19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દેશી રાજ્યોનો શો ખપ છે? વગેરે.|}} {{Poem2Open}} દેશી રાજ્યોનો શો ખપ છ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Heading|દેશી રાજ્યોનો શો ખપ છે? વગેરે.|}} | {{Heading|દેશી રાજ્યોનો શો ખપ છે? વગેરે.|}} | ||
<poem> | |||
દેશી રાજ્યોનો શો ખપ છે? અને તેમનું શું થવા બેઠું છે? | દેશી રાજ્યોનો શો ખપ છે? અને તેમનું શું થવા બેઠું છે? | ||
તેમનો કાંઈ ઉદ્ધાર છે? રાજસેવકો ને મુંબાઈ- | તેમનો કાંઈ ઉદ્ધાર છે? રાજસેવકો ને મુંબાઈ- | ||
| Line 10: | Line 10: | ||
अणुभ्यश्च महदभ्यश्च शास्त्रेभ्यः कुशलो नरः । | अणुभ्यश्च महदभ्यश्च शास्त्रेभ्यः कुशलो नरः । | ||
सर्वतः सारमादद्यात्पुष्पेभ्य इव षट्पदः ।। | सर्वतः सारमादद्यात्पुष्पेभ्य इव षट्पदः ।। | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
“What nature has disjoined in one way, wisdom may unite in another:” Burke : | “What nature has disjoined in one way, wisdom may unite in another:” Burke : | ||
| Line 41: | Line 42: | ||
વીર૦ – “એ માખણ તમને સોપ્યું. અમારે તો વિચાર તે ઉચ્ચાર. You see I do not care a fig for these foolish and dishonest “forms ! यद्यापि शुद्धं लोकविरुद्धं नाकरणीयं नाचरणीयम् એ અપ્રમાણિકપણાનું શાસ્ત્ર,તે હૃદયના બાયલાઓને સોંપ્યું, સત્યના વીરોને દુનીયાની શી ૫રવા છે ?” | વીર૦ – “એ માખણ તમને સોપ્યું. અમારે તો વિચાર તે ઉચ્ચાર. You see I do not care a fig for these foolish and dishonest “forms ! यद्यापि शुद्धं लोकविरुद्धं नाकरणीयं नाचरणीयम् એ અપ્રમાણિકપણાનું શાસ્ત્ર,તે હૃદયના બાયલાઓને સોંપ્યું, સત્યના વીરોને દુનીયાની શી ૫રવા છે ?” | ||
વીરરાવે છાતી ક્હાડી અને ઓઠવડે ફુત્કાર કર્યો. શંકરશર્મા ધીમે રહી હસીને બોલ્યો: “પણ ચારિત્ર્ય દૂષિત | વીરરાવે છાતી ક્હાડી અને ઓઠવડે ફુત્કાર કર્યો. શંકરશર્મા ધીમે રહી હસીને બોલ્યો: “પણ ચારિત્ર્ય દૂષિત<ref>ચારિત્ર્ય દુષણ = લાઈબલ = પારકાની આબરૂ હલકી ક૨વી.</ref> કર્યાના આરોપકાળે એકલું સત્યવચન બેાલ્યા છીયે કહ્યાથી આરોપી નિર્દોષી નથી ઠરતો.” | ||
“ઓ -- મિસ્ટર – શંકરશર્મા !–” માથું અને આખું શરીર ઉંચું કરી, આળસ મરડી, હાથ ઉંચા કરી, વીરરાવ બેાલ્યો, “એ તમારું ધર્મશાસ્ત્ર અમારા સત્યશાસ્ત્ર આગળ નિરર્થક છે. રાજનીતિમાં અસત્ય ભળે છે અને તમારા ન્યાયમાં પણ અસત્ય ભળે છે, પણ એવી નીતિ અને એવા ન્યાયના પંઝામાં ફસાયાથી સત્યના વીરો ડરતા નથી. ખરું જોતાં તો ધર્મમાત્રનો આધાર સત્ય ઉપર છે, ને મનુષ્યના જીવનનો અને એના સર્વ ઉચ્ચગ્રાહનો સ્તંભ સત્ય ઉપર ટકેલો છે. આપણા એક કવિએ ધર્મના જ મુખમાં વચન-મુકેલું છે કે | “ઓ -- મિસ્ટર – શંકરશર્મા !–” માથું અને આખું શરીર ઉંચું કરી, આળસ મરડી, હાથ ઉંચા કરી, વીરરાવ બેાલ્યો, “એ તમારું ધર્મશાસ્ત્ર અમારા સત્યશાસ્ત્ર આગળ નિરર્થક છે. રાજનીતિમાં અસત્ય ભળે છે અને તમારા ન્યાયમાં પણ અસત્ય ભળે છે, પણ એવી નીતિ અને એવા ન્યાયના પંઝામાં ફસાયાથી સત્યના વીરો ડરતા નથી. ખરું જોતાં તો ધર્મમાત્રનો આધાર સત્ય ઉપર છે, ને મનુષ્યના જીવનનો અને એના સર્વ ઉચ્ચગ્રાહનો સ્તંભ સત્ય ઉપર ટકેલો છે. આપણા એક કવિએ ધર્મના જ મુખમાં વચન-મુકેલું છે કે | ||
"मया घ्रियन्ते भुवनान्यमूनि | "मया घ्रियन्ते भुवनान्यमूनि | ||
"सत्यं च मां तत्सहितं विभर्ति ॥ | "सत्यं च मां तत्सहितं विभर्ति ॥ <ref>ચંડકૌશિક</ref> | ||
અને પાશ્ચાત્ય પાંડિત્ય પણ એજ ઉદ્ગાર કરે છે. નીતિનો આધાર ધર્મ અને ધર્મનો આધાર સત્ય છે, સત્યના તેજની જ્વાળા, અગ્નિની જ્વાળા પેઠે, સર્વ અવસ્થાઓમાં, ઉંચી અને ઉંચી બળશે, લોકે ધર્મ ગણેલા અધર્મ સત્યના તાપથી ઓગળી જશે, અને કુરાજ્યોની રાજ્યનીતિને ઉથલાવી પાડવા સત્યના વીરો લ્હડશે અને મરશે અને સત્ય વિજયી થશે. માટે સત્યના વીરોએ નથી જોવાનો દેશ, નથી જોવાનો કાળ, અને નથી જોવાનું પરિણામ. વિચાર તે ઉચ્ચાર ! એ જ અમારું સત્ય, અને Damn your states and politics for perverting all the dictates of truth ! ” | અને પાશ્ચાત્ય પાંડિત્ય પણ એજ ઉદ્ગાર કરે છે. નીતિનો આધાર ધર્મ અને ધર્મનો આધાર સત્ય છે, સત્યના તેજની જ્વાળા, અગ્નિની જ્વાળા પેઠે, સર્વ અવસ્થાઓમાં, ઉંચી અને ઉંચી બળશે, લોકે ધર્મ ગણેલા અધર્મ સત્યના તાપથી ઓગળી જશે, અને કુરાજ્યોની રાજ્યનીતિને ઉથલાવી પાડવા સત્યના વીરો લ્હડશે અને મરશે અને સત્ય વિજયી થશે. માટે સત્યના વીરોએ નથી જોવાનો દેશ, નથી જોવાનો કાળ, અને નથી જોવાનું પરિણામ. વિચાર તે ઉચ્ચાર ! એ જ અમારું સત્ય, અને Damn your states and politics for perverting all the dictates of truth ! ” | ||
આ ગાળોના ઉદ્ગાર સાંભળતાં પ્રવીણદાસ તો માત્ર ઠંડો જ થઈ ગયો અને બીજા અધિકારીયોમાં ક્રોધ, હાસ્ય, તિરસ્કાર, આદિ અનેક વૃત્તિઓ સ્વભાવવૈચિત્ર્ય પ્રમાણે રોપાઈ ગઈ. પણ સર્વે આ વેગવાળા પ્રવાહથી સ્તબ્ધ હતા એટલામાં વિદ્યાચતુર અને મણિરાજ આવી સર્વની પાછળ | આ ગાળોના ઉદ્ગાર સાંભળતાં પ્રવીણદાસ તો માત્ર ઠંડો જ થઈ ગયો અને બીજા અધિકારીયોમાં ક્રોધ, હાસ્ય, તિરસ્કાર, આદિ અનેક વૃત્તિઓ સ્વભાવવૈચિત્ર્ય પ્રમાણે રોપાઈ ગઈ. પણ સર્વે આ વેગવાળા પ્રવાહથી સ્તબ્ધ હતા એટલામાં વિદ્યાચતુર અને મણિરાજ આવી સર્વની પાછળ ઉભા હતા અને શાંત સ્મિત કરતા હતા; તેમાંથી વિદ્યાચતુર આગળ | ||
આવ્યો અને ધીમે રહી વીરરાવને ખભે હાથ મુક્યો ત્યાં વીરરાવે પાછળ જોયું અને એના પગ ઉભા થયા. પોતાના વાક્યોનો એના ઉપર અને રાજા ઉપર શો અસર થયો હશે તેનો વિચાર જ તેને થયો નહી, અને વિચાર ન થયો તો ક્ષોભ પણ શાનો થાય ? પાછો ફરી તેણે વિદ્યાચતુર સાથે હસ્તમેલન<ref>Shaking hands.</ref> કર્યું અને મણિરાજ ભણી વધતાં વધતાં બોલ્યો.“ મહારાજ, રાજા અને પ્રજામાં મનુષ્યત્વ સામાન્ય છે, રાજત્વ કરતાં મનુષ્યત્વ પૂજ્ય છે, અને એ પૂજ્યત્વનું ચણતર સત્યના પાયા ઉપર બંધાયલું છે એ સત્ય આપ સ્વીકારો છો પણ અમારા વકીલસાહેબ ચદ્રકાંતભાઈએ એથી વિરુદ્ધ શાસ્ત્ર પળાવવાનો પ્રયત્ન કર્યો માટે અમારે એમની સાથે હવણાં જ યુદ્ધ થયું હતું.” | |||
આવ્યો અને ધીમે રહી વીરરાવને ખભે હાથ મુક્યો ત્યાં વીરરાવે પાછળ જોયું અને એના પગ ઉભા થયા. પોતાના વાક્યોનો એના ઉપર અને રાજા ઉપર શો અસર થયો હશે તેનો વિચાર જ તેને થયો નહી, અને વિચાર ન થયો તો ક્ષોભ પણ શાનો થાય ? પાછો ફરી તેણે વિદ્યાચતુર સાથે હસ્તમેલન | |||
મણિરાજે હસતાં હસતાં એની સાથે હસ્ત મેળવ્યો અને ઉત્તર દીધો. “એવાં એવાં યુદ્ધને માટે જ અમે આ વિદુરભવન રાખેલું છે અને તેમાં આપના જેવાનો સત્કાર કરીયે છીયે. મહારાણા ખાચરજીને લેઈ મૂળરાજ સત્વર આવશે તેમને આપની શક્તિ જોવાનો લાભ થશે. માટે ચાલો, આપણે આ સભામંડપમાં બેસીયે.” | મણિરાજે હસતાં હસતાં એની સાથે હસ્ત મેળવ્યો અને ઉત્તર દીધો. “એવાં એવાં યુદ્ધને માટે જ અમે આ વિદુરભવન રાખેલું છે અને તેમાં આપના જેવાનો સત્કાર કરીયે છીયે. મહારાણા ખાચરજીને લેઈ મૂળરાજ સત્વર આવશે તેમને આપની શક્તિ જોવાનો લાભ થશે. માટે ચાલો, આપણે આ સભામંડપમાં બેસીયે.” | ||
| Line 62: | Line 59: | ||
રાણો ખાચર શરીરે પાતળો, પણ કદમાં ઉંચો હતો. વૃદ્ધાવસ્થાની કરચલીઓ એના મુખ ઉપર હતી, પણ હઠીલી અને ખુનસભરી રજપુતાઈના આવેશે ભરેલી રતાશ એની ઝીણી પણ લાંબી આંખોમાં વીજળીની રેખા પેઠે ચળકતી હતી અને આંખોના ખુણા સુધી પ્રસરતી હતી. એની મુછોમાં ધોળા વાળ ભળવા લાગ્યા હતા, છતાં તેના આમળા કાન સુધી વળતા | રાણો ખાચર શરીરે પાતળો, પણ કદમાં ઉંચો હતો. વૃદ્ધાવસ્થાની કરચલીઓ એના મુખ ઉપર હતી, પણ હઠીલી અને ખુનસભરી રજપુતાઈના આવેશે ભરેલી રતાશ એની ઝીણી પણ લાંબી આંખોમાં વીજળીની રેખા પેઠે ચળકતી હતી અને આંખોના ખુણા સુધી પ્રસરતી હતી. એની મુછોમાં ધોળા વાળ ભળવા લાગ્યા હતા, છતાં તેના આમળા કાન સુધી વળતા | ||
હતા. એના ઓઠ લાંબા હતા, અને એ આખા જગતને કંઈ લેખામાં ગણતો | હતા. એના ઓઠ લાંબા હતા, અને એ આખા જગતને કંઈ લેખામાં ગણતો | ||
ન હોય એવો અભિમાની તિરસ્કાર એ આંખો અને ઓઠમાં સ્ફુરતો હતો. એ હસતો ત્યારે પણ એના હાસ્ય સાથે કોઈક કટાર ઝઝુમતી હોય એમ લાગતું હતું. એક કોચના બે છેડા ઉપર બેઠેલા સસરા-જમાઈના દેખાવમાં સર્વાંગી વિરોધ સ્પષ્ટ હતો, અને આકાશના મધ્ય ભાગમાં ચંદ્ર અને ધૂમકેતુ પાસે હોય ત્યારે લાગે તેમ સૌમ્ય મણિરાજ અને તીવ્ર-ઉગ્ર ખાચર લાગતા હતા. | ન હોય એવો અભિમાની તિરસ્કાર એ આંખો અને ઓઠમાં સ્ફુરતો હતો. એ હસતો ત્યારે પણ એના હાસ્ય સાથે કોઈક કટાર ઝઝુમતી હોય એમ લાગતું હતું. એક કોચના બે છેડા ઉપર બેઠેલા સસરા-જમાઈના દેખાવમાં સર્વાંગી વિરોધ સ્પષ્ટ હતો, અને આકાશના મધ્ય ભાગમાં ચંદ્ર અને ધૂમકેતુ પાસે હોય ત્યારે લાગે તેમ સૌમ્ય મણિરાજ અને તીવ્ર-ઉગ્ર ખાચર લાગતા હતા. | ||
| Line 118: | Line 114: | ||
વિદ્યાo-“ તો હવે તમે શોધો કે અમારાથી તમને લાભ શો અને હાનિ શી ?” | વિદ્યાo-“ તો હવે તમે શોધો કે અમારાથી તમને લાભ શો અને હાનિ શી ?” | ||
વીરo-“ શું શોધવું છે ? દેશી રાજ્ય કદી ઠેકાણે આવવાનાં નથી. એ રાજ્યોના મર્મભાગોમાં રહેલી ખટપટ એમના રાજાઓને ભ્રમિત કરે છે અને અમારે ત્યાંથી જે સારા માણસ ત્યાં જાય તેને એ ખટપટ અને એ રાજાઓના ભ્રમ બગાડી નાંખે છે અને એનો ચેપ અમને લાગેછે. દુખવા આવેલી આંખો સામાની આંખોને દુખવા આણે એમ તમારાં રાજ્યોની કથા છે તે પોતે બગડે છે ને સામાને બગાડે છે. તેમની પ્રજા ચારે પાસથી દુ:ખ અને જુલમના પોકાર કરે છે, એ રાજાઓ ગમે તો દ્રવ્ય ઉડાવે છે ને દેવું કરે છે ને ગમે તો લોભ અને કંજુસાઈથી પ્રજાને માટે સંગ્રહેલું દ્રવ્ય લોકોપયેાગને માટે પ્રવાહી થતું અટકાવે છે ને પાતાળના ભાંયરામાં નાંખે છે કે દુર્માર્ગે ઉડાવે છે ને પ્રજા તો ભીખારી ને ભીખારી! એ રાજ્યોની પ્રજાને નથી મળવાનું જ્ઞાન, નથી મળવાની સ્વતંત્રતા, અને નથી મળવાનાં ઉદ્યોગ, સુખ અને મનુષ્યત્વ. તેઓ જે સદ્ધસ્તુ શેાધશે તેમાં તેમના રાજાઓ ને અધિકારીઓ સપત્નીકૃત્ય કરશે, ને ઝાંખરાં પેઠે પગલે પગલે નડશે. સુધરતા યુગની પાછળ એ રાજાઓ ર્હેશે અને પ્રજાને રાખશે. દેશી રાજ્યોથી લોકને લાભ કાંઈ નથી અને હાનિ સર્વથા છે. They are doomed and shall cease, and the sooner the better. એ રાજ્યોનો ઉપયોગ આખા જગતમાં કોઈને કશો નથી. એ રાજ્યો નષ્ટ થશે ત્યારે રાજાઓ પણ મનુષ્યત્વ પામશે અને અમારા મહાન્ સમારંભોમાં અમારા સહચારી થશે. એ રાજાઓને અને તેમની પ્રજાઓનો જીર્ણોદ્ધાર કરવાનો આ જ એક માર્ગ છે અને બાકીના સર્વ પ્રયત્ન પવનના બાચકા છે | વીરo-“ શું શોધવું છે ? દેશી રાજ્ય કદી ઠેકાણે આવવાનાં નથી. એ રાજ્યોના મર્મભાગોમાં રહેલી ખટપટ એમના રાજાઓને ભ્રમિત કરે છે અને અમારે ત્યાંથી જે સારા માણસ ત્યાં જાય તેને એ ખટપટ અને એ રાજાઓના ભ્રમ બગાડી નાંખે છે અને એનો ચેપ અમને લાગેછે. દુખવા આવેલી આંખો સામાની આંખોને દુખવા આણે એમ તમારાં રાજ્યોની કથા છે તે પોતે બગડે છે ને સામાને બગાડે છે. તેમની પ્રજા ચારે પાસથી દુ:ખ અને જુલમના પોકાર કરે છે, એ રાજાઓ ગમે તો દ્રવ્ય ઉડાવે છે ને દેવું કરે છે ને ગમે તો લોભ અને કંજુસાઈથી પ્રજાને માટે સંગ્રહેલું દ્રવ્ય લોકોપયેાગને માટે પ્રવાહી થતું અટકાવે છે ને પાતાળના ભાંયરામાં નાંખે છે કે દુર્માર્ગે ઉડાવે છે ને પ્રજા તો ભીખારી ને ભીખારી! એ રાજ્યોની પ્રજાને નથી મળવાનું જ્ઞાન, નથી મળવાની સ્વતંત્રતા, અને નથી મળવાનાં ઉદ્યોગ, સુખ અને મનુષ્યત્વ. તેઓ જે સદ્ધસ્તુ શેાધશે તેમાં તેમના રાજાઓ ને અધિકારીઓ સપત્નીકૃત્ય કરશે, ને ઝાંખરાં પેઠે પગલે પગલે નડશે. સુધરતા યુગની પાછળ એ રાજાઓ ર્હેશે અને પ્રજાને રાખશે. દેશી રાજ્યોથી લોકને લાભ કાંઈ નથી અને હાનિ સર્વથા છે. They are doomed and shall cease, and the sooner the better. એ રાજ્યોનો ઉપયોગ આખા જગતમાં કોઈને કશો નથી. એ રાજ્યો નષ્ટ થશે ત્યારે રાજાઓ પણ મનુષ્યત્વ પામશે અને અમારા મહાન્ સમારંભોમાં અમારા સહચારી થશે. એ રાજાઓને અને તેમની પ્રજાઓનો જીર્ણોદ્ધાર કરવાનો આ જ એક માર્ગ છે અને બાકીના સર્વ પ્રયત્ન પવનના બાચકા છે <ref>“ The process of infusing vitality into the Native States and quickeningthe abolition of time - honoured abuses seems needlessly slow to impatientreformers. . . . It would be an unfortunate conclusion to theefforts made in the Nineteenth Century for the preservation of NativeStates if the impatience of the Twentieth Century, or the indifference ofthe Native Chiefs to their own higher responsibilities, should force uponthe statesman of the future a dissolution of the union.”