26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 299: | Line 299: | ||
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૬)}} | {{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૬)}} | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
‘થા, ખા, ગા, જા, પા’ જેવા પ્રાસ પણ વિરલ. આ કવિને અંધકારનો ‘પવન રૂપેરી’ આવતો અનુભવાય છે. આ કવિને ‘ઊઘડતી દીવાલો’ જ નહિ, ‘ગગન ખોલતી બારી’યે લાધી છે. આથી જ તેઓ ‘પડઘાની પેેલે પાર’ જવાનો કીમિયો જાણે છે. સ્વપ્નાં તેમ જ ‘જળ વાદળ ને વીજ’નાં રહસ્ય પામવા તેઓ મથે છે. ‘ચિદાકાશનાં ચાંદરણાં’ એમના ભીતર ને અજવાળતાં રહ્યાં છે. અધ્યાત્મની એક બારી એમની અંદર ઉઘાડ પામી છે. આથી જ એમનો શબ્દ અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોને તાગે છે! (‘એક શબદ જો સધાય સાચો, / ગઢ ભાષાનો ભેદું’) આ કવિને અજબ ઇલમ લાધ્યો છે. આથી તેઓ ઘટમાં ગગન ઉડાડે છે! આથી જ કવિમાં કોઈ આંધળું પંખી, તણખલે ગગન બાંધ્યા કરે છે! પડઘા સતની નાડ ભીંસે છે ત્યારે કવિના પંડમાં તિરાડ પડે છે! આ કવિ સતની ડાળ સાહીને સકળને તાગે છે. સતત ઊછળતાં મોજાં વચ્ચે આ કવિના ઉતારા છે! | |||
કેળવણીનાં બીજ રોપવાની સાથે સાથે બાળકોની કલ્પનાશક્તિને ખીલવે તેવાં બાળકાવ્યો પણ આ કવિ પાસેથી મળ્યાં છે. ‘ચાંદલિયાની ગાડી’, ‘હું તો ચાલું મારી જેમ!’ અને ‘ઘોડે ચડીને આવું છું’ એમના બાળકાવ્યસંગ્રહો. પ્રૌઢો માટે પણ આ કવિએ ‘પ્રૌઢશિક્ષણ ગીતમાળા’ રચી છે. | |||
ઉમાશંકર જોશીએ નોંધ્યું છે : ‘ચંદ્રકાન્ત બહુ ઝીણું જોનારો માણસ છે.’ તો નિરંજન ભગતને લાગ્યું છે : ‘લાભશંકર ઠાકર અને સિતાંશુ પછી આ ચંદ્રકાન્ત એક એવો કવિ છે, જેના પર ચાંપતી નજર રાખવી ઘટે.’ | |||
આ કવિ વિશે એમના સમકાલીન કવિ સિતાંશુ યશશ્ચંદ્રે લખ્યું છે — | |||
‘‘…વહેવારુ અંતિમો તરફથી આવતાં દબાણોને એ વશ થતા નથી. એમની કવિતાના મૂળને એક શોધક ચેતના અને એક શોધનપ્રક્રિયાનું સંયુક્ત રસાયણ પોષણ આપતું જણાય છે. જાતને અને જગતને આ કવિ ફંફોસ્યા કરે છે. શોધતો ફરે છે. સાથે જ એ પોતાનું શોધન કરતો રહે છે. નિર્મળ થતો રહે છે. ‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ’ અને ‘ઊંડું જોયું, અઢળક જોયું’ બંને પંક્તિઓના કવિ એક જ છે. જળ અને જાળ, બંનેને એ જામે છે અને જાળવે છે… … … | |||
શેઠસાહેબની દોસ્તી આજકાલ કરતાં મને અડધી સદીથી મળી છે. અડગ છે. કોમળ છે. નિર્મળ છે. એમના જેવી જ. ને મારો એક વિસામો છે.’’ | |||
સન્મિત્ર અને પડોશી રઘુવીર ચૌધરીએ ચંદ્રકાન્ત શેઠ વિશે નોંધ્યું છે: | |||
‘…ગુફાવાસી રહી કામ કરવું, ધૂળધોયાનાં કામ કરવાં, નેપથ્યે રહી પોતાનો સદર્થે ઉપયોગ થવા દેવો; એટલું જ નહીં, પ્રસિદ્ધિની પરેજી પાળવાની ટેવ પણ ખરી. એ સંન્યાસીની મનોદશા ધરાવે છે એવું કહેવાનો આશય નથી. જીવનરસની એમણે કદાપિ ઉપેક્ષા કરી નથી. દાઉદખાની ઘઉંમાંથી નીકળેલી માટીમાંથી એમણે ભગવાન બુદ્ધ બનાવ્યા હતા. વિરલ હતું એ શિલ્પ. ગાવાનું કહીએ તો ટાળે, પણ એક વાર ગાતાં ગાતાં સૂરો શાસ્ત્રીય બની ગયા. આલાપમાં પણ ઊણપ ન રહી.’ | |||
એમનાં વિદ્યાર્થિની શ્રદ્ધા ત્રિવેદીએ ગુરુ વિશે લખ્યું છે: | |||
‘તેઓ તત્ત્વતઃ તો શબ્દ દ્વારા આત્મખોજ કરવામાં એકાગ્રપણે રસ લેતા ‘વાગ્યોગધર્મી કવિ’ છે.’ | |||
એક મુલાકાતમાં આ કવિએ કહ્યું છે તેમ, ‘કવિની સચ્ચાઈ ને સર્જન-ક્ષણની તન્મયતા વિશેષભાવે ગીતમાં અપેક્ષિત છે. ગીતમાં કવિની સર્જનાત્મક ક્ષણની એક ગુંજ પ્રગટતી હોય છે.’ ગીત-સ્વરૂપે તો આ કવિને હૈયે-માથે હાથ મૂકીને જાણે આશીર્વાદ આપ્યા છે. અંદરના અધ્યાત્મ વિના, પંડમાંથી ઊઠતી ઈશ્વરની ગુંજ વિના કેટલીક પંક્તિઓ પ્રગટી જ ના શકે. — | |||
‘આખો દરિયો તેં જાળ મહીં ઝાલ્યો ને માછલી જ બાકી?’ | |||
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૦)}} | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
* | |||
‘નભ ખોલીને જોયું, પંખી નથી નથી; | |||
