ચારણી સાહિત્ય/7.સૈનિકોની પત્નીઓનાં સાચુકલાં લોકગીતો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|7.સૈનિકોની પત્નીઓનાં સાચુકલાં લોકગીતો|}} {{Poem2Open}} ‘સૈનિક-પત્ન...")
 
No edit summary
Line 7: Line 7:
લોકગીતોની એ જ ખાસિયત છે, કે એ લડાઈમાં જનારા સિપાહીઓની વીરતાનાં ખોટાં બણગાં ન ફૂંકતાં, લડાઈમાં હોમાઈ જતા મીઠા દંપતી-જીવનની જ વેદના ગાય છે. પંજાબણ ગાય છે કે “લાહોરથી સીધો કાગળ આવ્યો છે. સૈનિકો બનીને જવા કોણ કોણ તૈયાર છે? મારા સસરા ભલે જાય, મારા કાકાજીને પણ મોકલવા હું ખુશી છું, દેરને-જેઠને પણ મોકલું. પણ, ઓ સૈયરો! મારો વર તો હજુ બાળક છે, એને હું કેમ મોકલું?”
લોકગીતોની એ જ ખાસિયત છે, કે એ લડાઈમાં જનારા સિપાહીઓની વીરતાનાં ખોટાં બણગાં ન ફૂંકતાં, લડાઈમાં હોમાઈ જતા મીઠા દંપતી-જીવનની જ વેદના ગાય છે. પંજાબણ ગાય છે કે “લાહોરથી સીધો કાગળ આવ્યો છે. સૈનિકો બનીને જવા કોણ કોણ તૈયાર છે? મારા સસરા ભલે જાય, મારા કાકાજીને પણ મોકલવા હું ખુશી છું, દેરને-જેઠને પણ મોકલું. પણ, ઓ સૈયરો! મારો વર તો હજુ બાળક છે, એને હું કેમ મોકલું?”
સોરઠી-ગુજરાતી લોકગીતોમાં પણ સિપાહીની વહુનાં આવાં જ અકબંધ ગીતો છે :
સોરઠી-ગુજરાતી લોકગીતોમાં પણ સિપાહીની વહુનાં આવાં જ અકબંધ ગીતો છે :
{{Poem2Close}}
<poem>
આવ્યા આવ્યા ઉગમણી ધરતીના રે  
આવ્યા આવ્યા ઉગમણી ધરતીના રે  
કાગળિયા આવ્યા રાજના રે લોલ.
કાગળિયા આવ્યા રાજના રે લોલ.
Line 20: Line 22:
દેર ઘેરે દેરાણી નાનેરું બાળ રે  
દેર ઘેરે દેરાણી નાનેરું બાળ રે  
મોલુંમાં એકલ નૈ રહે રે લોલ.
મોલુંમાં એકલ નૈ રહે રે લોલ.
</poem>
ઘેર રોકાવાનાં બહાનાં સૌને હતાં. કેવળ આ એકના જ સ્વામીને આખા કુટુંબે ધકેલ્યો, ત્યારે પત્નીએ એના ઘોડાને રોકીને પૂછ્યું :
ઘેર રોકાવાનાં બહાનાં સૌને હતાં. કેવળ આ એકના જ સ્વામીને આખા કુટુંબે ધકેલ્યો, ત્યારે પત્નીએ એના ઘોડાને રોકીને પૂછ્યું :
<poem>
ઝાલી ઝાલી ઘોડલિયાની વાઘું રે  
ઝાલી ઝાલી ઘોડલિયાની વાઘું રે  
કેટલે તે દા’ડે આવશો રે લોલ.
કેટલે તે દા’ડે આવશો રે લોલ.
</poem>
જવાબમાં લડાઈની ચાકરીએ જતા સ્વામીએ સાચું કહી દીધું : પાછા તો હવે આવી રહ્યા!
જવાબમાં લડાઈની ચાકરીએ જતા સ્વામીએ સાચું કહી દીધું : પાછા તો હવે આવી રહ્યા!
<poem>
ગણજો, ગોરી, પીપળડાનાં પાંદ રે  
ગણજો, ગોરી, પીપળડાનાં પાંદ રે  
એટલે ને દા’ડે આવશું રે લોલ.
એટલે ને દા’ડે આવશું રે લોલ.
</poem>
લશ્કરી નોકરીઓમાં જોડાવા જતા બહાદુર એ મર્દોની પ્રત્યેક જન્મભૂમિ — પંજાબ હો કે સૌરાષ્ટ્ર — સ્ત્રી-હૈયાંનાં આવાં સાચુકલાં (એટલે કે સત્યનિષ્ઠ) ઊર્મિગીતોથી ભરેલી હોય છે.