-Lee Warner'sProtected Prince of India.”</ref>એ રાજ્યો જેમ વ્હેલાં રામશરણ જાય તેમ તેમનો આ તેમના દુઃખજીવનમાંથી વ્હેલો મોક્ષ ને નવો અવતાર છે.” | ||
પ્રવીણ૦-“ પણ ઈંગ્રેજી સત્તાથી તમારા ધનસંચય સમુદ્રપાર જાય છે તેને સટે અમારે ત્યાં દ્રવ્ય ઘરમાં રહે છે અને તમારે ત્યાં આવી તમારું પોષણ કરેછે તેનું શું ?” | પ્રવીણ૦-“ પણ ઈંગ્રેજી સત્તાથી તમારા ધનસંચય સમુદ્રપાર જાય છે તેને સટે અમારે ત્યાં દ્રવ્ય ઘરમાં રહે છે અને તમારે ત્યાં આવી તમારું પોષણ કરેછે તેનું શું ?” | ||
| Line 126: | Line 122: | ||
છેલો બેઠેલો એક તરુણ અધિકારી બોલી ઉઠ્યો: “તમારે ત્યાં તમે સર્વ Plebian ર્હેવાના, અને અમારે ત્યાં આવી Patrician ના સંસ્કાર પામવાના, અને હલકા સંસ્કાર છોડી ઉચ્ચ સંસ્કાર પામવાના. તેનું શું ? | છેલો બેઠેલો એક તરુણ અધિકારી બોલી ઉઠ્યો: “તમારે ત્યાં તમે સર્વ Plebian ર્હેવાના, અને અમારે ત્યાં આવી Patrician ના સંસ્કાર પામવાના, અને હલકા સંસ્કાર છોડી ઉચ્ચ સંસ્કાર પામવાના. તેનું શું ? | ||
તમારા શબ્દે શબ્દમાં તમારું કુળ જણાય છે તેને સટે રાજ્યના ઉચ્ચ | તમારા શબ્દે શબ્દમાં તમારું કુળ જણાય છે તેને સટે રાજ્યના ઉચ્ચ | ||
સંસ્કાર પામવાનું સ્થાન દેશી રાજ્યો ન હોય તો તમને કોણ આપવાનું હતું ?” | સંસ્કાર પામવાનું સ્થાન દેશી રાજ્યો ન હોય તો તમને કોણ આપવાનું હતું ?” | ||
| Line 146: | Line 141: | ||
વીરo– “ હા – પણ – તે- એકનું – એક – જ.” | વીરo– “ હા – પણ – તે- એકનું – એક – જ.” | ||
ચંદ્રo –“ ના જી. ઈંગ્રેજી ન્યાયની અને નયની સત્તા તમે છાપખાનાવાળા સમજી શકો એમ નથી. રોમન રાજ્યની જ્યારે સર્વ દેશમાં ચક્રવતી સત્તા થઈ ત્યારે રોમન શાંતિ- Pax Romana - સર્વત્ર વર્તી ગઈ અને ચારે પાસનો કોલાહલ મટી ગયો | ચંદ્રo –“ ના જી. ઈંગ્રેજી ન્યાયની અને નયની સત્તા તમે છાપખાનાવાળા સમજી શકો એમ નથી. રોમન રાજ્યની જ્યારે સર્વ દેશમાં ચક્રવતી સત્તા થઈ ત્યારે રોમન શાંતિ- Pax Romana - સર્વત્ર વર્તી ગઈ અને ચારે પાસનો કોલાહલ મટી ગયો <ref>“The Roman conquest, relieved the nations from the interminabledissensious which threatened them on the dissolution of the Macedonian dynasty. The wars of the 'kites' and 'crows' were succeeded by a periodof internal tranquillity more extensive, more durable, and more profoundthan any other in human annals. The Pax Romana stands out as an uniquephenomenon in history. It was consolidated partly by the power of theRoman arms in repelling aggression from without ; but not less perhapsby the constraining pressure of Roman law, which made every subject ofthe world-wide dominion know his place, and confine himself within it.The Roman law was an active and living principle, It was always open toreceive new impressions and was anxious for improvement and development.It set before itself ideas of humanity and justice which it aimed at accomplishing, It trained multitudes of keen intellects in the contemplation andpursuit of broad and noble ends. It constituted in itself a wide and liberaleducation and familiarised its students first with the highest philosophy, andafterwards with the purest religion of the period. Nor was it unsuccessfulin the attainment of its practical objects, It generated a spirit of confidence in the government, of obedience to command, of general contentment, .and gave scope to the discipline of domestic affections.-Merivale.</ref> -વાઘને દેખતાં પશુમાત્ર પરસ્પરવિગ્રહ અને બુમાબુમ છોડી દેઈશાંત થઈ જાય તેમ બલિષ્ઠ સામ્રાજ્યના ન્યાય અને પ્રતાપ આગળ તે કાળની સૃષ્ટિ શાંત થઈ ગઈ, હીંદુસ્થાનમાં ઈંગ્રેજી રાજ્યની શાંતિ પણ એવો જ યુગ વર્તાવવા બેઠી છે દેશી રાજ્યોને અમારી હાઈ કોર્ટનો ન્યાય લાગુ નથી એ સત્ય છે; પણ તેમને રાષ્ટ્રીય ન્યાયશાસ્ત્ર - International law – નું સ્વાતંત્ર્ય નથી, અને પળે પળે સર્વે દેશી રાજ્યોનો એકભાવ કરનાર સરકારનો ઈચ્છાન્યાય અને દેશી રાજ્યોની ઢીલી બ્હીકણ અરજીઓ એ બેની પરસ્પર ખેંચતાણમાં જીતી જનાર ઇંગ્રેજી બુદ્ધિનો ન્યાય ચક્રવર્તી થાય છે - એ ઈંગ્રેજી શાંતિના પ્રતાપ આગળ દેશી રાજાઓ ઉદાત્ત રાજપુરુષ થઈ જતા દેખાય છે – તેમનાં રૂપ બદલાવા માંડ્યાં છે અને અંતે એ પરિણામ સિદ્ધ થશે.” | ||
શાંતિ૦ – “દેશી રાજાઓ શુદ્ધ અને સદ્ગુણી થાય તો પણ તેમની એ દશા થશે એવું ધારો છો?” | શાંતિ૦ – “દેશી રાજાઓ શુદ્ધ અને સદ્ગુણી થાય તો પણ તેમની એ દશા થશે એવું ધારો છો?” | ||
પ્રવી૦ – “શું તમે એમ ધારો છો કે અમારામાં એ ભાગ્ય અટકાવવા જેવું બુદ્ધિચાતુર્ય નથી ?” | પ્રવી૦ – “શું તમે એમ ધારો છો કે અમારામાં એ ભાગ્ય અટકાવવા જેવું બુદ્ધિચાતુર્ય નથી ?” | ||
ચંદ્ર૦ – “Pax Britannica, બ્રીટિશ શાન્તિ – સૂર્યના ઉદય પેઠે સર્વ તેજને, તારાઓને તેમ ચંદ્રને પણ, અસ્ત કરશે. વૈરાટના મુખમાં અર્જુને કૌરવો અને પાંડવોની ક્રમશઃ ગતિ દીઠી તેવી જ આ શાંતિનાં મુખમાં શુદ્ધ અને અશુદ્ધ, પ્રવીણ અને મૂર્ખ, સર્વ રાજાઓએ પોતાની ગતિ જોઈ લેવી. દેશી રાજ્યોની પરસ્પર તકરારોમાં તેમ તેમની પોતાની સાથની તકરારોમાં સરકારે પોતાના હાથમાં ન્યાય રાખ્યો છે એટલું નહી પણ ન્યાયનાં ધેારણ પણ નવા કાળનાં વાળ્યાં વળે એવાં રાખ્યાં છે. એટલુંજ નહી પણ એ રાજ્યોની પ્રજાને ન્યાય આપવાનાં ત્રાજવાં પણ રાજાએ જાતે બરાબર ઝીલતાં શીખવાના નથી, અને તેવે પ્રસંગે એ રાજાઓ અને તેમની સારી નરસી પ્રજા વચ્ચે વિરોધના પ્રસંગ સમાયલા છે, એ પ્રસંગે એ આ ત્રાજવાં રાજાઓના હાથમાંથી ઈંગ્રેજનાં હાથમાં વશે કે કવશે ચાલ્યાં જશે. આ કાળે પ્રજાને દેશી રાજાઓના કરતાં પરદેશીઓનો રંગ અને સંગ વધારે મીઠો લાગશે; અને કોઈ પ્રસંગે સાસરાના જુલમથી ત્રાસેલી, તો અન્ય પ્રસંગે દક્ષિણ નાયક ઉપર મોહેલી, વંઠેલી પ્રજાઓ પરણેલા સ્વામીને ત્યજી રંગીલા અને ચતુર પરદેશી વણઝારાઓ સાથે ચાલી જશે. આપણા રાજાઓ તે હવે રાજા નથી અને માત્ર સરાકારે રાખેલા સ્થાનિક અધિકારીઓની દશાને પામ્યાં છે – They are already reduced into what Herbert Spencer calls Local Governing Agencies.* | ચંદ્ર૦ – “Pax Britannica, બ્રીટિશ શાન્તિ – સૂર્યના ઉદય પેઠે સર્વ તેજને, તારાઓને તેમ ચંદ્રને પણ, અસ્ત કરશે. વૈરાટના મુખમાં અર્જુને કૌરવો અને પાંડવોની ક્રમશઃ ગતિ દીઠી તેવી જ આ શાંતિનાં મુખમાં શુદ્ધ અને અશુદ્ધ, પ્રવીણ અને મૂર્ખ, સર્વ રાજાઓએ પોતાની ગતિ જોઈ લેવી. દેશી રાજ્યોની પરસ્પર તકરારોમાં તેમ તેમની પોતાની સાથની તકરારોમાં સરકારે પોતાના હાથમાં ન્યાય રાખ્યો છે એટલું નહી પણ ન્યાયનાં ધેારણ પણ નવા કાળનાં વાળ્યાં વળે એવાં રાખ્યાં છે. એટલુંજ નહી પણ એ રાજ્યોની પ્રજાને ન્યાય આપવાનાં ત્રાજવાં પણ રાજાએ જાતે બરાબર ઝીલતાં શીખવાના નથી, અને તેવે પ્રસંગે એ રાજાઓ અને તેમની સારી નરસી પ્રજા વચ્ચે વિરોધના પ્રસંગ સમાયલા છે, એ પ્રસંગે એ આ ત્રાજવાં રાજાઓના હાથમાંથી ઈંગ્રેજનાં હાથમાં વશે કે કવશે ચાલ્યાં જશે. આ કાળે પ્રજાને દેશી રાજાઓના કરતાં પરદેશીઓનો રંગ અને સંગ વધારે મીઠો લાગશે; અને કોઈ પ્રસંગે સાસરાના જુલમથી ત્રાસેલી, તો અન્ય પ્રસંગે દક્ષિણ નાયક ઉપર મોહેલી, વંઠેલી પ્રજાઓ પરણેલા સ્વામીને ત્યજી રંગીલા અને ચતુર પરદેશી વણઝારાઓ સાથે ચાલી જશે. આપણા રાજાઓ તે હવે રાજા નથી અને માત્ર સરાકારે રાખેલા સ્થાનિક અધિકારીઓની દશાને પામ્યાં છે – They are already reduced into what Herbert Spencer calls Local Governing Agencies.<ref>*While, with the compounding of small societies into large ones the political ruling agencies which develop locally as well as generally, become separate from, and predominant over, the ruling agencies of family origin, these last do not disappear; but surviving in their first forms, also give origin to differentiated forms. The assemblage of kindred long continues to have a qualified semi-political autonomy, with internal government and external obligations and claims. And while family-clusters, losing their definiteness by interfusion, slowly lose their traits as separate independent societies, there descend from them clusters which, in some cases united chiefly by locality and in others chiefly by occupation, inherit their traits, and constitute local governing agencies supplementing the purely political ones.-Spencer's Political Institutions.</ref>હવે તો આ ઉદ્યોગપર્વના યુગમાં ન્હાનાં રાજ્યની પ્રજાઓ મ્હોટા રાજ્યની પ્રજામાં ભળતી જાય છે, અને તેમના પ્રાચીન સ્થાનિક રાજ્યાધિકારીઓ ઉદ્યોગાધિકારીઓ – ઉદાત્ત પુરુષો - Lords and Nobles – a noble aristocracy – થઈ જશે.” | ||
“તરત કાળમાં રાજાઓ અમારાં લોકલ બોર્ડઝ્ અને મ્યુનિસિપાલિટિઓ | “તરત કાળમાં રાજાઓ અમારાં લોકલ બોર્ડઝ્ અને મ્યુનિસિપાલિટિઓ | ||
જેવાં સ્થાનિક સ્વરાજ્યની દશાને પામ્યાં જોશો. અને તેને અંતે બીજી દશા આવશે.” | જેવાં સ્થાનિક સ્વરાજ્યની દશાને પામ્યાં જોશો. અને તેને અંતે બીજી દશા આવશે.” | ||
