પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 39: Line 39:
<center>'''તીર્થમય પ્રદેશ'''</center>
<center>'''તીર્થમય પ્રદેશ'''</center>
આ પ્રાચીન અને પુણ્યપ્રદેશના વિસ્તીર્ણ ક્ષેત્રમાં અવતારી દિવ્ય પુરુષ શ્રીકૃષ્ણના નિવાસથી પવિત્ર ને પ્રખ્યાત થયેલી, સપ્તમોક્ષદાયિકા નગરીમાંની એક શ્રીમતી દ્વારામતી, મહેશ્વરના જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી વિરાજિત પ્રભાસ નગરી, ને તેની સમીપનું ત્રિવેણીસંગમનું તીર્થ ભારતવર્ષનાં ભિન્ન ભિન્ન સ્થળેથી હજારો યાત્રાળુઓને પ્રતિવર્ષ આકર્ષે છે ને પાવન કરે છે. એ જ પવિત્ર પ્રદેશમાં શ્રીકૃષ્ણે પોતાના જે સહાધ્યાયીને, દ્રોણને દ્રુપદે તિરસ્કાર્યા ને વૈરભાવનું બીજ રોપ્યું તેમ, લઘુતા ન દર્શાવતાં વિલક્ષણ રીતે સન્માની દારિદ્રાવસ્થામાંથી હમેશને માટે વિમુક્ત કર્યા અને પરિણામે જેમના મુખમાંથી સાશ્ચર્ય ઉદ્ગાર નીકળ્યો કે{{Poem2Close}}
આ પ્રાચીન અને પુણ્યપ્રદેશના વિસ્તીર્ણ ક્ષેત્રમાં અવતારી દિવ્ય પુરુષ શ્રીકૃષ્ણના નિવાસથી પવિત્ર ને પ્રખ્યાત થયેલી, સપ્તમોક્ષદાયિકા નગરીમાંની એક શ્રીમતી દ્વારામતી, મહેશ્વરના જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી વિરાજિત પ્રભાસ નગરી, ને તેની સમીપનું ત્રિવેણીસંગમનું તીર્થ ભારતવર્ષનાં ભિન્ન ભિન્ન સ્થળેથી હજારો યાત્રાળુઓને પ્રતિવર્ષ આકર્ષે છે ને પાવન કરે છે. એ જ પવિત્ર પ્રદેશમાં શ્રીકૃષ્ણે પોતાના જે સહાધ્યાયીને, દ્રોણને દ્રુપદે તિરસ્કાર્યા ને વૈરભાવનું બીજ રોપ્યું તેમ, લઘુતા ન દર્શાવતાં વિલક્ષણ રીતે સન્માની દારિદ્રાવસ્થામાંથી હમેશને માટે વિમુક્ત કર્યા અને પરિણામે જેમના મુખમાંથી સાશ્ચર્ય ઉદ્ગાર નીકળ્યો કે{{Poem2Close}}
<Poem>'''‘ક્યાં ગઈ મારી તૂટી ઝુંપડીઆં, કાંચન મહેલ બને રે’'''</Poem>
<Poem>'''‘ક્યાં ગઈ મારી તૂટી ઝુંપડીઆં, કાંચન મહેલ બને રે’'''</Poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
એ ભક્તરાજ, સ્વાભિમાની, ને યાચનાને અવગણનાર સુદામાની સુદામાપુરી – હાલનું પોરબંદર – મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન – વિરાજમાન છે. જેમણે પોતાની દૃઢ શ્રદ્ધા ને ભક્તિના અનુપમ બળ ને પ્રભાવથી અશ્રદ્ધાળુ ને ટીખળી નાગરોને અનેક ચમત્કારો દર્શાવી ચકિત કર્યા હતા અને જેઓ ગુજરાતી ભાષાના જૈનેતર કવિઓમાં અગ્રિમ ને પ્રતિષ્ઠિત સ્થાન ભોગવે છે તે આદિ કવિ ભક્તરાજ નરસિંહ મહેતાનું જન્મસ્થાન, ભક્તોના અને વેદાન્તીઓના પદપંકજથી પવિત્ર થયલું, પ્રાચીન ને પુણ્યશાળી જૂનાગઢ એ જ વિસ્તીર્ણ સુરાષ્ટ્રપ્રદેશમાં આવેલું છે. એ જીર્ણનગરમાં