ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(20 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|ક| }}
{{Heading|ક| }}


{{Poem2Open}}
<span style="color:#0000ff">'''કક્ક'''</span> [ઈ.૧૬૮૦ સુધીમાં] : ‘યોગીવાણી’ (લે. ઈ.૧૬૮૦)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[પા.માં.]}}
<br>
<span style="color:#0000ff">'''કક્ક(સૂરિ)શિષ્ય - ૧'''</span> [ઈ.૧૫૪૦માં હયાત]: કોરંટગચ્છના જૈન સાધુ. ૧૮૫/૧૯૦ કડીની ‘વિક્રમલીલાવતી-ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૫૪૦/સં. ૧૫૯૬, વૈશાખ સુદ ૧૪, બુધવાર)ના કર્તા.
સંદર્ભ: ૧. જૈગૂકવિઓ:(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[કી.જો.]}}
<br>


<span style="color:#0000ff">'''કક્ક(સૂરિ)શિષ્ય - ૨'''</span> [ઈ.૧૫૭૦ સુધીમાં] : જૈન. ઉપકેશગચ્છના કક્કસૂરિના શિષ્ય. ૩૫૮/૩૬૫ કડીના શીલમહિમાવિષયક ‘કુલધ્વજકુમાર-પ્રબંધ/રાસ/શીલ-પ્રબંધ’ (લે. ઈ.૧૫૭૦)ના કર્તા. આ કવિ કક્કસૂરિશિષ્ય કીર્તિહર્ષ હોવાની સંભાવના કરવામાં આવી છે પણ એ માટે કોઈ સ્પષ્ટ આધાર નથી.
સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨ - ‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ૨. કાપડિયા;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[કી.જો.]}}
<br>
<span style="color:#0000ff">'''કચરાય'''</span> : જુઓ બુધરાજ.
<br>
<span style="color:#0000ff">'''કચરો'''</span> [ઈ.૧૮૧૦માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક. લાકડિયા(કચ્છ)ના શ્રીમાળી. ભંડારી જસરાજના પુત્ર. ૨૫ કડીની ‘અધિકમાસ-ચોપાઈ’ તથા તેના પરના સ્તબક (૨. ઈ.૧૮૧૦)ના કર્તા.
સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[પા.માં.]}}
<br>
<span style="color:#0000ff">'''‘કજોડાનો વેશ’'''</span> : મધ્યકાલીન ગુજરાતી સમાજના એક અનિષ્ટ પર કટાક્ષ કરતો આ ભવાઈવેશ (મુ.) “અસાઈત મુખથી ઓચરે, કજોડો રમતો થયો” એ પંક્તિને કારણે અસાઈત નાયકે રચેલો અથવા ભજવેલો હોવાથી સંભાવના થઈ શકે છે.
આ વેશમાંની કથા નાની વયના ઠાકોર અને મોટી વયનાં ઠકરાણાંના કજોડાની છે, પરંતુ એમાં ગૂંથાતાં ગોરમાના ગરબા જેવાં ગીતોમાં વૃદ્ધ પતિને પનારે પડેલી યુવાન સ્ત્રીની મનોવેદના પણ વ્યક્ત થઈ છે. વેશ ૩ વિભાગોમાં સ્વાભાવિક રીતે વહેંચાઈ જાય છે : ૧. ઠાકોર-રંગલાનો સંવાદ, ૨. ઠકરાણાં આવતાં, એમના મનોભાવોનું ગાન તથા ઠાકોર-ઠકરાણાં-રંગલાનો સંવાદ, ૩. ઠાકોર-ઠકરાણાંનાં ઉપરાણાં તરીકે બન્નેની માતાઓનું આગમન અને એમની વચ્ચેનો ઝઘડો. આ ઝઘડા સાથે વેશ પૂરો થાય છે.