| Line 164: | Line 156: | ||
શંકર૦ – “એવું થયાનાં દૃષ્ટાંત કંઈ દીઠાં છે ?” | શંકર૦ – “એવું થયાનાં દૃષ્ટાંત કંઈ દીઠાં છે ?” | ||
ચંદ્ર૦ – “એનાં દષ્ટાંત જોવાં હોય તે ઇંગ્લાંડના બેરનો (Barons) આજ ડ્યૂક અને કાઉંટ થઈ ગયા છે તે ! તમારા ભાયાતોની દશા પણ બીજી શી થઈ છે ? કાળક્રમે ઇંગ્રેજીરાજ્યના મૂળગ્રાસીયામાં દેશી રાજાઓની ગણના થશે. અમને તેથી લાભ છે. અમો ઈંગ્રેજી પ્રજા પાસે દ્રવ્યના સંચય નથી, અને ઉદ્યોગમાંથી અવકાશ નથી. અમારા રાજ્યમાં પ્રજાએ રાજા પાસે માગણું માગતાં નિરંતર આગ્રહથી અને મહાન્ દ્રવ્યના વ્યયથી મહાભારત પ્રયત્ન કરવા પડે છે - તેનું દૃષ્ટાંત – અમારી કોન્ગ્રેસ અને બીજાં જે જે કામ જુવો તે. બંગાળામાં જમીનદાર રાજાઓને અવકાશ, દ્રવ્ય અને ઉત્સાહ સર્વ છે. મુંબાઈ ઈલાકામાં વ્યાપાર છે તે વિદ્વાનોના હાથમાં નથી, અને તેઓ દ્રવ્ય શોધતાં અવકાશ ખુવે છે. વ્યાપારીયો દ્રવ્ય અને અવકાશ વ્યાપારમાં રોકવા વધારે ઈચ્છે, અને અવકાશ અને દ્રવ્ય બે તેમની પાસે હોય, તો ઉત્સાહ તેમાં નથી આવતો. આ પાસના રાજાઓ જમીનદારો થઈ જાય તે મુંબાઈ ઈલાકામાં બંગાળાના રાજાઓ જેવો વર્ગ ઉભો થશે, તેમ થવા નિર્મેલું છે, તેમ થશે તો એવા દ્રવ્યવાન્ અવકાશવાન્ વર્ગમાં અમે વિદ્વાનો ઉત્સાહ ભરશું, અને મેગ્ના કાર્ટા મેળવનાર ઉમરાવોએ પ્રજાનો ઝુંડો લીધે હતો | ચંદ્ર૦ – “એનાં દષ્ટાંત જોવાં હોય તે ઇંગ્લાંડના બેરનો (Barons) આજ ડ્યૂક અને કાઉંટ થઈ ગયા છે તે ! તમારા ભાયાતોની દશા પણ બીજી શી થઈ છે ? કાળક્રમે ઇંગ્રેજીરાજ્યના મૂળગ્રાસીયામાં દેશી રાજાઓની ગણના થશે. અમને તેથી લાભ છે. અમો ઈંગ્રેજી પ્રજા પાસે દ્રવ્યના સંચય નથી, અને ઉદ્યોગમાંથી અવકાશ નથી. અમારા રાજ્યમાં પ્રજાએ રાજા પાસે માગણું માગતાં નિરંતર આગ્રહથી અને મહાન્ દ્રવ્યના વ્યયથી મહાભારત પ્રયત્ન કરવા પડે છે - તેનું દૃષ્ટાંત – અમારી કોન્ગ્રેસ અને બીજાં જે જે કામ જુવો તે. બંગાળામાં જમીનદાર રાજાઓને અવકાશ, દ્રવ્ય અને ઉત્સાહ સર્વ છે. મુંબાઈ ઈલાકામાં વ્યાપાર છે તે વિદ્વાનોના હાથમાં નથી, અને તેઓ દ્રવ્ય શોધતાં અવકાશ ખુવે છે. વ્યાપારીયો દ્રવ્ય અને અવકાશ વ્યાપારમાં રોકવા વધારે ઈચ્છે, અને અવકાશ અને દ્રવ્ય બે તેમની પાસે હોય, તો ઉત્સાહ તેમાં નથી આવતો. આ પાસના રાજાઓ જમીનદારો થઈ જાય તે મુંબાઈ ઈલાકામાં બંગાળાના રાજાઓ જેવો વર્ગ ઉભો થશે, તેમ થવા નિર્મેલું છે, તેમ થશે તો એવા દ્રવ્યવાન્ અવકાશવાન્ વર્ગમાં અમે વિદ્વાનો ઉત્સાહ ભરશું, અને મેગ્ના કાર્ટા મેળવનાર ઉમરાવોએ પ્રજાનો ઝુંડો લીધે હતો<ref>The barons proclaimed themselves the army of God and HolyChurch. The middle classes of England, both the yeomanry in thecountry and the Burghers in the towns, actively aided them; and renderedtheir success certain. It was no longer a rising of one order of the community but a movement of all the free-men of the land. John seems to haveperceived the formidable importance which it thus assumed and heendeavoured to detach the barons from the national cause by offeringspecial terms in favour of themselves and their immediate retainers. Butthe baronial chiefs felt their true position as champions of a notion's rightsand disregarded the insidious offers of the King . . . who, in despair, sentthe Earl of Pembroke to inform them that he was ready to comply withtheir petitions, and to desire that a place and time might be manned for aconference. : The barons answered, “Let the day be the 9th of June, theplace, Runnymede.”–Sir Edmand Creasy's Rise and Progress of the British Constitution</ref> તેવો | ||
ઝુંડો લેનાર અમારા દેશને મળશે ! એ અમારે પરમ લાભ – કે સરકાર, | ઝુંડો લેનાર અમારા દેશને મળશે ! એ અમારે પરમ લાભ – કે સરકાર, | ||
રાજાઓ, ને રૈયત સઉનું કલ્યાણ !” | રાજાઓ, ને રૈયત સઉનું કલ્યાણ !” | ||
| Line 192: | Line 183: | ||
“વીરરાવજી, તમે વિચાર તે ઉચ્ચાર એ શાસ્ત્રનો આચાર પાળો છો. પ્રથમ તે આ શાસ્ત્ર જ અસત્ય છે. એ શાસ્ત્ર તમે જાતે જ સર્વત્ર પાળવાનું ઈષ્ટ ગણતા નથી. અત્યંત આજ્ઞાકર પુત્રના અંતઃપુરની વાતો કોઈ પિતા જાણવા ઈચ્છતો નથી, અને તેના ઉચ્ચાર ઇચ્છતો નથી. મનુષ્યના અર્ધા શરીરને દૃષ્ટિગોચર કરતાં કે કરાવતાં સંસાર કંપારી ખાય છે, અને સત્યના કેટલાંક ભાગને જોવાને આપણું જ્ઞાનેન્દ્રિય ના પાડે છે. વીરરાવજી, સ્વીકારો કે સત્યના ઘણાક અંશને પ્રત્યક્ષ કરવાની તમારે ના પાડવી પડશે ને એથી મ્હોટા અંશનો ઉચ્ચાર કરવાની ના પાડવી પડશે. તમારા ઉચ્ચારનું સૂત્ર અસત્યના પાયા ઉપર બાંધ્યું છે.” | “વીરરાવજી, તમે વિચાર તે ઉચ્ચાર એ શાસ્ત્રનો આચાર પાળો છો. પ્રથમ તે આ શાસ્ત્ર જ અસત્ય છે. એ શાસ્ત્ર તમે જાતે જ સર્વત્ર પાળવાનું ઈષ્ટ ગણતા નથી. અત્યંત આજ્ઞાકર પુત્રના અંતઃપુરની વાતો કોઈ પિતા જાણવા ઈચ્છતો નથી, અને તેના ઉચ્ચાર ઇચ્છતો નથી. મનુષ્યના અર્ધા શરીરને દૃષ્ટિગોચર કરતાં કે કરાવતાં સંસાર કંપારી ખાય છે, અને સત્યના કેટલાંક ભાગને જોવાને આપણું જ્ઞાનેન્દ્રિય ના પાડે છે. વીરરાવજી, સ્વીકારો કે સત્યના ઘણાક અંશને પ્રત્યક્ષ કરવાની તમારે ના પાડવી પડશે ને એથી મ્હોટા અંશનો ઉચ્ચાર કરવાની ના પાડવી પડશે. તમારા ઉચ્ચારનું સૂત્ર અસત્યના પાયા ઉપર બાંધ્યું છે.” | ||
“તમારું એ સૂત્ર મહાન્ અનર્થોનું મૂળ છે તેનો – તમારા જાતભાઈઓ, વર્તમાનપત્રવાળાઓ અને મરાઠા ભાઈઓ – બ્રીટિશ ઈન્ડિઆમાં અનુભવ કરાવે છે. બુલ્વર સાહેબ બીચારા આપણને કહી કહીને થાક્યા છે કે ઈગ્રેજો અને દેશીઓનાં ચિત્ત પરસ્પરની વિદેશીયતાને ભુલી જશે નહી અને બન્ધુભાવ પામશે નહી ત્યાં સુધી હીન્દુસ્થાન રાજાપ્રજાના પરસ્પર અવિશ્વાસમાંથી છુટશે નહી અને ત્યાં સુધી તેમાંથી કોઈનું કલ્યાણ થશે નહી. આ વિશ્વાસ અને આ કલ્યાણના માર્ગમાં જે કોઈ વિધ્ન નાંખે તે દેશદ્રોહી છે અને દેશદ્રોહી તે રાજદ્રોહી છે, તમો ભાઈઓની જીભ ઉપર એ દેશદ્રોહ અને રાજદ્રોહ નાચે છે અને તમારા દેશવત્સલ હૃદયને એનું ભાન નથી. ખરી વાત છે કે ઈંગ્રેજો સ્વાર્થબુદ્ધિ અને અવિશ્વાસનો સર્વતઃ ત્યાગ નથી કરી શકતા પણ એના અપવાદરૂપ ઉદાત્ત ચિત્તોનો એ દેશમાં અભાવ નથી એમ કોન્ગ્રેસના આધારભૂત ઈંગ્રેજો અને રીપન જેવાઓ ઉપર દૃષ્ટિ કર્યા પછી કીયો દેશી ના કહી શકશે ? એ લોક આપણી ભાષા સમજી શકે તેના કરતાં એમની ભાષા આપણે વધારે સમજીએ છીયે, તેજ રીતે આપણું ચિત્ત એ લોક સમજી શકે કે ન શકે પણ યત્ન કરનાર દેશી ઈંગ્રેજનાં ચિત્તને વધારે સમજી શકશે. જે વધારે સમજે તેને માથે વધારે ધર્મ. ઈંગ્રેજેનો મ્હોટો ભાગ આપણા ઉપર વિશ્વાસ કરે કે ન કરે, પણ આપણા ઉપર એવા વિશ્વાસની વૃદ્ધિ કરાવવી એ આપણા હાથમાં છે અને જે વસ્તુની એમ આપણી શક્તિ ઉદય પામી છે તે શકિતનો ઉપયોગ કરવાનો ધર્મ આપણે માથે ઉદય પામ્યો છે. તમ ભાઈઓના સૂત્રનો આચાર એ ધર્મનો કેવળ ભંગ કરે છે, પોતાના ઉપર રાજ્યવર્ગનો નિષ્કારણ અવિશ્વાસ ખેંચી લેછે; અને ન ખવાય, ન રસ પડે, ન પેટમાં જાય, ન પોષણ કરે, અને કેવળ દાંત ભાંગે એવા ગાયના શીંગડાનું | “તમારું એ સૂત્ર મહાન્ અનર્થોનું મૂળ છે તેનો – તમારા જાતભાઈઓ, વર્તમાનપત્રવાળાઓ અને મરાઠા ભાઈઓ – બ્રીટિશ ઈન્ડિઆમાં અનુભવ કરાવે છે. બુલ્વર સાહેબ બીચારા આપણને કહી કહીને થાક્યા છે કે ઈગ્રેજો અને દેશીઓનાં ચિત્ત પરસ્પરની વિદેશીયતાને ભુલી જશે નહી અને બન્ધુભાવ પામશે નહી ત્યાં સુધી હીન્દુસ્થાન રાજાપ્રજાના પરસ્પર અવિશ્વાસમાંથી છુટશે નહી અને ત્યાં સુધી તેમાંથી કોઈનું કલ્યાણ થશે નહી. આ વિશ્વાસ અને આ કલ્યાણના માર્ગમાં જે કોઈ વિધ્ન નાંખે તે દેશદ્રોહી છે અને દેશદ્રોહી તે રાજદ્રોહી છે, તમો ભાઈઓની જીભ ઉપર એ દેશદ્રોહ અને રાજદ્રોહ નાચે છે અને તમારા દેશવત્સલ હૃદયને એનું ભાન નથી. ખરી વાત છે કે ઈંગ્રેજો સ્વાર્થબુદ્ધિ અને અવિશ્વાસનો સર્વતઃ ત્યાગ નથી કરી શકતા પણ એના અપવાદરૂપ ઉદાત્ત ચિત્તોનો એ દેશમાં અભાવ નથી એમ કોન્ગ્રેસના આધારભૂત ઈંગ્રેજો અને રીપન જેવાઓ ઉપર દૃષ્ટિ કર્યા પછી કીયો દેશી ના કહી શકશે ? એ લોક આપણી ભાષા સમજી શકે તેના કરતાં એમની ભાષા આપણે વધારે સમજીએ છીયે, તેજ રીતે આપણું ચિત્ત એ લોક સમજી શકે કે ન શકે પણ યત્ન કરનાર દેશી ઈંગ્રેજનાં ચિત્તને વધારે સમજી શકશે. જે વધારે સમજે તેને માથે વધારે ધર્મ. ઈંગ્રેજેનો મ્હોટો ભાગ આપણા ઉપર વિશ્વાસ કરે કે ન કરે, પણ આપણા ઉપર એવા વિશ્વાસની વૃદ્ધિ કરાવવી એ આપણા હાથમાં છે અને જે વસ્તુની એમ આપણી શક્તિ ઉદય પામી છે તે શકિતનો ઉપયોગ કરવાનો ધર્મ આપણે માથે ઉદય પામ્યો છે. તમ ભાઈઓના સૂત્રનો આચાર એ ધર્મનો કેવળ ભંગ કરે છે, પોતાના ઉપર રાજ્યવર્ગનો નિષ્કારણ અવિશ્વાસ ખેંચી લેછે; અને ન ખવાય, ન રસ પડે, ન પેટમાં જાય, ન પોષણ કરે, અને કેવળ દાંત ભાંગે એવા ગાયના શીંગડાનું ભક્ષણ<ref>नशुष्कवैरं कुर्वीति बाहुभ्यां न नदी तरेत्। | ||
अनर्थकमनायुष्यं गोविषाणस्य भक्षणम् ॥ | |||
दन्ताश्च परिमृज्यन्ते र्ससश्चापि न लभ्यते ॥ મહાભારત , શાંતિપર્વ</ref> કરવાનો મૂર્ખ અને દુષ્ટ પ્રયત્ન કરવો એ મહાન્ અનર્થ તમારી જીભનું પરિણામ છે. આ તમારું જિવ્હાલૌલ્ય જ્યાં સુધી મટશે નહી ત્યાં સુધી તમે અજ્ઞાત પણ પ્રત્યક્ષ દેશદ્રોહના પાતકમાંથી ઉગરશો નહી અને પરદેશી અવિશ્વાસી રાજ્યકર્તાઓમાં ઉદાત્તતા તો ક્યાંથી જગાડો પણ આપણી ઉપરનો અવિશ્વાસ દિને દિને વધારશો અને તેમની અનુદાત્તતાના વાયુને વધારી એ વાયુના ઝપાટાઓને મૂર્ખ શાલ્મલિ પેઠે<ref>મહાભારતમાં એક કથા એવી છે કે પવનના રાજ્યમાં શાલ્મલિ વૃક્ષે તેને નારદની પાસે ઉભાં ઉભાં ગાળો દીધી, નારદે પવનને કહી, અને પવનરાજે પોતાના બળનું ભય દર્શાવી શિક્ષાની ધમકી આપી ત્યારે ભયથી એ વૃક્ષ જાતે જ શીર્ણ થયો.</ref>માથે વ્હોરી લેશો.” | |||
“તમે દેશી રાજ્યમાંના નાત જાતના ભેદની ફરીયાદ કરો છે, પણ આપણી મુંબાઈમાં અને તમારા પુણામાં બીજું શું છે? આપણામાં દક્ષિણી અને ગુજરાતી, દક્ષિણમાં – શણવી પ્રભુ અને બ્રાહ્મણ,- મરાઠા અને બ્રાહ્મણ, એ બ્રાહ્મણોમાં દેશસ્થ અને કોંકણસ્થ -ચિત્તપાવન અને કરાઢા વગેરે કેટલા કેટલા ભેદને વ્યવહારમાં આગળ આણી અનેક સુધારાઓનો સત્ય નાશ વાળવામાં આવે છે? સત્ય વાત છે કે તમારા જેવા શુદ્ધ દેશવત્સલવીરે | “તમે દેશી રાજ્યમાંના નાત જાતના ભેદની ફરીયાદ કરો છે, પણ આપણી મુંબાઈમાં અને તમારા પુણામાં બીજું શું છે? આપણામાં દક્ષિણી અને ગુજરાતી, દક્ષિણમાં – શણવી પ્રભુ અને બ્રાહ્મણ,- મરાઠા અને બ્રાહ્મણ, એ બ્રાહ્મણોમાં દેશસ્થ અને કોંકણસ્થ -ચિત્તપાવન અને કરાઢા વગેરે કેટલા કેટલા ભેદને વ્યવહારમાં આગળ આણી અનેક સુધારાઓનો સત્ય નાશ વાળવામાં આવે છે? સત્ય વાત છે કે તમારા જેવા શુદ્ધ દેશવત્સલવીરે | ||
મહાભારતમાં એક કથા એવી છે કે પવનના રાજ્યમાં શાલ્મલિ વૃક્ષે તેને નારદની પાસે ઉભાં ઉભાં ગાળો દીધી, નારદે પવનને કહી, અને પવનરાજે પોતાના બળનું ભય દર્શાવી શિક્ષાની ધમકી આપી ત્યારે ભયથી એ વૃક્ષ જાતે જ શીર્ણ થયો. | |||
