ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,074: Line 1,074:
<br>
<br>
<span style="color:#0000ff">'''‘કૃષ્ણચરિત્ર’'''</span> [૨.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, માધવ માસ સુદ ૧૩, રવિવાર] : ગરબડદાસના પુત્ર ગિરધરદાસકૃત ૨૧૨ અધ્યાય અને ૯૫૦૦ કડીની આ કૃતિ(મુ.)ને કવિએ ૯૫૦૦ ચોપાઈની કહી છે પરંતુ તેમાં ચોપાઈ ઉપરાંત દુહા, સોરઠા, ભુજંગી, હરિગીત અને અન્ય દેશીબંધોનો વિનિયોગ થયો છે. અધ્યાય તે, કેટલીક વાર મુખબંધ વિનાનાં, કડવાં જ છે. કૃતિ ગોકુળલીલા, મથુરાલીલા અને દ્વારિકાલીલા એમ ૩ ખંડમાં સમગ્ર કૃષ્ણચરિત્રનું નિરૂપણ કરે છે. એમાં ભાગવત, હરિવંશ, પદ્મપુરાણ, મહાભારત, ગર્ગસંહિતા તથા નારદપુરાણનો, ક્વચિત્ ફેરફાર સાથે, આધાર લેવામાં આવ્યો છે અને તેને કારણે ધ્યાન ખેંચે તેવું પ્રસંગોનું વૈવિધ્ય આવ્યું છે.  
<span style="color:#0000ff">'''‘કૃષ્ણચરિત્ર’'''</span> [૨.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, માધવ માસ સુદ ૧૩, રવિવાર] : ગરબડદાસના પુત્ર ગિરધરદાસકૃત ૨૧૨ અધ્યાય અને ૯૫૦૦ કડીની આ કૃતિ(મુ.)ને કવિએ ૯૫૦૦ ચોપાઈની કહી છે પરંતુ તેમાં ચોપાઈ ઉપરાંત દુહા, સોરઠા, ભુજંગી, હરિગીત અને અન્ય દેશીબંધોનો વિનિયોગ થયો છે. અધ્યાય તે, કેટલીક વાર મુખબંધ વિનાનાં, કડવાં જ છે. કૃતિ ગોકુળલીલા, મથુરાલીલા અને દ્વારિકાલીલા એમ ૩ ખંડમાં સમગ્ર કૃષ્ણચરિત્રનું નિરૂપણ કરે છે. એમાં ભાગવત, હરિવંશ, પદ્મપુરાણ, મહાભારત, ગર્ગસંહિતા તથા નારદપુરાણનો, ક્વચિત્ ફેરફાર સાથે, આધાર લેવામાં આવ્યો છે અને તેને કારણે ધ્યાન ખેંચે તેવું પ્રસંગોનું વૈવિધ્ય આવ્યું છે.  
કથાપ્રસંગોના આધ્યાત્મિક અર્થઘટનમાં વિશેષતા જણાય છે. કૃષ્ણ-જસોદા જેવાં કેટલાંક પાત્રોને આધ્યાત્મરૂપકમાં ઘટાવ્યાં છે ને કૃષ્ણ વલોણું તાણે છે તે પ્રસંગમાં સમુદ્રમંથનનો પ્રસંગ વણી લીધો છે. વર્ષા અને શરદવર્ણન જેવાં પ્રકૃતિવર્ણનોમાં પણ કવિએ આધ્યાત્મક્ષેત્રનાં ઉપમાનો યોજ્યાં છે. બીજી બાજુથી મધ્યકાલીન કાવ્યપરંપરામાં જોવા મળતું દૈવી પાત્રોનું માનવીકરણ તથા સામાજિક વહેમોનું નિરૂપણ પણ અહીં જોવા મળે છે.  
કથાપ્રસંગોના આધ્યાત્મિક અર્થઘટનમાં વિશેષતા જણાય છે. કૃષ્ણ-જસોદા જેવાં કેટલાંક પાત્રોને આધ્યાત્મરૂપકમાં ઘટાવ્યાં છે ને કૃષ્ણ વલોણું તાણે છે તે પ્રસંગમાં સમુદ્રમંથનનો પ્રસંગ વણી લીધો છે. વર્ષા અને શરદવર્ણન જેવાં પ્રકૃતિવર્ણનોમાં પણ કવિએ આધ્યાત્મક્ષેત્રનાં ઉપમાનો યોજ્યાં છે. બીજી બાજુથી મધ્યકાલીન કાવ્યપરંપરામાં જોવા મળતું દૈવી પાત્રોનું માનવીકરણ તથા સામાજિક વહેમોનું નિરૂપણ પણ અહીં જોવા મળે છે.  
26,604

edits

Navigation menu