સરસ્વતીચંદ્ર ભાગ ૩/મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુટુંબ.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 160: Line 160:
બારણે મહારાજની સવારી પાસે આવી.
બારણે મહારાજની સવારી પાસે આવી.


રત્નનગરીના જુવાન મહારાજ મણિરાજનું વય આજ વીશ એકવીશ વર્ષનું હશે, એના પિતા મલ્લરાજ ગુજરી ગયે બે ત્રણ વર્ષ થયાં હતાં અને મણિરાજ ગાદી ઉપર બેઠા પ્હેલાં થોડા કાળ ઉપર વિદ્યાચતુરને પ્રધાનપદ મળેલું હતું. મણિરાજને ન્હાનપણમાંથી મૃગયાનો સ્વાદ પડેલો હતો અને તે દિવસે દિવસે વધેલો હતો. સુંદરગિરિ અને મનહરપુરીની આસપાસનાં જંગલો આ વૃત્તિને ઘણાં અનુકૂલ હતાં, કારણ તેમાં મનુષ્યની વસ્તી આછી અને પશુની વસતી ઘાડી હતી. એ જંગલનું લાકડ પોતાની જાતની આજ્ઞા વિના કપાય નહીં અને જંગલનો નાશ થાય નહી એ વાતની મણિરાજ જાતે વ્યવસ્થા રાખતો. જ્યાં જંગલ ઘાડું ત્યાં દુષ્કાળની ભીતિ ઓછી એ નવીન શાસ્ત્ર મણિરાજને ગમી ગયું હતું, કારણ જંગલના રક્ષણથી મૃગયાના સ્વાદભોગને અનુકૂલતા હતી એટલું જ નહીં પણ જુની વાતોના નાશના આ યુગમાં કાંઈપણ પ્રાચીન પદાર્થનું રક્ષણ નવા શાસ્ત્રને બળે થતું હોય તો તે શાસ્ત્રનું ગ્રહણ કરવામાં મણિરાજને ઓર આનંદ મળતો. એ શુદ્ધ રાજપુત્ર[૧] ઉચ્ચાભિલાષનો ગર્ભશ્રીમંત હતો, અને એ અભિલાષ-લક્ષ્મીને
રત્નનગરીના જુવાન મહારાજ મણિરાજનું વય આજ વીશ એકવીશ વર્ષનું હશે, એના પિતા મલ્લરાજ ગુજરી ગયે બે ત્રણ વર્ષ થયાં હતાં અને મણિરાજ ગાદી ઉપર બેઠા પ્હેલાં થોડા કાળ ઉપર વિદ્યાચતુરને પ્રધાનપદ મળેલું હતું. મણિરાજને ન્હાનપણમાંથી મૃગયાનો સ્વાદ પડેલો હતો અને તે દિવસે દિવસે વધેલો હતો. સુંદરગિરિ અને મનહરપુરીની આસપાસનાં જંગલો આ વૃત્તિને ઘણાં અનુકૂલ હતાં, કારણ તેમાં મનુષ્યની વસ્તી આછી અને પશુની વસતી ઘાડી હતી. એ જંગલનું લાકડ પોતાની જાતની આજ્ઞા વિના કપાય નહીં અને જંગલનો નાશ થાય નહી એ વાતની મણિરાજ જાતે વ્યવસ્થા રાખતો. જ્યાં જંગલ ઘાડું ત્યાં દુષ્કાળની ભીતિ ઓછી એ નવીન શાસ્ત્ર મણિરાજને ગમી ગયું હતું, કારણ જંગલના રક્ષણથી મૃગયાના સ્વાદભોગને અનુકૂલતા હતી એટલું જ નહીં પણ જુની વાતોના નાશના આ યુગમાં કાંઈપણ પ્રાચીન પદાર્થનું રક્ષણ નવા શાસ્ત્રને બળે થતું હોય તો તે શાસ્ત્રનું ગ્રહણ કરવામાં મણિરાજને ઓર આનંદ મળતો. એ શુદ્ધ રાજપુત્ર<ref>રાજપુત્ર-રજપુત</ref> ઉચ્ચાભિલાષનો ગર્ભશ્રીમંત હતો, અને એ અભિલાષ-લક્ષ્મીને


૧. રાજપુત્ર-રજપુત
​વિદ્યાચતુરની બુદ્ધિએ ચોપાસ વિકસાવી વિસ્તારી હતી. વિદ્યાચતુર
​વિદ્યાચતુરની બુદ્ધિએ ચોપાસ વિકસાવી વિસ્તારી હતી. વિદ્યાચતુર
બ્રાહ્મણ હતો પણ એવું માનતો કે ક્ષાત્રઉદ્રેકનું[૧] રક્ષણ કરે એવું જીવન આ સમયમાં મૃગયાથી ર્‌હે એમ છે અને તેથી ન્હાનપણમાંથી એની સૂચનાને આધારે મલ્લરાજે મણિરાજની આશપાસ શૂરા રજપુતોનો કીલ્લો બાંધી મુક્યો હતો અને તેમના સંગમાં મણિરાજનું ક્ષાત્રતેજ દિવસે દિવસે પ્રદીપ્ત થવા પામ્યું હતું. વિદ્યાચતુરની આ સૂચના એને વીશે મલ્લરાજના મનમાં ઉચ્ચ અભિપ્રાય બંધાવનારી થઈ પડી હતી. કારણ “મ્હારા પુત્રને બ્રાહ્મણ - વાણીયો ન કરશો.” એ આજ્ઞાનું આ સૂચનાથી પાલન થયું હતું. છતાં વિદ્યાચતુરે પોતાનું બ્રાહ્મણત્વ ઢાંક્યું પણ ન હતું, રજપુતોના ગુણની સાથે તેમના દોષ પણ મણિરાજમાં આવી જાય નહી તેને વાસ્તે પોતે અત્યંત ખંત રાખતો. એટલું જ નહીં, પણ એની બ્રાહ્મણતા બાળક રાજપુત્રને હાસ્યાસ્પદ લાગે નહી અને તેથી એની બુદ્ધિ ઉપર બીજા વિષયમાં પણ અનાસ્થા થઈ જાય નહી એટલા માટે, આટલા ક્ષાત્ર વ્યસનનું મૂલ્ય એની બુદ્ધિ સમજે છે એવી આસ્થા કોમળ વયના રાજપુત્રના મનમાં વધારવામાં પણ આ સૂચના સહાયભૂત થઈ પડી હતી. આથી બીજા રજપુતોને પણ આ બ્રાહ્મણમાં કાંઈ છિદ્ર ક્‌હાડવાની બારી ર્‌હેતી ન હતી, અને તેમને અને રાજકુમારનો સંગ રાખનાર ઉપર પ્રીતિ ર્‌હેતી. મૃગયાથી રાજકુમાર પાછો ફરે ત્યારે તે તરત વિદ્યાચતુરને મળે, મૃગયાનું વર્ણન કરે, અને પોતાના સહચારી રજપુત બાળકોની વાર્તાઓ તથા ચર્ચાઓ પણ વિશ્રામ્ભથી [૨] કહી જાય એવો વ્યવહાર રાખ્યો હતો. તે પ્રસંગનો લાભ લઈ એ બાળકોથી તેમ એ બાળકોમાં કંઈપણ અસદ્વિચાર અથવા સદાચારનું બીજ ઉત્પન્ન થતું હોય તે શોધી ક્‌હાડવાની; અને જડે તો તે બીજને બીજ દશામાં જ નાશ કરવાની, વિદ્યાચતુર ખંત રાખતો, અને એક રાજકુમારને ઠેકાણે અનેક રાજપુત્રોનાં બાળકોનો પોતે પ્રિય ગુરુ થઈ પડ્યો હતો. આ બાળકો ઘેર જઈ માબાપની પાસે રસથી વાતો કરે તેથી વર્તમાન રજપુત મંડળનો વિદ્યાચતુર માનીતો થયો હતો. બ્રાહ્મણ-ક્ષત્રિયનો હૃદય-ભેદ એની વાતમાં આથી દૂર થયો હતો. આ સર્વ સ્થિતિનો લાભ લેઈ મૃગયાના વ્યસનમાં રહેલું અમૃત રાખી વિદ્યાચતુરે તેમાંનું વિષ ઉતાર્યું. રાજાનો ધર્મ અને રાજાનું પરાક્રમ એ છે કે નિર્દોષ અને નિર્બળનું રક્ષણ કરવું અને દુષ્ટને શાસન કરવું. આ જ ન્યાય મનુષ્યપ્રજામાં તેમ પશુવર્ગમાં પ્રવર્તાવવાનો અભિલાષ મણિરાજમાં વધાર્યો, મૃગયા કરવી પણ મૃગ અને સસલાં જેવાં નિર્દોષ પ્રાણીનો ઘાત કરવાનો તિરસ્કાર અને સિંહ
બ્રાહ્મણ હતો પણ એવું માનતો કે ક્ષાત્રઉદ્રેકનું<ref> ક્ષાત્ર ઉદ્રેક = martial spirit; ક્ષત્રિયના શૌર્યનું ઉભરાતું પૂર</ref> રક્ષણ કરે એવું જીવન આ સમયમાં મૃગયાથી ર્‌હે એમ છે અને તેથી ન્હાનપણમાંથી એની સૂચનાને આધારે મલ્લરાજે મણિરાજની આશપાસ શૂરા રજપુતોનો કીલ્લો બાંધી મુક્યો હતો અને તેમના સંગમાં મણિરાજનું ક્ષાત્રતેજ દિવસે દિવસે પ્રદીપ્ત થવા પામ્યું હતું. વિદ્યાચતુરની આ સૂચના એને વીશે મલ્લરાજના મનમાં ઉચ્ચ અભિપ્રાય બંધાવનારી થઈ પડી હતી. કારણ “મ્હારા પુત્રને બ્રાહ્મણ - વાણીયો ન કરશો.” એ આજ્ઞાનું આ સૂચનાથી પાલન થયું હતું. છતાં વિદ્યાચતુરે પોતાનું બ્રાહ્મણત્વ ઢાંક્યું પણ ન હતું, રજપુતોના ગુણની સાથે તેમના દોષ પણ મણિરાજમાં આવી જાય નહી તેને વાસ્તે પોતે અત્યંત ખંત રાખતો. એટલું જ નહીં, પણ એની બ્રાહ્મણતા બાળક રાજપુત્રને હાસ્યાસ્પદ લાગે નહી અને તેથી એની બુદ્ધિ ઉપર બીજા વિષયમાં પણ અનાસ્થા થઈ જાય નહી એટલા માટે, આટલા ક્ષાત્ર વ્યસનનું મૂલ્ય એની બુદ્ધિ સમજે છે એવી આસ્થા કોમળ વયના રાજપુત્રના મનમાં વધારવામાં પણ આ સૂચના સહાયભૂત થઈ પડી હતી. આથી બીજા રજપુતોને પણ આ બ્રાહ્મણમાં કાંઈ છિદ્ર ક્‌હાડવાની બારી ર્‌હેતી ન હતી, અને તેમને અને રાજકુમારનો સંગ રાખનાર ઉપર પ્રીતિ ર્‌હેતી. મૃગયાથી રાજકુમાર પાછો ફરે ત્યારે તે તરત વિદ્યાચતુરને મળે, મૃગયાનું વર્ણન કરે, અને પોતાના સહચારી રજપુત બાળકોની વાર્તાઓ તથા ચર્ચાઓ પણ વિશ્રામ્ભથી <ref>કંઈ વાત સામાની પાસે ક્‌હેતાં મન આંચકો ખાય નહી એવા વિશ્વાસ.</ref> કહી જાય એવો વ્યવહાર રાખ્યો હતો. તે પ્રસંગનો લાભ લઈ એ બાળકોથી તેમ એ બાળકોમાં કંઈપણ અસદ્વિચાર અથવા સદાચારનું બીજ ઉત્પન્ન થતું હોય તે શોધી ક્‌હાડવાની; અને જડે તો તે બીજને બીજ દશામાં જ નાશ કરવાની, વિદ્યાચતુર ખંત રાખતો, અને એક રાજકુમારને ઠેકાણે અનેક રાજપુત્રોનાં બાળકોનો પોતે પ્રિય ગુરુ થઈ પડ્યો હતો. આ બાળકો ઘેર જઈ માબાપની પાસે રસથી વાતો કરે તેથી વર્તમાન રજપુત મંડળનો વિદ્યાચતુર માનીતો થયો હતો. બ્રાહ્મણ-ક્ષત્રિયનો હૃદય-ભેદ એની વાતમાં આથી દૂર થયો હતો. આ સર્વ સ્થિતિનો લાભ લેઈ મૃગયાના વ્યસનમાં રહેલું અમૃત રાખી વિદ્યાચતુરે તેમાંનું વિષ ઉતાર્યું. રાજાનો ધર્મ અને રાજાનું પરાક્રમ એ છે કે નિર્દોષ અને નિર્બળનું રક્ષણ કરવું અને દુષ્ટને શાસન કરવું. આ જ ન્યાય મનુષ્યપ્રજામાં તેમ પશુવર્ગમાં પ્રવર્તાવવાનો અભિલાષ મણિરાજમાં વધાર્યો, મૃગયા કરવી પણ મૃગ અને સસલાં જેવાં નિર્દોષ પ્રાણીનો ઘાત કરવાનો તિરસ્કાર અને સિંહ


૧. ક્ષાત્ર ઉદ્રેક = martial spirit; ક્ષત્રિયના શૌર્યનું ઉભરાતું પૂર.
૨. કંઈ વાત સામાની પાસે ક્‌હેતાં મન આંચકો ખાય નહી એવા વિશ્વાસ.
​વાઘ આદિ ક્રૂર પ્રાણીયોને નાશ કરવામાં આગ્રહ એ બેને માળી
​વાઘ આદિ ક્રૂર પ્રાણીયોને નાશ કરવામાં આગ્રહ એ બેને માળી
વિદ્યાચતુરે ચતુરાઈથી મણિરાજના ઉચ્ચ મૃગયાભિલાષરૂપ વેલાને ચ્હડવાના આધારવૃક્ષ કરી રાખ્યા હતા. આ અભિલાષ અમાંસાહારી વસ્તીનો પણ રક્ષક હતો અને રાજ્યનાં જંગલોને પણ રક્ષક થઈ પડ્યો હતો. ગ્રીષ્મ ઋતુના અનુકૂળ સમયમાં આ અભિલાષનો ધારક મહારાજ મણિરાજ રાતના પાંચ વાગતાં આજ મૃગયા રમવા નીકળી પડેલો હતો, એક સિંહનો શીકાર જડી આવવાથી તેનું મન પ્રફુલ્લ થયું હતું, અને એટલામાં જ વસ્તીની ભાળ રાખવામાં જાગૃત રાજાને બ્હારવટીયાના સમાચાર મળવાથી તે અચીન્ત્યો અત્યારે મનહરપુરીમાં આવી ચ્હડ્યો હતો. વૃક્ષ, પશુ અને મનુષ્યોનો મહારાજ પોતાના ન્હાનકડા ગામમાં પ્રાત:કાળમાં પધારતો જોઈ ગરીબ વસ્તી તેને સત્કાર દેવા અત્યારે તરવરવા લાગી.
વિદ્યાચતુરે ચતુરાઈથી મણિરાજના ઉચ્ચ મૃગયાભિલાષરૂપ વેલાને ચ્હડવાના આધારવૃક્ષ કરી રાખ્યા હતા. આ અભિલાષ અમાંસાહારી વસ્તીનો પણ રક્ષક હતો અને રાજ્યનાં જંગલોને પણ રક્ષક થઈ પડ્યો હતો. ગ્રીષ્મ ઋતુના અનુકૂળ સમયમાં આ અભિલાષનો ધારક મહારાજ મણિરાજ રાતના પાંચ વાગતાં આજ મૃગયા રમવા નીકળી પડેલો હતો, એક સિંહનો શીકાર જડી આવવાથી તેનું મન પ્રફુલ્લ થયું હતું, અને એટલામાં જ વસ્તીની ભાળ રાખવામાં જાગૃત રાજાને બ્હારવટીયાના સમાચાર મળવાથી તે અચીન્ત્યો અત્યારે મનહરપુરીમાં આવી ચ્હડ્યો હતો. વૃક્ષ, પશુ અને મનુષ્યોનો મહારાજ પોતાના ન્હાનકડા ગામમાં પ્રાત:કાળમાં પધારતો જોઈ ગરીબ વસ્તી તેને સત્કાર દેવા અત્યારે તરવરવા લાગી.
Line 173: Line 170:
ગુણસુંદરીએ તપાસ કરવા મોકલેલો એક સીપાઈ એટલામાં એની પાસે આવ્યો અને નીચો વળી બોલ્યો, “મહારાજ અને રાજપુત્રોની મંડળી મૃગયા કરવા ગયેલી તે આવે છે; ઘોડાઓ પાછળ ચાલે છે અને આગળ મહારાજ મંડળ સહિત પાળા ચાલે છે.”
ગુણસુંદરીએ તપાસ કરવા મોકલેલો એક સીપાઈ એટલામાં એની પાસે આવ્યો અને નીચો વળી બોલ્યો, “મહારાજ અને રાજપુત્રોની મંડળી મૃગયા કરવા ગયેલી તે આવે છે; ઘોડાઓ પાછળ ચાલે છે અને આગળ મહારાજ મંડળ સહિત પાળા ચાલે છે.”


ગુણસુંદરીએ કુસુમ સામું જોયું: “કુસુમ, આપણે અંહીયાં છીએ તે એમને ખબર પણ હોય.” હરિણીનું બચ્યું દોડે એમ કુસુમ ઘરમાં દોડી ગઈ ગુણસુંદરીએ ચંદ્રકાંત ભણી દૃષ્ટિ કરી. ચંદ્રકાંત યોગ્ય વસ્ત્રાદિ પ્હેરી બેઠો જોઈ એ દૃષ્ટિ પાછી ફરી. પ્રધાન પત્ની બોલીઃ “ચંદ્રકાંતભાઈ મહારાજ આપનો સાથ ઈચ્છે તો તેમને અનુકૂલ થવા તત્પર ર્‌હેજો.” સુંદરે ગુણસુંદરી સામું જોયું તેને ઉત્તર મળ્યો: “ મહારાજ આ ગામડામાં આવે છે પણ મૃગયામાંથી થાકેલા, તે બુદ્ધિવિનોદ શોધ્યા વિના ર્‌હેનાર નથી અને તમારા દીયરના વિદ્વાન અતિથિ જેવું વિનોદસ્થાન એમને અંહી ક્યાં મળવાનું હતું ? ચંદ્રકાંતભાઈ અત્રે છે તે કાંઈ એ જાણ્યા વિના ર્‌હેવાના હતા ?” ઉત્તર દેવાતાં પ્હેલાં પોતાનાં ઉત્તમ કન્યાવસ્ત્ર પહેરી, હાથમાં સોનારૂપાના ગંગાયમુનાની ભાતવાળા મ્હોટા થાળમાં શોભા અને સુગંધવાળા કુસુમનો કોણાકાર રાશિ લેઈ કુસુમ આવી. ધોળી ભોંય ઉપર રાતાં અને લીલાં ફુલની કોરવાળું સોનારૂપાના તારાથી ભરેલું ભુરું રેશમી હીરણું પ્રાતઃકાળની કુલવાડી પેઠે એના ગૌર શરીર ઉપર પવનની સૂક્ષ્મ લ્હેરોમાં ફરકી રહ્યું. કસુંબલ ચણીયાની દેખાતી એક પાસ વળેલી કરચલીયો, પ્રભાતના પૂર્વાકાશમાં દેખાતી સૂર્યપ્રભાની રેખાઓ પેઠે, જોનારને નિર્દોષ આનંદ અને ઉત્સાહ આપવા લાગી. એને પગે ન્હાનાં નૂપુર સૂક્ષ્મ રણકાર કરી એની ગતિ સૂચવતાં હતાં. એની કેડ વાંકી ર્‌હેલી મોતી અને રંગીન મણિની ​ભરેલી મેખલા[૧]ઈન્દ્રધનુષ્ય જેવી લાગતી હતી, અને એ નવી જાતનો અલંકાર સંસ્કૃત પુસ્તકોમાં સ્ત્રીયોનું વર્ણન વાંચી એણે કાકીદ્વારા મા પાસે માગી કરાવ્યો હતો. બાકી હાથે, કંઠે, કાને, અને ચિબુકે કેવળ સ્વચ્છ શ્વેત હીરાના અલંકાર પહેરી પ્રધાનકન્યા માતા પાસે આવી ઉભી ત્યાં બારણે કોલાહલ થવા લાગ્યો. સર્વ ઉભાં થયાં. ગુણસુંદરી ચંદ્રકાંતને ફહેવા લાગી.
ગુણસુંદરીએ કુસુમ સામું જોયું: “કુસુમ, આપણે અંહીયાં છીએ તે એમને ખબર પણ હોય.” હરિણીનું બચ્યું દોડે એમ કુસુમ ઘરમાં દોડી ગઈ ગુણસુંદરીએ ચંદ્રકાંત ભણી દૃષ્ટિ કરી. ચંદ્રકાંત યોગ્ય વસ્ત્રાદિ પ્હેરી બેઠો જોઈ એ દૃષ્ટિ પાછી ફરી. પ્રધાન પત્ની બોલીઃ “ચંદ્રકાંતભાઈ મહારાજ આપનો સાથ ઈચ્છે તો તેમને અનુકૂલ થવા તત્પર ર્‌હેજો.” સુંદરે ગુણસુંદરી સામું જોયું તેને ઉત્તર મળ્યો: “ મહારાજ આ ગામડામાં આવે છે પણ મૃગયામાંથી થાકેલા, તે બુદ્ધિવિનોદ શોધ્યા વિના ર્‌હેનાર નથી અને તમારા દીયરના વિદ્વાન અતિથિ જેવું વિનોદસ્થાન એમને અંહી ક્યાં મળવાનું હતું ? ચંદ્રકાંતભાઈ અત્રે છે તે કાંઈ એ જાણ્યા વિના ર્‌હેવાના હતા ?” ઉત્તર દેવાતાં પ્હેલાં પોતાનાં ઉત્તમ કન્યાવસ્ત્ર પહેરી, હાથમાં સોનારૂપાના ગંગાયમુનાની ભાતવાળા મ્હોટા થાળમાં શોભા અને સુગંધવાળા કુસુમનો કોણાકાર રાશિ લેઈ કુસુમ આવી. ધોળી ભોંય ઉપર રાતાં અને લીલાં ફુલની કોરવાળું સોનારૂપાના તારાથી ભરેલું ભુરું રેશમી હીરણું પ્રાતઃકાળની કુલવાડી પેઠે એના ગૌર શરીર ઉપર પવનની સૂક્ષ્મ લ્હેરોમાં ફરકી રહ્યું. કસુંબલ ચણીયાની દેખાતી એક પાસ વળેલી કરચલીયો, પ્રભાતના પૂર્વાકાશમાં દેખાતી સૂર્યપ્રભાની રેખાઓ પેઠે, જોનારને નિર્દોષ આનંદ અને ઉત્સાહ આપવા લાગી. એને પગે ન્હાનાં નૂપુર સૂક્ષ્મ રણકાર કરી એની ગતિ સૂચવતાં હતાં. એની કેડ વાંકી ર્‌હેલી મોતી અને રંગીન મણિની ​ભરેલી મેખલા<ref>કંદોરાને ઠેકાણે પ્હેરવાની સાંકળી.</ref>ઈન્દ્રધનુષ્ય જેવી લાગતી હતી, અને એ નવી જાતનો અલંકાર સંસ્કૃત પુસ્તકોમાં સ્ત્રીયોનું વર્ણન વાંચી એણે કાકીદ્વારા મા પાસે માગી કરાવ્યો હતો. બાકી હાથે, કંઠે, કાને, અને ચિબુકે કેવળ સ્વચ્છ શ્વેત હીરાના અલંકાર પહેરી પ્રધાનકન્યા માતા પાસે આવી ઉભી ત્યાં બારણે કોલાહલ થવા લાગ્યો. સર્વ ઉભાં થયાં. ગુણસુંદરી ચંદ્રકાંતને ફહેવા લાગી.


“ચંદ્રકાંતભાઈ તયાર થાવ. મહારાજ પળવારમાં પધારશે. ગમે તો બારણે પગથીયાં ઉપર ઉભા રહો.” ચંદ્રકાંતને તેમ કરવું સકારણ લાગ્યું અને પ્રધાનપત્નીની સૂચનાને અનુસર્યો.
“ચંદ્રકાંતભાઈ તયાર થાવ. મહારાજ પળવારમાં પધારશે. ગમે તો બારણે પગથીયાં ઉપર ઉભા રહો.” ચંદ્રકાંતને તેમ કરવું સકારણ લાગ્યું અને પ્રધાનપત્નીની સૂચનાને અનુસર્યો.
Line 182: Line 179:


સઉથી આગળ મણિરાજની બંધુક લેઈ એક સીપાઈ ચાલતો હતો, અને મણિરાજની બે પાસ તથા પાછળ જુદા જુદા વયના રાજપુત્રો પોતપોતાનાં શસ્ત્રાસ્ત્ર લેઈ ધીમે ધીમે પરસ્પર વાતો કરતા ચાલતા હતા. સર્વને માથે ન્હાના પણ રંગીન ફેંટા કસીને બાંધી દીધેલા હતા. પગે પાયજામા પહેર્યા હતા તેને છેક નીચે અકેક બોરીયાથી વ્યવસ્થિત રાખ્યા હતા. શરીરે ચૈત્ર માસને યોગ્ય મલમલનાં પ્‍હેરણ હતાં. કેડે લાંબા ઉપરણાં વીંટી બાંધી દીધા હતા, અને તેના ઉપર કમરબંધમાં શસ્ત્રોના શિખરભાગ, વૃક્ષની શાખાઓ ઉપર પક્ષિઓની ચાંચો અને કંઠ દેખાય તેમ, દેખાતા હતા. સર્વનાં શરીર પ્રચંડ બાંધાનાં, કોઈનાં શ્યામ અને કોઈનાં ઘઉવર્ણાં હતાં. કપાળ મ્‍હોટાં કે ન્હાનાં પણ શુરત્વની મુદ્રાથી મુદ્રાંકિત હતાં, કોઈની આંખ લાલ તો કોઈની વાઘના જેવી તીવ્ર હતી. નાસિકાઓ જોઈ ચંદ્રકાંતને રોમન લોકનાં ચિત્ર સાંભર્યા. કોઈનો નીચલો ઓઠ જાડો હતો, તો કોઈને પોતાનો એ ઓઠ દાંત
સઉથી આગળ મણિરાજની બંધુક લેઈ એક સીપાઈ ચાલતો હતો, અને મણિરાજની બે પાસ તથા પાછળ જુદા જુદા વયના રાજપુત્રો પોતપોતાનાં શસ્ત્રાસ્ત્ર લેઈ ધીમે ધીમે પરસ્પર વાતો કરતા ચાલતા હતા. સર્વને માથે ન્હાના પણ રંગીન ફેંટા કસીને બાંધી દીધેલા હતા. પગે પાયજામા પહેર્યા હતા તેને છેક નીચે અકેક બોરીયાથી વ્યવસ્થિત રાખ્યા હતા. શરીરે ચૈત્ર માસને યોગ્ય મલમલનાં પ્‍હેરણ હતાં. કેડે લાંબા ઉપરણાં વીંટી બાંધી દીધા હતા, અને તેના ઉપર કમરબંધમાં શસ્ત્રોના શિખરભાગ, વૃક્ષની શાખાઓ ઉપર પક્ષિઓની ચાંચો અને કંઠ દેખાય તેમ, દેખાતા હતા. સર્વનાં શરીર પ્રચંડ બાંધાનાં, કોઈનાં શ્યામ અને કોઈનાં ઘઉવર્ણાં હતાં. કપાળ મ્‍હોટાં કે ન્હાનાં પણ શુરત્વની મુદ્રાથી મુદ્રાંકિત હતાં, કોઈની આંખ લાલ તો કોઈની વાઘના જેવી તીવ્ર હતી. નાસિકાઓ જોઈ ચંદ્રકાંતને રોમન લોકનાં ચિત્ર સાંભર્યા. કોઈનો નીચલો ઓઠ જાડો હતો, તો કોઈને પોતાનો એ ઓઠ દાંત
૧કંદોરાને ઠેકાણે પ્હેરવાની સાંકળી.
​વચ્ચે રાખવાની ટેવ હતી. વાઘના આગલા પગ પેઠે સર્વના પ્રબલ હાથ
​વચ્ચે રાખવાની ટેવ હતી. વાઘના આગલા પગ પેઠે સર્વના પ્રબલ હાથ
કાંઈક ગૂઢ ઉત્ક્રમના આતુર લાગતા હતા. હિમાલયની પેલી પારના – ચીન અને કાસ્પિયન સમુદ્ર વચ્ચેના-ઉગ્ર પ્રદેશમાંથી પ્રાચીન કાળમાં આ દેશ ઉપર ઉતરી પડેલા શકલોકોનું આર્ય ક્ષત્રિયોમાં મિશ્રણ થવાથી રાજપુત્રોની કેટલીક શાખાઓ બંધાઈ છે એ ઐતિહાસિક કલ્પના આ વીરમંડળના દેખાવથી ચંદ્રકાંતના મનમાં ખડી થઈ. આજ આપણે જીતાયલા દેશીયો છીયે અને ઇંગ્રેજો જીતનાર પરદેશી છે, તો થોડાક વર્ષશતક ઉપર મુસલમાનો જીતનાર પરદેશી હતા; તેમાં પણ મોઘલના પ્‍હેલાં બીજી જાતો હતી. મુસલમાન નામ ચૌદસો પંદરસો વર્ષથી પડ્યું છે, પણ તેમના પ્‍હેલાં પણ ગ્રીક અને શકલોક આ દેશ ઉપર ચ્‍હડી આવ્યા હતા ત્યારે તેઓ જીતનાર પરદેશી હતા. અત્યંત પ્રાચીન કાળમાં આર્ય ઋષિઓ અને રાજાઓ પણ અત્યંત ઉત્તરમાંથી સિન્ધુ ઓળંગી આ દેશમાં આવ્યા હતા ત્યારે આ દેશના દશ્યુ આદિ કાળા લોકને જીતનાર એ ગોરાઓ હતા. આજ કાળા ગોરાનો, દેશી પરદેશીનો, જીતાયલા અને જીતનારનો, ભેદ છે તે પરાપૂર્વથી ચાલતો આવ્યો છે; પણ એ ભેદ માનનાર વર્ગ, ચોપટનાં સોકઠાં પેઠે, ઘડી ઘડી ઘર બદલે છે અને એક વર્ગનાં સોકઠાં બીજામાં જાય છે. પરદેશી ગોરા ઋષિઓ અને રાજાઓ, જુના શકાદિ યવનો, મુસલમાનો, અને પારસીઓ જુના ભીલોના આ દેશના દેશીયો થઈ ગયા છે અને હાલ પરદેશી ગણાતા ઇંગ્રેજો પણ દેશી થઈ જશે. કાળ દેશપરદેશીના ભેદ આમ ભુલાવે છે; અને એ ભેદ ભસ્મસાત થતાં સર્વ ભસ્મમાં જ વિભૂતિ હોય એમ એકદેશીય રંગનું જ ભાન ધરી, આગળ નવો દેશી મુસલમાન સીપાઈ પાછળ જુના દેશી રજપુતો, અને તેની પાછળ અત્યંત પ્રાચીન દેશી ભીલો – એમનું મંડળ, સઉથી જુદા પડતા પણ સઉની રાજભક્તિના અને પ્રિયતાના સુપાત્ર મણિરાજની આશપાસ અને એના ચિત્તમાં એક થઈ જતું, ચાલતું હતું.
કાંઈક ગૂઢ ઉત્ક્રમના આતુર લાગતા હતા. હિમાલયની પેલી પારના – ચીન અને કાસ્પિયન સમુદ્ર વચ્ચેના-ઉગ્ર પ્રદેશમાંથી પ્રાચીન કાળમાં આ દેશ ઉપર ઉતરી પડેલા શકલોકોનું આર્ય ક્ષત્રિયોમાં મિશ્રણ થવાથી રાજપુત્રોની કેટલીક શાખાઓ બંધાઈ છે એ ઐતિહાસિક કલ્પના આ વીરમંડળના દેખાવથી ચંદ્રકાંતના મનમાં ખડી થઈ. આજ આપણે જીતાયલા દેશીયો છીયે અને ઇંગ્રેજો જીતનાર પરદેશી છે, તો થોડાક વર્ષશતક ઉપર મુસલમાનો જીતનાર પરદેશી હતા; તેમાં પણ મોઘલના પ્‍હેલાં બીજી જાતો હતી. મુસલમાન નામ ચૌદસો પંદરસો વર્ષથી પડ્યું છે, પણ તેમના પ્‍હેલાં પણ ગ્રીક અને શકલોક આ દેશ ઉપર ચ્‍હડી આવ્યા હતા ત્યારે તેઓ જીતનાર પરદેશી હતા. અત્યંત પ્રાચીન કાળમાં આર્ય ઋષિઓ અને રાજાઓ પણ અત્યંત ઉત્તરમાંથી સિન્ધુ ઓળંગી આ દેશમાં આવ્યા હતા ત્યારે આ દેશના દશ્યુ આદિ કાળા લોકને જીતનાર એ ગોરાઓ હતા. આજ કાળા ગોરાનો, દેશી પરદેશીનો, જીતાયલા અને જીતનારનો, ભેદ છે તે પરાપૂર્વથી ચાલતો આવ્યો છે; પણ એ ભેદ માનનાર વર્ગ, ચોપટનાં સોકઠાં પેઠે, ઘડી ઘડી ઘર બદલે છે અને એક વર્ગનાં સોકઠાં બીજામાં જાય છે. પરદેશી ગોરા ઋષિઓ અને રાજાઓ, જુના શકાદિ યવનો, મુસલમાનો, અને પારસીઓ જુના ભીલોના આ દેશના દેશીયો થઈ ગયા છે અને હાલ પરદેશી ગણાતા ઇંગ્રેજો પણ દેશી થઈ જશે. કાળ દેશપરદેશીના ભેદ આમ ભુલાવે છે; અને એ ભેદ ભસ્મસાત થતાં સર્વ ભસ્મમાં જ વિભૂતિ હોય એમ એકદેશીય રંગનું જ ભાન ધરી, આગળ નવો દેશી મુસલમાન સીપાઈ પાછળ જુના દેશી રજપુતો, અને તેની પાછળ અત્યંત પ્રાચીન દેશી ભીલો – એમનું મંડળ, સઉથી જુદા પડતા પણ સઉની રાજભક્તિના અને પ્રિયતાના સુપાત્ર મણિરાજની આશપાસ અને એના ચિત્તમાં એક થઈ જતું, ચાલતું હતું.
Line 192: Line 187:
तदेव नैसर्गिकमुन्नतत्वम् ।
तदेव नैसर्गिकमुन्नतत्वम् ।
न कारणात्स्वाद्विभिदे कुमारः
न कारणात्स्वाद्विभिदे कुमारः
प्रचर्तितो दीप इव प्रदीपात् ॥*[૧]
प्रचर्तितो दीप इव प्रदीपात् ॥<ref>"એ રૂપનું એાજ જ ! વીર્ય એ જ !
મણિરાજ તેના પિતા પેઠે સાધારણ ઉંચા પુરુષો કરતાં પણ અર્ધી વ્‍હેંત ઉંચો હતો, અને તેની સાથે શરીર પણ સાધારણ પુષ્ટ હતું એટલે આજના કેટલાક રશિયન લોક આવે છે તેના જેવી ઉંચાઈ પ્હોળાઈ હતી. રામ, કૃષ્ણ, અને પાંડવ, આદિ પ્રાચીન કાળના પુરુષો પણ ઓછામાં ઓછા આટલા ઉંચા હશે એમ વિદ્યાચતુર ક્‌હેતો. સ્વાભાવિક રીતે સ્ત્રી નીચી અને પુરુષો ઉચા હોય ત્યારે કેટલીક મડમોનાં શરીરઆગળ આપણા પુરુષોને લજજાસ્પદ થવું પડે એમ હોય છે, તો સાધારણ રીતે સાહેબ લોકો આપણા કરતાં શરીરે પણ ઉંચા પ્હોળા અને બળવાળા હોય એમાં કાંઈ નવાઈ નથી. પણ મણિરાજનું શરીર તો યુરોપિયનોનું પણ માન મુકાવતું, અને એના બીજા ગુણ તો તેઓ જાણે ત્યારે જાણે પણ પ્રથમ દૃષ્ટિપાતે જ એનું જ્ઞાત્ર શરીર જોઈએ લોક પ્રસન્ન થતા અને એને માન આપવા પ્રેરાતા. वपुर्व्यूढोरस्कं ननु भुवनरक्षाक्षममिदं એ કવિવાક્ય સત્ય પડતું હોય તેમ મણિરાજની વિશાળ છાતી દેખી તેની પ્રજાને પોતાના
 
*
"એ રૂપનું એાજ જ ! વીર્ય એ જ !
“એ જોઈ લ્યો ઉન્નતતા સ્વભાવે !
“એ જોઈ લ્યો ઉન્નતતા સ્વભાવે !
"એ બીજ-પિતાર્થી ન ભિન્ન પુત્ર
"એ બીજ-પિતાર્થી ન ભિન્ન પુત્ર
“દીવાથી દીવોપ પ્રકટ્યો જ જાણે !”
“દીવાથી દીવોપ પ્રકટ્યો જ જાણે !”</ref>
મણિરાજ તેના પિતા પેઠે સાધારણ ઉંચા પુરુષો કરતાં પણ અર્ધી વ્‍હેંત ઉંચો હતો, અને તેની સાથે શરીર પણ સાધારણ પુષ્ટ હતું એટલે આજના કેટલાક રશિયન લોક આવે છે તેના જેવી ઉંચાઈ પ્હોળાઈ હતી. રામ, કૃષ્ણ, અને પાંડવ, આદિ પ્રાચીન કાળના પુરુષો પણ ઓછામાં ઓછા આટલા ઉંચા હશે એમ વિદ્યાચતુર ક્‌હેતો. સ્વાભાવિક રીતે સ્ત્રી નીચી અને પુરુષો ઉચા હોય ત્યારે કેટલીક મડમોનાં શરીરઆગળ આપણા પુરુષોને લજજાસ્પદ થવું પડે એમ હોય છે, તો સાધારણ રીતે સાહેબ લોકો આપણા કરતાં શરીરે પણ ઉંચા પ્હોળા અને બળવાળા હોય એમાં કાંઈ નવાઈ નથી. પણ મણિરાજનું શરીર તો યુરોપિયનોનું પણ માન મુકાવતું, અને એના બીજા ગુણ તો તેઓ જાણે ત્યારે જાણે પણ પ્રથમ દૃષ્ટિપાતે જ એનું જ્ઞાત્ર શરીર જોઈએ લોક પ્રસન્ન થતા અને એને માન આપવા પ્રેરાતા. वपुर्व्यूढोरस्कं ननु भुवनरक्षाक्षममिदं એ કવિવાક્ય સત્ય પડતું હોય તેમ મણિરાજની વિશાળ છાતી દેખી તેની પ્રજાને પોતાના


​રાજાનું અભિમાન આવતું. ગુણસુંદરીના ઉતારા પાસે એ આવે છે
​રાજાનું અભિમાન આવતું. ગુણસુંદરીના ઉતારા પાસે એ આવે છે
ત્યાર પ્‍હેલાં તો એને જોઈ, એનું અભિમાન આણી, કંઈ કંઈ લોક એનો રસ્તો રોકનાર મળ્યા. ચારણ અથવા એવી જ કોઈ વર્ણની, કાળી પણ બળવાળી, કદ્રુપી પણ ઉંચી અને અાંખમાં રાજભક્તિથી ભરેલી, ચારેક મનહરપુરીની સ્ત્રીયો, ભીંડમાંથી આગળ નીકળી આવી, મણિરાજના સામી ઉભી રહી, હાથ ઉંચા કરી, ઓવારણાં લેતી, મ્‍હોટે પણ વીરસ્વરે ગાવા લાગી અને તેમાં સ્ત્રીકંઠનો લલકાર ભરવા લાગી.
ત્યાર પ્‍હેલાં તો એને જોઈ, એનું અભિમાન આણી, કંઈ કંઈ લોક એનો રસ્તો રોકનાર મળ્યા. ચારણ અથવા એવી જ કોઈ વર્ણની, કાળી પણ બળવાળી, કદ્રુપી પણ ઉંચી અને અાંખમાં રાજભક્તિથી ભરેલી, ચારેક મનહરપુરીની સ્ત્રીયો, ભીંડમાંથી આગળ નીકળી આવી, મણિરાજના સામી ઉભી રહી, હાથ ઉંચા કરી, ઓવારણાં લેતી, મ્‍હોટે પણ વીરસ્વરે ગાવા લાગી અને તેમાં સ્ત્રીકંઠનો લલકાર ભરવા લાગી.ભરવા લાગી.


“પધારો ! પધારો રે ! મહારાજ મણિરાજ રે !
“પધારો ! પધારો રે ! મહારાજ મણિરાજ રે !
Line 208: Line 200:
“મ્‍હોડે મુંછ ઉગે હજી રે, પણ સાવજનું બાળ !
“મ્‍હોડે મુંછ ઉગે હજી રે, પણ સાવજનું બાળ !
“મૃગયા રમવા ચ્‍હડતો ત્યારે જાણે જ એ જમરાજ રે !
“મૃગયા રમવા ચ્‍હડતો ત્યારે જાણે જ એ જમરાજ રે !
મહા‌‌૦ ૧.
{{space}}મહા‌‌૦ ૧.
“ધરતી બધી ધ્રુજતી રે એવો ચરણનો ધબકાર,
“ધરતી બધી ધ્રુજતી રે એવો ચરણનો ધબકાર,
“સાવજ પેઠે પગલું ભરે ત્યાં સાવજ ભાગી જાય રે !
“સાવજ પેઠે પગલું ભરે ત્યાં સાવજ ભાગી જાય રે !
મહl o ૨
{{space}}મહl o ૨
“જાળવે મલ્લરાજની ગાદી મલ્લ મણિરાજ,
“જાળવે મલ્લરાજની ગાદી મલ્લ મણિરાજ,
“જીવજો ! જીવજો ! - એમ કરે વસ્તી બધી પુકાર રે !
“જીવજો ! જીવજો ! - એમ કરે વસ્તી બધી પુકાર રે !
મહા૦ ૩
{{space}}મહા૦ ૩
“જીવજો ! જીવજો ! જીવજો ! જીવજો ! કરે પવન પુકાર રે ! !
“જીવજો ! જીવજો ! જીવજો ! જીવજો ! કરે પવન પુકાર રે ! !
મહા૦ ૪
{{space}}મહા૦ ૪
સ્ત્રીયો ગાતી જાય, ઓવારણાં લેતી જાય, અને આંગળીના ટચાકા ફોડતી જાય. ગાઈ રહી કે આશીર્વાદ દેઈ સ્ત્રીયો રસ્તાની એક પાસ પાછી હઠી ખસી ગઈ અને મહારાજને માર્ગ આપ્યો.
સ્ત્રીયો ગાતી જાય, ઓવારણાં લેતી જાય, અને આંગળીના ટચાકા ફોડતી જાય. ગાઈ રહી કે આશીર્વાદ દેઈ સ્ત્રીયો રસ્તાની એક પાસ પાછી હઠી ખસી ગઈ અને મહારાજને માર્ગ આપ્યો.


Line 239: Line 231:
ભૈરવીનો પુત્ર પ્રીતિથી ને ઉલ્લાસથી બોલવા લાગ્યો :
ભૈરવીનો પુત્ર પ્રીતિથી ને ઉલ્લાસથી બોલવા લાગ્યો :


“તરવાર કડે,*[૧] બન્ધુક કરે, ધરતો ધરતીપતિ તાકી જ જ્યાં,
“તરવાર કડે,<ref>કડ = કેડ</ref> બન્ધુક કરે, ધરતો ધરતીપતિ તાકી જ જ્યાં,
“વનરાજ ઉભો પળ જોઈ રહે, વનમાં અંહી આ શૂર માનવ કયાં ?
“વનરાજ ઉભો પળ જોઈ રહે, વનમાં અંહી આ શૂર માનવ કયાં ?
“માનવ ક્યાં? અંહી માનવ ક્યાં ? કંઈ એમ વિચાર કર્યો ન કર્યો,
“માનવ ક્યાં? અંહી માનવ ક્યાં ? કંઈ એમ વિચાર કર્યો ન કર્યો,
Line 261: Line 253:
“બહુ સારું. એમ થશે.”
“બહુ સારું. એમ થશે.”


* કડ = કેડ
​ભૈરવી મણિરાજને પગે પડી અને ઉઠી ખસી ગઈ. મણિરાજ
​ભૈરવી મણિરાજને પગે પડી અને ઉઠી ખસી ગઈ. મણિરાજ
ચાલવાનું કરે છે ત્યાં આ સઉ જોઈ રહ્યો હતો એવો એક લંગોટીયો ગોસાંઈ હાથ ઉંચો કરી વચ્ચે આવ્યો ને બોલ્યોઃ
ચાલવાનું કરે છે ત્યાં આ સઉ જોઈ રહ્યો હતો એવો એક લંગોટીયો ગોસાંઈ હાથ ઉંચો કરી વચ્ચે આવ્યો ને બોલ્યોઃ
Line 328: Line 319:


આ વાર્તાવિનોદ કરતા કરતા મણિરાજ અને ચંદ્રકાંત અદ્રશ્ય થયા. તેમની પાછળ અનુયાયી વર્ગ પણ અદ્રશ્ય થયો. ગામને બીજે છેડે તંબુ તાણ્યા હતા ત્યાં સઉ ગયા. આણી પાસ કુસુમસુંદરી લીલાભરી પાછી ગઈ અને મા અને કાકીની પાસે ઉભી. કાકીને શ્રુંગાર–અલંકાર-ભરી ભત્રીજી વ્હાલી લાગી, અને મણિરાજ પાસે મધુર અને ચતુર વાર્તા કરી આવી તે ચિત્રની મુદ્રાના આવેશમાં સુંદરગૌરી કુસુમને બળથી છાતી સરસી ચાંપવા લાગી અને નીચી વળી એને એક ચુંબન પણ કરી દીધું. ગુણસુંદરી આ બેના યોગ ઉપર આનંદથી જોઈ રહી અને તેમને એકટશે જોતાં જોતાં મનમાં બોલી: “ઘડી ઉપર અતિશય દુ:ખ હતું, ઘડીમાં આનંદ થઈ ગયો; શો આ બે જણને આનંદ થઈ ગયો છે ? ઈશ્વરની ગતિ ન્યારી છે.”
આ વાર્તાવિનોદ કરતા કરતા મણિરાજ અને ચંદ્રકાંત અદ્રશ્ય થયા. તેમની પાછળ અનુયાયી વર્ગ પણ અદ્રશ્ય થયો. ગામને બીજે છેડે તંબુ તાણ્યા હતા ત્યાં સઉ ગયા. આણી પાસ કુસુમસુંદરી લીલાભરી પાછી ગઈ અને મા અને કાકીની પાસે ઉભી. કાકીને શ્રુંગાર–અલંકાર-ભરી ભત્રીજી વ્હાલી લાગી, અને મણિરાજ પાસે મધુર અને ચતુર વાર્તા કરી આવી તે ચિત્રની મુદ્રાના આવેશમાં સુંદરગૌરી કુસુમને બળથી છાતી સરસી ચાંપવા લાગી અને નીચી વળી એને એક ચુંબન પણ કરી દીધું. ગુણસુંદરી આ બેના યોગ ઉપર આનંદથી જોઈ રહી અને તેમને એકટશે જોતાં જોતાં મનમાં બોલી: “ઘડી ઉપર અતિશય દુ:ખ હતું, ઘડીમાં આનંદ થઈ ગયો; શો આ બે જણને આનંદ થઈ ગયો છે ? ઈશ્વરની ગતિ ન્યારી છે.”
*“ રાજાએ સદા ગર્ભિણીના જેવો ધર્મ પાળવો. જે કારણથી આવું ઇષ્ટ છે તે, હે મહારાજ, સાંભળો. જેમ પોતાના મનને અનુકૂળ નિજ પ્રિયનો ત્યાગ કરી ગર્ભિણી ગર્ભનું હિત ધારે છે તેમ, હે કુરુશ્રેષ્ઠ, ધર્મનું અનુવર્તન કરનાર રાજાએ પણ પોતાનું પ્રિય હોય તેનો તો ત્યાગ જ કરીને લોકનું જે જે હિત હોય તે નિઃસંશય કરવું:”–મહાભારતમાં શાંતિપર્વમાં ભીષ્મપિતામહે યુધિષ્ઠિરને કહેલું વચન.
ખરેખર ઈશ્વરની ગતિ ન્યારી જ નીવડી. દુ:ખ પછી સુખની ને સુખ પછી દુઃખની ઘડી ઉભી હોય, કુસુમરૂપ - આનંદમૂર્તિને વિધવા કાકીરૂપ શોકમૂર્તિએ જ અલક્ષ્યસૂચક ચુંબન કર્યું હોય, તેમ માનચતુરની સાથેના બે સ્વારે સુભદ્રા આગળથી ઘોડાને મારી મુક્યા હતા તે વીજળીની ત્વરાથી ગુણસુંદરીની ઓસરી ભણી ઘોડા દોડાવતા આવ્યા અને એકદમ ઉતરી, અંદર આવી, શ્વાસ અને દુઃખભર્યે મ્હોંયે કુમુદસુંદરી નદીમાં તણાયાના સમાચાર ક્‌હેવા લાગ્યા. સમાચાર ક્‌હેવાઈ ર્‌હેતા સુધી સર્વ પ્રતિમાઓ પેઠે રહ્યાં અને તે પછી શોકની આગ આખા ઘરમાં ભભુકવા લાગી. ગુણસુંદરી બેઠી હતી ત્યાંની ત્યાં લમણે હાથ દેઈ જડ થઈ ગઈ અને બોલ્યા ચાલ્યા વિના નેત્રમાંથી આંસુ ઉપર આંસુ સારવા લાગી. ગરીબ સુંદરગૌરી સામી બેસી મ્હોં વાળવા લાગી: “ઓ મ્હારી કુમુદસુંદરી રે ! બેટા, આ શો કેર કર્યો? ઓ બ્હેન – મ્હારી ઉછેરેલી - મ્હારી લડાવેલી – હું દુઃખીયારીની દીકરી ! આ દોહ્યલું તે કેમ વેઠાશે !” બાળક પણ સમજણમાં આવેલી કુસુમે હજી તો શ્રૃંગાર ઉતાર્યા ન હતા તે પણ આ અચીંત્યા દુઃખના ભાર નીચે શ્રૃંગારસમેત ડબાઈ. માની પાસે - માની સામે – બેસી પડી – માની હડપચી ઝાલી કુસુમ રોતી રોતી ક્‌હેવા લાગી; “ગુણીયલ, તું કેમ આમ ઢીલી થઈ ગઈ? આપણે તો છત્રની છાયામાં છીયે તે કેમ ભુલી ગઈ? મહારાજને ક્‌હાવ તો ખરી. વડીલ બ્હેનને લીધા વગર નહીં આવે ! પિતાજી હમણાં આવશે. - અરેરે ! ત્હારું ધૈર્ય ગયું !” ઘરમાં પરિવારમાં પુછાપુછ અને રડારોળ થઇ રહી. અંતે કુસુમ ઉઠી, ઓસરીબ્હાર જોવા લાગી, અને જુવે છે તો કુમુદસુંદરીના ગાડીવાને મોકલેલો સ્વાર હાથમાં પોટકું રાખી ઘોડો દોડાવતો આવતો દુર દેખાયો, અને દેખાતામાં કુસુમ બુમ પાડી ઘરમાં ગઈ: “ગુણીયલ, ઉઠ, ઊઠ. બીજો એક સ્વાર વેગભર્યો આવે છે !” સ્વારની વાત સાંભળતાં સર્વ પોતપોતાના શોકપ્રકાર તજી વેગથી ઓસરીમાં ગયાં અને બારણે જોવા લાગ્યાં. સ્વાર આવ્યો, ઉતર્યો, અને અંદર આવ્યો.
ખરેખર ઈશ્વરની ગતિ ન્યારી જ નીવડી. દુ:ખ પછી સુખની ને સુખ પછી દુઃખની ઘડી ઉભી હોય, કુસુમરૂપ - આનંદમૂર્તિને વિધવા કાકીરૂપ શોકમૂર્તિએ જ અલક્ષ્યસૂચક ચુંબન કર્યું હોય, તેમ માનચતુરની સાથેના બે સ્વારે સુભદ્રા આગળથી ઘોડાને મારી મુક્યા હતા તે વીજળીની ત્વરાથી ગુણસુંદરીની ઓસરી ભણી ઘોડા દોડાવતા આવ્યા અને એકદમ ઉતરી, અંદર આવી, શ્વાસ અને દુઃખભર્યે મ્હોંયે કુમુદસુંદરી નદીમાં તણાયાના સમાચાર ક્‌હેવા લાગ્યા. સમાચાર ક્‌હેવાઈ ર્‌હેતા સુધી સર્વ પ્રતિમાઓ પેઠે રહ્યાં અને તે પછી શોકની આગ આખા ઘરમાં ભભુકવા લાગી. ગુણસુંદરી બેઠી હતી ત્યાંની ત્યાં લમણે હાથ દેઈ જડ થઈ ગઈ અને બોલ્યા ચાલ્યા વિના નેત્રમાંથી આંસુ ઉપર આંસુ સારવા લાગી. ગરીબ સુંદરગૌરી સામી બેસી મ્હોં વાળવા લાગી: “ઓ મ્હારી કુમુદસુંદરી રે ! બેટા, આ શો કેર કર્યો? ઓ બ્હેન – મ્હારી ઉછેરેલી - મ્હારી લડાવેલી – હું દુઃખીયારીની દીકરી ! આ દોહ્યલું તે કેમ વેઠાશે !” બાળક પણ સમજણમાં આવેલી કુસુમે હજી તો શ્રૃંગાર ઉતાર્યા ન હતા તે પણ આ અચીંત્યા દુઃખના ભાર નીચે શ્રૃંગારસમેત ડબાઈ. માની પાસે - માની સામે – બેસી પડી – માની હડપચી ઝાલી કુસુમ રોતી રોતી ક્‌હેવા લાગી; “ગુણીયલ, તું કેમ આમ ઢીલી થઈ ગઈ? આપણે તો છત્રની છાયામાં છીયે તે કેમ ભુલી ગઈ? મહારાજને ક્‌હાવ તો ખરી. વડીલ બ્હેનને લીધા વગર નહીં આવે ! પિતાજી હમણાં આવશે. - અરેરે ! ત્હારું ધૈર્ય ગયું !” ઘરમાં પરિવારમાં પુછાપુછ અને રડારોળ થઇ રહી. અંતે કુસુમ ઉઠી, ઓસરીબ્હાર જોવા લાગી, અને જુવે છે તો કુમુદસુંદરીના ગાડીવાને મોકલેલો સ્વાર હાથમાં પોટકું રાખી ઘોડો દોડાવતો આવતો દુર દેખાયો, અને દેખાતામાં કુસુમ બુમ પાડી ઘરમાં ગઈ: “ગુણીયલ, ઉઠ, ઊઠ. બીજો એક સ્વાર વેગભર્યો આવે છે !” સ્વારની વાત સાંભળતાં સર્વ પોતપોતાના શોકપ્રકાર તજી વેગથી ઓસરીમાં ગયાં અને બારણે જોવા લાગ્યાં. સ્વાર આવ્યો, ઉતર્યો, અને અંદર આવ્યો.
19,010

edits

Navigation menu