પવિત્ર શીલની વેદિ પર આત્મદેહને હોમનારાં રાણકદેવી જેવાં સ્ત્રીરત્નો પેદા થયાં છે. એ જ નગરની પાસે શ્રીમન્માઘકવિએ ‘શિશુપાલવધ’ના ચોથા સર્ગમાં ભિન્ન ભિન્ન વૃત્તોમાં જેનું અલૌલિક સૌન્દર્ય વર્ણવ્યું છે એવો રૈવતક ગિરિ — ‘મહાભારત’માં જેનું ઉજ્જયન્ત નામ આપ્યું છે તે – ગિરનાર પર્વત આવેલો છે. એ પર્વતની રમ્યતા જોઈ દ્વારકાથી ઈન્દ્રપ્રસ્થ જતાં શ્રી. કૃષ્ણ વારંવાર અપૂર્વવત્ વિસ્મય પામ્યા હતા એમ વર્ણવી માઘકવિએ રમ્યતાનું લક્ષણ આપ્યું છે કે જે ક્ષણે ક્ષણે નવીન લાગે તે જ ખરું રમ્ય છે. એ પવિત્ર ગિરિ અનેક તીર્થોથી અને ઐતિહાસિક શિલાલેખોથી ભરેલો છે. આવા રમ્ય ને પુણ્યપ્રદેશમાં સાંપ્રત સમયમાં પણ શતાવધાની શીઘ્ર કવિવર, આચાર્યવર્ય શ્રીમાન ગટ્ટુલાલજી તથા શીઘ્ર કવિ શાસ્ત્રીજી શંકરલાલ તથા કવિથી કેશવરાય હરિરાય, વગેરે અનેક નરરત્નો ઉદ્ભવ પામ્યાં છે. આ પવિત્ર પ્રદેશનું ભવ્યનગર ભાવનગર માત્ર અખિલ કાઠિયાવાડને જ નહિ પરંતુ આખા મુંબઈ ઈલાકાને અલૌકિક બુદ્ધિપ્રભાવ ને ઉચ્ચતમ રાજકીય નાગરિકત્વ ને મુત્સદ્દીપણાથી શોભાવનાર સ્વર્ગસ્થ ગૌરીશંકરભાઈએ પોતાના જન્મથી અલંકૃત કર્યું હતું. એમના તેજસ્વી રાજતન્ત્રે ભાવનગરના ઉત્તરોત્તર ઉત્કર્ષનાં બીજ રોપ્યાં છે, જે કાલક્રમે શાખાપ્રશાખારૂપે સર્વત્ર પ્રસાર પામી રહ્યાં છે. એવા પ્રદેશમાં આપણે ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે ભેગા થયા છીએ. બંધુઓ, પવિત્ર સ્થાનનું માહાત્મ્ય અલૌકિક છે. તેની તાત્કાલિક અસર જાદુઈ છે. પવિત્ર સ્થાનના ચમત્કારથી ગમે તેવો અશ્રદ્ધાળુ પુરુષ પણ ક્ષણ વાર પવિત્ર બને છે. બ્રહ્મગિરિના વર્ણનમાં કવિશ્રી નર્મદે ખરું કહ્યું છે કે{{Poem2Close}}
એ ભક્તરાજ, સ્વાભિમાની, ને યાચનાને અવગણનાર સુદામાની સુદામાપુરી – હાલનું પોરબંદર – મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન – વિરાજમાન છે. જેમણે પોતાની દૃઢ શ્રદ્ધા ને ભક્તિના અનુપમ બળ ને પ્રભાવથી અશ્રદ્ધાળુ ને ટીખળી નાગરોને અનેક ચમત્કારો દર્શાવી ચકિત કર્યા હતા અને જેઓ ગુજરાતી ભાષાના જૈનેતર કવિઓમાં અગ્રિમ ને પ્રતિષ્ઠિત સ્થાન ભોગવે છે તે આદિ કવિ ભક્તરાજ નરસિંહ મહેતાનું જન્મસ્થાન, ભક્તોના અને વેદાન્તીઓના પદપંકજથી પવિત્ર થયલું, પ્રાચીન ને પુણ્યશાળી જૂનાગઢ એ જ વિસ્તીર્ણ સુરાષ્ટ્રપ્રદેશમાં આવેલું છે. એ જીર્ણનગરમાં પવિત્ર શીલની વેદિ પર આત્મદેહને હોમનારાં રાણકદેવી જેવાં સ્ત્રીરત્નો પેદા થયાં છે. એ જ નગરની પાસે શ્રીમન્માઘકવિએ ‘શિશુપાલવધ’ના ચોથા સર્ગમાં ભિન્ન ભિન્ન વૃત્તોમાં જેનું અલૌલિક સૌન્દર્ય વર્ણવ્યું છે એવો રૈવતક ગિરિ — ‘મહાભારત’માં