ઠકરાણાંની કેડે બેસતા કે એમને ચુંબન કરવા માટે પેંગડું કે નિસરણી માગતા ઠાકોર પતિનાં બાલિશ ગાંડાઈભર્યાં વર્તનો અને કજોડાની વિશિષ્ટ પરિસ્થિતિમાંથી નીપજતું હાસ્ય અહીં પ્રધાન સ્થાને છે. એ હાસ્ય સ્થૂળ કોટિનું છે, પણ એમાં કેટલાક રસપ્રદ અંશો છે - જેમ કે, “એક ઠકરાણાંનો બાપ ને એક અમારો સસરો; એક ઠકરાણાંનો ભાઈ એ એક અમારો સાળો” એમ ૪ મહેમાનો હોવાની ગણતરી, નગ્ન દશા માટે “જળપોતિયાં કર્યાં” કે “ધોતિયું કાઢીને માથે બાંધ્યું” જેવા ભાષાપ્રયોગો, વગેરે. આનાથી જુદી રીતે, કજોડાનો ભોગ બનેલી સ્ત્રીની કરુણ દશા, પ્રસંગો દ્વારા નહીં પણ ગીતો દ્વારા વર્ણવાયેલી છે. ઠકરાણાં કજોડાંનું ‘વગોણું’ ગાય છે, તે ઉપરાંત આ વેશમાં ઉપર નર્દેશેલો ગોરમાનો ગરબો તથા મામલિયા/સામલિયા-સુત(ભાણજી ?) કૃત, વડનગરની નાગર યુવતીએ કજોડાના દુ:ખે કરેલી મસ્તકપૂજાને વર્ણવતો ગરબો પણ ગાવામાં આવે છે. ઠકરાણાંની અતૃપ્ત પ્રેમભાવનાને વ્યક્ત કરતાં ગીત ‘સનેડા’ તરીકે ઓળખાવાયેલાં છે. એમાં નાના નાવલાને ગોળરોટલી વગેરે ખવડાવી વહેલો મોટો કરવાની તાલાવેલી પણ નિરૂપાયેલી છે, જે પરિસ્થિતિને અનુરૂપ છે.
વેશના જૂના પાઠમાં ઠાકોર રંગલાને પોતાની આપવીતી વર્ણવે છે તેમાં સીધા કથનનો આશ્રય ઘણો લેવાયો છે. ભવાઈની આ એક માન્ય પદ્ધતિ હતી. પછીથી ઠાકોર-રંગલાના સંવાદને ઉઠાવ આપવામાં આવ્યો છે અને એનું વિસ્તરણ પણ થયું છે; તેમાં રજપૂતના ઘરની ઢાંકેલી દરિદ્રતાનું હાસ્યરસિક ચિત્રણ પણ થઈ ગયું છે. વેશના પાઠોમાં વિવિધ દુહા-સાખીઓ પણ ગૂંથાયેલાં જોવા મળે છે. એ સુભાષિતરૂપ છે ને યુવતીના ઓરતા દૃષ્ટાન્તોથી રજૂ કરે છે. એમાં “ઊંચે ટીંબે આંબો મોરિયો, કોને મેલું રખવાળ ? મેલું પાડોશી પાતળો, મારો પરણ્યો નાનેરું બાળ” જેવી માર્મિક પંક્તિઓ ધ્યાન ખેંચે છે. {{Right|[કા.જા.]}}
<br>
<span style="color:#0000ff">'''કડવા/કડુઆ'''</span> [જ. ઈ.૧૪૩૯ - અવ. ઈ.૧૫૦૮] : કડવાગચ્છના મૂલપુરુષ. નાડુલાઈના વીસા નગર. પિતા મહેતા ક્હાનજી. માતા કનકાદે. વૈષ્ણવધર્મી કુટુંબમાં જન્મેલા કડવાને બાળપણથી જૈન ધર્મનો રંગ લાગ્યો હતો અને ઈ.