તેના સામા યુદ્ધ કરે છે પણ તમારા સામા પક્ષમાં બી. એ. અને એમ. એ. | તેના સામા યુદ્ધ કરે છે પણ તમારા સામા પક્ષમાં બી. એ. અને એમ. એ. | ||
થયેલા ગૃહસ્થો, વકીલો અને ડાક્તરો, દીવાનો અને રાજાઓ ભળેલા છે. એ સામા પક્ષની ગર્જના ગરીબ ગુજરાતી રાજ્યોમાંથી તમારા દેશમાં નથી આવી. પણ અમે ગુજરાતી ભાઈઓ તમે મરાઠાઓના દેશવત્સલ ભડકાથી તાપીએ છીએ ને કંઈક ગરમ થઈએ છીએ તે અમારામાંથી રાજકીય વ્યવહારમાંના આ જ્ઞાતિભેદનું શૈત્ય ક્હાડવા તમારા ઉચ્ચગ્રાહના તાપનો કંઈક પ્રત્યક્ષસિદ્ધ અંશ આપો; અને અમારા રાજાઓને અને સરકારને ગાળો દેવામાં જેટલાં ઉદ્યોગ અને બળ વૃથાવાહ કરે છે તેમને તમારામાંથી જ એ ભેદ ક્હાડવામાં સફળવાહ આપવામાં રોકો, અને પછી જુવો કે દેશી રાજ્યોમાં તે રંગની અસર આવે છે કે નહી ? વીરરાવજી, જો આપણે વિદ્વાન, દેખતા, અને, સુધરેલા છીયે તો તેના પ્રત્યક્ષ પાઠ અશિક્ષિત રાજ્યોમાં આપણા સદ્વર્તનથી આપવો એ – આપણી વિદ્ધત્તા સત્ય હોય તો – એ સત્યને માથે એ ધર્મ પ્રકટ થાય છે. સો ગાળે દીધા કરતાં એક પ્રત્યક્ષ પાઠ અનેકધા સફળ થશે. यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ॥ જો આપણે શ્રેષ્ઠ હઈએ તો આપણા વર્તનમાંથી સામાનાં વર્તનમાં મુદ્રા પાડો, અને તેમ કરવા અશક્ત હઈએ તો તેના કરતાં આપણી શ્રેષ્ઠતા સિદ્ધ નથી થઈ. That is the fact. What is the use of our wild talks and odious comparisons which only irritate others and lower ourselves ?” | થયેલા ગૃહસ્થો, વકીલો અને ડાક્તરો, દીવાનો અને રાજાઓ ભળેલા છે. એ સામા પક્ષની ગર્જના ગરીબ ગુજરાતી રાજ્યોમાંથી તમારા દેશમાં નથી આવી. પણ અમે ગુજરાતી ભાઈઓ તમે મરાઠાઓના દેશવત્સલ ભડકાથી તાપીએ છીએ ને કંઈક ગરમ થઈએ છીએ તે અમારામાંથી રાજકીય વ્યવહારમાંના આ જ્ઞાતિભેદનું શૈત્ય ક્હાડવા તમારા ઉચ્ચગ્રાહના તાપનો કંઈક પ્રત્યક્ષસિદ્ધ અંશ આપો; અને અમારા રાજાઓને અને સરકારને ગાળો દેવામાં જેટલાં ઉદ્યોગ અને બળ વૃથાવાહ કરે છે તેમને તમારામાંથી જ એ ભેદ ક્હાડવામાં સફળવાહ આપવામાં રોકો, અને પછી જુવો કે દેશી રાજ્યોમાં તે રંગની અસર આવે છે કે નહી ? વીરરાવજી, જો આપણે વિદ્વાન, દેખતા, અને, સુધરેલા છીયે તો તેના પ્રત્યક્ષ પાઠ અશિક્ષિત રાજ્યોમાં આપણા સદ્વર્તનથી આપવો એ – આપણી વિદ્ધત્તા સત્ય હોય તો – એ સત્યને માથે એ ધર્મ પ્રકટ થાય છે. સો ગાળે દીધા કરતાં એક પ્રત્યક્ષ પાઠ અનેકધા સફળ થશે. यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ॥ જો આપણે શ્રેષ્ઠ હઈએ તો આપણા વર્તનમાંથી સામાનાં વર્તનમાં મુદ્રા પાડો, અને તેમ કરવા અશક્ત હઈએ તો તેના કરતાં આપણી શ્રેષ્ઠતા સિદ્ધ નથી થઈ. That is the fact. What is the use of our wild talks and odious comparisons which only irritate others and lower ourselves ?” | ||
| Line 209: | Line 199: | ||
“એ વિષયની સમાપ્તિથી હું એટલું પ્રથમ સિદ્ધ થયું ગણું છું કે રજવાડામાંથી અમારા ઉદાત્ત વર્ગનો ભાવી જન્મ હું જોઉં છું. તેને સ્થાને તેનો ગર્ભપાત જોવામાં મી. વીરરાવ ભુલ કરે છે. એ ઉદાત્તતા પરદેશી અવિશ્વાસી રાજ્યકર્તાઓથી તેમની પ્રજાઉપર દર્શાવાતી નથી તેથી તેમની દૃષ્ટિમર્યાદામાં આપણા ભણીથી રાજદ્રોહનાં સ્વપ્ન ખડાં થાય તે સકારણ છે. પણ દેશી રાજ્યમાં એ સ્વપ્નસૃષ્ટિ ઉભી કરવાનું કારણ નથી. દેશી રાજયોમાં દેશપરદેશીનો ભેદ જેવો અકારણ અને અસત્ય છે તેવું જ રાજદ્રોહનું ભય પણ અકારણ અને અસત્ય છે. આ વિષયનું વધારે વિવેચન કરવાની અગત્ય નથી, કારણ એ રાજ્યોનું રક્ષણ અને સાચવણી ઈંગ્રેજને માથે છે એટલુંજ નહી, પણ મહારાજ મલ્લરાજ જેવાની દીર્ધદૃષ્ટિ, અભિજાતતા, ઉદારતા, ક્ષમા, આદિ ઉદાત્તગુણોનું પરિણામ એ થયું કે જ્યાં આખું જગત તો શું પણ અશંકાશીલ ધૈર્યવાન સામંતસિંહ જેવા પિતાએ રાજદ્રોહ જોયો ત્યાં ત્યાં એ ઉદાત્ત મહારાજની ઉદાત્ત બુદ્ધિએ રાજદ્રોહની જાળની વચ્ચે ગુંચવાયલો રાજગુણભક્ત આત્મા જોયો. એ | “એ વિષયની સમાપ્તિથી હું એટલું પ્રથમ સિદ્ધ થયું ગણું છું કે રજવાડામાંથી અમારા ઉદાત્ત વર્ગનો ભાવી જન્મ હું જોઉં છું. તેને સ્થાને તેનો ગર્ભપાત જોવામાં મી. વીરરાવ ભુલ કરે છે. એ ઉદાત્તતા પરદેશી અવિશ્વાસી રાજ્યકર્તાઓથી તેમની પ્રજાઉપર દર્શાવાતી નથી તેથી તેમની દૃષ્ટિમર્યાદામાં આપણા ભણીથી રાજદ્રોહનાં સ્વપ્ન ખડાં થાય તે સકારણ છે. પણ દેશી રાજ્યમાં એ સ્વપ્નસૃષ્ટિ ઉભી કરવાનું કારણ નથી. દેશી રાજયોમાં દેશપરદેશીનો ભેદ જેવો અકારણ અને અસત્ય છે તેવું જ રાજદ્રોહનું ભય પણ અકારણ અને અસત્ય છે. આ વિષયનું વધારે વિવેચન કરવાની અગત્ય નથી, કારણ એ રાજ્યોનું રક્ષણ અને સાચવણી ઈંગ્રેજને માથે છે એટલુંજ નહી, પણ મહારાજ મલ્લરાજ જેવાની દીર્ધદૃષ્ટિ, અભિજાતતા, ઉદારતા, ક્ષમા, આદિ ઉદાત્તગુણોનું પરિણામ એ થયું કે જ્યાં આખું જગત તો શું પણ અશંકાશીલ ધૈર્યવાન સામંતસિંહ જેવા પિતાએ રાજદ્રોહ જોયો ત્યાં ત્યાં એ ઉદાત્ત મહારાજની ઉદાત્ત બુદ્ધિએ રાજદ્રોહની જાળની વચ્ચે ગુંચવાયલો રાજગુણભક્ત આત્મા જોયો. એ | ||
*स्फटिकशिलातलनिर्मलनिर्झर, बहुविधकुसुमैर्विरचितशेखर, किन्नरमधुरोन्दीतमनोहर. ઇત્યાદિ કાલિદાસના વિક્રમોર્વશી ઉપરથી. | |||
આત્માનું રક્ષણ કર્યું, અને ગઈકાલ જેને જગત રાજદ્રોહી ગણતું હતું તે | આત્માનું રક્ષણ કર્યું, અને ગઈકાલ જેને જગત રાજદ્રોહી ગણતું હતું તે | ||
આત્મા એ રક્ષણને બળે, મરણપથારીમાં સુતેલા પિતાનું રાજભક્ત આયુષ્ય વધારી, અત્યારે રાજભક્ત મૂળરાજને રૂપે આ મંડપમાં વિરાજે છે, અને એ ઉદાત્તતાનો ચમત્કાર પ્રત્યક્ષ કર્યા પછી ઉત્તમ દેશી રાજ્યોને રાજદ્રોહનું ભય નથી એવું મી. શંકરશર્મા સ્વીકારશે. મુંબાઈ જેવા સ્વતંત્ર નગરની સ્વતંત્રતા એમનામાંથી કરમાયલી છે તે આ રાજયના માળીનાં પાણીથી તાજી થઈ એવું સત્ય સ્વીકારશે કે એમના ન્યાયાસન પાસે રંક પ્રજાના દ્રોહનો આરોપ કોઈ ઉન્મત્ત પુરુષોને માથે આવ્યો જોવાનો પ્રસંગ કદી આવે, પણ મલ્લરાજ અને મણિરાજના રાજ્યાસનનો દ્રોહ કરવાનો આરોપ તો નહી જ આવે ! એવા દ્રોહના આરેપીને આ રાજ્યની ઉદાત્તતા કંઈક જુદીજ શિક્ષા કરશે, અને એ દ્રોહના રોગીને, એ રોગના ચેપમાં ડુબી ચેપ ઉરાડે એવી ન્યાયાસનની તરવાર નહી પણ કાંઈક બીજી જ રાજભક્તિની અમૃત-સંજીવની માત્રા આપશે.” | આત્મા એ રક્ષણને બળે, મરણપથારીમાં સુતેલા પિતાનું રાજભક્ત આયુષ્ય વધારી, અત્યારે રાજભક્ત મૂળરાજને રૂપે આ મંડપમાં વિરાજે છે, અને એ ઉદાત્તતાનો ચમત્કાર પ્રત્યક્ષ કર્યા પછી ઉત્તમ દેશી રાજ્યોને રાજદ્રોહનું ભય નથી એવું મી. શંકરશર્મા સ્વીકારશે. મુંબાઈ જેવા સ્વતંત્ર નગરની સ્વતંત્રતા એમનામાંથી કરમાયલી છે તે આ રાજયના માળીનાં પાણીથી તાજી થઈ એવું સત્ય સ્વીકારશે કે એમના ન્યાયાસન પાસે રંક પ્રજાના દ્રોહનો આરોપ કોઈ ઉન્મત્ત પુરુષોને માથે આવ્યો જોવાનો પ્રસંગ કદી આવે, પણ મલ્લરાજ અને મણિરાજના રાજ્યાસનનો દ્રોહ કરવાનો આરોપ તો નહી જ આવે ! એવા દ્રોહના આરેપીને આ રાજ્યની ઉદાત્તતા કંઈક જુદીજ શિક્ષા કરશે, અને એ દ્રોહના રોગીને, એ રોગના ચેપમાં ડુબી ચેપ ઉરાડે એવી ન્યાયાસનની તરવાર નહી પણ કાંઈક બીજી જ રાજભક્તિની અમૃત-સંજીવની માત્રા આપશે.” | ||
| Line 229: | Line 219: | ||
વીર૦ - “સાહેબજી! મ્હારાં ભાષણની કુલીનતા તમારામાં પણ આવવા લાગી ને મ્હારી જ્ઞાતિ વધવા લાગી. હવે ભાઈ ચંદ્રકાંત, આમને ઉત્તર આપજો.” | વીર૦ - “સાહેબજી! મ્હારાં ભાષણની કુલીનતા તમારામાં પણ આવવા લાગી ને મ્હારી જ્ઞાતિ વધવા લાગી. હવે ભાઈ ચંદ્રકાંત, આમને ઉત્તર આપજો.” | ||
ચંદ્ર૦ – “અમારા અને તમારા સ્વાર્થ જુદા ગણવા એ જ મ્હોટી ચુક છે. પ્રજાના ભણીથી વિચાર કરો તો આખા ભરતખંડની પ્રજાના સ્વાર્થ એક છે, ને જેમ જ્ઞાતિભેદથી એ સ્વાર્થને હાનિ છે તેમ પ્રાંતભેદથી કપ્રજાભેદ ગણવામાં પણ આ સ્વાર્થને હાનિ છે. રાજાના ભણીથી વિચાર કરો તો પણ સર્વ પ્રજાઓને અને માંડલિક રાજાઓને સાચવનાર ચક્રવતીંના સામ્રાજ્યના અમે તમે અંશભૂત છીએ અને એ મહાન્ યંત્રનાં આપણે ચક્ર છીએ તે ચક્રોની ગતિમાં પણ સંવાદ | ચંદ્ર૦ – “અમારા અને તમારા સ્વાર્થ જુદા ગણવા એ જ મ્હોટી ચુક છે. પ્રજાના ભણીથી વિચાર કરો તો આખા ભરતખંડની પ્રજાના સ્વાર્થ એક છે, ને જેમ જ્ઞાતિભેદથી એ સ્વાર્થને હાનિ છે તેમ પ્રાંતભેદથી કપ્રજાભેદ ગણવામાં પણ આ સ્વાર્થને હાનિ છે. રાજાના ભણીથી વિચાર કરો તો પણ સર્વ પ્રજાઓને અને માંડલિક રાજાઓને સાચવનાર ચક્રવતીંના સામ્રાજ્યના અમે તમે અંશભૂત છીએ અને એ મહાન્ યંત્રનાં આપણે ચક્ર છીએ તે ચક્રોની ગતિમાં પણ સંવાદ<ref>Harmony, સર્વ રાગોનો એક રાગમાં લય.</ref> થવો અવશ્ય છે, શું હીંદુસ્થાનની સરહદ ઉપર હુમલા થશે ત્યારે તમે ઈંગ્રેજથી જુદા પડશો કે અમે જુદા પડીશું ? જયારે ભરતખંડની સર્વ પ્રજાઓને માથે દુષ્કાળ પડશે, અથવા બહારની | ||
પ્રજાઓ સાથે વ્યાપારમાં સ્પર્ધા થશે, અથવા રેલવે અને સરસ્વતીના પ્રસારના પ્રશ્ન ઉઠશે, ત્યાં શું અમે ને તમે પોતપોતાનાં પેટ ભરી સામાનાં દુ:ખ જોઈ રહીશું, અથવા શું અમારે માથે આવેલી વિપત્તિઓ તમને જુદા ગણી છુટા મુકશે ને તમારો પક્ષપાત કરશે ? એ તો મ્હારા ઘરમાં લાગેલી આગ પાડોશીના છાપરાની પાંખ પકડવાની, અને મ્હારા ઘરમાં સંપત્તિ હશે તો કોઈ પ્રસંગે પાડોશીને તેનાથી કંઈક પણ લાભ મળશે. હીંદુસ્થાનનાં દેશી રાજ્યો, ઇંગ્રેજો, અમે તેમની પ્રજાઓ, અને તમારાં રાજ્યોમાંના રાજાઓ અને તેમની પ્રજાઓ: એ સર્વના શુદ્ધ સ્વાર્થ એક છે. દિવસે દિવસે આખી પૃથ્વીની સ્વસત્તાક પ્રજાઓ અને રાજાઓ ભિન્ન ભિન્ન નિમિત્તે સંયુકત થઈ એક અંગીનાં અંગ થાયછે અને રાજકીય સંયોગમાંથી પ્રકટ થનાર પ્રજાસંયોગ<ref>The federation, like the colony, is an idea derived from the old world. The old world knew the federation and the colony on a small scale; the new world has taught us to know them both on a great scale. The new world will perhaps go far beyond this, and teach the old world not only to organize the colony, but how to apply the federation to old States. The nations of the old world are being forced more and more together, sometimes by necessities from within, sometimes by pressure from without. The recently achieved unions of Germany and Italy may be looked upon as proceeding from the spirit of federation in a modified form and we may yet expect the exemplification of the same principle on the soil of the old Europe. Some have even predicted that a federation of the nations of Western Europe will be forced on by the increased aggressiveness of Eastern Europe : a federation of peoples inspired by the modern spirit of commerce and industry against those which are yet filled with the mediæval lust of conquest.-F, J. Payne.</ref>ના હેતુમાં અને સ્વરૂપમાં વ્યાપારઉદ્યમ અંતે પ્રધાન થશે, તો અમારે તમારે જુદાં રહેવાની કલ્પના તો પડતી જ મુકવી. રાજકીય સંયોગ દ્વારા – federation દ્વારા – જુની દુનીયાની પ્રજાઓ એક થાય છે, નવીની એક થાય છે, અને અંતે નવી ને જુની દુનીયાઓની પ્રજાઓ એક થશે. આ જ ન્યાયે અમે, તમે, ને ઈંગ્રેજ, એક પ્રજા બનવાના; રાજ્યઐક્યમાંથી પ્રજાનું ઐક્ય એ આપણું છેલું પગથીયું સમજવું. ઈંગ્લાંડમાં જન્મેલી ઈંગ્રેજી પ્રજાઓ, આ દેશમાંની તેમની સર્વ પ્રજાઓ, અને દેશી રાજ્યોની સર્વ પ્રજાઓ: એ સર્વનાં ઉદરના સ્વાર્થનાં સાધન એક થાય છે, એ વાતથી એ સઉના કાન અને કાળજાં ઉઘડશે ત્યારે તેમની બુદ્ધિઓ એક થશે, અને બુદ્ધિઓ | |||