જેનું ઉજ્જયન્ત નામ આપ્યું છે તે – ગિરનાર પર્વત આવેલો છે. એ પર્વતની રમ્યતા જોઈ દ્વારકાથી ઈન્દ્રપ્રસ્થ જતાં શ્રી. કૃષ્ણ વારંવાર અપૂર્વવત્ વિસ્મય પામ્યા હતા એમ વર્ણવી માઘકવિએ રમ્યતાનું લક્ષણ આપ્યું છે કે જે ક્ષણે ક્ષણે નવીન લાગે તે જ ખરું રમ્ય છે. એ પવિત્ર ગિરિ અનેક તીર્થોથી અને ઐતિહાસિક શિલાલેખોથી ભરેલો છે. આવા રમ્ય ને પુણ્યપ્રદેશમાં સાંપ્રત સમયમાં પણ શતાવધાની શીઘ્ર કવિવર, આચાર્યવર્ય શ્રીમાન ગટ્ટુલાલજી તથા શીઘ્ર કવિ શાસ્ત્રીજી શંકરલાલ તથા કવિથી કેશવરાય હરિરાય, વગેરે અનેક નરરત્નો ઉદ્ભવ પામ્યાં છે. આ પવિત્ર પ્રદેશનું ભવ્યનગર ભાવનગર માત્ર અખિલ કાઠિયાવાડને જ નહિ પરંતુ આખા મુંબઈ ઈલાકાને અલૌકિક બુદ્ધિપ્રભાવ ને ઉચ્ચતમ રાજકીય નાગરિકત્વ ને મુત્સદ્દીપણાથી શોભાવનાર સ્વર્ગસ્થ ગૌરીશંકરભાઈએ પોતાના જન્મથી અલંકૃત કર્યું હતું. એમના તેજસ્વી રાજતન્ત્રે ભાવનગરના ઉત્તરોત્તર ઉત્કર્ષનાં બીજ રોપ્યાં છે, જે કાલક્રમે શાખાપ્રશાખારૂપે સર્વત્ર પ્રસાર પામી રહ્યાં છે. એવા પ્રદેશમાં આપણે ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે ભેગા થયા છીએ. બંધુઓ, પવિત્ર સ્થાનનું માહાત્મ્ય અલૌકિક છે. તેની તાત્કાલિક અસર જાદુઈ છે. પવિત્ર સ્થાનના ચમત્કારથી ગમે તેવો અશ્રદ્ધાળુ પુરુષ પણ ક્ષણ વાર પવિત્ર બને છે. બ્રહ્મગિરિના વર્ણનમાં કવિશ્રી નર્મદે ખરું કહ્યું છે કે{{Poem2Close}}
Line 1,356: Line 1,358:
<center>'''ભાષા: ભાષાશૈલી'''</center>
<center>'''ભાષા: ભાષાશૈલી'''</center>
મહાભાષ્યકાર પતંજલિ કહે છે કે ભગવાન્ વાર્ષ્યાયણિએ ક્રિયાના છ પ્રકારના વિકાસ દર્શાવ્યા છેઃ ઊત્પન્ન થાય છે, અસ્તિત્વ ધરાવે છે, વિપરિણામ પામે છે, વધે છે, અપક્ષય પામે છે, અને વિનાશ પામે છે. પદાર્થમાત્રના આ છ વિકાર થાય છે. ભાષામાં પણ નવીન શબ્દરૂપો ઉદ્ભવ પામે છે ને જૂનાં નષ્ટ થાય છે. જીવન્ત ભાષાઓમાં આ નિયમ હમેશ પ્રવર્તે છે. સંસ્કૃત મૃત ભાષા થઈ અને માત્ર શિષ્ટ વર્ગમાં જ જીવતી રહી ત્યારે જ ભગવાન પાણિનિ જેવા સમર્થ વૈયાકરણે તેને નિયમબદ્ધ કરી. એમને પણ ઘણાં વૈકલ્પિક રૂપો માન્ય કરવાં પડ્યાં છે. અસંસ્કારી વર્ગના જિહ્વાદોષ, ઉચ્ચારની સરળતા, આદિ કારણોને લીધે સંસ્કૃત ભાષામાં વિકાર થઈ ક્રમે ક્રમે પાલી, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓ થઈ અને અપભ્રંશ ભાષામાંથી દેશી ભાષાઓ જન્મ પામી. એ વિકારો પણ ગમે તેમ મનુષ્યના સ્વચ્છંદ પ્રમાણે થયા નથી, વિકારો પણ નિયમોને અનુસરીને જ થયા છે એ લક્ષમાં રાખવાથી પ્રાકૃતનો અભ્યાસ ઘણો સુગમ થશે. સંસ્કૃતમાં સંધિનિયમોનાં કારણો શોધતાં તે પણ જડશે. બે ત્રણ દાખલાઓથી જ આ વાત સ્પષ્ટ થશે. અ+ઈ=એ; આ+ઉ=ઓ, એ સકારણ જ છે. સંધિસ્વર ‘એ’નું સ્થાન કંઠતાલુ (‘અ’નું કણ્ઠ ને ‘ઈ’નું તાલુ હોવાથી) છે; ‘ઓ’નું કણ્ઠૌષ્ટ (‘અ’નું કણ્ઠ ને ‘ઉ’નું ઓષ્ટ હોવાથી) છે. दुग्घ થઈ दुद्ध થયું; स्तम्म જેવા શબ્દોમાં એવી જ સરળતાથી स्तમાંનો એક વર્ણ લોપાઈ તે ઊષ્મ ને મહાપ્રાણ હોવાથી અલ્પપ્રાણ त् નો મહાપ્રાણ थ् થઈ थम्म થઈ ‘થાંભલેત્’ (‘લો’ લઘુતાવાચક) થયો. એ જ પ્રમાણે स्कन्ध નું खन्घ થઈ ‘ખાંધ’ થયું છે. આમ કારણો શોધતાં અભ્યાસ રસિક ને સુતર થશે. અન્ય પ્રજાના ને કોમોના સમાગમથી ગુજરાતી ભાષામાં ફારસી, અરબી, પોર્ચ્યુગીઝ, અંગ્રેજી, ને દેશ્ય શબ્દો દાખલ થયા છે. પણ ગુજરાતી ભાષાના બંધારણ પર એ વિદેશીય ભાષાની અસર થઈ નથી.
મહાભાષ્યકાર પતંજલિ કહે છે કે ભગવાન્ વાર્ષ્યાયણિએ ક્રિયાના છ પ્રકારના વિકાસ દર્શાવ્યા છેઃ ઊત્પન્ન થાય છે, અસ્તિત્વ ધરાવે છે, વિપરિણામ પામે છે, વધે છે, અપક્ષય પામે છે, અને વિનાશ પામે છે. પદાર્થમાત્રના આ છ વિકાર થાય છે. ભાષામાં પણ નવીન શબ્દરૂપો ઉદ્ભવ પામે છે ને જૂનાં નષ્ટ થાય છે. જીવન્ત ભાષાઓમાં આ નિયમ હમેશ પ્રવર્તે છે. સંસ્કૃત મૃત ભાષા થઈ અને માત્ર શિષ્ટ વર્ગમાં જ જીવતી રહી ત્યારે જ ભગવાન પાણિનિ જેવા સમર્થ વૈયાકરણે તેને નિયમબદ્ધ કરી. એમને પણ ઘણાં વૈકલ્પિક રૂપો માન્ય કરવાં પડ્યાં છે. અસંસ્કારી વર્ગના જિહ્વાદોષ, ઉચ્ચારની સરળતા, આદિ કારણોને લીધે સંસ્કૃત ભાષામાં વિકાર થઈ ક્રમે ક્રમે પાલી, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓ થઈ અને અપભ્રંશ ભાષામાંથી દેશી ભાષાઓ જન્મ પામી. એ વિકારો પણ ગમે તેમ મનુષ્યના સ્વચ્છંદ પ્રમાણે થયા નથી, વિકારો પણ નિયમોને અનુસરીને જ થયા છે એ લક્ષમાં રાખવાથી પ્રાકૃતનો અભ્યાસ ઘણો સુગમ થશે. સંસ્કૃતમાં સંધિનિયમોનાં કારણો શોધતાં તે પણ જડશે. બે ત્રણ દાખલાઓથી જ આ વાત સ્પષ્ટ થશે. અ+ઈ=એ; આ+ઉ=ઓ, એ સકારણ જ છે. સંધિસ્વર ‘એ’નું સ્થાન કંઠતાલુ (‘અ’નું કણ્ઠ ને ‘ઈ’નું તાલુ હોવાથી) છે; ‘ઓ’નું કણ્ઠૌષ્ટ (‘અ’નું કણ્ઠ ને ‘ઉ’નું ઓષ્ટ હોવાથી) છે. दुग्घ થઈ दुद्ध થયું; स्तम्म જેવા શબ્દોમાં એવી જ સરળતાથી स्तમાંનો એક વર્ણ લોપાઈ તે ઊષ્મ ને મહાપ્રાણ હોવાથી અલ્પપ્રાણ त् નો મહાપ્રાણ थ् થઈ थम्म થઈ ‘થાંભલેત્’ (‘લો’ લઘુતાવાચક) થયો. એ જ પ્રમાણે स्कन्ध નું खन्घ થઈ ‘ખાંધ’ થયું છે. આમ કારણો શોધતાં અભ્યાસ રસિક ને સુતર થશે. અન્ય પ્રજાના ને કોમોના સમાગમથી ગુજરાતી ભાષામાં ફારસી, અરબી, પોર્ચ્યુગીઝ, અંગ્રેજી, ને દેશ્ય શબ્દો દાખલ થયા છે. પણ ગુજરાતી ભાષાના બંધારણ પર એ વિદેશીય ભાષાની અસર થઈ નથી.
