સરસ્વતીચંદ્ર ભાગ ૪/સ્ત્રીજનનું હૃદય અને એ હૃદયની સત્તા.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
That moment that his face I see,
That moment that his face I see,
I know the man that must hear me :
I know the man that must hear me :
To him my tale I teach.
{{space}}To him my tale I teach.
–Coleridge's Ancient Mariner.
–Coleridge's Ancient Mariner.
सुश्रुवे प्रियजनस्य कातरम्
सुश्रुवे प्रियजनस्य कातरम्
Line 14: Line 14:
आशाबन्धः कुसुमसदृशं प्रायशोऽह्यङ्गनानाम्
आशाबन्धः कुसुमसदृशं प्रायशोऽह्यङ्गनानाम्
सद्यःपाति प्रणयि हृदयं विप्रलम्भे रुणाद्वि ॥
सद्यःपाति प्रणयि हृदयं विप्रलम्भे रुणाद्वि ॥
-ભવ ભૂતિ.
{{space}}-ભવ ભૂતિ.
ભગવી કન્થા ધારી કુમુદ સાધ્વીયો સાથે ગઈ અને સરસ્વતીચન્દ્ર સૌમનસ્યગુફાના સંસ્કારદીપક ઓટલા ઉપર બેસી પોતે જોયેલાં સ્વપ્નોના પોતે લખેલા ઇતિહાસ વાંચવા લાગ્યો અને પોતાના દેશનું અને દેશની વસ્તીનું કલ્યાણ શામાં છે અને કેવાં સાધનથી સાધ્ય છે તેના વિચાર કરવા લાગ્યો. વિચારે વિચારે એની સ્વપ્નસામગ્રી સહાયભૂત થઈને આખો દિવસ પ્રસન્ન ચિન્તામાં ગયો. ભોજનકાળ વિના એમાં બીજું વિઘ્ન આવ્યું નહી અને કુમુદના વિના બીજા સત્વે તેમાં વ્યવધાનશક્તિ બતાવી નહી. અપ્રત્યક્ષ રહીને પણ અત્યારે કુમુદ જે વ્યવધાનશક્તિ બતાવતી હતી તે પણ સાત્ત્વિક પ્રીતિના સંસ્કારોનાં જાગૃત સ્વપ્નો ઉત્પન્ન કરીને​જ બતાવતી હતી, અને જેવી રીતે તે સ્વપ્નમાં સહચારિણી થઈ હતી તેવી રીતે આજના જાગૃત વિચારોમાં પણ માત્ર વિચારરૂપે જ સહચારિણી થતી હતી. સૂર્યાસ્તથી પાંચ છ ઘડી પ્હેલાં તેના વિચાર સમાપ્ત થયા ને તેને અન્તે પોતાની ગુફાની ઉપલી અગાશીમાં ચ્હડી ચારે પાસના સૃષ્ટિસૌંદર્યને આ પુરુષ જોવા અને ભોગવવા લાગ્યો. એ ભોગ–મેઘના ઉપર વીજળી જેવી વાણી ચમકવા લાગી.
ભગવી કન્થા ધારી કુમુદ સાધ્વીયો સાથે ગઈ અને સરસ્વતીચન્દ્ર સૌમનસ્યગુફાના સંસ્કારદીપક ઓટલા ઉપર બેસી પોતે જોયેલાં સ્વપ્નોના પોતે લખેલા ઇતિહાસ વાંચવા લાગ્યો અને પોતાના દેશનું અને દેશની વસ્તીનું કલ્યાણ શામાં છે અને કેવાં સાધનથી સાધ્ય છે તેના વિચાર કરવા લાગ્યો. વિચારે વિચારે એની સ્વપ્નસામગ્રી સહાયભૂત થઈને આખો દિવસ પ્રસન્ન ચિન્તામાં ગયો. ભોજનકાળ વિના એમાં બીજું વિઘ્ન આવ્યું નહી અને કુમુદના વિના બીજા સત્વે તેમાં વ્યવધાનશક્તિ બતાવી નહી. અપ્રત્યક્ષ રહીને પણ અત્યારે કુમુદ જે વ્યવધાનશક્તિ બતાવતી હતી તે પણ સાત્ત્વિક પ્રીતિના સંસ્કારોનાં જાગૃત સ્વપ્નો ઉત્પન્ન કરીને​જ બતાવતી હતી, અને જેવી રીતે તે સ્વપ્નમાં સહચારિણી થઈ હતી તેવી રીતે આજના જાગૃત વિચારોમાં પણ માત્ર વિચારરૂપે જ સહચારિણી થતી હતી. સૂર્યાસ્તથી પાંચ છ ઘડી પ્હેલાં તેના વિચાર સમાપ્ત થયા ને તેને અન્તે પોતાની ગુફાની ઉપલી અગાશીમાં ચ્હડી ચારે પાસના સૃષ્ટિસૌંદર્યને આ પુરુષ જોવા અને ભોગવવા લાગ્યો. એ ભોગ–મેઘના ઉપર વીજળી જેવી વાણી ચમકવા લાગી.


