શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ : મૂળની સાથે મેળ, સત સાથે સુમેળ -યોગેશ જોષી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 299: Line 299:


{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૬)}}
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૬)}}
</poem>
{{Poem2Open}}
‘થા, ખા, ગા, જા, પા’ જેવા પ્રાસ પણ વિરલ. આ કવિને અંધકારનો ‘પવન રૂપેરી’ આવતો અનુભવાય છે. આ કવિને ‘ઊઘડતી દીવાલો’ જ નહિ, ‘ગગન ખોલતી બારી’યે લાધી છે. આથી જ તેઓ ‘પડઘાની પેેલે પાર’ જવાનો કીમિયો જાણે છે. સ્વપ્નાં તેમ જ ‘જળ વાદળ ને વીજ’નાં રહસ્ય પામવા તેઓ મથે છે. ‘ચિદાકાશનાં ચાંદરણાં’ એમના ભીતર ને અજવાળતાં રહ્યાં છે. અધ્યાત્મની એક બારી એમની અંદર ઉઘાડ પામી છે. આથી જ એમનો શબ્દ અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોને તાગે છે! (‘એક શબદ જો સધાય સાચો, / ગઢ ભાષાનો ભેદું’) આ કવિને અજબ ઇલમ લાધ્યો છે. આથી તેઓ ઘટમાં ગગન ઉડાડે છે! આથી જ કવિમાં કોઈ આંધળું પંખી, તણખલે ગગન બાંધ્યા કરે છે! પડઘા સતની નાડ ભીંસે છે ત્યારે કવિના પંડમાં તિરાડ પડે છે! આ કવિ સતની ડાળ સાહીને સકળને તાગે છે. સતત ઊછળતાં મોજાં વચ્ચે આ કવિના ઉતારા છે!
કેળવણીનાં બીજ રોપવાની સાથે સાથે બાળકોની કલ્પનાશક્તિને ખીલવે તેવાં બાળકાવ્યો પણ આ કવિ પાસેથી મળ્યાં છે. ‘ચાંદલિયાની ગાડી’, ‘હું તો ચાલું મારી જેમ!’ અને ‘ઘોડે ચડીને આવું છું’ એમના બાળકાવ્યસંગ્રહો. પ્રૌઢો માટે પણ આ કવિએ ‘પ્રૌઢશિક્ષણ ગીતમાળા’ રચી છે.
ઉમાશંકર જોશીએ નોંધ્યું છે : ‘ચંદ્રકાન્ત બહુ ઝીણું જોનારો માણસ છે.’ તો નિરંજન ભગતને લાગ્યું છે : ‘લાભશંકર ઠાકર અને સિતાંશુ પછી આ ચંદ્રકાન્ત એક એવો કવિ છે, જેના પર ચાંપતી નજર રાખવી ઘટે.’
આ કવિ વિશે એમના સમકાલીન કવિ સિતાંશુ યશશ્ચંદ્રે લખ્યું છે —
‘‘…વહેવારુ અંતિમો તરફથી આવતાં દબાણોને એ વશ થતા નથી. એમની કવિતાના મૂળને એક શોધક ચેતના અને એક શોધનપ્રક્રિયાનું સંયુક્ત રસાયણ પોષણ આપતું જણાય છે. જાતને અને જગતને આ કવિ ફંફોસ્યા કરે છે. શોધતો ફરે છે. સાથે જ એ પોતાનું શોધન કરતો રહે છે. નિર્મળ થતો રહે છે. ‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ’ અને ‘ઊંડું જોયું, અઢળક જોયું’ બંને પંક્તિઓના કવિ એક જ છે. જળ અને જાળ, બંનેને એ જામે છે અને જાળવે છે… … …
શેઠસાહેબની દોસ્તી આજકાલ કરતાં મને અડધી સદીથી મળી છે. અડગ છે. કોમળ છે. નિર્મળ છે. એમના જેવી જ. ને મારો એક વિસામો છે.’’
સન્મિત્ર અને પડોશી રઘુવીર ચૌધરીએ ચંદ્રકાન્ત શેઠ વિશે નોંધ્યું છે:
‘…ગુફાવાસી રહી કામ કરવું, ધૂળધોયાનાં કામ કરવાં, નેપથ્યે રહી પોતાનો સદર્થે ઉપયોગ થવા દેવો; એટલું જ નહીં, પ્રસિદ્ધિની પરેજી પાળવાની ટેવ પણ ખરી. એ સંન્યાસીની મનોદશા ધરાવે છે એવું કહેવાનો આશય નથી. જીવનરસની એમણે કદાપિ ઉપેક્ષા કરી નથી. દાઉદખાની ઘઉંમાંથી નીકળેલી માટીમાંથી એમણે ભગવાન બુદ્ધ બનાવ્યા હતા. વિરલ હતું એ શિલ્પ. ગાવાનું કહીએ તો ટાળે, પણ એક વાર ગાતાં ગાતાં સૂરો શાસ્ત્રીય બની ગયા. આલાપમાં પણ ઊણપ ન રહી.’
એમનાં વિદ્યાર્થિની શ્રદ્ધા ત્રિવેદીએ ગુરુ વિશે લખ્યું છે:
‘તેઓ તત્ત્વતઃ તો શબ્દ દ્વારા આત્મખોજ કરવામાં એકાગ્રપણે રસ લેતા ‘વાગ્યોગધર્મી કવિ’ છે.’
એક મુલાકાતમાં આ કવિએ કહ્યું છે તેમ, ‘કવિની સચ્ચાઈ ને સર્જન-ક્ષણની તન્મયતા વિશેષભાવે ગીતમાં અપેક્ષિત છે. ગીતમાં કવિની સર્જનાત્મક ક્ષણની એક ગુંજ પ્રગટતી હોય છે.’ ગીત-સ્વરૂપે તો આ કવિને હૈયે-માથે હાથ મૂકીને જાણે આશીર્વાદ આપ્યા છે. અંદરના અધ્યાત્મ વિના, પંડમાંથી ઊઠતી ઈશ્વરની ગુંજ વિના કેટલીક પંક્તિઓ પ્રગટી જ ના શકે. —
‘આખો દરિયો તેં જાળ મહીં ઝાલ્યો ને માછલી જ બાકી?’
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૦)}}
{{Poem2Close}}
<poem>
*
‘નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી.’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૨)
*
‘મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું;
દિલનો દરિયો આંખે ઊછળે તો લાગે કંઈ દીઠું!’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯)
*
‘પંખી ટહુકે દૂર
અને અહીં ગગન ખોલતી બારી!’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯)
*
‘અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું?’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૦)
*
‘ઊંડું જોયું. અઢળક જોયું;
મનમાં જોયું, મબલક જોયું.’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૪)
*
‘અંદર જેની છલક છલક છે, એનો મારે છંદ.’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૬)
*
‘શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૭)
*
‘જલને જાણે ફૂલ ફૂટિયાં,
જલને આવ્યાં પાન’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૯)
*
‘બારીમાંથી ગગન પાડતું સાદ!
સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ:
સાદ ના પાડો.’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૧)
*
‘ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૧)
*
‘અજિબ ઇલમ હૈ હમરે અંદર;
કણ કણ દેખો મસ્ત કલંદર!’
આ કવિમાં ગીતનાં તો જાણે મોજાં પર મોજાં પર મોજાં ઊમટે છે! ગીત-પ્રાકટ્ય માટેય આ કવિની જ પંક્તિઓ ટાંકું —
‘કોઈ ભીતરનાં તલ ભેદીને
સૂતાં ઝરણ જગાવે,
કોઈ ઘાટ પર આવી ઘટમાં
નભગંગા પ્રગટાવે,
એવી આજે લ્હેર ચઢી જે
મૂળથી મને ઉઠાવે!’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૫, ૯૬)
*
ક્યારેક ગઝલ પણ તીર પર તોફાન લઈને આવે છે અને આ કવિના પંડમાં ટહુકા કરી જાય છે. બે-ત્રણ શે’ર —
‘એક પંખી શોધતું આકાશમાં
નીડ જેવી ક્યાંય છે ખાલી જગા?’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૪)
*
‘એકબે શબ્દો ગઝલના માંડ આ હોઠે ચડ્યા,
ત્યાં જ હું ગાલિબ મિયાંની હોડ બકવા નીકળ્યો!’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૭)
*
‘પાંદડે ખળભળ ઘણી,
મૂળ ઊંડે શાન્ત છે!’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૦)
*
આ કવિએ સુંદર આધુનિક કાવ્યો આપ્યાં છે પણ કવિની ભીતરનું અધ્યાત્મ એમને અન્ય આધુનિકોની જેમ હતાશ — નિરાશાવાદી બનવા દે તેમ નથી, કવિને આશા છે, શ્રદ્ધા છે —
‘મધપૂડો હજુય દૂઝ્યા કરે છે ઊંડે ઊંડે
ને તેથી જ ફૂલોના ડંખ હજી જીરવાશે
ને પડઘાની પેલે પાર નીકળી શકાશે હસતાં હસતાં.’
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૬૯)}}
<center>*</center>
કવિ આશાવાદી છે, પણ ભીતર ભારોભાર વેદના, પીડા ને ભીંસ પણ છે. ‘કયા રસ્તે કોણ આવશે, શી ખબર!’ કાવ્યમાં ભીતરની ભીંસ આમ વ્યક્ત થાય છે —
'''‘શું આ મારું ઘર જ મારું કતલખાનું?'''
'''આ વરુઓના દાંત ને નહોર'''
'''કેમ લાગે છે મને મારા?'''
'''જાણે હું કોળિયો થઈ રહ્યો છું મારી ભૂખનો!'''
'''હું જ બકરી ને હું જ વરુ!'''
'''ક્યાં ભાગું?'''
'''કેમ બચું?'''
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૪૨)}}
</poem>
</poem>
26,604

edits

Navigation menu