એક થશે ત્યારે ત્યારે સર્વના હૃદયમાંથી એક જ નાદ અને શરીરમાંથી એક જ ગતિ નીકળશે. બ્રીટિશ હીંદુસ્થાન એ ઈગ્લાંડનું સંસ્થાન, અને દેશી રાજ્યો તે એ હીંદુસ્થાનનાં સંસ્થાન: એવો સંબંધ બંધાઈ ચુક્યો છે તે વધારે વધારે સજડ થશે. અમારાં વર્તમાનપત્રો તમને શાણપણ આપશે, તમને ધમકાવશે, તમારા ઉપર અન્યાય થતાં તમને સહાય થશે, અને તમે સારા હશો તે તમારા યશ ગાશે, અમારા પ્રસિદ્ધ દેશસેવક પુરુષો અમારી તેમ જ તમારી સેવા કરશે અને અમારી પાસે તેમ તમારી પાસે પોતાના શ્રમકાળે ભાથું માગશે. અમે તમારાથી છુટી શકનાર નથી અને તમે અમારાથી છુટી શકનાર નથી. આ ભાવીકાળ આવે છે તેના પગલાંના ધબકારા સંભળાવા લાગ્યા છે અને તે સર્વ પાસથી સત્કાર પામશે, ઈચ્છાથી કે અનિચ્છાથી તમે તેનો સત્કાર કરવાને નિર્મેલા છો.” | |||
વીરરાવ ચંદ્રકાંતના કાનમાં હસતો હસતો ક્હેવા લાગ્યો: “સામે બેઠેલું મડળ તમારા ભાષણની અસરથી કુમ્ભકર્ણની નીતિને પ્રાપ્ત થયું છે ને નિદ્રામાં ઘોરે છે. નપુંસકો પાસે લટકા કરનારી સ્ત્રી નિરાશ થાય છે.” | વીરરાવ ચંદ્રકાંતના કાનમાં હસતો હસતો ક્હેવા લાગ્યો: “સામે બેઠેલું મડળ તમારા ભાષણની અસરથી કુમ્ભકર્ણની નીતિને પ્રાપ્ત થયું છે ને નિદ્રામાં ઘોરે છે. નપુંસકો પાસે લટકા કરનારી સ્ત્રી નિરાશ થાય છે.” | ||
| Line 243: | Line 229: | ||
ચંદ્રકાંતથી હસી પડાયું: “મહારાજ, વીરરાવનો સ્વભાવ ઉકળે છે ત્યારે સામાને ઉકાળે છે અને હસે છે ત્યારે આપણને હસાવે છે. તે આપને માલમ છે. પ્રવીણદાસજી, જે ઉદાત્ત પુરુષો શંકરશર્મા જેવાઓને મુંબાઈથી બોલાવી તેમને લાભ આપે છે અને તેમની પાસેથી લાભ લે છે, એજ ઉદાત્ત પુરુષો આખા ભરતખંડ સાથે જોડાશે ત્યારે આખા દેશનાં પુષ્પોનો વાસ લેશે અને આખા દેશનાં વૃક્ષોનું પોષણ કરશે. આ મહાન્ વ્યાપાર ખેડવામાં તમે અમે સંધાયલા છીયે !” | ચંદ્રકાંતથી હસી પડાયું: “મહારાજ, વીરરાવનો સ્વભાવ ઉકળે છે ત્યારે સામાને ઉકાળે છે અને હસે છે ત્યારે આપણને હસાવે છે. તે આપને માલમ છે. પ્રવીણદાસજી, જે ઉદાત્ત પુરુષો શંકરશર્મા જેવાઓને મુંબાઈથી બોલાવી તેમને લાભ આપે છે અને તેમની પાસેથી લાભ લે છે, એજ ઉદાત્ત પુરુષો આખા ભરતખંડ સાથે જોડાશે ત્યારે આખા દેશનાં પુષ્પોનો વાસ લેશે અને આખા દેશનાં વૃક્ષોનું પોષણ કરશે. આ મહાન્ વ્યાપાર ખેડવામાં તમે અમે સંધાયલા છીયે !” | ||
છેલ્લાં વાક્યથી વૈશ્યકલાનો પ્રવીણ નમ્ર થઈ ગયો, અને પ્રસ્તુત વિષયનો બીજે પ્રશ્ન લેઈ બેાલ્યો: “ ચંદ્રકાંતજી, ભલે તેમ હો. પણ અમારા રાજાઓનું રાજત્વ ખુંચી લેઈ ઈંગ્રેજો તેમને એકલા ઉદાત્તપણાના ખાડામાં નાંખે એ હું માનતો નથી. અમારી તમારી વચ્ચે ભેદ રાખવો, અને અમારી સામે તમારો – અને તમારી સામે અમારો – ઉપયોગ કરવો એ સરકારનો સ્વાર્થ છે અને એ ચતુર વ્યાપારીઓ એમ કરવામાં ભુલ ખાય એવા નથી. દેશી રાજ્યની સેનાઓ, દેશી રાજ્યનાં દ્રવ્ય, અને દેશી રાજ્યોની સત્તા: એ સર્વ – ખોદે ઉંદર અને ભોગવે ભોરીંગ – એ ન્યાયે સરકાર વાપરી શકશે અને વગરમ્હેનતનો એ લાભ મુકી દે એવા એ મૂર્ખ નથી. પરદેશી મહારાજ્યોના ભયથી, અમારા અંદર અંદરના વિગ્રહથી, તમારી પ્રજાઓ એક થઈ અમને હેરાન કરે તો તેના ભયથી, અમારી પોતાની પ્રજા બંડ કરે તો તેના ભયથી, એમ અનેક જાતના ભયથી અમારું રક્ષણ કરવા સરકાર શક્તિમાન છે અને બંધાયા છે એ અમારો સરકારમાં લાભ છે. તમે જે સામ્રાજ્ય ક્હો છે તેના અમે અંશ છીયે એ વાત ખરી, પણ અમારો અને સરકારનો લાભ એક બીજાનું ગુરુત્વ વધારવામાં છે અને ઘટાડવામાં નથી. | છેલ્લાં વાક્યથી વૈશ્યકલાનો પ્રવીણ નમ્ર થઈ ગયો, અને પ્રસ્તુત વિષયનો બીજે પ્રશ્ન લેઈ બેાલ્યો: “ ચંદ્રકાંતજી, ભલે તેમ હો. પણ અમારા રાજાઓનું રાજત્વ ખુંચી લેઈ ઈંગ્રેજો તેમને એકલા ઉદાત્તપણાના ખાડામાં નાંખે એ હું માનતો નથી. અમારી તમારી વચ્ચે ભેદ રાખવો, અને અમારી સામે તમારો – અને તમારી સામે અમારો – ઉપયોગ કરવો એ સરકારનો સ્વાર્થ છે અને એ ચતુર વ્યાપારીઓ એમ કરવામાં ભુલ ખાય એવા નથી. દેશી રાજ્યની સેનાઓ, દેશી રાજ્યનાં દ્રવ્ય, અને દેશી રાજ્યોની સત્તા: એ સર્વ – ખોદે ઉંદર અને ભોગવે ભોરીંગ – એ ન્યાયે સરકાર વાપરી શકશે અને વગરમ્હેનતનો એ લાભ મુકી દે એવા એ મૂર્ખ નથી. પરદેશી મહારાજ્યોના ભયથી, અમારા અંદર અંદરના વિગ્રહથી, તમારી પ્રજાઓ એક થઈ અમને હેરાન કરે તો તેના ભયથી, અમારી પોતાની પ્રજા બંડ કરે તો તેના ભયથી, એમ અનેક જાતના ભયથી અમારું રક્ષણ કરવા સરકાર શક્તિમાન છે અને બંધાયા છે એ અમારો સરકારમાં લાભ છે. તમે જે સામ્રાજ્ય ક્હો છે તેના અમે અંશ છીયે એ વાત ખરી, પણ અમારો અને સરકારનો લાભ એક બીજાનું ગુરુત્વ વધારવામાં છે અને ઘટાડવામાં નથી.<ref>Its ( the paramount power's ) duty is not only to protect, but to give strength and vitality to the Native sovereignties, allowing them full scope to develop their own systems of administration. It must rely to a large extent on the argument that, not merely the interests of British territory, but the solid interests of each protected sovereign, are bound up in the common good of the United Empire." – Lee Warner's Protected Princes of India.</ref>આ મહાન્ કાર્યને માટે, ઈંગ્રેજી વિદ્યાથી, રાજનીતિના ઉત્તરોત્તર કુળાચાર રૂપ થઈ ગયલા અનુભવથી, અને ઈMગ્રેજોના આશ્રયથી, અમારામાં અનેક કળાઓ આવવાની, અને ઈંગ્રેજ તમારી સાથે સાસુનો સંબંધ રાખશે ત્યારે અમે તેમની દીકરીઓ પેઠે તમારી સાથે નણંદનો સંબંધ રાખશું, અને સાસુ અને નણંદનો વહુવારુ સામે એકસંપ થશે. ઈશ્વર ઘરમાં સંપ રાખશે તો અમે તમે ને તે જંપીને સુખે એકઠાં વસશું, પણ અમારા રક્ષણમાં સરકારને લાભ છે અને રાજાઓનું રાજત્વ તેઓ નષ્ટ નહી કરે. અમારાં ભાગ્ય સારાં છે.” | ||
વીર૦ - “દેશી રાજાઓમાં હાલની ખટપટ અને ટુંકી દૃષ્ટિને સ્થાને કોઈ દિવસ પણ આ સંયોગને યોગ્ય સાત્વિક કળાઓ અને દીર્ધ દૃષ્ટિ આવે એ ધારણા જ મિથ્યા છે. ભલે તેમાં ઉદાત્તતા હોશે તો ર્હેશે, પણ વિદ્યા તેમની છે નહી, અને થતી નથી, તે હવે શી રીતે તેમનામાં આવવાની હતી? સરકારમાં વિદ્યા છે તો કળા છે, પણ આપણા રાજાઓમાં તો मूलं नाऽस्ति कुत्तः शाखाः ? એ વિદ્યા તે કાંઈ થોડાં ઘણાં પુસ્તકના સંગ્રહ કરવાથી આવે એમ છે?” | વીર૦ - “દેશી રાજાઓમાં હાલની ખટપટ અને ટુંકી દૃષ્ટિને સ્થાને કોઈ દિવસ પણ આ સંયોગને યોગ્ય સાત્વિક કળાઓ અને દીર્ધ દૃષ્ટિ આવે એ ધારણા જ મિથ્યા છે. ભલે તેમાં ઉદાત્તતા હોશે તો ર્હેશે, પણ વિદ્યા તેમની છે નહી, અને થતી નથી, તે હવે શી રીતે તેમનામાં આવવાની હતી? સરકારમાં વિદ્યા છે તો કળા છે, પણ આપણા રાજાઓમાં તો मूलं नाऽस्ति कुत्तः शाखाः ? એ વિદ્યા તે કાંઈ થોડાં ઘણાં પુસ્તકના સંગ્રહ કરવાથી આવે એમ છે?” | ||
| Line 249: | Line 235: | ||
પ્રવીણ - “ભાઉ સાહેબ ભુલી કેમ જાવ છો? યુરોપની વિદ્યાને આપણે આકર્ષતા નથી, પણ એ વિદ્યા જાતે જ ઉડતી ઉડતી આપણા દેશ ઉપર આવી છે. એ વિદ્યાનો સત્કાર દેશી રાજ્યોમાં થાવ કે ન થાવ, એ રાજ્યોને એ વિદ્યા ઉપર પ્રીતિ હો કે ન હો, પણ એ દેશની વિદ્યાનું લાકડું એની મેળે બધે દાખલ થવાનું. ક્હેવત છે કે | પ્રવીણ - “ભાઉ સાહેબ ભુલી કેમ જાવ છો? યુરોપની વિદ્યાને આપણે આકર્ષતા નથી, પણ એ વિદ્યા જાતે જ ઉડતી ઉડતી આપણા દેશ ઉપર આવી છે. એ વિદ્યાનો સત્કાર દેશી રાજ્યોમાં થાવ કે ન થાવ, એ રાજ્યોને એ વિદ્યા ઉપર પ્રીતિ હો કે ન હો, પણ એ દેશની વિદ્યાનું લાકડું એની મેળે બધે દાખલ થવાનું. ક્હેવત છે કે | ||
| | ||
“ભાટ બ્રાહ્મણનું લાકડું વણ પેંસાડ્યું પેંસે, | “ભાટ બ્રાહ્મણનું લાકડું વણ પેંસાડ્યું પેંસે, | ||
“કહ્યું હોય કે ચોરે આવજો તો ઘરમાં આવીને બેસે. | “કહ્યું હોય કે ચોરે આવજો તો ઘરમાં આવીને બેસે. | ||
“ઈંગ્રેજી વિદ્યા આપનાર બ્રાહ્મણોનાં અને વર્તમાનપત્રોના ભાટનાં લાકડાં તો પોતાની સ્વતંત્ર સત્તાથી અમારામાં પેસવાનાં જ | “ઈંગ્રેજી વિદ્યા આપનાર બ્રાહ્મણોનાં અને વર્તમાનપત્રોના ભાટનાં લાકડાં તો પોતાની સ્વતંત્ર સત્તાથી અમારામાં પેસવાનાં જ<ref>Asia and Africa themselves will perhaps be gradually Europeanized through the preponderance given to European ideas by the independent forces of the new world,- E. J. Payne.</ref>અને એ લાકડું પેઠું એટલે અમારા છોકરાં તેને વશ થઈ તેની કળા શીખવાના જ.” | ||
ચંદ્ર૦ - “ભાઈ સરકારનો સ્વાર્થ તમને જીવાડવામાં છે એવો અનુભવ થયલો સાંભળવામાં નથી. પણ માનો કે એમ છે, તમારા પ્રભાવથી જે વિદ્યા તમે મેળવવાના નથી તે વિદ્યા તમારા મગજમાં બળાત્કારે પ્રવેશ કરી તમારા અંધકારનો નાશ કરે અને રાજત્વને યોગ્ય બુદ્ધિવિકાસને તમે પામો એવું માનીયે, તો પણ એટલું તો સત્ય ગણશો જ કે તમે એટલો પ્રવાસ કરશો એટલામાં ઈંગ્રેજ સરકાર તમારાથી પચાસ ગણો વધારે પ્રવાસ કરશે અને તમે પાછળના પાછળ ર્હેવાના; અને તમારા પગ થાકશે એટલે તમે એથી પણ વધારે પાછળ પડવાના ને ઈંગ્રેજને ગાળો દેવાના, બળાત્કારે નીશાળે જતો નીશાળીયો નથી વધતો વિદ્યામાં ને નથી વધતો સંસારમાં. ધીમા માણસને આંગળીયે લઈ ચાલનાર ઉતાવળો માણસ આખરે ધૈર્ય ખુવે છે ને ધીમા માણસને છુટો મુકી પોતાને રસ્તે એકલો પડે છે. એવી રીતે છુટો પડેલો ધીમો માણસ નથી ર્હેતો ઘેર અને નથી પ્હોચતો ઠેકાણે, પણ વચગાળે આથડે છે ને દુ:ખી થાય છે. લાંબાની સાથે ટુંકો જાય, ને મરે નહી તે માંદો થાય. આજ યુરોપના પ્રવાહ એવા વેગબન્ધ ચાલે છે કે તેમાં તમારી આ દશા આવશ્યક લાગે છે. તમારા હૃદયની ઉદાત્તતા – તમારી પ્રકૃતિ – તમને નહી મુકે, પણ આ નવી કળાઓમાં આપણા રાજાઓ પાછળ પડશે અને વશે કે કવશે રાજત્વથી ભ્રષ્ટ થવાના. તે વિષયમાં તેમનાં પુણ્ય પરવારેલાં નહી તો પરવારતાં દેખાય છે, અને પરવારી ર્હેશે એટલે પ્રજાવર્ગમાં આવશે. શાસ્ત્રકારો કહી ગયા છે કે દેવતાઓ क्षीणे पुण्ये मृत्युलोके वसन्ति. પછી તો દેવતાઓના પૃથ્વી પર જન્મ મ્હોટાઓને ઘેર થાય તેમ રાજાઓના નવા દેહ ઉદાત્ત જમીનદારોના અવતાર ધરશે.” | ચંદ્ર૦ - “ભાઈ સરકારનો સ્વાર્થ તમને જીવાડવામાં છે એવો અનુભવ થયલો સાંભળવામાં નથી. પણ માનો કે એમ છે, તમારા પ્રભાવથી જે વિદ્યા તમે મેળવવાના નથી તે વિદ્યા તમારા મગજમાં બળાત્કારે પ્રવેશ કરી તમારા અંધકારનો નાશ કરે અને રાજત્વને યોગ્ય બુદ્ધિવિકાસને તમે પામો એવું માનીયે, તો પણ એટલું તો સત્ય ગણશો જ કે તમે એટલો પ્રવાસ કરશો એટલામાં ઈંગ્રેજ સરકાર તમારાથી પચાસ ગણો વધારે પ્રવાસ કરશે અને તમે પાછળના પાછળ ર્હેવાના; અને તમારા પગ થાકશે એટલે તમે એથી પણ વધારે પાછળ પડવાના ને ઈંગ્રેજને ગાળો દેવાના, બળાત્કારે નીશાળે જતો નીશાળીયો નથી વધતો વિદ્યામાં ને નથી વધતો સંસારમાં. ધીમા માણસને આંગળીયે લઈ ચાલનાર ઉતાવળો માણસ આખરે ધૈર્ય ખુવે છે ને ધીમા માણસને છુટો મુકી પોતાને રસ્તે એકલો પડે છે. એવી રીતે છુટો પડેલો ધીમો માણસ નથી ર્હેતો ઘેર અને નથી પ્હોચતો ઠેકાણે, પણ વચગાળે આથડે છે ને દુ:ખી થાય છે. લાંબાની સાથે ટુંકો જાય, ને મરે નહી તે માંદો થાય. આજ યુરોપના પ્રવાહ એવા વેગબન્ધ ચાલે છે કે તેમાં તમારી આ દશા આવશ્યક લાગે છે. તમારા હૃદયની ઉદાત્તતા – તમારી પ્રકૃતિ – તમને નહી મુકે, પણ આ નવી કળાઓમાં આપણા રાજાઓ પાછળ પડશે અને વશે કે કવશે રાજત્વથી ભ્રષ્ટ થવાના. તે વિષયમાં તેમનાં પુણ્ય પરવારેલાં નહી તો પરવારતાં દેખાય છે, અને પરવારી ર્હેશે એટલે પ્રજાવર્ગમાં આવશે. શાસ્ત્રકારો કહી ગયા છે કે દેવતાઓ क्षीणे पुण्ये मृत्युलोके वसन्ति. પછી તો દેવતાઓના પૃથ્વી પર જન્મ મ્હોટાઓને ઘેર થાય તેમ રાજાઓના નવા દેહ ઉદાત્ત જમીનદારોના અવતાર ધરશે.” | ||
