગરબી, ગરબો, ધોળ, સરવડાં, કાફી, રેખતા આદિ પ્રકારો અને વિવિધ રાગોનો નિર્દેશ ધરાવતાં અને અનેક પ્રસંગે વિવિધ પ્રકારની ધ્રુવાઓનો વિનિયોગ કરી રમણીય ગેયતા સિદ્ધ કરતાં ૩૫૦ ઉપરાંત પદો (મુ.) વિષય અને નિરૂપણરીતિના વૈવિધ્યથી પણ ધ્યાન ખેંચે છે. અહીં જ્ઞાન અને ભક્તિમાર્ગના પ્રવાહીનું વિલક્ષણ સંમિશ્રણ થયેલું છે. થાળ, બાળલીલા, ઉદ્ધવસંદેશ, શૃંગારલીલા વગેરે કૃષ્ણચરિત્રના પરંપરાગત વિષયો આલેખાયા છે અને એમાં પ્રણયાર્દ્ર ગોપીભાવનાં, મનોરમ કૃતકકલહનાં અને પ્રગલ્ભ સંયોગશૃંગારનાં ચિત્રણો પણ મળે છે. પ્રેમલક્ષણા ભક્તિનાં આ પદોની બહુલતા ધ્યાન ખેંચે આવી છે, તો બીજી બાજુથી સદ્ગુરુમહિમા, નામમહિમા, વૈરાગ્યબોધ અને અધ્યાત્મજ્ઞાનનાં પદો પણ ઠીક સંખ્યામાં મળે છે. ખીમ-રવિ પ્રશ્નોત્તરીનાં પદો તેમ જ પ્રીતમદાસ વગેરેને પત્રો રૂપે લખાયેલાં પદોમાં જ્ઞાનચર્ચા જ છે. સદ્ગુરુ પ્રત્યેનો કવિનો આર્દ્ર ભક્તિભાવ સ્પર્શી જાય એવો છે. જ્ઞાન-વૈરાગ્યનાં પદોમાં રૂપકાત્મક નિરૂપણરીતિનું પ્રાધાન્ય દેખાય છે. રેંટીડો/ચરખો, કટારી, હોક્કો વગેરે તો પરંપરામાં કાવ્યપ્રકાર તરીકે રૂઢ થઈ ગયેલી રૂપકગ્રંથિઓ છે. અવિનાશીનો વિવાહ, કાયાગરબો, ઝાલરી વગેરે પણ આવી રૂપકગ્રંથિવાળી રચનાઓ છે. આ ઉપરાંત માર્મિક દૃષ્ટાંતગ્રથન અને સીધી સોંસરી વાણીથી પણ આ પદોની અભિવ્યક્તિ અસરકારક બનેલી છે. ખીમદાસ તથા શામદાસના ‘ઉમાવા’ (=મૃત્યુગીત) જેવી પ્રાસંગિક રચનાઓ પણ રવિદાસે કરેલી છે. રવિદાસનાં પદો પર હિંદીનો પ્રભાવ છે, અને રેખતા વગેરે પ્રકારની કેટલીક રચનાઓ તો હિંદીમાં જ છે. કંઠસ્થ ભજનપરંપરામાં રવિદાસની કૃતિઓ ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે.{{Right|[જ.કો.]}}
<br>