“શરીરની શક્તિયો શરીરના ભાગથી વધે છે ઘટે છે, તેમ મનની શક્તિયો મનના ભોગથી વધે છે ઘટે છે, અને શરીર અને મનના વિવાહથી સંયુક્ત અવસ્થાને પામેલી શક્તિયો એ બેના સંયુક્ત ભાગથી વધે છે ઘટે છે. અમુક માત્રામાં ભેાગને રાખવાથી આ સર્વ શક્તિયો વધે છે ને તે માત્રાની મર્યાદા તોડવાથી એ જ શક્તિયોને એ જ ભોગ ક્ષીણ કરે છે. આ માત્રાનું તારતમ્ય અંહીના સાધુજનો જાણે છે. પ્રાચીન આર્યો જાણતા અને આજના પાશ્ચાત્ય લોક જાણે છે. એ શક્તિયોના વિકાસથી ને સદુપયોગથી લોકનું કલ્યાણ છે. સર્વ શ્રમમાં, સર્વ તપમાં, સર્વ ઉદ્યોગમાં, સર્વ સુખમાં, સર્વ દુ:ખમાં, સર્વ ભોગમાં, અને સર્વ ત્યાગમાં, યોગ્ય માત્રા રાખ્યાથી આ કલ્યાણ સધાય છે અને તોડ્યાથી અકલ્યાણ સધાય છે. મ્હારા દેશમાં આ માત્રાના અજ્ઞાને દુઃખની હોળી સળગાવી છે ને મ્હારા દેશી બન્ધુઓની સર્વ શક્તિયોને ક્ષીણ કરી દીધી છે – તે શક્તિ વધારવાને મ્હારા વિદ્વાન બન્ધુઓના અને રાજ્યકર્તાઓના સર્વ પ્રયત્ન નિષ્ફળ થાય છે તેનું કારણ આ અજ્ઞાન અને આ અશક્તિ ! એ અજ્ઞાનનો ને અશક્તિનો નાશ અશક્ય નથી. આર્ય લેાક માનતા[૧] અને પાશ્ચાત્યો માને છે કે અગ્નિ દેખાતો કે ન દેખાતો હોય તો પણ કાષ્ઠમાત્રમાં ગૂઢ રહેલો છે તે પ્રમાણે આ દેશના આર્યોમાં જ્ઞાન અને શક્તિ સ્થળે સ્થળે ગૂઢ – dormant રહેલાં છે – અલખ રહેલાં છે. તે ગૂઢ દૈવતને પ્રકટ કરવાં, અલખને લખ કરવાં, કરાવવાં, એ હવે મ્હારો અભિલાષ, મ્હારો ધર્મ, અને મ્હારો પ્રકટવાનો મહાયજ્ઞ – તે અભિલાષની સિદ્ધિને માટે હું પૂર્ણ પ્રયત્ન કરીશ, એ ધર્મ-વિચારના આચાર પાળીશ, અને એ મહાયજ્ઞમાં આહુતિઓ આપીશ”
“શરીરની શક્તિયો શરીરના ભાગથી વધે છે ઘટે છે, તેમ મનની શક્તિયો મનના ભોગથી વધે છે ઘટે છે, અને શરીર અને મનના વિવાહથી સંયુક્ત અવસ્થાને પામેલી શક્તિયો એ બેના સંયુક્ત ભાગથી વધે છે ઘટે છે. અમુક માત્રામાં ભેાગને રાખવાથી આ સર્વ શક્તિયો વધે છે ને તે માત્રાની મર્યાદા તોડવાથી એ જ શક્તિયોને એ જ ભોગ ક્ષીણ કરે છે. આ માત્રાનું તારતમ્ય અંહીના સાધુજનો જાણે છે. પ્રાચીન