સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 801: Line 801:
8. એનાં બાળબચ્ચાં ને સગાંવહાલાં પર જુલમ અને અપમાન ગુજરતાં,એની પોતાની સામે પણ શત્રુરાજ્ય એકલું જ નહોતું, પણ અન્ય મિત્રરાજ્યો, બહારની સત્તાઓ વગેરેનાં જૂથ જામતાં. એથી બહારવટિયાની અકળામણ વધતી, ખુન્નસ વધુ તપતું, ઘાતકી મનસૂબા ઊપડતા.
8. એનાં બાળબચ્ચાં ને સગાંવહાલાં પર જુલમ અને અપમાન ગુજરતાં,એની પોતાની સામે પણ શત્રુરાજ્ય એકલું જ નહોતું, પણ અન્ય મિત્રરાજ્યો, બહારની સત્તાઓ વગેરેનાં જૂથ જામતાં. એથી બહારવટિયાની અકળામણ વધતી, ખુન્નસ વધુ તપતું, ઘાતકી મનસૂબા ઊપડતા.
9. શત્રુ પ્રત્યેની દાઝ જેમ વખતોવખત ક્ષમા અને ખેલાડીનીતિની કક્ષાએ ચડી વંદનીય બનતી, તેમ કોઈ વખત કિન્નાનું સ્વરૂપ ધરી ભીમા જતની માફક, એક જ સંધીની દગલબાજીનો બદલો લેવા આખી સંધી કોમની કતલનું કરુણાજનક સ્વરૂપ ધરતી. એ વિચિત્ર માનવીઓનું આ બધું વિલક્ષણ અને વ્યક્ગિત સારું-માઠું માનસ હતું.
9. શત્રુ પ્રત્યેની દાઝ જેમ વખતોવખત ક્ષમા અને ખેલાડીનીતિની કક્ષાએ ચડી વંદનીય બનતી, તેમ કોઈ વખત કિન્નાનું સ્વરૂપ ધરી ભીમા જતની માફક, એક જ સંધીની દગલબાજીનો બદલો લેવા આખી સંધી કોમની કતલનું કરુણાજનક સ્વરૂપ ધરતી. એ વિચિત્ર માનવીઓનું આ બધું વિલક્ષણ અને વ્યક્ગિત સારું-માઠું માનસ હતું.
{{Poem2Close}}
<center>'''વેપારીઓના ચોપડા'''</center>
{{Poem2Open}}
10. વેપારીઓના ચોપડાઓને આગ લગાડવામાં રહેલી એની વિવેકભૂલી દાઝની પાછળ ગામડાંના વેપારી-સમુદાયની મૂડીદારનીતિ ઊભી હતી. ગામડાંનો વેપારી કેવળ ‘બમણાં-ત્રમણાં નાણાં’ કરીને જ જીવતો. અજ્ઞાની અને ભોળી ગ્રામ્ય કોમોને બુદ્ધિની જળો મૂકી એ ચૂસી લેતો. ઘણીવાર રાજસત્તાની સાથે લાંચરુશ્વતની લાગવગ લગાડી વિચિત્ર સંજોગોમાં ગરાસિયા ઉપર જપ્તી લાવતો. આજ પણ ખેડુ તથા ગરાસિયાની બરબાદીની તવારીખમાં મોટો કુયશ વેપારીને નામે જમા થાય છે. એ આખો ઇતિહાસ અત્યંત ત્રાસજનક છે. એ કુટિલતાની સામે કણબી ખેડુનું ઠંડું લોહી ઊકળી શકતું નહિ, જ્યારે લડાયક સંસ્કારવાળા ગરાસિયાની અડબૂત આંખો વીફરીને આ રીતે વૈર વાળતી. ‘લાવો ચોપડા બાળી દઈએ એટલે બિચારા કંઈકને સુખ થઈ જાય!’ એ એનું બુથ્થડ સૂત્ર હતું.
{{Poem2Close}}
<center>'''વિવેકબુદ્ધિ અશક્ય'''</center>
{{Poem2Open}}
11. પરંતુ જ્યાં પ્રબલ અને પ્રમત્ત ઊર્મિઓનાં ઘમસાણ બોલતાં, જ્યાં વીરત્વનું સ્વરૂપ રૌદ્ર બની જતું, જિંદગીને બાજીમાં હારી જવાનો તૉર જાગતો, જ્યાં વેદનાના પછાડા ચાલતા, ત્યાં પ્રત્યેક પગલે જૈન વિતરાગના જેવી અહિંસાની દૃષ્ટિ જાળવવી અશક્ય હતી, ત્યાં પ્રત્યેક માનવજીવનનું મૂલ્ય આંકવા બેસવું એ અસંભવિત હતું. પગલે પગલે જો આ પુરુષો આવી કોઈ અસાધારણ વિવેકબુદ્ધિ વાપરીને જ ચાલ્યા હોય, તો આપણે એને પરિપૂર્ણ વીરત્વના આદર્શપદે સ્થાપી શકત. પરંતુ આદર્શ વીરત્વ, પરિપૂર્ણ અને પરિશુદ્ધ વીરત્વ તો આપણે નિત્ય જેને રટીએ છીએ તે રામાયણ-મહાભારતમાંયે મળવાં દુષ્કર છે, માટે જ આપણે બધી પરિમિતતા લક્ષમાં લઈ એટલું જ ઉચ્ચારી શકીએ કે બહારવટિયાઓ બહાદુરો હતા; પણ ‘હીરોઝ ઇન મેકીંગ’ હતા.