૧૪૫૮માં અમદાવાદ આવી ત્યાંના રૂપપુરમાં આગમગચ્છના પંન્યાસ હરિકીર્તિ આદિનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. પંન્યાસ હરિકીર્તિ પાસે વિવિધ શાસ્ત્રોનું અધ્યયન કરી, એમના ઉપદેશથી વર્તમાનકાળે ખરા સાધુઓ છે અહીં એવી સમજણ સાથે સંવરી - ભાવસાધુપણે રહેવાનું શરૂ કર્યું અને પછીથી શિષ્યો પણ બનાવ્યા. ઈ.૧૪૬૮થી ઈ.૧૫૦૮ સુધી એમણે સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ અને છેક આગ્રા સુધી વિહાર કરી ઘણા લોકોને શ્રાવકો બનાવ્યા તે દરમ્યાન ઈ.૧૫૦૬માં કડવામતની સ્થાપના કરી. પાટણમાં અનશનપૂર્વક શાહ કલ્યાણે ઈ.૧૬૨૯માં રચેલી ‘કડુઆમત-પટ્ટાવલી’માં ઉલ્લેખાયા મુજબ એમની રચનાઓ ઈ.૧૪૫૮ પહેલાંથી ઈ.૧૫૦૭ સુધીની મળે છે, જેમાં ‘વીર-સ્તવન’ (૨.ઈ.૧૪૮૬), ‘વિમલગિરિ-સ્તવન’ (૨. ઈ.૧૪૮૯), ‘લુંપક્ચચ્ચરી-પૂજાસંવરરૂપસ્થાપના’ (૨.ઈ.૧૪૯૧), ‘પાર્શ્વ-સ્તવન’ (૨. ઈ.૧૪૯૨) ઉપરાંત ‘સાધુવંદના’, ‘શીલપાલનના એકસો ચાર બોલ’, ‘એક્સો તેર બોલ સ્ત્રી-શીલપાલનના’ તથા અન્ય કેટલાંક બોલ, પદો, સ્તવનો અને ગીતો તેમ જ ‘હરિહરાદિક પદ’ જેવી હિંદી રચનાઓનો પણ સમાવેશ થાય છે. ઉક્ત પટ્ટાવલીમાં કડવાએ ૬૦૦૦ જેટલી કૃતિઓ પાટણમાં રહીને રચી હોવાનો નિર્દેશ મળે છે.
હરિહર વિશેનાં પદો એમની બાળપણની રચનાઓ હોવાનું પણ નોંધાયું છે.
ઉપર્યુક્ત પટ્ટાવલીથી અતિરિક્ત, ‘જૈન ગૂર્જર કવિઓ’ ‘કડુઉ’ નામછાપ ધરાવતા, દુહા-ચોપાઈમાં રચાયેલ ‘લીલાવતીસુમતિવિલાસ-રાસ’ (લે. ઈ.૧૬૫૨)ને પ્રસ્તુત કર્તાની કૃતિ ગણાવે છે.
સંદર્ભ : ૧. કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯; ૨. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૩. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩ - ‘કડુઆમત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
<span style="color:#0000ff">'''કતીબશા (બાદશાહ)'''</span> [ઈ.૧૪૫૦ આસપાસ] : પૂરું નામ કુતુબુદ્દીન હોવાની સંભાવના. અજમેરમાં કતીબશાનું નામ ‘બડાપીરકા તકિયા’ નામથી જાણીતું હતું. રામદેવ-પીરના ભક્તો મારફતે એમને પરચો મળેલો અને હૃદયપરિવર્તન થયેલું એવી કથા મળે છે. રૂપાદે-માલદે, જેસલ-તોરલ, નવનાથ, રામદેવ-પીર સાથે જ ભજનસૃષ્ટિમાં એમનું સ્થાન છે. રાણા માલદેને સંબોધીને રચેલું ૧ ભજન (મુ.) તેમના નામે મળે છે.
કૃતિ : આપણી લોકસંસ્કૃતિ, સં. જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.).