આર્યો જાણતા અને આજના પાશ્ચાત્ય લોક જાણે છે. એ શક્તિયોના વિકાસથી ને સદુપયોગથી લોકનું કલ્યાણ છે. સર્વ શ્રમમાં, સર્વ તપમાં, સર્વ ઉદ્યોગમાં, સર્વ સુખમાં, સર્વ દુ:ખમાં, સર્વ ભોગમાં, અને સર્વ ત્યાગમાં, યોગ્ય માત્રા રાખ્યાથી આ કલ્યાણ સધાય છે અને તોડ્યાથી અકલ્યાણ સધાય છે. મ્હારા દેશમાં આ માત્રાના અજ્ઞાને દુઃખની હોળી સળગાવી છે ને મ્હારા દેશી બન્ધુઓની સર્વ શક્તિયોને ક્ષીણ કરી દીધી છે – તે શક્તિ વધારવાને મ્હારા વિદ્વાન બન્ધુઓના અને રાજ્યકર્તાઓના સર્વ પ્રયત્ન નિષ્ફળ થાય છે તેનું કારણ આ અજ્ઞાન અને આ અશક્તિ ! એ અજ્ઞાનનો ને અશક્તિનો નાશ અશક્ય નથી. આર્ય લેાક માનતા<ref>अग्निस्तेजोमहांल्लोके गूढस्तिष्ठति दारुषु.</ref> અને પાશ્ચાત્યો માને છે કે અગ્નિ દેખાતો કે ન દેખાતો હોય તો પણ કાષ્ઠમાત્રમાં ગૂઢ રહેલો છે તે પ્રમાણે આ દેશના આર્યોમાં જ્ઞાન અને શક્તિ સ્થળે સ્થળે ગૂઢ – dormant રહેલાં છે – અલખ રહેલાં છે. તે ગૂઢ દૈવતને પ્રકટ કરવાં, અલખને લખ કરવાં, કરાવવાં, એ હવે મ્હારો અભિલાષ, મ્હારો ધર્મ, અને મ્હારો પ્રકટવાનો મહાયજ્ઞ – તે અભિલાષની સિદ્ધિને માટે હું પૂર્ણ પ્રયત્ન કરીશ, એ ધર્મ-વિચારના આચાર પાળીશ, અને એ મહાયજ્ઞમાં આહુતિઓ આપીશ”


"અલખ રહ્યાં ગુણ શક્તિ નિરંતર
"અલખ રહ્યાં ગુણ શક્તિ નિરંતર
દેશકાળમાં સ્થળે સ્થળે;
દેશકાળમાં સ્થળે સ્થળે;
તે સઉ અલખ જગાવું હવે હું !
તે સઉ અલખ જગાવું હવે હું !
  १ अग्निस्तेजोमहांल्लोके गूढस्तिष्ठति दारुषु.
   
અલખ બનો લખ ! ભલે ! ભલે !
અલખ બનો લખ ! ભલે ! ભલે !
અલખ જગવવા હું અધિકારી !
અલખ જગવવા હું અધિકારી !
લક્ષ્મી મ્હારી ભસ્મ કરું !
લક્ષ્મી મ્હારી ભસ્મ કરું !
જનતા[૧] તે મુજ ભવ્ય દેહ, ત્યાં
જનતા<ref>જનસમુદાય</ref> તે મુજ ભવ્ય દેહ, ત્યાં
ભસ્મ વિભૂતિ ધરી ફરું !
ભસ્મ વિભૂતિ ધરી ફરું !
એ સંન્યાસ થકી પરિવ્રાજક
એ સંન્યાસ થકી પરિવ્રાજક
Line 33: Line 33:
અલખ ખેલનો સાક્ષી બનું છું !
અલખ ખેલનો સાક્ષી બનું છું !
ભેખ રક્ત વૈરાગ્ય તણો.”
ભેખ રક્ત વૈરાગ્ય તણો.”