જળ ખોલીને જોયું, મોતી નથી નથી.’ | |||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૨) | |||
* | |||
‘મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું; | |||
દિલનો દરિયો આંખે ઊછળે તો લાગે કંઈ દીઠું!’ | |||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯) | |||
* | |||
‘પંખી ટહુકે દૂર | |||
અને અહીં ગગન ખોલતી બારી!’ | |||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯) | |||
* | |||
‘અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું? | |||
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું?’ | |||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૦) | |||
* | |||
‘ઊંડું જોયું. અઢળક જોયું; | |||
મનમાં જોયું, મબલક જોયું.’ | |||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૪) | |||
* | |||
‘અંદર જેની છલક છલક છે, એનો મારે છંદ.’ | |||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૬) | |||
* | |||
‘શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને, | |||
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.’ | |||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૭) | |||
* | |||
‘જલને જાણે ફૂલ ફૂટિયાં, | |||
જલને આવ્યાં પાન’ | |||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૯) | |||
* | |||
‘બારીમાંથી ગગન પાડતું સાદ! | |||
સાદ ના પાડો. | |||
અમે દીવાલો, નથી અમારે પાંખ: | |||
સાદ ના પાડો.’ | |||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૧) | |||
* | |||
‘ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.’ | |||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૧) | |||
* | |||
‘અજિબ ઇલમ હૈ હમરે અંદર; | |||
કણ કણ દેખો મસ્ત કલંદર!’ | |||
આ કવિમાં ગીતનાં તો જાણે મોજાં પર મોજાં પર મોજાં ઊમટે છે! ગીત-પ્રાકટ્ય માટેય આ કવિની જ પંક્તિઓ ટાંકું — | |||
‘કોઈ ભીતરનાં તલ ભેદીને | |||
સૂતાં ઝરણ જગાવે, | |||
કોઈ ઘાટ પર આવી ઘટમાં | |||
નભગંગા પ્રગટાવે, | |||
એવી આજે લ્હેર ચઢી જે | |||
મૂળથી મને ઉઠાવે!’ | |||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૫, ૯૬) | |||
* | |||
ક્યારેક ગઝલ પણ તીર પર તોફાન લઈને આવે છે અને આ કવિના પંડમાં ટહુકા કરી જાય છે. બે-ત્રણ શે’ર — | |||
‘એક પંખી શોધતું આકાશમાં | |||
નીડ જેવી ક્યાંય છે ખાલી જગા?’ | |||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૪) | |||
* | |||
‘એકબે શબ્દો ગઝલના માંડ આ હોઠે ચડ્યા, | |||
ત્યાં જ હું ગાલિબ મિયાંની હોડ બકવા નીકળ્યો!’ | |||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૭) | |||
* | |||
‘પાંદડે ખળભળ ઘણી, | |||
મૂળ ઊંડે શાન્ત છે!’ | |||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૦) | |||
* | |||
આ કવિએ સુંદર આધુનિક કાવ્યો આપ્યાં છે પણ કવિની ભીતરનું અધ્યાત્મ એમને અન્ય આધુનિકોની જેમ હતાશ — નિરાશાવાદી બનવા દે તેમ નથી, કવિને આશા છે, શ્રદ્ધા છે — | |||
‘મધપૂડો હજુય દૂઝ્યા કરે છે ઊંડે ઊંડે | |||
ને તેથી જ ફૂલોના ડંખ હજી જીરવાશે | |||
ને પડઘાની પેલે પાર નીકળી શકાશે હસતાં હસતાં.’ | |||
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૬૯)}} | |||
<center>*</center> | |||
કવિ આશાવાદી છે, પણ ભીતર ભારોભાર વેદના, પીડા ને ભીંસ પણ છે. ‘કયા રસ્તે કોણ આવશે, શી ખબર!’ કાવ્યમાં ભીતરની ભીંસ આમ વ્યક્ત થાય છે — | |||
'''‘શું આ મારું ઘર જ મારું કતલખાનું?''' | |||
'''આ વરુઓના દાંત ને નહોર''' | |||
'''કેમ લાગે છે મને મારા?''' | |||
'''જાણે હું કોળિયો થઈ રહ્યો છું મારી ભૂખનો!''' | |||
'''હું જ બકરી ને હું જ વરુ!''' | |||
'''ક્યાં ભાગું?''' | |||
'''કેમ બચું?''' | |||
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૪૨)}} | |||
</poem> | </poem> |
edits