{{Poem2Close}}
<center>'''પ્રેરકો ન મળ્યા'''</center>
{{Poem2Open}}
‘હીરોઝ ઇન મેકીંગ’ : હા, શિવાજીને રામદાસ ગુરુ અને જીજાબાઈ માતા મળ્યાં, માટે એ વીર બન્યો, શાસક બન્યો. જોગીદાસને રામદાસ નહિ, પણ મુરાદશા મળ્યો. જોધા માણેકને કોઈ ન મળ્યું. જેસા-વેજાને માંગડો ભૂત મળ્યો. બાવા વાળાને દાનો ભગત મળ્યા. કોઈને રામદાસનો મણિસ્પર્શ ન થયો, નહિ તો એમાંના કોઈમાંથી પણ શિવાજીનું સ્વલ્પાંશ સોનું સૌરાષ્ટ્રને સાંપડ્યું હોત. મહાનુભાવતાની ભારેલી ચિનગારીઓ કોઈ કોઈ વાર ઝબૂકી ગઈ, પણ એની સાથે લોકસેવાની ભાવનાનાં ઇંધણનો સંપર્ક કરાવી દીક્ષાની ફૂંક દેનાર કોઈ પરમ પુરુષ નહોતો. સૌરાષ્ટ્રમાં રામદાસ નહોતા, ગુરુ ગોવિંદસિંહ નહોતા. વીરત્વની સોનાખાણના આ સુવર્ણને ઓગાળી માટીથી વિખૂટું પાડનાર કોઈ ભઠ્ઠીઓ નહોતી, એરણ ને ઘણ નહોતાં, કારીગર કે કીમિયાગર નહોતો. એની ક્રૂર બહારવટા-નીતિમાં સંસ્કાર ન આવ્યા તે માટે તો જગત-સમસ્તના વીરત્વનો ઇતિહાસ જવાબદાર છે. અને આજે નિર્મળ વિવેકદૃષ્ટિને નામે છાપરે ચડીને બોલતો યુગ પોતે શું ઓચરે છે? વાણિજ્ય, ઉદ્યોગ, રાજકારણ વગેરેનાં ષડ્યંત્રોમાં લાખો સ્ત્રી-પુરુષો અને બાળકોનો દિવસરાત સંહાર બોલાવી, એનાં શોણિતને પૈસે કલા, ધર્મ, કેળવણી, સમાજસુધારો, સ્વાતંત્ર્ય ઇત્યાદિના ધુરંધર મુરબ્બી બની, દેશવીર બની અનેક લોકો પૂજાય છે. એની લંપટતા અને રક્ત ચૂસવાની કુનેહ આજે વીરત્વમાં ખપે છે. બહારવટિયા હરગિજ એ બધું જોઈને આજે પોતાને પુણ્યશાળી માનત.
{{Poem2Close}}
<center>'''આસમાનીનો તૉર'''</center>
{{Poem2Open}}
હવે કરીએ બીજી કોટિના બહારવટિયાની વાત : એમાં આવે છે વાલો નામોરી, મોવર સંધવાણી, એકલિયો વગેરે : જેને કોઈ રાજસત્તા સામે રોષ-ફરિયાદ (‘ગ્રીવન્સ’) નહોતાં. તેઓનાં બહારવટાં અણઉશ્કેરાયેલાં (‘અનપ્રોવોક્ડ’) હતાં અથવા કુટુંબકલહમાંથી, એકાદ ગુનામાંથી કે પરસ્પરના તંતમાંથી પરિણમ્યાં હતાં. આની પાછળ શી મનોદશા હતી? એ મનોદશા માત્ર ચોરીની અથવા લૂંટફાટની નહોતી. ચોરીલૂંટથી બહારવટું જુદી જ વસ્તુ છે. બહારવટું એ જીવનસટોસટની વાત છે. એમાં મૃત્યુ સિવાય અન્ય પરિણામ નથી. એમાં દેહદમન, પીડન, વિપત્તિઓ વગેરે બહુ હોય છે. વળી જ્યારે આવો લૂંટારો પોતાના જીવનમાં નિજ-રચ્યા કેટલાક વસમા નેકી-નિયમો સ્વીકારી બેસે છે, ત્યારે તેનાં કષ્ટો દુ:સહ બને છે. છતાં સત્તાને ચરણે પડી શાંત પ્રજાજન થવા કરતાં તોફાને ચડી મૃત્યુની વાટ લેવી એને શીદ પાલવે છે? પોતે લૂંટતો છતાં બીજી બાજુ ખેરાત કરી ફકીર રહેવું શીદ પસંદ કરે છે? એનું કારણ ‘લવ ફોર રોમાન્સ’ : અદ્ભુતતાનાં તત્ત્વો સાથે ખેલવું એ એની ખુમારી હોય છે. પહાડો અને નદીઓ પર જાતવંત ઘોડાં ઠેકવવાં : ગુફાઓ અને ગાળાઓમાં નિવાસ કરવો : ગામો ભાંગીને ગાયોને કપાસિયા નીરવા, ચોરાસીઓ જમાડવી, ખેરાત ઉડાડવી : મૃત્યુના ઓછાયા આવરી રહ્યા હોય ત્યારે પણ દાંડિયારાસ, રાસડા, જીંડારી ઇત્યાદિના જલસા માણવા; સત્તાધીશોને સામેથી કહેણ મોકલવાં; પોતાના નેજા ફરકાવવા : અરણ્યોની ઝાડીમાં કે નદીની ભેખડોમાંથી ઓચિંતાં બોકાનાં બાંધી દેખાવ દેવો; કોઈ ગરીબ બાપની દીકરીને કન્યાદાન દેવા ઓચિંતા લગ્નચોરીમાં પ્રકટ થવું : કોઈ ગરીબ માણસની સવેલી કન્યાને પરણવા જનાર હરામીની જાન રોકી તે જાનમાં એ સાચા ગરીબ વરને બેસારી પરણવા લઈ જવો : કોઈ રોટલા આપવા આવનાર બાઈને બહેનદીકરી કહીને નવાજેશ દેવી : કોઈ સાહેબની મડમને અંતરિયાળ રોકી લૂંટવાને બદલે ઊલટું બહેન કહી કાપડાના રૂપિયા આપવા, શૂરવીર વાણિયો પણ સામે થાય તો તેને બહાદુર કહી જવા દેવો : બહારવટે છતાં બેધડક રાજસત્તાના ચોકીપહેરા ભેદી કરીને પોતાને ઘેર જઈ કુટુંબને મળવુ : વરજાંગ ધાંધલની માફક પોતાની વાટ જોતી સ્ત્રીને કહેણ મોકલાવ્યા મુજબ જ મળવા જવા નીકળવું : નીકળતી વેળા અપશુકન થાય તેને ન ગણકારી પાદરમાં શત્રુઓ મળ્યા તેની સાથે ધીંગાણે રમી દેહ પાડવો : શત્રુને ગોળી ન મારતાં તેના ઘોડાના ડાબલા અથવા કમરના જમૈયા પર બંદૂક આંટીને એને ચેતવવો : સરકારી દફતરો બાળી નાખવાં : આ બધું ‘રોમાન્સ’નું બળવાન તત્ત્વ છે. પુનિયો ચારણ, બસ, એકલવિહારી બહારવટિયો બનીને ચાલી નીકળ્યો. કોઈ સંગાથી જ એણે ન રાખ્યો, અને એકલવાયા ઘૂમતાં ઘૂમતાં જ એણે ધીંગાણાં કર્યાં; એ પરથી લોકોએ એને ‘એકલિયા’ની પદવી દીધી : એ બધું જીવનની મસ્તી દાખવે છે. બેશક, એમાં જંગલી તત્ત્વ ઘણું ઘણું ભર્યું હોય છે. આવા તૉરીલા, મોજીલા, વજ્ર-શી છાતીવાળા, અડબૂત છતાં ઉદાર, ઘાતકી છતાં દયાવંત, લહેરી છતાં ચારિત્ર્યવંત, એવા અનેક બહારવટિયાની જીવનકથાઓ યુરોપ-અમેરિકામાંયે લખાઈ છે, સિનેમાના ચિત્રપટ પર આકર્ષક રીતે ઊતરી છે.
સ્પેનનો ‘ગૂચો’ જાતનો લૂંટારો એનું સુરેખ દૃષ્ટાંત પૂરું પાડે છે. ‘પિકચરસ્ક બટ બેનફૂલ કેરીઅર’ : એ શબ્દો એને ભાટે સુયોગ્ય જ છે. પચરંગી, પીડનકારી જીવનને કારણે જ એ માનવ-ધૂમકેતુઓ મૃત્યુની વાટે નીકળી પડે છે. એ લૂંટારાપણું એની પ્રકૃતિ નથી. લૂંટો કરીને એ પોતાનું ઘર ભરતા નહિ. લૂંટ એની લાલસા નહોતી. એ એની પ્રકૃતિ પરના જાડાપાતળા ઢાંકણ નીચે હતું નેકીદાર હૃદય. એને ગમતા સંધ્યાના રંગો. એની વાટને અંતે અંધારી મધરાત આવે છે. ત્યાં પેસવાના એને કોડ હતા.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu