સૌરાષ્ટ્રની રસધાર-4/સુહિણી-મેહાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 204: Line 204:
એ ચીસો પડતાં જ બંસીના સૂરો થંભી ગયા, અને ‘આવી પહોંચું છું! આવું છું!’ એવા અવાજની સાથે કોઈએ સામે કિનારેથી પાણીમાં શરીર પડતું મેલ્યું.
એ ચીસો પડતાં જ બંસીના સૂરો થંભી ગયા, અને ‘આવી પહોંચું છું! આવું છું!’ એવા અવાજની સાથે કોઈએ સામે કિનારેથી પાણીમાં શરીર પડતું મેલ્યું.
ડૂબતી, ગળકાં ખાતી, ને મોજાંની થપાટે ખેંચાઈ જતી સુહિણીએ ચીસ પાડતાં તો પાડી, પણ પછી તુરત એ પસ્તાણી. એને સાંભરી આવ્યું કે પોતાને મીઠું, ગોસ ખવરાવવા માટે મેહારે સાથળ વાઢેલ છે. તેનો જખમ હજુ તો રુઝાયો નથી. નક્કી મેહાર નહિ તરી શકે, મારે ખાતર એનો જાન જશે.
ડૂબતી, ગળકાં ખાતી, ને મોજાંની થપાટે ખેંચાઈ જતી સુહિણીએ ચીસ પાડતાં તો પાડી, પણ પછી તુરત એ પસ્તાણી. એને સાંભરી આવ્યું કે પોતાને મીઠું, ગોસ ખવરાવવા માટે મેહારે સાથળ વાઢેલ છે. તેનો જખમ હજુ તો રુઝાયો નથી. નક્કી મેહાર નહિ તરી શકે, મારે ખાતર એનો જાન જશે.
{{Poem2Close}}
<poem>
<center>
'''ઘરો ભગો ત ગોરેઓ, શાલ મ ભજે ઘરી,'''
'''મુલાંટો મેઆરજો, ભિજી થ્યો અય ભરી,'''
'''તાંગો તાર તરી, માન ડિસાં મુંહ મ્યાર જો.'''
</center>
</poem>
{{Poem2Open}}
ખેર, ઘડો ભાંગ્યો તો ઘોળ્યો ગયો, પણ હે અલ્લાહ, હવે મારા મેળાપની ઘડી મ ભાંગજો! સામે મેહાર પડ્યો છે તેની પાઘડી પણ હવે ભીંજાઈને બહુ ભારે થઈ પડેલ હશે. હવે તો છીછરું કે ઊંડું જે પાણી હોય તેને તરીને હું મેહારનું મુખ જોઈ શકું એટલી, ઓ ખુદા, તું મને સહાય કરજે!
પણ એ મુખ જોવાનું માંડેલ નહોતું. પાણીની પથારી પર એકલા પોઢવાનું જ સરજાયું હતું. થાકીપાકીને તાકાત ગુમાવી બેઠેલ એ અબળાને સિંધુના મધવહેનમાં જ આંખે તમ્મર આવવા લાગી :
અખીમેં અઝરાયલ દીઠો, (તય) મન તણે તો મ્યાર ક્યાં.
પોતાની આંખો સામે એણે મોતના ફિરસ્તા ઇઝરાયલને દીઠો. તે છતાં દિલ તો દોડીને મેહાર પાસે ચાલ્યું ગયું.
{{Poem2Close}}
<poem>
<center>
'''ઘિરિ ઘરો હથ કરે, બોર્યાં ઈ બાઉં,'''
'''વેચારિય વડ્યું કિયું, વિચ ધરિયા ધાઉં,'''
'''વરજ સાડ, પાઉં, તાકું તકી આંહ્યાં.'''
</center>
</poem>
{{Poem2Open}}
પ્રથમ ઘડો હાથ ધરીને પેઠી, પછી એ ફૂટી જવાથી બાંયો (ભુજાઓ) બોળીને તરી, છેવટે ડૂબતાં ડૂબતાં દરિયામાંથી (મોટી નદીમાંથી) એ બિચારીએ ધા દીધી કે ઓ વહાલા સાહડ! ઓ મેહાર! તું પાછો વળી જજે, કેમ કે મને પાણીનાં હિંસક પ્રાણીઓએ ઘેરી લીધી છે.
“ન આવીશ! ઓ મેહાર! તું ન આવીશ!” એવી છેલ્લી બૂમો સંભળાણી. પણ હવે મેહાર કોને માટે પાછો વળે? ઘણી ડૂબકીઓ મારી, ઘણા ઘૂના ડખોળ્યા, ભેખડો તપાસી, પણ સુહિણીનો પત્તો ન લાગ્યો. મેહારની જાંઘ પરનો જખમ ફાટીને લોહી વહેવા લાગ્યું. થોડી વારે એનું ખાલી થયેલ ખોળિયું પણ ‘સુહિણી! સુહિણી!’ એવા શબ્દે સાદ કરતું, જાણે સુહિણીની અનંત શોધમાં પાણીને તળિયે જઈ બેઠું.
સવાર પડ્યું. સિંધુ માતાએ બન્ને ડૂબેલા શરીરોને સાથે કરી કિનારા ઉપર કાઢી નાખ્યાં. ભેળાં થયેલાં કુટુંબીઓએ બન્ને જણાંને દફનાવી તે પર કબર ચણાવી.
શદાપુર ગામને પાદર આજ પણ આ કબર બતાવાય છે.
[આ વાર્તાના વસ્તુ માટે તેમ જ તેની અંદર આવતા ત્રણ-ત્રણ પંક્તિના સિંધી દુહાઓ માટે, કચ્છી લોકસાહિત્યના સંશોધક સ્વ. જીવરામ અજરામર ગોરે સંગ્રહેલા સુહિણી-મેહારની કચ્છી જનકથાના દુહા (‘ગુજરાતી’ : દિવાળી અંક,૰ 1911)નો આધાર લીધો છે. પ્રસ્તુત દુહાઓના પાઠમાં ને તેના અર્થોમાં મને ઘણી ત્રુટિઓ દેખાઈ, તે શામળદાસ કૉલેજના સિંધી પ્રિન્સીપાલ પૂજ્ય શાહાણીજીએ અત્યંત મહેનત કરી તથા પીર શાહ અબ્દ લતીફના પુસ્તકમાંથી વીણી વીણી, સપ્રેમ સુધારી આપી છે. છતાં પ્રિ. શાહાણીનું માનવું છે કે અસલ સિંધી પાઠ આ પદોમાં અશુદ્ધ રહી જાય છે.]
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu