18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંતદર્શન કરાવનારા|}} {{Poem2Open}} ગરમલી ગામમાં, દિવાળી ટાણું હતું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 40: | Line 40: | ||
એમ ને એમ આવ્યો. માથે હાથ મૂક્યો ‘ગીગલા, તારે બાવોજી પરસન, તું અમ બેયથી મોટો. ને લાખુ કીસેં (ક્યાં) ગઈ?’ | એમ ને એમ આવ્યો. માથે હાથ મૂક્યો ‘ગીગલા, તારે બાવોજી પરસન, તું અમ બેયથી મોટો. ને લાખુ કીસેં (ક્યાં) ગઈ?’ | ||
બોલાવી. વૃદ્ધ લાખુ આવી. ભગતે રાબ કરાવી. પોતાની ભેળું ગીગાને અને લાખુને ખવરાવ્યું. | બોલાવી. વૃદ્ધ લાખુ આવી. ભગતે રાબ કરાવી. પોતાની ભેળું ગીગાને અને લાખુને ખવરાવ્યું. | ||
રક્તપીત્તિયાંની સંતસેવા | <center>'''રક્તપીત્તિયાંની સંતસેવા'''</center> | ||
માનવતાનો આથી ઊંચો આદર્શ આપણને નહીં જડે. ‘વાસનાને મારવી નૈ, વાસના નડે, ફલાણા બાવાનું બુંદ લૈ લે’ એ તો આધુનિકોને યે અદ્યતન લાગે તેવી ઉદારતા છે. ‘કૂવે પડીને હાથપગ ભાંગીશ નૈ, તારા પેટમાં બળભદ્ર છે,’ એવી હામ દેનાર સંત દાનો પાપ–પુણ્યના રૂઢિગત ખ્યાલો લઈને બેઠેલા જનસમાજની વચ્ચે જીવતા હતા ને એ જનતાને આધારે નિર્વાહતા હતા. તે છતાં તેણે થડકાટ ન અનુભવ્યો, તિરસ્કૃત માતાને માનભેર જિવાડી, એના પુત્રને સંતપદે સ્થાપ્યો. ને એ મુસ્લિમ મા–બેટાની સાથે સંતો એક થાળીમાં જમ્યા. આજે ગીરના પહાડો વચ્ચેનું ધર્મસ્થાન સતાધાર એ ગીગા ભગતનું કર્મક્ષેત્ર હતું. ધેનુઓની અને પિત્તિયાં કોઢિયાં માનવીઓની, એ બેની સેવા, સતાધારની આ બે સંત ધૂણીઓ હતી. ભયંકર રોગ રક્તપિત્ત, એની નિર્બંધ સારવાર કરનારાં સોરઠમાં ત્રણ સંતસ્થાનકો હતાં : ગદ્યૈ ગીગા ભગતનું સતાધાર, રબારી સંત દેવીદાસનું પરબવાવડી અને મુસ્લિમ સંત જમિયલશાહનો ગિરનારી દાતાર ડુંગરો. હિંદમાં બીજા કોઈ સંતે આ કાળ રોગની સેવા કરી જાણી નથી. | માનવતાનો આથી ઊંચો આદર્શ આપણને નહીં જડે. ‘વાસનાને મારવી નૈ, વાસના નડે, ફલાણા બાવાનું બુંદ લૈ લે’ એ તો આધુનિકોને યે અદ્યતન લાગે તેવી ઉદારતા છે. ‘કૂવે પડીને હાથપગ ભાંગીશ નૈ, તારા પેટમાં બળભદ્ર છે,’ એવી હામ દેનાર સંત દાનો પાપ–પુણ્યના રૂઢિગત ખ્યાલો લઈને બેઠેલા જનસમાજની વચ્ચે જીવતા હતા ને એ જનતાને આધારે નિર્વાહતા હતા. તે છતાં તેણે થડકાટ ન અનુભવ્યો, તિરસ્કૃત માતાને માનભેર જિવાડી, એના પુત્રને સંતપદે સ્થાપ્યો. ને એ મુસ્લિમ મા–બેટાની સાથે સંતો એક થાળીમાં જમ્યા. આજે ગીરના પહાડો વચ્ચેનું ધર્મસ્થાન સતાધાર એ ગીગા ભગતનું કર્મક્ષેત્ર હતું. ધેનુઓની અને પિત્તિયાં કોઢિયાં માનવીઓની, એ બેની સેવા, સતાધારની આ બે સંત ધૂણીઓ હતી. ભયંકર રોગ રક્તપિત્ત, એની નિર્બંધ સારવાર કરનારાં સોરઠમાં ત્રણ સંતસ્થાનકો હતાં : ગદ્યૈ ગીગા ભગતનું સતાધાર, રબારી સંત દેવીદાસનું પરબવાવડી અને મુસ્લિમ સંત જમિયલશાહનો ગિરનારી દાતાર ડુંગરો. હિંદમાં બીજા કોઈ સંતે આ કાળ રોગની સેવા કરી જાણી નથી. | ||
રાવતભાઈ જેબલિયાની કથનીમાંથી તો સંતકુળની કલંકકથા પણ મળી હતી. લોકજબાન કૂડને છુપાવતી નથી. ગુરુ દાનાએ શિષ્યને જુદી જગ્યા કરી દઈને કહ્યું, ‘ગીગલા, અભ્યાગતોને રાબડી તો જાજે.’ આપો દાનો તો જતિ-પુરુષ, એની પછવાડે વંશ ચાલ્યો એના સંસારી ભાઈ આપા જીવણાનો, ચલાળાની ધર્મજગ્યા એ કુટુંબવારસે ચાલી ગઈ. દાના ભગત દેવ થયા, ભત્રીજા દેવા ભગતે, પોતાની જગ્યામાં આવનાર અભ્યાગતોને ચીંધવા માંડ્યું : ‘જાવ ગીગલા પાસે’. એકવાર ખાખી બાવાની જમાત આવી. ‘લાવ બે માલપુડા!’ ‘જાવ, ગીગલો દેશે.’ ગીગો ક્યાંથી દ્યે? ખાખીઓએ ગીગા ભક્તને માર માર્યો. દેવો કહે કે ‘જા અહીંથી’. ‘ક્યાં જાઉં?’ ‘જા સાવઝના મોંમાં.’ — એટલે કે સિંહભરપૂર ગીરના પહાડોમાં. ધેનુઓ હાંકીને સંત ગીગો સતાધાર એમ હડધૂત થઈને આવ્યા. સંતકુળોની વારસામોહિત સ્વાર્થપરતાની એ કાળી કથા છે. માટે જ પરબના દેવીદાસે જરજમીનના અર્પણનો અસ્વીકાર કરી કેવળ આકાશવૃત્તિનું જ કરડું વ્રત લીધું’તું ને! | રાવતભાઈ જેબલિયાની કથનીમાંથી તો સંતકુળની કલંકકથા પણ મળી હતી. લોકજબાન કૂડને છુપાવતી નથી. ગુરુ દાનાએ શિષ્યને જુદી જગ્યા કરી દઈને કહ્યું, ‘ગીગલા, અભ્યાગતોને રાબડી તો જાજે.’ આપો દાનો તો જતિ-પુરુષ, એની પછવાડે વંશ ચાલ્યો એના સંસારી ભાઈ આપા જીવણાનો, ચલાળાની ધર્મજગ્યા એ કુટુંબવારસે ચાલી ગઈ. દાના ભગત દેવ થયા, ભત્રીજા દેવા ભગતે, પોતાની જગ્યામાં આવનાર અભ્યાગતોને ચીંધવા માંડ્યું : ‘જાવ ગીગલા પાસે’. એકવાર ખાખી બાવાની જમાત આવી. ‘લાવ બે માલપુડા!’ ‘જાવ, ગીગલો દેશે.’ ગીગો ક્યાંથી દ્યે? ખાખીઓએ ગીગા ભક્તને માર માર્યો. દેવો કહે કે ‘જા અહીંથી’. ‘ક્યાં જાઉં?’ ‘જા સાવઝના મોંમાં.’ — એટલે કે સિંહભરપૂર ગીરના પહાડોમાં. ધેનુઓ હાંકીને સંત ગીગો સતાધાર એમ હડધૂત થઈને આવ્યા. સંતકુળોની વારસામોહિત સ્વાર્થપરતાની એ કાળી કથા છે. માટે જ પરબના દેવીદાસે જરજમીનના અર્પણનો અસ્વીકાર કરી કેવળ આકાશવૃત્તિનું જ કરડું વ્રત લીધું’તું ને! | ||
‘મારી એબ જોઈ!’ | <center>'''‘મારી એબ જોઈ!’'''</center> | ||
રતો, મેપો, જાદરો, દાનો ને ગીગો : એ હતા વાણીવિહોણા સંતો. સેવા તેમની મૂંગી હતી. સૌપહેલી સંતવાણી મારે કાને કોળી સંત રામૈયાની પડી. જાંબુડી ગામનો આ મોટો શિકારી કોળી, નામે રામ ઘાંઘા. પશુઓના સંહાર સિવાય અન્ય કાંઈ ઉદ્યમ નહીં. એને મળ્યા સંત રૂખડિયો વેલો બાવો. એ પણ કોળી. એની ભાળ પણ મારા ચારણ મિત્ર ગગુભાઈ પાસેથી મળી. મેં પૂછયું હતું, કે અમે એક ગરબો ગાઈએ છીએ — | રતો, મેપો, જાદરો, દાનો ને ગીગો : એ હતા વાણીવિહોણા સંતો. સેવા તેમની મૂંગી હતી. સૌપહેલી સંતવાણી મારે કાને કોળી સંત રામૈયાની પડી. જાંબુડી ગામનો આ મોટો શિકારી કોળી, નામે રામ ઘાંઘા. પશુઓના સંહાર સિવાય અન્ય કાંઈ ઉદ્યમ નહીં. એને મળ્યા સંત રૂખડિયો વેલો બાવો. એ પણ કોળી. એની ભાળ પણ મારા ચારણ મિત્ર ગગુભાઈ પાસેથી મળી. મેં પૂછયું હતું, કે અમે એક ગરબો ગાઈએ છીએ — | ||
રૂખડ બાવા, તું હળવો હળવો હાલ્ય જો, | રૂખડ બાવા, તું હળવો હળવો હાલ્ય જો, | ||
Line 62: | Line 62: | ||
બંદૂક છીપર પર પછાડીને ભાંગી રામડો પગે પડ્યો. ગુરુ છરી લઈને છાતી પર ચડી બેઠા. હુલાવી નાખું. | બંદૂક છીપર પર પછાડીને ભાંગી રામડો પગે પડ્યો. ગુરુ છરી લઈને છાતી પર ચડી બેઠા. હુલાવી નાખું. | ||
જવાબમાં રામડાને વાણી ફૂટી. 350 ભજન ગાયાં. | જવાબમાં રામડાને વાણી ફૂટી. 350 ભજન ગાયાં. | ||
[‘પરકમ્મા’] | {{Right|[‘પરકમ્મા’]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ‘પોકારીને પાલો ભણે | |||
|next = ભક્તિની જુક્તિ | |||
}} |
edits