સંદર્ભ : રામદેવ રામાયણ, કેશવલાલ સાયલાકર, ઈ.૧૯૮૦. {{Right|[નિ.વો.]}}
<br>
<span style="color:#0000ff">'''કનક'''</span> : આ નામે ૭૫ કડીની ‘વલ્કલચીરીરાજકુમાર-વેલી’ (લે.સં. ૧૭મી સદી અનુ.) મળે છે પણ તે કયા કનકની છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
સંદર્ભ : ૧ જૈમગૂકરચનાએં : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનક-૧'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૬મી સદી આરંભ] : ખતરગચ્છના જૈન સાધુ. ક્ષેમરાજ-ઉપાધ્યાયના શિષ્ય. ક્ષેમરાજ-ઉપાધ્યાય (દીક્ષા ઈ.૧૪૫૦, ઈ.૧૫૧૩ સુધી હયાત) વિશેના તેમની હયાતીમાં રચાયેલા ૪ કડીના ગીત (મુ.)ના કર્તા. તેમનું પૂરું નામ ‘કનકતિલક’ હોવાની સંભાવના કરવામાં આવી છે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનક-૨'''</span> [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન-માણિક્યસૂરિના શિષ્ય. જિનમાણિક્યસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૨૬-ઈ.૧૫૫૬)માં રચાયેલ ૫૦ કડીના ‘મેઘકુમારનું ચોઢાળિયું/મેઘકુમારનો ટૂંકો રાસ’ના કર્તા. આ કવિ જિનમાણિક્યના આજ્ઞાનુવર્તી અને ઈ.૧૫૫૦માં હયાત કનકતિલક ઉપાધ્યાય હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકકીર્તિ'''</span> : આ નામે ૧૩ કડીની ‘ઝૂંબખડું’, ૩ કડીની ‘વીર-સ્તવન’, ૧૩ કડીની ‘નેમિ-ફાગુ’ તથા હિંદીમાં ૫ કડીની ‘ભરતચક્રવર્તીની સઝાય’ (મુ.)ને ૧૨ કડીની ‘જિન-વિનતી’ એ કૃતિઓ નોંધાયેલી જોવા મળે છે. એ કયા કનકકીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
વાચક કનકકીર્તિને નામે ધર્મનાં વિભિન્ન તત્ત્વોનું રૂપકશૈલીએ વર્ણન કરતી ૧૩ કડીની ‘ધર્મધમાલ-ફાગ’ (લે. સં. ૧૭મી
સદી અનુ.) નામે કૃતિ મળે છે તે કનકકીર્તિ-૧ની હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૧.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૮૩ - ‘બે ફાગ’, રમણલાલા ચી. શાહ;  ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકકીર્તિ(વાચક)-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિચંદ્રસૂરિની પરંપરામાં જયમંદિરના શિષ્ય. ૧૩ ઢાળની ‘નેમિનાથ-રાસ’ (૨. ઈ.૧૬૩૬/સં. ૧૬૯૨, મહા સુદ ૫), ૩૯ ઢાળની ‘દ્રૌપદી-ચોપાઈ/રાસ’ (ર.ઈ. ૧૬૩૭/સં. ૧૬૯૩, વૈશાખ સુદ ૧૩), ૨ કડીની ‘દાદાજી-પદ’ના કર્તા. તેમણે સંસ્કૃતમાં ‘મેઘદૂત’ પર ટીકા પણ રચી છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી. {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકકુશલ'''</span> : ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ તથા ૯ કડીની ‘હરિયાલી-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા કયા કનકકુશળ છે તે સ્પષ્ટ થઈ શકતું નથી.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકતિલક'''</span> : જુઓ કનક-૧ અને ૨.