| Line 259: | Line 244: | ||
પ્રવીણ૦ – “રાજાઓની વાતમાં તમે બે જણ નૈરાશ્યદર્શી – pessimists – છો; અમે આશાદર્શી – optimists – છીએ. તમે જો ઇંગ્રેજોને | પ્રવીણ૦ – “રાજાઓની વાતમાં તમે બે જણ નૈરાશ્યદર્શી – pessimists – છો; અમે આશાદર્શી – optimists – છીએ. તમે જો ઇંગ્રેજોને | ||
સ્વાર્થજાળમાં અને વક્રરાજનીતિમાં ડુબી અમારાં દુર્ભાગ્યના જવાળામુખી | સ્વાર્થજાળમાં અને વક્રરાજનીતિમાં ડુબી અમારાં દુર્ભાગ્યના જવાળામુખી | ||
ઉઘાડતા જુવો છો તેમાં અમે દૂરથી અમારી આશાના, ન્યાયના, અને અમારા ઉચ્ચગ્રાહની ગંગાઓનાં મૂળ જોઈએ છીએ. ખરી વાત છે કે અમે તેમના શિષ્ય હોઈ તેમની પાછળ ચાલીશું. તેમની સાથે ચાલી શકવાને અમારે ઘણો કાળ થશે. અમને રાજનીતિ શીખવતાં એ ગુરુઓ ગુપ્ત ગુરુભાગ પોતાની પાસે રાખશે અને અમને બધી કળાના પ્રવીણ થવા નહી દે. અમને સ્વતંત્ર વિકાસ પામવા દેવામાં એમનો અનુદાત્ત ભાગ અંતરાય નાંખશે અને અમારા રાજાઓમાંના અબુદ્ધ ભાગ પાછળ પડશે. પણ જન્મ પામેલા સત્પ્રવાહ અંતે વધે છે; નાશ પામવાના નથી. અને અમારાં ને તેમનાં કર્તવ્ય છે તે એ લોકનો શિષ્ટ ભાગ આનંદથી સ્વીકારે છે | ઉઘાડતા જુવો છો તેમાં અમે દૂરથી અમારી આશાના, ન્યાયના, અને અમારા ઉચ્ચગ્રાહની ગંગાઓનાં મૂળ જોઈએ છીએ. ખરી વાત છે કે અમે તેમના શિષ્ય હોઈ તેમની પાછળ ચાલીશું. તેમની સાથે ચાલી શકવાને અમારે ઘણો કાળ થશે. અમને રાજનીતિ શીખવતાં એ ગુરુઓ ગુપ્ત ગુરુભાગ પોતાની પાસે રાખશે અને અમને બધી કળાના પ્રવીણ થવા નહી દે. અમને સ્વતંત્ર વિકાસ પામવા દેવામાં એમનો અનુદાત્ત ભાગ અંતરાય નાંખશે અને અમારા રાજાઓમાંના અબુદ્ધ ભાગ પાછળ પડશે. પણ જન્મ પામેલા સત્પ્રવાહ અંતે વધે છે; નાશ પામવાના નથી. અને અમારાં ને તેમનાં કર્તવ્ય છે તે એ લોકનો શિષ્ટ ભાગ આનંદથી સ્વીકારે છે<ref>“They (the Native States) form so many centres where the Sikh, the Mahomedan, the Maratha, and the Dravidian can each bring out to the best advantage whatever may be peculiar in his national character and national institutions, under the generalising influence of English principles and English civilisation. Their opportunities for this lie essentially in the future.” . . . “ It is to be hoped that in the course of time there will be cemented between the paramount power and its fendatories a confidence and affection such as can be born only of a complete comprehension of the native modes of thought on the one side, and an appreciation of the great moral ends aimed at by modern civilization on the other. An understanding of that description would be the certain prelude to the grounding of a system compared to which that even of Akbar, was 'the baseless fabric of a vision.' When not only the higher governing classes - who already appreciate the truth - but the great mass of Englishmen employed in India shall have schooled themselves to believe that real predominance consists alone, not in belonging to a mis-called dominant race, but in predominance in learning, in ability, in the higher mental qualities and moral powers of a man, irrespective of his colour, his nationality, and his creed ; when, too, the native shall have completely learned, as he is fast learning, that to take part in the affairs of the present age it will be necessary to abandon prejudices which restrict his progress, then only we may feel that India is entering up a path which will tend to her advancement in greatness and open out careers for her sons.”– Col, G. R. Malleson’s Native States of India.</ref> અને તે લોકની સંખ્યા અંતે વધશે. અમારી વૃદ્ધિ તેઓ પિતાની પેઠે ઈચ્છે છે, વૃદ્ધિ પામતાં અમને પડતાં કષ્ટ દેખી માતા જેવી અમારી રંક બુદ્ધિ અમારા ઉપર દયા આણી કષ્ટ દૂર રાખવાના માર્ગ બતાવતાં એ કષ્ટના અમૃતફળથી દૂર રાખે છે; પિતા પુત્રને નીશાળે મોકલે ને તેને રડતો દેખી દયાળુ મા તેને ઘરમાં સંતાડી રાખે તેમ. પણ અંતે ચાલશે પિતાનું, અને ઈંગ્રેજોમાંના ઉદાત્ત વર્ગમાં એ પિતૃબુદ્ધિ અને પિતૃપ્રયત્ન દેખાય છે તેનો અધિકાર અમારી બુદ્ધિમાતા મોડી વ્હેલી સ્વીકારશે. | ||
ઘરમાં સંતાડી રાખે તેમ. પણ અંતે ચાલશે પિતાનું, અને ઈંગ્રેજોમાંના ઉદાત્ત વર્ગમાં એ પિતૃબુદ્ધિ અને પિતૃપ્રયત્ન દેખાય છે તેનો અધિકાર અમારી બુદ્ધિમાતા મોડી વ્હેલી સ્વીકારશે. | |||
ચંદ્ર૦ – “તમારી ઉદયદશા એમ બેસી ચુકી હોય તો એની ગતિ કેણી પાસ થતિ તમે દેખો છો ?” | ચંદ્ર૦ – “તમારી ઉદયદશા એમ બેસી ચુકી હોય તો એની ગતિ કેણી પાસ થતિ તમે દેખો છો ?” | ||
પ્રવી૦ – “સન ૧૮૭૧થી પ્રશિયાના રાજ્યભેગાં જર્મનીનાં ન્હાનાં રાજ્યો જોડાયાં છે તે દિશામાં અમારી ગતિ થશે. | પ્રવી૦ – “સન ૧૮૭૧થી પ્રશિયાના રાજ્યભેગાં જર્મનીનાં ન્હાનાં રાજ્યો જોડાયાં છે તે દિશામાં અમારી ગતિ થશે.<ref>The Constitution of the German Empire bears date April 16th, 1871. By its terms, all the States of Germany 'form an eternal union for the protection of the realm and the care of the welfare of the German people.' The supreme direction of the military and political affairs of the Empire is vested in the King of Prussia, who, in this capacity, bears the title of Deutscher Kaiser. According to Art. II of the Constitution, 'the Emperor represents the Empire internationally, and can declare war, if defensive, and make peace, as well as enter into treaties with other nations, and appoint and receive ambassadors. To declare war, if not merely defensive, the Kaiser must have the consent of the Bundesrath, or Federal Council in which body, together with the Reichstag, or Diet of the Realms, are vested the legislative functions of the Empire. The Emperor has no veto on laws passed by these bodies, The Bundesrath represents the individual States of Germany, and the Reichstag the German nation, The 58 members of the Bundesrath are appointed by the Governments of the individual States for each session, while the members of the Reichstag, 397 in number ( about one for every 124,505 inhabitants ), are elected by universal suffrage and ballot, for the term of five years. By the law of March 19th, 1888,which came into force in 1890, the duration of the legislative period is five years.-The Statesman's Year Book, 1896.</ref> અમે અમારાં ઘર ઘરની અંદરથી સંભાળી રાખીશું તેમાં સરકાર આશ્રય આપશે ને વચ્ચે નહી પડે, અને સરકાર પરરાજ્યો સાથે યુદ્ધકાળના વિગ્રહ માંડશે અથવા શાંતિકાળની રાજનીતિના ઘોડાઓની સરતમાં પડશે તેમાં અમારા રાજાઓ તેમના માંડલિકરૂપે સહાયભૂત થશે અને એ કળાઓના અનુભવી થશે. ન્હાનાં રાજયોની હુંફથી જર્મનીનો મહારાજ ફ્રાંસને હંફાવે છે તેમ અમારી હુંફથી ઈંગ્રેજી રાજ્ય રશિયાને હંફાવશે. તમો પ્રજાવર્ગને પરદેશી ગણી સરકાર તમારો અવિશ્વાસ કરે છે ને તમારા હાથમાં શસ્ત્રની છાયા દેખી ભડકે છે તેજ સરકાર અમારો વિશ્વાસ કરશે ને પોપટ કાગડાઓની bad companyમાં ભળ્યો હતો તેમ અમે તમારા સંગમાં | ||
ભળીશું તો સરકાર અમારો પણ અવિશ્વાસ કરશે અને એ પોપટની દશા | ભળીશું તો સરકાર અમારો પણ અવિશ્વાસ કરશે અને એ પોપટની દશા | ||
તે અમારી દશા થશે એમ હું માનું છું. તમારા સંગથી અમને થવાના ભાવી લાભ તમે દેખાડો છો તેના કરતાં આ દશા પામવાથી અમારી દુર્ગતિ વધારે થશે એવું પરિણામ, જમે ઉધારનું સરવાયું ક્હાડતાં, મને સ્પષ્ટ સુઝે છે.” | તે અમારી દશા થશે એમ હું માનું છું. તમારા સંગથી અમને થવાના ભાવી લાભ તમે દેખાડો છો તેના કરતાં આ દશા પામવાથી અમારી દુર્ગતિ વધારે થશે એવું પરિણામ, જમે ઉધારનું સરવાયું ક્હાડતાં, મને સ્પષ્ટ સુઝે છે.” | ||
| Line 285: | Line 264: | ||
વીર૦ – “અમારી સાથે તેઓ તમારું લગ્ન નહી થવા દે; પણ તમારાં લુગડાંલત્તાં ક્હાડી લેઈ અમારી સાથે લંગોટીયા ભાઈબન્ધી કરી રમવાને મોકલી દેશે. હિમાચલ અને કન્યાકુમારી વચ્ચેના જોઈએ તેવડા મ્હોટા ક્ષેત્ર ઉપર આપણે ભાઈબંધી કરી ખેલીશું, ને આપણે લ્હડીયે નહી ને આનંદથી રમીયે એટલી સત્તા સરકાર વાપરશે. હીંદુસ્થાનમાં ઇંગ્રજોનું રાજ્ય રાજસત્તાક છે અને તેવાં રાજ્યોના રાજાઓ પ્રતિસ્પર્ધી સત્તાવાળા ઉમરાવોને પ્રજા જેવા કરી નાંખે છે તેનું ઇંગ્લાંડમાં જ દૃષ્ટાન્ત છે. પ્હેલા ચાર્લ્સનો કાળ આવ્યો ત્યારે ટ્યૂડર રાજાઓને બળે મેગ્ના કાર્ટાવાળા બેરનો ભૂમિભેગા થઈ ગયા હતા અને તેને સટે પ્રજાવર્ગરૂપ શેષનાગનાં મુખ્ય મુખ પેઠે હેમ્પેડન અને ક્રોમવેલ, એ સાપે માંડેલી ફણાઓના અગ્રભાગે, દોલાયમાન થતા હતા.” | વીર૦ – “અમારી સાથે તેઓ તમારું લગ્ન નહી થવા દે; પણ તમારાં લુગડાંલત્તાં ક્હાડી લેઈ અમારી સાથે લંગોટીયા ભાઈબન્ધી કરી રમવાને મોકલી દેશે. હિમાચલ અને કન્યાકુમારી વચ્ચેના જોઈએ તેવડા મ્હોટા ક્ષેત્ર ઉપર આપણે ભાઈબંધી કરી ખેલીશું, ને આપણે લ્હડીયે નહી ને આનંદથી રમીયે એટલી સત્તા સરકાર વાપરશે. હીંદુસ્થાનમાં ઇંગ્રજોનું રાજ્ય રાજસત્તાક છે અને તેવાં રાજ્યોના રાજાઓ પ્રતિસ્પર્ધી સત્તાવાળા ઉમરાવોને પ્રજા જેવા કરી નાંખે છે તેનું ઇંગ્લાંડમાં જ દૃષ્ટાન્ત છે. પ્હેલા ચાર્લ્સનો કાળ આવ્યો ત્યારે ટ્યૂડર રાજાઓને બળે મેગ્ના કાર્ટાવાળા બેરનો ભૂમિભેગા થઈ ગયા હતા અને તેને સટે પ્રજાવર્ગરૂપ શેષનાગનાં મુખ્ય મુખ પેઠે હેમ્પેડન અને ક્રોમવેલ, એ સાપે માંડેલી ફણાઓના અગ્રભાગે, દોલાયમાન થતા હતા.” | ||