ભાષાશૈલી અને શબ્દશુદ્ધિમાં કાલક્રમે ઘણો સુધારો થયો છે. અગાઉ જેટલા જોડણીના દોષ હાલ આવતા નથી. છતાં હજી પણ નીચેનાં અશુદ્ધ રૂપો ઘણા ગ્રન્થોમાં જોવામાં આવે છેઃ
ભાષાશૈલી અને શબ્દશુદ્ધિમાં કાલક્રમે ઘણો સુધારો થયો છે. અગાઉ જેટલા જોડણીના દોષ હાલ આવતા નથી. છતાં હજી પણ નીચેનાં અશુદ્ધ રૂપો ઘણા ગ્રન્થોમાં જોવામાં આવે છેઃ {{Poem2Close}}
અશુદ્ધ શુદ્ધ અશુદ્ધ શુદ્ધ
 
પૌર્વાત્ય પૌરસ્ત્ય નર્ક નરક
{| style="width: 50%;"
કે પ્રાચ્ય પદ્વી પદવી
|-
શ્રીયુત્ શ્રીયુત વિક્રાળ વિકરાળ
| '''અશુદ્ધ''' || '''શુદ્ધ''' || '''અશુદ્ધ'''|| '''શુદ્ધ'''
સતત્ સતત શુદ સુદ
|-
કલેષ ક્લેશ શાશ્વત્ શાશ્વત
| પૌર્વાત્ય || પૌરસ્ત્ય || નર્ક || નરક
બુદ્ધિવાન્ બુદ્ધિમાન્ આશિર્વાદ આશીર્વાદ
|-
નીતિવાન્, વગેરે નીતિમાન્ વગેરે સદૃઢ દૃઢ-સુદૃઢ
|  || કે પ્રાચ્ય || પદ્વી || પદવી
મિમાંસા મીમાંસા સશક્ત શક્ત
|-
ઐક્યતા ઐકય સગવડતા સગવડ
| શ્રીયુત્ || શ્રીયુત || વિક્રાળ || વિકરાળ
ધૈર્યતા, વગેરે ધૈર્ય, વગેરે વિરામતા વિરામ
|-
અદ્ભૂત અદ્ભુત દરેક વસ્તુઓ, દરેક વસ્તુ,
| સતત્ || સતત || શુદ || સુદ
દ્રષ્ટાન્ત, દ્રશ્ય દૃષ્ટાન્ત, દૃશ્ય માણસો, વગેરે માણસ, વગેરે
|-
| કલેષ || ક્લેશ || શાશ્વત્ || શાશ્વત
|-
| બુદ્ધિવાન્ || બુદ્ધિમાન્ || આશિર્વાદ || આશીર્વાદ
|-
| નીતિવાન્, વગેરે || નીતિમાન્ વગેરે || સદૃઢ || દૃઢ-સુદૃઢ
|-
| મિમાંસા || મીમાંસા || સશક્ત || શક્ત
|-
| ઐક્યતા || ઐકય || સગવડતા || સગવડ
|-
| ધૈર્યતા, વગેરે || ધૈર્ય, વગેરે || વિરામતા || વિરામ
|-
| અદ્ભૂત || અદ્ભુત || દરેક વસ્તુઓ, || દરેક વસ્તુ,
|-
| દ્રષ્ટાન્ત, દ્રશ્ય || દૃષ્ટાન્ત, દૃશ્ય || માણસો, વગેરે || માણસ, વગેરે
|-
|}
{{Poem2Open}}
નીચેના જેવી ભાષા હવે ઓછી લખાય છે એ ખુશીની વાત છેઃ
નીચેના જેવી ભાષા હવે ઓછી લખાય છે એ ખુશીની વાત છેઃ
અંગ્રેજી શૈલીનું અનુકરણઃ કૃત્રિમ રચનાઃ
અંગ્રેજી શૈલીનું અનુકરણઃ કૃત્રિમ રચનાઃ
26,604

edits

Navigation menu