<br>
<span style="color:#0000ff">'''કનકધર્મ'''</span> [ઈ.૧૭૭૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ૧૬ કડીના ‘જિનલાભસૂરિ-પટ્ટધર-જિનચંદસૂરિ-ગીત’ (૨. ઈ.૧૭૭૮/સં. ૧૮૩૪, વૈશાખ-; મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકનિધાન'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં ચારુદત્તના શિષ્ય. આપકમાઈ અર્થે પરદેશ ગયેલો અને ધુતારાઓના હાથમાં ફસાયેલો રત્નચૂડ, વારાંગનાની મદદથી એમાંથી કેવી રીતે પાર ઊતરે છે તેનું કથાનક, કેટલીક દૃષ્ટાંતકથાઓ સાથે વર્ણવતી રચના ‘રત્નચૂડ-ચોપાઈ/રત્નચૂડ-વ્યવહારી-રાસ’ (૨. ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, શ્રાવણ વદ ૧૦, શુક્રવાર; મુ.)ના કર્તા. જિનરત્નસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૪૩-ઈ.૧૬૫૫)માં રચાયેલા તેમને વિશેના ૬ કડીના ગીત (મુ.) તથા ૮ કડીની ‘નિદ્રડીની સઝાય’ (મુ.)ના કર્તા પણ આ જ કવિ સંભવે છે.
કૃતિ : ૧. રત્નચૂડ વ્યવહારીનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૭;  ૨. ચૈસ્તસંગ્રહ : ૩;  ૩. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨ - ‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’ સં. કાંતિસાગરજી.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકપ્રભ'''</span> [ઈ.૧૬૦૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં કનકસોમના શિષ્ય. ૮૭ કડીના ‘દશાવિધયતિધર્મ-ગીત’ (૨. ઈ.૧૬૦૮/સં. ૧૬૬૪, અસાડ સુદ શુભ દિવસ)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકમૂર્તિ'''</span> [ ] : જેન સાધુ. ૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [વ.દ.]
કનકરત્ન-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : ૬ કડીની ‘નેમિ-ગીત’ (લે. ઈ.૧૫૧૮)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકરત્ન-૨'''</span> [ઈ.૧૭૧૧ સુધીમાં] : જૈન સાધુ. પંડિત હેમરત્નના શિષ્ય. પૂર્ણમાગચ્છના જ્ઞાનતિલક-પદ્મરાજશિષ્ય હેમરત્નના શિષ્ય હોવાની શક્યતા. તો સમય ૧૬મી સદી ઉત્તરાર્ધ કે ૧૭મી સદીનો પ્રારંભ ગણાય. એમણે રચેલાં ઋષભદેવ વિશેનાં કેટલાંક સ્તવન અને ગીત (લે. ઈ.૧૭૧૧) નોંધાયેલાં મળે છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકરત્ન-૩'''</span> [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છની રત્નશાખાના જૈન સાધુ. દાનરત્નસૂરિ (ઈ.૧૭૫૧માં હયાત)ના રાજ્યકાળમાં તથા હંસરત્ન(અવ. ઈ.૧૭૪૨)ની હયાતીમાં રચાયેલા પઘડી છંદની ૨૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ’ (સંભવત: ૨.ઈ.૧૭૩૨/સં. ૧૭૮૮ - “સંવત શશિ નાગ મહિદૃગ આશા”, પોષ સુદ ૫, રવિવાર; મુ.)ના કર્તા.
કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦ (+સં.). {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકવિજય'''</span> : આ નામે કેટલીક કૃતિઓ જેમ કે ૭ કડીનું ‘(મંડોવર) પાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૬૫૨), ૯ કડીનું ‘મહાવીર-સ્તવન’ (લે.ઈ.૧૮૩૩), ૫ કડીનું ‘આદીશ્વરજિન-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ‘ગુરુ-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ‘ચોવીસજિન-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.) ૨ કડીનું ‘મહાવીર જિન-ગીત’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૧૩૭ કડીની ‘(ગુરુ) પરિપાટી વર્ણન-સઝાય/પટ્ટધરગુણવર્ણન-સઝાય (લે.ઈ. ૧૭૩૩) નોંધાયેલ મળે છે તે કયા કનકવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પણ ‘(મંડોવર) પાર્શ્વનાથ-સ્ત્વન’ના કર્તા સમયદૃષ્ટિએ જોતાં કનકવિજય-૨ હોવાની શક્યતા છે અને ‘ગુરુ-સઝાય’ તે કદાચ કનકવિજય-૧કૃત ‘હીરવિજયસૂરિ-સઝાય’ જ હોય.
સંદર્ભ : ૧. મુપુગુહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકવિજય-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિના શિષ્ય. હીરવિજયસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬)માં તેમણે રચેલી ૧૧ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’ (મુ.)માં હીરવિજયસૂરિને કલ્પવૃક્ષ તરીકે કલ્પી એક સાંગ રૂપક નિપજાવવામાં આવ્યું છે અને તે દ્વારા તેમનો મહિમા પ્રગટ કરવામાં આવ્યો છે.
કૃતિ : ઐસમાલા : ૧ (+સં.). {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકવિજય(ગણિ)-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં લાભવિજય-વૃદ્ધિવિજયના શિષ્ય. ‘રત્નાકરપંચવિંશતિ-સ્તવ-ભાવાર્થ’ (લે. ઈ.૧૬૭૬, સ્વલિખિત) તથા વિજાપુર સંધે વિજયપ્રભસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)ને કરેલી વિજ્ઞપ્તિકાના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકવિજય-૩'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયરત્નસૂરિની પરંપરામાં વૃદ્ધિવિજયના શિષ્ય. વિજયક્ષમાસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૧૭-ઈ.૧૭૨૯) વિશેની ૯ કડીની સઝાયના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[વ.દ.]}}
<br>


<span style="color:#0000ff">'''કનકવિજય-૪'''</span> [ ] : જૈન સાધુ. કાનજીશિષ્ય. ૯ કડીના ‘સંપ્રતિરાજાનું સ્તવન/સંપ્રતિરાજ-સઝાય’ (મુ.) તથા ૫ કડીના ‘(મંડોવરા) પાર્શ્વનાથજિન-સ્તવન’ (મુ.)ના કર્તા.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કક્ક | કક્ક ]]
કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. સસન્મિત્ર.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કક્ક_સૂરિ-શિષ્ય-૧ | કક્ક(સૂરિ)શિષ્ય - ૧ ]]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[વ.દ.]}}
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કક્ક_સૂરિ-શિષ્ય-૨ | કક્ક(સૂરિ)શિષ્ય - ૨ ]]
<br>
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કચરાય | કચરાય ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કચરો | કચરો ]]
<span style="color:#0000ff">'''કનકવિજયશિષ્ય'''</span> [   ] : જૈન. ૧૬ કડીની ‘એકાદશમતનિરૂપણ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૮ કડીની ‘(ભટેવા)પાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૧ કડીની ‘(શંખેશ્વર)પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કજોડાનો વેશ’ | ‘કજોડાનો વેશ’ ]]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કડવા-કડુઆ | કડવા/કડુઆ ]]
<br>
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કતીબશા_બાદશાહ | કતીબશા (બાદશાહ) ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનક | કનક ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનક-૧ | કનક-૧ ]]
<span style="color:#0000ff">'''કનકવિલાસ'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. ગુણવિનય-ઉપાધ્યાયની પરંપરામાં કનકકુમારના શિષ્ય. ‘પ્રદેશી-સંધિ’ (૨.ઈ.૧૬૬૯) તથા ૪૬ ઢાળની ‘દેવરાજ-વત્સરાજ-ચોપાઈ’ (૨.ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, વૈશાખ-)ના કર્તા.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનક-૨ | કનક-૨ ]]
સંદર્ભ : ૧. પ્રકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૨. {{Right|[વ.દ.]}}
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકકીર્તિ | કનકકીર્તિ ]]
<br>
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકકીર્તિ_વાચક-૧ | કનકકીર્તિ(વાચક)-૧ ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકકુશલ | કનકકુશલ ]]
<span style="color:#0000ff">'''કનકસિંહ(ગણિ)'''</span> [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં શિવનિધાનના શિષ્ય. જિનરત્નસૂરિની પ્રશસ્તિ કરતા, તેમના આચાર્યકાળ (ઈ.૧૬૪૩-ઈ.૧૬૫૫)માં રચાયેલા, ૭ કડીના ‘જિનરત્નસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકતિલક | કનકતિલક ]
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકસુંદર-૧'''</span> [ઈ.૧૬૪૧માં હયાત] : ભાવડગચ્છના જૈન સાધુ. એમના ‘હરિશ્ચંદ્રતારાલોચનીચરિત્ર-રાસ’માં છેલ્લા પાંચમા ખંડને અંતે કવિ પોતાને ભાવડગચ્છના સાધુજીના શિષ્ય ઉપાધ્યાય મહેશજીના શિષ્ય ગણાવે છે, જ્યારે બીજા ખંડને અંતે ભાવડગચ્છાધિપતિ ગુરુ મણિરત્ન તથા “આશીત લબ્ધિ અનંત ઉવઝાય” એવી પંક્તિમાં નિર્દિષ્ટ કોઈક પરંપરા ઉલ્લેખાયેલી મળે છે. ૫ ખંડ, ૩૯ ઢાળ અને ૭૮૧ કડીની દુહા-દેશીબદ્ધ ‘હરિશ્ચન્દ્રતારાલોચની ચરિત્ર-રાસ /ચોપાઈ/મોહનવેલી-ચોપાઈ’ (૨. ઈ.૧૬૪૧/સં. ૧૬૯૭, શ્રાવણ સુદ ૫; મુ.) મૂળ કથાનકને જૈન કર્મસિદ્ધાંતને અનુરૂપ ફેરફારો સાથે રજૂ કરતી, મનોભાવનિરૂપણ ને અલંકારનિયોજનની ક્ષમતા પ્રગટ કરતી સુગેય પ્રાસાદિક કૃતિ છે.
કૃતિ : ૧. હરિશ્ચંદ્ર રાજાનો રાસ, પ્ર. ભીમશી માણેક, સં. ૧૯૫૩; ૨. એજન, પ્ર. સવાઈભાઈ રાયચંદ,-.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકસુંદર (ઉપાધ્યાય)-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં વિદ્યારત્નના શિષ્ય. એમના ૪ ખંડ અને ૭૩૨ કડીના ‘કર્પૂરમંજરી-રાસ’  (૨. ઈ.૧૬૦૬)માં કર્પૂરમંજરીના માત્ર નખ જોઈને સલાટે બનાવેલી આબેહૂબ પૂતળીથી મોહ પામેલા મોહસારને એનો ભાઈ ગુણસાર કર્પૂરમંજરીને મેળવી આપે છે તેની કથા આલેખાઈ છે. દુહા, દેશી અને ચોપાઈનું ૪૮૬ કડીનું ‘સગાળશા-આખ્યાન’ (૨. ઈ.૧૬૧૧/સં. ૧૬૬૭, વૈશાખ વદ ૧૨; મુ.) પુરોગામી કવિ વાસુની કૃતિનો આધાર લઈ રચાયેલ છે અને બે-એક દૃષ્ટાન્તકથાઓ, સંસ્કૃત-પ્રાકૃત ગાથાઓની ગૂંથણી તેમ જ કેટલીક વર્ણનરેખા વડે એનું વિસ્તરણ સાધે છે. આ કવિની, આ ઉપરાંત, ૯૯૩ કડીનો ‘રૂપસેન-રાસ’ (૨. ઈ.૧૬૧૭), મારવાડી ભાષાની મૂળ કૃતિને સુધારીને રચવામાં આવેલો ‘દેવદત્ત-રાસ’, ૭૭ કડીની ‘જિનપાલિત-સઝાય’, ૪ ખંડનો ‘ગુણધર્મકનકવતી-પ્રબંધ’, ‘દશવૈકાલિક-સૂત્ર’ પર ૧૫૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ર.ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, પોષ સુદ ૮, રવિવાર) તથા મૂળ પ્રાકૃત ‘જ્ઞાતાધર્મ-સૂત્ર’ પર ૧૩૯૧૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ - એ કૃતિઓ મળે છે.
કૃતિ : સગાળશા-આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (+સં.).
સંદર્ભ : ૧. મતિસારકૃત ‘કર્પૂરમંજરી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧; ૨. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ૩. જૈગૂકવિઓ:૧, ૩(૧,૨); ૪. ડિકૅટલૉગભાઈ:૧૭(૩). {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકસુંદર-૩'''</span> [ઈ.૧૭૧૧માં હયાત] : જૈન સાધુ. ‘રત્નપાલ-ચોપાઈ’ - (ર.ઈ.૧૭૧૧)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચી:૧. {{Right|[વ.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''કનકસોમ(વાચક)'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં અમરમાણિક્યના શિષ્ય. રાજકન્યા ત્રૈલોકસુંદરી સાથેના લગ્નમાં કોઢિયા પ્રધાનપુત્રને સ્થાને જેને બેસવું પડ્યું તે મંગલકલશને પછીથી રાજકન્યા કઈ રીતે શોધી કાઢે છે તેની કથા રજૂ કરતી દુહા, ચોપાઈ અને દેશીની ૧૬૬ કડીની ‘મંગલકલશ-ચોપાઈ/ફાગ’ (ર.ઈ.૧૫૯૩/સં. ૧૬૪૯, માગશર સુદ-; મુ.), પર કડીની ‘જિનપાલિત-જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૫૭૬/સં. ૧૬૩૨, ભાદરવા-), ૪ ઢાળ અને આશરે ૬૦ કડીની ‘આષાઢાભૂતિ-ચરિત્ર/ધમાલ/રાસ/સઝાય’ (ર.ઈ.૧૫૮૨/સં. ૧૬૩૮, આસોસુદ ૧૦), ૧૧૭ કડીની ‘હરિકેશી-સંધિ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, કારતક સુદ-), ૪૮ કડીની ‘આર્દ્રકુમાર-ચોપાઈ/ધમાલ’ (ર.ઈ.૧૫૮૮/સં. ૧૬૪૪, પ્રથમ શ્રાવણ-) ૧૨૨ કડીની ‘થાવચ્ચાશુકસેલગ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૯) તથા ‘હરિબલ-સંધિ’ એ આ કવિની પ્રમાણમાં ટૂંકી એવી કથાત્મક કૃતિઓ છે. ઈ.૧૫૬૯માં આગ્રામાં અકબરની સભામાં પૌષધની ચર્ચામાં કવિના ગુરુબંધુ સાધુકીર્તિએ તપગચ્છના મુનિઓને નિરુત્તર કર્યા તે પ્રસંગને વર્ણવતી, લગભગ એ અરસામાં રચાયેલી જણાતી ૪૯ કડીની ‘જઈતપદ-વેલી’ (મુ.), ક્યારેક ‘શ્રીપૂજ્યભાસ’ને નામે ઓળખાવાયેલી ગચ્છનાયક જિનચંદ્રસૂરિ વિશેની ૧૧ અને ૫ કડીની ૨ ગીતરચનાઓ (બંનેની ર.ઈ.૧૫૭૨; પહેલી મુ.) તથા નગરકોટના આદીશ્વરની કવિએ કરેલી યાત્રાને ગૂંથી લેતું ૧૩ કડીનું સ્તોત્ર (ર.ઈ
26,604

edits

Navigation menu