પદ(રાજે) : મુસલમાન કવિ રાજેએ ઘણાં પદો રચ્યાં છે, જેમાંથી મોટા ભાગનાં ગુજરાતી અને થોડાંક હિંદી મળી ૧૫૦ જેટલાં પદ અત્યારે મુદ્રિત સ્વરૂપે મળે છે. થાળ, આરતી, ગરબી એમ વિવિધ સ્વરૂપ અને રાગઢાળમાં મળતાં આ પદોનો મુખ્ય વિષય છે કૃષ્ણપ્રીતિ. કૃષ્ણજન્મની વધાઈ, બાળલીલા, દાણલીલા, ગોપી અને રાધાનો કૃષ્ણ પ્રત્યેનો રતિભાવ અને તજજન્ય પરિસ્થિતિઓ પ્રેમલક્ષણા ભક્તિની અન્ય કવિતાની જેમ અહીં પણ કાવ્યનો વિષય બને છે, પરંતુ રચનાવૈવિધ્ય, કેટલીક વિશિષ્ટ કલ્પના અને ભાષાકર્મને લીધે આ પદો જુદાં તરી આવે છે. એક પદમાં એક પાત્ર બોલતું હોય અને બીજા પદમાં બીજું પાત્ર એનો પ્રત્યુત્તર આપતું હોય એ પ્રકારના કૃષ્ણ-રાધા, કૃષ્ણ-ગોપી, ગોપી અને તેની સાસુ, ગોપી અને તેની માતા, ગોપી અને ગોપી વચ્ચેના સંવાદવાળા ઘણા પદગુચ્છ કવિ પાસેથી મળે છે. આ પ્રકારનાં પદોમાં નાટ્યાત્મકતા અને ક્યારેક ચતુરાઈ ને વિનોદનો અનુભવ થાય છે. “મોહનજી તમે મોરલા હું વાડી રે” એ પદમાં મોરના ઉપમાનને કવિએ જે વિશિષ્ટ રીતે ખીલવ્યું છે તેમાં કલ્પનાની ચમત્કૃતિ છે. “મંદિર આવજો મારે, મારાં નેણ તપે પંથ તારે” જેવી પ્રાસાદિક અને ભાવની ઉત્કટતાવાળી પંક્તિઓ એમાં છે. “મૂકું ઝગડું ઝાંટુ રે” કે “લલોપત લુખ લખ કરાવે” જેવી પંક્તિઓમાં બોલચાલની તળપદી વાણીના સંસ્કાર છે. ‘હવે’ માટે ‘હાવા’ શબ્દ કવિ વખતોવખત વાપરે છે. ‘રે લોલ’ ને બદલે ‘રે લો’ જેવું ગરબીનું તાનપૂરક કે અન્ય ભાષાપ્રયોગોમાં જૂનાં તત્ત્વો સચવાયેલાં દેખાય છે. કવિનાં વૈરાગ્યબોધનાં પદ ઝાઝાં નથી, પરંતુ વણઝારા અને રેંટિયાના રૂપકથી આકર્ષક રીતે વૈરાગ્યની વાત કરતાં ૨ પદ ધ્યાનાર્હ છે. દયારામ પૂર્વે પ્રેમલક્ષણા ભક્તિનાં કેટલાંક સુંદર પદો રચવાં માટે રાજે નોંધપાત્ર કવિ છે. [શ્ર.ત્રિ.]
પદ(રાજે) : મુસલમાન કવિ રાજેએ ઘણાં પદો રચ્યાં છે, જેમાંથી મોટા ભાગનાં ગુજરાતી અને થોડાંક હિંદી મળી ૧૫૦ જેટલાં પદ અત્યારે મુદ્રિત સ્વરૂપે મળે છે. થાળ, આરતી, ગરબી એમ વિવિધ સ્વરૂપ અને રાગઢાળમાં મળતાં આ પદોનો મુખ્ય વિષય છે કૃષ્ણપ્રીતિ. કૃષ્ણજન્મની વધાઈ, બાળલીલા, દાણલીલા, ગોપી અને રાધાનો કૃષ્ણ પ્રત્યેનો રતિભાવ અને તજજન્ય પરિસ્થિતિઓ પ્રેમલક્ષણા ભક્તિની અન્ય કવિતાની જેમ અહીં પણ કાવ્યનો વિષય બને છે, પરંતુ રચનાવૈવિધ્ય, કેટલીક વિશિષ્ટ કલ્પના અને ભાષાકર્મને લીધે આ પદો જુદાં તરી આવે છે. એક પદમાં એક પાત્ર બોલતું હોય અને બીજા પદમાં બીજું પાત્ર એનો પ્રત્યુત્તર આપતું હોય એ પ્રકારના કૃષ્ણ-રાધા, કૃષ્ણ-ગોપી, ગોપી અને તેની સાસુ, ગોપી અને તેની માતા, ગોપી અને ગોપી વચ્ચેના સંવાદવાળા ઘણા પદગુચ્છ કવિ પાસેથી મળે છે. આ પ્રકારનાં પદોમાં નાટ્યાત્મકતા અને ક્યારેક ચતુરાઈ ને વિનોદનો અનુભવ થાય છે. “મોહનજી તમે મોરલા હું વાડી રે” એ પદમાં મોરના ઉપમાનને કવિએ જે વિશિષ્ટ રીતે ખીલવ્યું છે તેમાં કલ્પનાની ચમત્કૃતિ છે. “મંદિર આવજો મારે, મારાં નેણ તપે પંથ તારે” જેવી પ્રાસાદિક અને ભાવની ઉત્કટતાવાળી પંક્તિઓ એમાં છે. “મૂકું ઝગડું ઝાંટુ રે” કે “લલોપત લુખ લખ કરાવે” જેવી પંક્તિઓમાં બોલચાલની તળપદી વાણીના સંસ્કાર છે. ‘હવે’ માટે ‘હાવા’ શબ્દ કવિ વખતોવખત વાપરે છે. ‘રે લોલ’ ને બદલે ‘રે લો’ જેવું ગરબીનું તાનપૂરક કે અન્ય ભાષાપ્રયોગોમાં જૂનાં તત્ત્વો સચવાયેલાં દેખાય છે. કવિનાં વૈરાગ્યબોધનાં પદ ઝાઝાં નથી, પરંતુ વણઝારા અને રેંટિયાના રૂપકથી આકર્ષક રીતે વૈરાગ્યની વાત કરતાં ૨ પદ ધ્યાનાર્હ છે. દયારામ પૂર્વે પ્રેમલક્ષણા ભક્તિનાં કેટલાંક સુંદર પદો રચવાં માટે રાજે નોંધપાત્ર કવિ છે. [શ્ર.ત્રિ.]
26,604

edits

Navigation menu