લશ્કરી નોકરીઓમાં જોડાવા જતા બહાદુર એ મર્દોની પ્રત્યેક જન્મભૂમિ — પંજાબ હો કે સૌરાષ્ટ્ર — સ્ત્રી-હૈયાંનાં આવાં સાચુકલાં (એટલે કે સત્યનિષ્ઠ) ઊર્મિગીતોથી ભરેલી હોય છે.
ખેતી કરતાં લશ્કરી નોકરી વધુ કસદાર હોય છે અને યુદ્ધક્ષેત્રથી પતિ નિયમિત ખરચી મોકલતો હોય છે તે છતાં પણ મારો ધણી હળ જ ખેડે એ મને વધુ ગમે છે, એવા ઉદ્ગારો કાઢનાર પંજાબણથી જરીકે જુદી નહિ એવી સોરઠિયાણી, પોતાના વિદાય લેતા ઘોડેસવાર પિયુને કહે છે :
ખેતી કરતાં લશ્કરી નોકરી વધુ કસદાર હોય છે અને યુદ્ધક્ષેત્રથી પતિ નિયમિત ખરચી મોકલતો હોય છે તે છતાં પણ મારો ધણી હળ જ ખેડે એ મને વધુ ગમે છે, એવા ઉદ્ગારો કાઢનાર પંજાબણથી જરીકે જુદી નહિ એવી સોરઠિયાણી, પોતાના વિદાય લેતા ઘોડેસવાર પિયુને કહે છે :
<poem>
તમને વા’લી દરબારી ચાકરી રે  
તમને વા’લી દરબારી ચાકરી રે  
અમને વા’લો તમારો જીવ  
અમને વા’લો તમારો જીવ  
ગુલાબી! નૈ જાવા દઉં ચાકરી રે.
ગુલાબી! નૈ જાવા દઉં ચાકરી રે.
</poem>
પંજાબી નારી પતિને વળાવી પાછી આવે છે ત્યારે કાંઈ કામ એને સૂઝતું નથી. ચૂલો પેટાવવાનું દિલ નથી થતું. હવાઈ ગયેલાં છાણાં સળગાવ્યાં છે તેના ધૂંધવાટનું બહાનું બતાવી પોતે રડતી બેસે છે. એવા ભાવના પંજાબી ગીતની જોડાજોડ બેઠેલું આપણું સોરઠી લોકગીત પોતાની નિરાળી ભાત પાડે છે :
પંજાબી નારી પતિને વળાવી પાછી આવે છે ત્યારે કાંઈ કામ એને સૂઝતું નથી. ચૂલો પેટાવવાનું દિલ નથી થતું. હવાઈ ગયેલાં છાણાં સળગાવ્યાં છે તેના ધૂંધવાટનું બહાનું બતાવી પોતે રડતી બેસે છે. એવા ભાવના પંજાબી ગીતની જોડાજોડ બેઠેલું આપણું સોરઠી લોકગીત પોતાની નિરાળી ભાત પાડે છે :
<poem>
વાલમ વળાવીને પાછી રે આવી  
વાલમ વળાવીને પાછી રે આવી  
ઊભી રઇ વડલા હેઠ, વા’લા
ઊભી રઇ વડલા હેઠ, વા’લા
Line 42: Line 52:
દેર કહે દુઃખ હું રે જાણું  
દેર કહે દુઃખ હું રે જાણું  
વાલમનાં વજોગ, વા’લા!
વાલમનાં વજોગ, વા’લા!
</poem>
એક પંજાબી લોકગીતમાં પરણીને તાજી જ આવેલી વહુ છે, લડાઈની ભરતીમાં તેડું આવે છે, ચાલ્યાં જતા પિયુને પંજાબણ વહુ કહે છે, મારે એકાદ બેટો હોત તો યે દા’ડા કાઢત. પતિ કહે છે, ગારાનો બેટો બનાવીને રમાડજે. પત્ની જવાબ વાળે છે, ‘પણ એ તો નવરાવતાં ઓગળી જ જાય ને!’ આ જવાબમાં રહેલી વેદનાને ન સહી શકતો ધણી ચૂપ રહીને ચાલી નીકળે છે. આવું જ એક ગુજરાતી લોકગીત ક્યાંઇક ભેટેલું હોવાના મને ભણકારા વાગે છે, પણ યાદ નથી આવતું. વેધકતાને હિસાબે એ ગીત અદ્વિતીય ગણાય.
એક પંજાબી લોકગીતમાં પરણીને તાજી જ આવેલી વહુ છે, લડાઈની ભરતીમાં તેડું આવે છે, ચાલ્યાં જતા પિયુને પંજાબણ વહુ કહે છે, મારે એકાદ બેટો હોત તો યે દા’ડા કાઢત. પતિ કહે છે, ગારાનો બેટો બનાવીને રમાડજે. પત્ની જવાબ વાળે છે, ‘પણ એ તો નવરાવતાં ઓગળી જ જાય ને!’ આ જવાબમાં રહેલી વેદનાને ન સહી શકતો ધણી ચૂપ રહીને ચાલી નીકળે છે. આવું જ એક ગુજરાતી લોકગીત ક્યાંઇક ભેટેલું હોવાના મને ભણકારા વાગે છે, પણ યાદ નથી આવતું. વેધકતાને હિસાબે એ ગીત અદ્વિતીય ગણાય.