શંકર૦ – “હવે એ યુગ વીતી ગયા. વિગ્રહકાળના અભિલાષોને સટે હાલ રાષ્ટ્રીયન્યાયના કાયદાઓ આગળ મુકુટધર મંડળનાં શસ્ત્ર સ્તમ્ભ પામે છે. અશ્રુતપૂર્વ અક્ષૌહિણી સેનાઓ મનુષ્યનાં સદ્ભાગ્યનું કચ્ચરઘાણ વાળવા યુરોપમાં ખડી થઈ છે, ત્યારે નય-વ્યવહાર (diplomacy)નું શબ્દબ્રહ્મ એ સેનાઓની માયાને સ્વપ્નના દંભ જેવી અકર્મકર કરી નાંખે છે. બીજા રાજ્યોના આ સર્વ સૈનિક દંભ વચ્ચે ઈંગ્રેજી રાજ્ય, આ નયવ્યવહારના સત્વનો વાવટો ઉરાડી, એ દંભના ખરચ-ખાડામાં ઉતરતું નથી. ત્યાં બેઠેલો આ શાંતિયુગ આખા જગતમાં બેસવા માંડ્યો છે, એ યુગનું અભિજ્ઞાન વધારે વધારે પ્રસરશે તેમ તેમ રાજાઓ, વિગ્રહ કાળની આસુરી સંપત્તિઓનો તિરસ્કાર કરી, શાંતિકાળની દૈવી સંપત્તિઓની પૂજા કરશે.” | શંકર૦ – “હવે એ યુગ વીતી ગયા. વિગ્રહકાળના અભિલાષોને સટે હાલ રાષ્ટ્રીયન્યાયના કાયદાઓ આગળ મુકુટધર મંડળનાં શસ્ત્ર સ્તમ્ભ પામે છે. અશ્રુતપૂર્વ અક્ષૌહિણી સેનાઓ મનુષ્યનાં સદ્ભાગ્યનું કચ્ચરઘાણ વાળવા યુરોપમાં ખડી થઈ છે, ત્યારે નય-વ્યવહાર (diplomacy)નું શબ્દબ્રહ્મ એ સેનાઓની માયાને સ્વપ્નના દંભ જેવી અકર્મકર કરી નાંખે છે. બીજા રાજ્યોના આ સર્વ સૈનિક દંભ વચ્ચે ઈંગ્રેજી રાજ્ય, આ નયવ્યવહારના સત્વનો વાવટો ઉરાડી, એ દંભના ખરચ-ખાડામાં ઉતરતું નથી. ત્યાં બેઠેલો આ શાંતિયુગ આખા જગતમાં બેસવા માંડ્યો છે, એ યુગનું અભિજ્ઞાન વધારે વધારે પ્રસરશે તેમ તેમ રાજાઓ, વિગ્રહ કાળની આસુરી સંપત્તિઓનો તિરસ્કાર કરી, શાંતિકાળની દૈવી સંપત્તિઓની પૂજા કરશે.”<ref>No European power would now think of going to war for winning its neighbour’s colonies, because colonial commerce is now in the main subject only to nominal restrictions and greater benefits than were derived in the last century by each nation from the exclusive commerce of its colonies now lie open to all, in trading system which is adopted by most nations in proportion to their enlightenment. We have thus seen the colonial system fall, and groups of free nations spring up in its place. | ||
This is the whole history of the new world. | |||
E. J. Payne</ref> | |||
“વીરરાવજી, - હવે યુદ્ધશાસ્ત્રનાં રાજ્યને સ્થાને અર્થશાસ્ત્રનાં રાજ્ય ચાલશે, રાજકીય સત્તાના લોભને સ્થાને વ્યાપારસત્તાનો લોભ ચાલશે, અને ઈંગ્રેજ સરકારનું સામ્રાજ્ય અમારી સાથે અર્થવ્યવહારનો લાભ છોડી અમારી રાજકીય સત્તા ઉપર દૃષ્ટિ કરે એવા વૈશ્યત્વહીન ઈંગ્રેજો નથી. રાષ્ટ્રીયન્યાયની શક્તિ પણ ધીરે ધીરે આ વૈશ્યત્વના તેજમાં લીન થઈ જશે. પ્રવીણદાસ જે યુગને પુરુષાર્થથી ઉત્પન્ન કરવા ઈચ્છે છે તે યુગનો પ્રવાહ મનુષ્યલોકના પ્રારબ્ધયુગે જન્મી ચુક્યો છે, અને એ યુગ ઈંગ્રેજોમાં બેઠો છે તેથી એ લોક દેશી રાજ્યોની સત્તાને નિર્માલ્ય ગણી, છે ત્યાં, રાખશે અને એ રાજ્યોનું વ્યાપાર-મધુ ચુસશે. મનુષ્યાહારી રાક્ષસના હાથમાં સુન્દર સ્ત્રી જતાં તેના માંસભક્ષણના કરતાં તેના શૃંગારભોગ ઉપર વધારે પ્રીતિ કરે છે તેમ ઇંગ્રેજના પંઝામાં ગયલાં દેશી રાજયોનું થશે. ઈંગ્રેજ રાજપુરુષો દેશી રાજાઓને પોતાના પ્રતિસ્પર્ધી નથી ગણતા, પણ ઉભયના સંયોગથી થતા લાભમાં તેમને પોતાના | “વીરરાવજી, - હવે યુદ્ધશાસ્ત્રનાં રાજ્યને સ્થાને અર્થશાસ્ત્રનાં રાજ્ય ચાલશે, રાજકીય સત્તાના લોભને સ્થાને વ્યાપારસત્તાનો લોભ ચાલશે, અને ઈંગ્રેજ સરકારનું સામ્રાજ્ય અમારી સાથે અર્થવ્યવહારનો લાભ છોડી અમારી રાજકીય સત્તા ઉપર દૃષ્ટિ કરે એવા વૈશ્યત્વહીન ઈંગ્રેજો નથી. રાષ્ટ્રીયન્યાયની શક્તિ પણ ધીરે ધીરે આ વૈશ્યત્વના તેજમાં લીન થઈ જશે. પ્રવીણદાસ જે યુગને પુરુષાર્થથી ઉત્પન્ન કરવા ઈચ્છે છે તે યુગનો પ્રવાહ મનુષ્યલોકના પ્રારબ્ધયુગે જન્મી ચુક્યો છે, અને એ યુગ ઈંગ્રેજોમાં બેઠો છે તેથી એ લોક દેશી રાજ્યોની સત્તાને નિર્માલ્ય ગણી, છે ત્યાં, રાખશે અને એ રાજ્યોનું વ્યાપાર-મધુ ચુસશે. મનુષ્યાહારી રાક્ષસના હાથમાં સુન્દર સ્ત્રી જતાં તેના માંસભક્ષણના કરતાં તેના શૃંગારભોગ ઉપર વધારે પ્રીતિ કરે છે તેમ ઇંગ્રેજના પંઝામાં ગયલાં દેશી રાજયોનું થશે. ઈંગ્રેજ રાજપુરુષો દેશી રાજાઓને પોતાના પ્રતિસ્પર્ધી નથી ગણતા, પણ ઉભયના સંયોગથી થતા લાભમાં તેમને પોતાના ભાગીયા<ref>"The secret of Roman success lay in the policy of separation and division. The secret of British success lies in the fact that one supreme authority was needed to keep the peace, to arbitrate between state and state, and to unite the isolated groups of Hindu, Mahomedan, and Aboriginal societies, under one standard of allegiance and one tie of common interests. The task which a Western nation has undertaken in Far East is ambitious and full of anomalies. Who are the partners in the Empire ? On the one side are nearly five hundred princes and chiefs * * * * *. On the other are a few officers of Government.” | ||
Lee- Warner's Protected Princes of India</ref> ગણી તેમની સંવૃદ્ધિ ઈચ્છે છે, અને એ રાજ્યોની સત્તા અને પોતાની સત્તાના સંયોગથી તેમના પરસ્પર સ્વાર્થનું પોષણ ઈચ્છે છે.” | |||
વીર૦ – “એટલે સરકાર પુરુષ, તમે સ્ત્રી, અને ઉભયનો સંસાર – એમ જ કે નહી ? ચંદ્રકાંત, હવે તો આ પતિવ્રતાને નમસ્કાર કરો ને તેની ક્ષમા માગો. પતિવ્રતા સ્ત્રીની પાસે તેનો સ્વામી પરસ્પર શૃંગારવાસનાની અભિવૃદ્ધિને સટે તેના માંસભક્ષણનો અભિલાષ રાખે એવાં વચન આપણે ઉચ્ચાર્યાં એ આ મહાપતિવ્રતાનો શાપ આકર્ષે એવો દોષ ! હરિ ! હરિ | अब्रह्मण्यं अब्रह्मण्यमः ! સતી માતા ! અમારો અપરાધ ક્ષમા કરો ! !” | |||
વીર૦ – “એટલે સરકાર પુરુષ, તમે સ્ત્રી, અને ઉભયનો સંસાર – એમ | |||
જ કે નહી ? ચંદ્રકાંત, હવે તો આ પતિવ્રતાને નમસ્કાર કરો ને તેની ક્ષમા માગો. પતિવ્રતા સ્ત્રીની પાસે તેનો સ્વામી પરસ્પર શૃંગારવાસનાની અભિવૃદ્ધિને સટે તેના માંસભક્ષણનો અભિલાષ રાખે એવાં વચન આપણે ઉચ્ચાર્યાં એ આ મહાપતિવ્રતાનો શાપ આકર્ષે એવો દોષ ! હરિ ! હરિ | अब्रह्मण्यं अब्रह्मण्यमः ! સતી માતા ! અમારો અપરાધ ક્ષમા કરો ! !” | |||
શંકર૦ – “વીરરાવ ! બ્રહ્માના પાંચમા મુખ પેઠે તમારા મુખને બોલવું હોય તે ભલે તેની પાસે બોલાવો. મહાન્ વિષયને સામાન્ય વિચારની ભાષામાં બોલવાના મ્હારા પ્રયત્નમાં ઉપમા–દોષ આવતો હોય તો તેનો અર્થગુણ લઈ ભાષાદોષ સુધારી લેવા એ ગુણજ્ઞજનનું કામ છે. મ્હારે ક્હેવાની કથા એટલી કે મ્હેં જે વર્ણવ્યો એવો સંબંધ સરકાર અને અમારાં સંસ્થાનો વચ્ચે બંધાશે. જર્મનીની પેઠે અમે ક્ષણિક અને નૈમિત્તિક સ્વાર્થથી ઈંગ્રેજી રાજ્ય સાથે બંધાવાના નથી પણ નિત્ય સ્વાર્થથી સંધાઈશું–” | શંકર૦ – “વીરરાવ ! બ્રહ્માના પાંચમા મુખ પેઠે તમારા મુખને બોલવું હોય તે ભલે તેની પાસે બોલાવો. મહાન્ વિષયને સામાન્ય વિચારની ભાષામાં બોલવાના મ્હારા પ્રયત્નમાં ઉપમા–દોષ આવતો હોય તો તેનો અર્થગુણ લઈ ભાષાદોષ સુધારી લેવા એ ગુણજ્ઞજનનું કામ છે. મ્હારે ક્હેવાની કથા એટલી કે મ્હેં જે વર્ણવ્યો એવો સંબંધ સરકાર અને અમારાં સંસ્થાનો વચ્ચે બંધાશે. જર્મનીની પેઠે અમે ક્ષણિક અને નૈમિત્તિક સ્વાર્થથી ઈંગ્રેજી રાજ્ય સાથે બંધાવાના નથી પણ નિત્ય સ્વાર્થથી સંધાઈશું–” | ||
| Line 329: | Line 305: | ||
ચંદ્રo–“શું તમારી અને ચક્રવર્તીની વચ્ચેના પ્રશ્નોમાં ચક્રવર્તી, જાતે પક્ષકાર હોવા છતાં, ન્યાયાધીશ થાય તે વાતની યોગ્યતા આપ સ્વીકારો છો, અને એ સ્થિતિથી તમારા અધિકાર ઘસાતા નથી એવું આપ કહો છો ?” | ચંદ્રo–“શું તમારી અને ચક્રવર્તીની વચ્ચેના પ્રશ્નોમાં ચક્રવર્તી, જાતે પક્ષકાર હોવા છતાં, ન્યાયાધીશ થાય તે વાતની યોગ્યતા આપ સ્વીકારો છો, અને એ સ્થિતિથી તમારા અધિકાર ઘસાતા નથી એવું આપ કહો છો ?” | ||
વિદ્યાચતુર સ્મિત કરી બોલવા લાગ્યો: ” ના જી. ચક્રવર્તી અમારા અને તેના પોતાના પક્ષ વચ્ચે ન્યાયાધીશ થાય છે તે અયોગ્ય છે અને તેથી અમારા અધિકાર ઘસાય છે એ વાત હું સ્વીકારું છું પણ ભરતખંડના સામ્રાજયનો ન્યાય ચુકવવા ઈંગ્રેજ સરકારની ઉદારતાથી અથવા ચકોરતાથી ન્યાય આપનાર બીજું કોઈ ધર્માસન અમને મળે એ પ્રસંગ આવતા સુધી એ સામ્રાજ્યનાં યંત્રનાં વર્તમાન ચક્રોમાંથી કોઈ પણ ચક્રમાં એ ધર્માસનની ગતિની પ્રતિષ્ઠા ર્હેવી જોઈએ, તેમ ન ર્હે તો સરકારની અને અમારી અવ્યવસ્થા થાય ને ભયંકર રૂપ પકડે, અને એ અવ્યવસ્થા અટકાવવા કોઈની પાસે પણ ધર્માધિકારની પ્રતિષ્ઠા હોવી જોઈએ તો વિદ્યા, બુદ્ધિ, ધર્મવાર્તા અને સત્તામાં ભરતખંડમાં શ્રેષ્ઠ રાજાના હાથમાં જ તે ર્હેવી જોઈએ, અને તેવું રાજત્વ સાંપ્રત ચક્રવર્તી શીવાય આજ બીજા કોનામાં છે? ઇંગ્રેજ અધિકારીઓ ન્હાના-મ્હોટા અનેક દોષનું પાત્ર હોવા છતાં, એજ ચક્રવર્તીમાં સર્વશ્રેષ્ટ ગુણો છે અને તે ગુણના લાભ આગળ એ દોષ માલવિનાના છે. એ ગુણ તેમનામાંથી ઘસાય નહી અને એ દોષનો પ્રતીકાર થાય એ લક્ષ્ય ઉપર તરત અનુસંધાન કરવામાં અમારું ચાતુર્ય, અમારું બુદ્ધિબળ, અમારું માનસિક શૈાર્ય, અમારી સ્વતંત્રતા, અને અમારા ધૈર્યની ચ્હડાઈઓ યોગ્ય છે. પણ એ ચ્હડાઈઓ રાજાની બુદ્ધિ ઉપર પ્રધાનની રાજભકત બુદ્ધિ કરે તેવાં સાધનથી કરવાની છે. આ પ્રસંગમાં અમારું અને ઈંગ્રેજી હીન્દી પ્રજાનું ઘણુક અંશથી સમાનત્વ છે, અને પરસ્પરને સાહાય્ય આપવામાં ચક્રવતી પ્રતિ આપણા ધર્મનો અતિક્રમ નહી કરીયે ત્યાં સુધી કાંઈ બાધ મને લાગતો નથી. એટલુંજ નહી પણ એ સાહાય્ય આપવું એ આપણો એક ધર્મ છે. આ વિષયમાં વીરરાવજી અને ચંદ્રકાંતજીના અભિલાષ કેવળ ધર્મ છે.” ગામ હોય ત્યાં બ્રાહ્મણની પોળ પણ હોય અને ધેડવાડો પણ હોય. મનુષ્યવૃત્તિ હોય ત્યાં ઉદાત્તત્તા પણ હોય ને અનુદાત્તતા પણ હોય. ઈંગ્રેજ અધિકારીઓના ગુપ્ત ને પ્રકટ અનુદાત્ત મર્મ ભણીથી આપણો ઘાત ન થાય એટલી સંભાળ રાખી, એ સંભાળને જે આપણો એકલો સ્વાર્થ ગણવાની પ્રવીણદાસ ભુલ કરે છે તે ન કરી, તમારા ઈંગ્રેજી ભરતખંડના મહાજનના અગ્રેસરો, વિદ્ધાનો, અને વર્તમાનપત્રો અમને સાહાય્ય આપે અને ઠપકા આપે અને અમે તેમને આપીએ અને તે માર્ગથી તમારા રાજા અને અમારા ચક્રવર્તીના ઉદાત્ત મર્મને સતેજ કરી, તેની પાસેથી મ્હોટાં વરદાન આકર્ષી લેઈએ તો તેમાં રાજદ્રોહ નથી, અશકયતા નથી, અને ધર્મ અને પુરુષાર્થ છે. દેશી રાજ્યોમાં આ પુરુષપ્રયત્ન કરવા જેટલી શક્તિ આવશે તો તમારી ભાષક ને યાચક કાન્ગ્રેસને માથે ભરતખંડના રાજાઓના સંયોગથી કોઈ કાર્યસાધક સંયુક્તરાજસભા થશે અને તેમાં ચક્રવતી પ્રમુખસ્થાને વિરાજશે. જર્મનીના રાજાઓના સંયોગ–federation-કરતાં, અને અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનોનાં કરતાં, આ સંયોગ, આ દેશની સ્થિતિ- નીતિને આધારે, કાંઈ જુદો જ થશે. પણ એવો પુરુષપ્રયત્ન જન્મ નહી પામે, અથવા જન્મ પામીને બુદ્ધિબળના દાવમાં હારશે, અથવા ધૈર્ય અને સદાગ્રહને સ્થાને ધૃષ્ટ્તા, ઉતાવળ, અને દુરાગ્રહના પાસા નાંખશે તો રાજાઓની દશા, છે એનાથી વધારે દુ:ખ ભરી, થશે. ગમે તો આવી વૃદ્ધિ અને ગમે તો આવો વિનાશ, એ બેમાંથી એક ભાગ્ય દેશી રાજયોને માથે ભમે છે, એ ભાગ્યનું વધારે નિશ્ચિત સ્વરૂપ આટલે છેટેથી આજ સમજવું કઠણ છે. અાજ માત્ર એટલું સમજાય છે કે સર્વ રાજ્યોને અને સર્વ લોકપ્રવાહને અત્યંતત્વરાબળથી ખેંચતો આજકાલનો વેગવાન યુગ દોડે છે તેની સાથે નહી દોડી શકે તે પાછળના અંધકારમાં રહી જશે અને દોડધામ કરી રહેલી સૃષ્ટિના પગતળે આવી કચરાઈ જશે. | વિદ્યાચતુર સ્મિત કરી બોલવા લાગ્યો: ” ના જી. ચક્રવર્તી અમારા અને તેના પોતાના પક્ષ વચ્ચે ન્યાયાધીશ થાય છે તે અયોગ્ય છે અને તેથી અમારા અધિકાર ઘસાય છે એ વાત હું સ્વીકારું છું પણ ભરતખંડના સામ્રાજયનો ન્યાય ચુકવવા ઈંગ્રેજ સરકારની ઉદારતાથી અથવા ચકોરતાથી ન્યાય આપનાર બીજું કોઈ ધર્માસન અમને મળે એ પ્રસંગ આવતા સુધી એ સામ્રાજ્યનાં યંત્રનાં વર્તમાન ચક્રોમાંથી કોઈ પણ ચક્રમાં એ ધર્માસનની ગતિની પ્રતિષ્ઠા ર્હેવી જોઈએ, તેમ ન ર્હે તો સરકારની અને અમારી અવ્યવસ્થા થાય ને ભયંકર રૂપ પકડે, અને એ અવ્યવસ્થા અટકાવવા કોઈની પાસે પણ ધર્માધિકારની પ્રતિષ્ઠા હોવી જોઈએ તો વિદ્યા, બુદ્ધિ, ધર્મવાર્તા અને સત્તામાં ભરતખંડમાં શ્રેષ્ઠ રાજાના હાથમાં જ તે ર્હેવી જોઈએ, અને તેવું રાજત્વ સાંપ્રત ચક્રવર્તી શીવાય આજ બીજા કોનામાં છે? ઇંગ્રેજ અધિકારીઓ ન્હાના-મ્હોટા અનેક દોષનું પાત્ર હોવા છતાં, એજ ચક્રવર્તીમાં સર્વશ્રેષ્ટ ગુણો છે અને તે ગુણના લાભ આગળ એ દોષ માલવિનાના છે. એ ગુણ તેમનામાંથી ઘસાય નહી અને એ દોષનો પ્રતીકાર થાય એ લક્ષ્ય ઉપર તરત અનુસંધાન કરવામાં અમારું ચાતુર્ય, અમારું બુદ્ધિબળ, અમારું માનસિક શૈાર્ય, અમારી સ્વતંત્રતા, અને અમારા ધૈર્યની ચ્હડાઈઓ યોગ્ય છે. પણ એ ચ્હડાઈઓ રાજાની બુદ્ધિ ઉપર પ્રધાનની રાજભકત બુદ્ધિ કરે તેવાં સાધનથી કરવાની છે. આ પ્રસંગમાં અમારું અને ઈંગ્રેજી હીન્દી પ્રજાનું ઘણુક અંશથી સમાનત્વ છે, અને પરસ્પરને સાહાય્ય આપવામાં ચક્રવતી પ્રતિ આપણા ધર્મનો અતિક્રમ નહી કરીયે ત્યાં સુધી કાંઈ બાધ મને લાગતો નથી. એટલુંજ નહી પણ એ સાહાય્ય આપવું એ આપણો એક ધર્મ છે. આ વિષયમાં વીરરાવજી અને ચંદ્રકાંતજીના અભિલાષ કેવળ ધર્મ છે.” ગામ હોય ત્યાં બ્રાહ્મણની પોળ પણ હોય અને ધેડવાડો પણ હોય. મનુષ્યવૃત્તિ હોય ત્યાં ઉદાત્તત્તા પણ હોય ને અનુદાત્તતા પણ હોય. ઈંગ્રેજ અધિકારીઓના ગુપ્ત ને પ્રકટ અનુદાત્ત મર્મ ભણીથી આપણો ઘાત ન થાય એટલી સંભાળ રાખી, એ સંભાળને જે આપણો એકલો સ્વાર્થ ગણવાની પ્રવીણદાસ ભુલ કરે છે તે ન કરી, તમારા ઈંગ્રેજી ભરતખંડના મહાજનના અગ્રેસરો, વિદ્ધાનો, અને વર્તમાનપત્રો અમને સાહાય્ય આપે અને ઠપકા આપે અને અમે તેમને આપીએ અને તે માર્ગથી તમારા રાજા અને અમારા ચક્રવર્તીના ઉદાત્ત મર્મને સતેજ કરી, તેની પાસેથી મ્હોટાં વરદાન આકર્ષી લેઈએ તો તેમાં રાજદ્રોહ નથી, અશકયતા નથી, અને ધર્મ અને પુરુષાર્થ છે. દેશી રાજ્યોમાં આ પુરુષપ્રયત્ન કરવા જેટલી શક્તિ આવશે તો તમારી ભાષક ને યાચક કાન્ગ્રેસને માથે ભરતખંડના રાજાઓના સંયોગથી કોઈ કાર્યસાધક સંયુક્તરાજસભા થશે અને તેમાં ચક્રવતી પ્રમુખસ્થાને વિરાજશે. જર્મનીના રાજાઓના સંયોગ–federation-કરતાં, અને અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનોનાં કરતાં, આ સંયોગ, આ દેશની સ્થિતિ- નીતિને આધારે, કાંઈ જુદો જ થશે. પણ એવો પુરુષપ્રયત્ન જન્મ નહી પામે, અથવા જન્મ પામીને બુદ્ધિબળના દાવમાં હારશે, અથવા ધૈર્ય અને સદાગ્રહને સ્થાને ધૃષ્ટ્તા, ઉતાવળ, અને દુરાગ્રહના પાસા નાંખશે તો રાજાઓની દશા, છે એનાથી વધારે દુ:ખ ભરી, થશે. ગમે તો આવી વૃદ્ધિ અને ગમે તો આવો વિનાશ, એ બેમાંથી એક ભાગ્ય દેશી રાજયોને માથે ભમે છે, એ ભાગ્યનું વધારે નિશ્ચિત સ્વરૂપ આટલે છેટેથી આજ સમજવું કઠણ છે. અાજ માત્ર એટલું સમજાય છે કે સર્વ રાજ્યોને અને સર્વ લોકપ્રવાહને અત્યંતત્વરાબળથી ખેંચતો આજકાલનો વેગવાન યુગ દોડે છે તેની સાથે નહી દોડી શકે તે પાછળના અંધકારમાં રહી જશે અને દોડધામ કરી રહેલી સૃષ્ટિના પગતળે આવી કચરાઈ જશે.<ref>“Constant changes . . the restless activity of the age and itsceaseless innovations are constantly bringing about. The day has passedwhen the East could 'bow low before the storm in patient deep disdain.'The legions still thunder by, but Oriental society can never go backentirely to what it was. To-morrow will not be as yesterday, and theintercourse of the Native States with the British Government canbe no exception to the rule.”-Lee-Warner.</ref> તમે કે અમે જે હઈશું તેને શિર આવા જ ભાગ્યનું ભ્રમણ જોઈ લેવું.” | ||
| | ||
“આ યુગની ગતિ આવી પ્રારબ્ધ છે તે અંત સુધી જશે. ઈંગ્રેજ રાજનીતિ એ યુગના પ્રવાહને સમજી નવા કાળ રચે છે અને નવા કાળ રચશે, એ આપણું પ્રારબ્ધ. એ કાળ-સમુદ્રનું મોજું આવે તેના વેગને ન સમજતાં, એ વેગને વશ કરવાને સ્થાને તેના ધક્કાથી ડુબી જઈશું તો એ આપણું દુર્ભાગ્ય આપણે હાથે રચાશે એ મોજું ગમે એવું વેગવાળું, બળવાળું, અને મ્હોટું હશે તોપણ તેના પાણીથી સ્નાન કરી લેઈ તેની નીચે અથવા તેનો ઉપર સ્થિરતાથી અને ધૈર્યથી ટકી રહેવાની ને તરવાની કળા આપણને આવડશે તો એ આપણો પુરુષપ્રયત્ન થશે, અને તેને સફળ કરવો એ ઇશ્વરેચ્છાની વાત છે. એ બેમાંથી કીયું પરિણામ થશે તેની કલ્પના માણસ કરી શકે એમ નથી. એ કલ્પનાનો સટે એક જ વર્તારો માણસ કરી શકે અને તે પ્રમાણે શ્રદ્ધા રાખે તો Free will નો સંપ્રદાય છોડી સર્વ પ્રારબ્ધવાદી થશે અને પુરુષપ્રયત્ન ત્યજશે, તેવા વર્તારા કરવામાં અધર્મ નથી પણ તે પર શ્રદ્ધા રાખવી એ આપણો ધર્મ નથી. એવા એકજ વર્તારા ઉપર શ્રદ્ધા રાખવા કરતાં,એવા અનેક વર્તારાઓમાંથી જે આપણને સાધ્ય અને કલ્યાણકર લાગે તેનાં સાધન પાછળ, અને બીજા વર્તારાઓના પ્રતીકાર પાછળ, પુ રુ ષ પ્ર ય ત્ન કરવો એજ આપણો એક ધર્મ છે, એજ ધર્મ વ્યવહાર્ય છે. વ્યાપાર તેમ રાજનીતિના વ્યવહાર આવા ધર્મને આધારે ચાલે છે उत्थानेन सदा वत्स प्रयतेथा युधिष्ठिर એ શાંતિ પર્વના રાજધર્મના ઉત્થાનધર્મને રાજાઓનો નિત્યધર્મ કહેલો છે તે ઉત્થાનને – પુરુષપ્રયત્નને – પ્રારબધશ્રદ્ધાના આઘાતથી અનિત્ય ન થવા દેવો એજ રાજાઓનો શુદ્ધ ધર્મ છે – ધર્મ્ય વ્યવહાર છે – કાળબળના સામા પણ રાજાઓનો એજ ઉત્થાનધર્મ મિત્રરૂપ છે.” | “આ યુગની ગતિ આવી પ્રારબ્ધ છે તે અંત સુધી જશે. ઈંગ્રેજ રાજનીતિ એ યુગના પ્રવાહને સમજી નવા કાળ રચે છે અને નવા કાળ રચશે, એ આપણું પ્રારબ્ધ. એ કાળ-સમુદ્રનું મોજું આવે તેના વેગને ન સમજતાં, એ વેગને વશ કરવાને સ્થાને તેના ધક્કાથી ડુબી જઈશું તો એ આપણું દુર્ભાગ્ય આપણે હાથે રચાશે એ મોજું ગમે એવું વેગવાળું, બળવાળું, અને મ્હોટું હશે તોપણ તેના પાણીથી સ્નાન કરી લેઈ તેની નીચે અથવા તેનો ઉપર સ્થિરતાથી અને ધૈર્યથી ટકી રહેવાની ને તરવાની કળા આપણને આવડશે તો એ આપણો પુરુષપ્રયત્ન થશે, અને તેને સફળ કરવો એ ઇશ્વરેચ્છાની વાત છે. એ બેમાંથી કીયું પરિણામ થશે તેની કલ્પના માણસ કરી શકે એમ નથી. એ કલ્પનાનો સટે એક જ વર્તારો માણસ કરી શકે અને તે પ્રમાણે શ્રદ્ધા રાખે તો Free will નો સંપ્રદાય છોડી સર્વ પ્રારબ્ધવાદી થશે અને પુરુષપ્રયત્ન ત્યજશે, તેવા વર્તારા કરવામાં અધર્મ નથી પણ તે પર શ્રદ્ધા રાખવી એ આપણો ધર્મ નથી. એવા એકજ વર્તારા ઉપર શ્રદ્ધા રાખવા કરતાં,એવા અનેક વર્તારાઓમાંથી જે આપણને સાધ્ય અને કલ્યાણકર લાગે તેનાં સાધન પાછળ, અને બીજા વર્તારાઓના પ્રતીકાર પાછળ, પુ રુ ષ પ્ર ય ત્ન કરવો એજ આપણો એક ધર્મ છે, એજ ધર્મ વ્યવહાર્ય છે. વ્યાપાર તેમ રાજનીતિના વ્યવહાર આવા ધર્મને આધારે ચાલે છે उत्थानेन सदा वत्स प्रयतेथा युधिष्ठिर એ શાંતિ પર્વના રાજધર્મના ઉત્થાનધર્મને રાજાઓનો નિત્યધર્મ કહેલો છે તે ઉત્થાનને – પુરુષપ્રયત્નને – પ્રારબધશ્રદ્ધાના આઘાતથી અનિત્ય ન થવા દેવો એજ રાજાઓનો શુદ્ધ ધર્મ છે – ધર્મ્ય વ્યવહાર છે – કાળબળના સામા પણ રાજાઓનો એજ ઉત્થાનધર્મ મિત્રરૂપ છે.” | ||
| Line 363: | Line 337: | ||
વિદ્યાચતુર હસતો હસતો બોલ્યોઃ “જેની સાથે આટલો લાંબો સહવાસ થયો, જેણે અમારો આટલો નિર્વાહ કર્યો, જેના ગુણદોષ અમે સમજીએ છીએ, જેની સાથે લ્હડતાં ઝઘડતાં અમે આટલો સંસાર સુખથી નીભાવ્યો, તેવા જુના ધણીને મુકીને નવા અજાણ્યા માણસ સાથે નવો સંસાર માંડવાની ઈચ્છામાં કાંઈ ડહાપણ છે ? એ ધણી જાય તો તો અમારા તમારા ચુડા સાથે ભાંગે – માટે આટલો રેલો તો, તમારી પોતાની તળેના રેલાના અનુભવથી અમારી તળેનો પણ સરખો સમજી લેવો.” | વિદ્યાચતુર હસતો હસતો બોલ્યોઃ “જેની સાથે આટલો લાંબો સહવાસ થયો, જેણે અમારો આટલો નિર્વાહ કર્યો, જેના ગુણદોષ અમે સમજીએ છીએ, જેની સાથે લ્હડતાં ઝઘડતાં અમે આટલો સંસાર સુખથી નીભાવ્યો, તેવા જુના ધણીને મુકીને નવા અજાણ્યા માણસ સાથે નવો સંસાર માંડવાની ઈચ્છામાં કાંઈ ડહાપણ છે ? એ ધણી જાય તો તો અમારા તમારા ચુડા સાથે ભાંગે – માટે આટલો રેલો તો, તમારી પોતાની તળેના રેલાના અનુભવથી અમારી તળેનો પણ સરખો સમજી લેવો.” | ||
ચંદ્ર૦ – “વીરરાવ, પ્રધાનજીએ તમારી પોતાની ભાષામાં વાત કરવા | ચંદ્ર૦ – “વીરરાવ, પ્રધાનજીએ તમારી પોતાની ભાષામાં વાત કરવા | ||
માંડી એટલે તમે વહેલી સમજશો.” | માંડી એટલે તમે વહેલી સમજશો.” | ||
| Line 378: | Line 350: | ||
“જર્મનીના મહારાજ્યનાં અવયવો પેઠે રાજસત્તાક સંસ્થાનો થવાનો લાભ આપણે રાખીયે તો તે ઇંગ્રેજને વધારે અનુકૂળ છે. જર્મન મહારાજ સ્વેચ્છાથી એ અવયવોને યુદ્ધમાં અને યુદ્ધાદિના ખરચમાં ખેંચી શકેછે તેવો વ્યવહાર આપણે શિર વાપરવા ઈંગ્રેજને અધિકાર નથી. આપણે ચક્રવર્તીની પાછળ – આપણી શક્તિ અને ઈચ્છા હોય તો – જઈયે. પરરાજ્યો સાથે સંબંધ રાખવાનો આપણો અધિકાર | “જર્મનીના મહારાજ્યનાં અવયવો પેઠે રાજસત્તાક સંસ્થાનો થવાનો લાભ આપણે રાખીયે તો તે ઇંગ્રેજને વધારે અનુકૂળ છે. જર્મન મહારાજ સ્વેચ્છાથી એ અવયવોને યુદ્ધમાં અને યુદ્ધાદિના ખરચમાં ખેંચી શકેછે તેવો વ્યવહાર આપણે શિર વાપરવા ઈંગ્રેજને અધિકાર નથી. આપણે ચક્રવર્તીની પાછળ – આપણી શક્તિ અને ઈચ્છા હોય તો – જઈયે. પરરાજ્યો સાથે સંબંધ રાખવાનો આપણો અધિકાર | ||
*The Colonies proper form three classes :–(1) The Crown Colonies, which are entirely controlled by the home government; (2) those possessing representative Institutions, in which the Crown has no more than a veto in legislation, but the home government retains the control of public officers ; and (3) those possessing Responsible Government, in which the home government has no control over any public officer, though the Crown appoints the Governor and still retains a veto on legislation. | |||
The total expenditure of the Mother country in connection with the Colonies (exclusive of India) amounts to about 2 million sterling annually, mainly for military and naval purposes. | The total expenditure of the Mother country in connection with the Colonies (exclusive of India) amounts to about 2 million sterling annually, mainly for military and naval purposes. | ||
The Statesman's Year Book, 1896 | The Statesman's Year Book, 1896 | ||
edits