ભાડૂતી લડવૈયાની રણક્ષેત્રની રણક્ષેત્ર પરની આખરી મનોદશાનો ચિતાર આપણું એક ગુજરાતી લોકગીત આપી રહ્યું છે :
ભાડૂતી લડવૈયાની રણક્ષેત્રની રણક્ષેત્ર પરની આખરી મનોદશાનો ચિતાર આપણું એક ગુજરાતી લોકગીત આપી રહ્યું છે :
<poem>
પે’લા જુહાર મારા દાદાજીને કે’જો,  
પે’લા જુહાર મારા દાદાજીને કે’જો,  
હોકલિયાનો ભરનારો દીકરો તારો ત્યાં રહ્યો.
હોકલિયાનો ભરનારો દીકરો તારો ત્યાં રહ્યો.
Line 54: Line 66:
પાંચમા જુહાર મારી પરણેતરને કે’જો,  
પાંચમા જુહાર મારી પરણેતરને કે’જો,  
ખોળામાં પોઢનારો પરણ્યો તારો ત્યાં રહ્યો.
ખોળામાં પોઢનારો પરણ્યો તારો ત્યાં રહ્યો.
</poem>
આવું ગીત પંજાબી લોકગીતોમાં પણ હશે.
આવું ગીત પંજાબી લોકગીતોમાં પણ હશે.
પોતાના વરની ચાકરી લખનારાઓ પ્રત્યે સ્ત્રી-હૃદયોએ લોકગીતોમાં વરાળો કાઢી છે કે ‘મરજો ચાકરીનો લખનારો રે’. પૈસા ખાતર અથવા તો બીજી કોઈ લાલચે કે મહત્ત્વાકાંક્ષાએ લડાઈમાં જનારા વરોને વિજોગણોએ મહેણાં માર્યાં છે કે ‘તમથી ભલાં ઓલ્યાં પંખીડાં રે, સાંજ પડ્યે આવે ઘેર, વા’લા!’ પરદેશની લડાઈઓમાં મશગુલ બનેલા સિપાહી-પતિને પાછો વાળવા માટે વહુ જે કાકલૂદીઓ કહાવે છે અને જે બહાનાં પહોંચાડે છે તેનો ચિતાર ‘મેંદી રંગ લાગ્યો રે’ના ગીતમાં હૂબહૂ છે. યુદ્ધની ઘેલછા કેટલી ભયંકર છે! ભાઈબહેનનાં લગ્ન તો ઠીક પણ માની જીવલેણ માંદગી પણ એને પાછો વળવા લલચાવી શકતી નથી, પણ વહુની આંખો ઊઠી છે એવું સાંભળતાં એ તુરત જ ‘હાલો સિપાઈઓ, હાલો ભાઈબંધીઓ, હવે હલકે બાંધો હથિયાર, મેંદી રંગ લાગ્યો રે’ એવી ઉતાવળ કરતો ઘરે વળે છે.
પોતાના વરની ચાકરી લખનારાઓ પ્રત્યે સ્ત્રી-હૃદયોએ લોકગીતોમાં વરાળો કાઢી છે કે ‘મરજો ચાકરીનો લખનારો રે’. પૈસા ખાતર અથવા તો બીજી કોઈ લાલચે કે મહત્ત્વાકાંક્ષાએ લડાઈમાં જનારા વરોને વિજોગણોએ મહેણાં માર્યાં છે કે ‘તમથી ભલાં ઓલ્યાં પંખીડાં રે, સાંજ પડ્યે આવે ઘેર, વા’લા!’ પરદેશની લડાઈઓમાં મશગુલ બનેલા સિપાહી-પતિને પાછો વાળવા માટે વહુ જે કાકલૂદીઓ કહાવે છે અને જે બહાનાં પહોંચાડે છે તેનો ચિતાર ‘મેંદી રંગ લાગ્યો રે’ના ગીતમાં હૂબહૂ છે. યુદ્ધની ઘેલછા કેટલી ભયંકર છે! ભાઈબહેનનાં લગ્ન તો ઠીક પણ માની જીવલેણ માંદગી પણ એને પાછો વળવા લલચાવી શકતી નથી, પણ વહુની આંખો ઊઠી છે એવું સાંભળતાં એ તુરત જ ‘હાલો સિપાઈઓ, હાલો ભાઈબંધીઓ, હવે હલકે બાંધો હથિયાર, મેંદી રંગ લાગ્યો રે’ એવી ઉતાવળ કરતો ઘરે વળે છે.
18,450

edits

Navigation menu