આ કવિતા ગાતાં ગાતાં સરસ્વતીચન્દ્ર ઉભો થયો હતો, ઉત્સાહમાં આવી હાથ ઉંચા કરી કરી ફરી ફરી ગાતો હતો, અને પોતે ગાય છે તે કોઈ સાંભળે છે કે નહી તેનો વિચાર કર્યા વિના ઉચ્ચ સ્વરો આકાશ સામું જોઈ ગાતો હતો. પણ એના સ્વગત-વાક્યોના[૨] આરંભકાળથી જ કન્થાધારિણી શોકગ્રસ્ત કુમુદ એની પાછળ આવી, બોલ્યા ચાલ્યા વિના, આવી, ઉભી રહી હતી, ક્ષણમાં ઉભી ઉભી આંસુ સારતી હતી તે ક્ષણમાં નીચું જોઈ વિચારમાં પડતી હતી, ક્ષણવાર સરસ્વતીચંદ્રના પૃષ્ઠભાગનું દર્શન કરી પ્રતિમાદર્શનકાળના જેવા યોગમાં લીન થતી હતી તો ક્ષણવાર નિઃશ્વાસ મુકતી હતી, અને પવનથી હાલતી કુંપળ પોતાની ડાળને વળગી ર્‌હે તેમ આ સર્વ અવસ્થામાં એમની એમ એક જ સ્થાને ઉભી રહી હતી. અંન્તે દીર્ઘ નિઃશ્વાસ મુકી, આંસુ લ્હોઈ, આગળ આવી અને સરસ્વતીચંદ્રને પગે પડી.
આ કવિતા ગાતાં ગાતાં સરસ્વતીચન્દ્ર ઉભો થયો હતો, ઉત્સાહમાં આવી હાથ ઉંચા કરી કરી ફરી ફરી ગાતો હતો, અને પોતે ગાય છે તે કોઈ સાંભળે છે કે નહી તેનો વિચાર કર્યા વિના ઉચ્ચ સ્વરો આકાશ સામું જોઈ ગાતો હતો. પણ એના સ્વગત-વાક્યોના<ref>પોતાના મનને ક્‌હેલાં વાક્ય.</ref> આરંભકાળથી જ કન્થાધારિણી શોકગ્રસ્ત કુમુદ એની પાછળ આવી, બોલ્યા ચાલ્યા વિના, આવી, ઉભી રહી હતી, ક્ષણમાં ઉભી ઉભી આંસુ સારતી હતી તે ક્ષણમાં નીચું જોઈ વિચારમાં પડતી હતી, ક્ષણવાર સરસ્વતીચંદ્રના પૃષ્ઠભાગનું દર્શન કરી પ્રતિમાદર્શનકાળના જેવા યોગમાં લીન થતી હતી તો ક્ષણવાર નિઃશ્વાસ મુકતી હતી, અને પવનથી હાલતી કુંપળ પોતાની ડાળને વળગી ર્‌હે તેમ આ સર્વ અવસ્થામાં એમની એમ એક જ સ્થાને ઉભી રહી હતી. અંન્તે દીર્ઘ નિઃશ્વાસ મુકી, આંસુ લ્હોઈ, આગળ આવી અને સરસ્વતીચંદ્રને પગે પડી.


સરસ્વતીચંદ્ર કંઈક ચમક્યો પણ સ્વસ્થ બની પોતાને પગેથી કુમુદને ઉચી કરવા નીચે પડ્યો અને કોમળ કમ્પતી દેહલતાને હાથમાં સાહી ઉઠાડવા લાગ્યો.
સરસ્વતીચંદ્ર કંઈક ચમક્યો પણ સ્વસ્થ બની પોતાને પગેથી કુમુદને ઉચી કરવા નીચે પડ્યો અને કોમળ કમ્પતી દેહલતાને હાથમાં સાહી ઉઠાડવા લાગ્યો.
Line 41: Line 41:
કુમુદ ઉઠતી ઉઠતી બોલવા લાગી “મને દીક્ષા આપો, મ્હારા શોકનો એક વાર નાશ કર્યો તેવો ફરી કરો, હું હજી સંસારિણી જ છું ને આ કન્થા પ્હેરવાથી કંઈ ઉત્કર્ષને પામી નથી. આપના ચરણસ્પર્શે એક વાર મને આપના મહાસ્વપ્નમાં સહચારિણી કરી પવિત્ર કરી છે તો બીજી વાર આ પવિત્ર ઉત્કર્ષક ચરણનો સ્પર્શ કરું છું તે એવા
કુમુદ ઉઠતી ઉઠતી બોલવા લાગી “મને દીક્ષા આપો, મ્હારા શોકનો એક વાર નાશ કર્યો તેવો ફરી કરો, હું હજી સંસારિણી જ છું ને આ કન્થા પ્હેરવાથી કંઈ ઉત્કર્ષને પામી નથી. આપના ચરણસ્પર્શે એક વાર મને આપના મહાસ્વપ્નમાં સહચારિણી કરી પવિત્ર કરી છે તો બીજી વાર આ પવિત્ર ઉત્કર્ષક ચરણનો સ્પર્શ કરું છું તે એવા


૧. જનસમુદાય.
ર. પોતાના મનને ક્‌હેલાં વાક્ય.
​અભિલાષથી કે મ્હારા ઉદ્ધારના કોઈ અતિ પવિત્ર માર્ગે આપ મને
​અભિલાષથી કે મ્હારા ઉદ્ધારના કોઈ અતિ પવિત્ર માર્ગે આપ મને
લેઈ જાવ, અને જેમાં સંસાર કે સાધુજન કોઈ દોષ ન દેખે અને મ્હારું કલ્યાણ થાય એવું ફળ આપો. સંસારને આ૫ શ્મશાન ગણો છો તો હું પણ તેને શ્મશાન જ ગણું છું, પણ મ્હારા શોકને બળવાની ચિતા તેમાં સળગતી નથી ને એક વાર સળગી તો આ પવનને ઝપાટે વધારે લાગવાને ઠેકાણે હોલાઈ ગઈ ! મ્હારો દુર્ગન્ધી શોક એ ચિતા ઉપર એવો ને એવો પડેલો દેખાય છે ! મ્હારા શોકને, મ્હારા વિકારને, અને મ્હારાં કલંકને હવે આપ ભસ્મરૂપ કરો અને મને માત્ર એ ભસ્મની પેઠે જ આપના સહવાસમાં ઉડવાની શક્તિ આપો ! એ વિના વધારે જીવન મ્હારે હવે નથી જોઈતું.”
લેઈ જાવ, અને જેમાં સંસાર કે સાધુજન કોઈ દોષ ન દેખે અને મ્હારું કલ્યાણ થાય એવું ફળ આપો. સંસારને આ૫ શ્મશાન ગણો છો તો હું પણ તેને શ્મશાન જ ગણું છું, પણ મ્હારા શોકને બળવાની ચિતા તેમાં સળગતી નથી ને એક વાર સળગી તો આ પવનને ઝપાટે વધારે લાગવાને ઠેકાણે હોલાઈ ગઈ ! મ્હારો દુર્ગન્ધી શોક એ ચિતા ઉપર એવો ને એવો પડેલો દેખાય છે ! મ્હારા શોકને, મ્હારા વિકારને, અને મ્હારાં કલંકને હવે આપ ભસ્મરૂપ કરો અને મને માત્ર એ ભસ્મની પેઠે જ આપના સહવાસમાં ઉડવાની શક્તિ આપો ! એ વિના વધારે જીવન મ્હારે હવે નથી જોઈતું.”
Line 62: Line 60:
કુમુદ૦- સંસારી જન સાધુ થાય તે કાળે તેની પાસે સંસારનું સ્નાન કરાવે છે; ને એમનો સંપ્રદાય આવે પ્રસંગે તે શબનો સ્પર્શ કરનારને જ સ્નાન ​કરાવે છે. સ્થૂલ શરીર પાછળ સાધુજનો શોક કરતા નથી. વિધવાઓ પતિના સૂક્ષ્મ શરીરને અમર ગણી તેના સ્થૂલ શરીરના મૃત્યુને માત્ર ક્ષણિક વિયોગરૂપ ગણે છે અને સ્થૂલ શરીરના કોઈ પણ અંશનો ક્ષય કરતી નથી. કેશકલાપ અને કરકંકણને પતિસંયોગના સંસ્કારોનાં સ્મારક ગણી, પતિના જીવની પઠે જાળવી મૂકે છે; અને બાકીના કૃત્રિમ અલંકારોને તો તેઓ સંયોગકાળે પણ પહેરતાં નથી તો વિયોગમાં તેનો ત્યાગ બાકી રહેતો નથી. આમરણાંત બાહ્ય શોકનો ત્યાગ કરવો એ સાધુ જીવનનું રહસ્ય ગણાય છે અને અંતઃશોકને પતિના સૂક્ષ્મ શરીરના યોગ વડે શમાવે છે. તેમની સૂક્ષ્મ પ્રીતિના અદ્વૈતથી આ યોગ વૈધવ્ય કાળની સાથે જાતે પ્રાપ્ત થાય છે ને પ્રાપ્ત કરવો પડતો નથી. એમના વચનમાં શ્રદ્ધાથી અને આપની આજ્ઞાથી તેમનું વચન પાળી આ કન્થા મેં ધારી છે."
કુમુદ૦- સંસારી જન સાધુ થાય તે કાળે તેની પાસે સંસારનું સ્નાન કરાવે છે; ને એમનો સંપ્રદાય આવે પ્રસંગે તે શબનો સ્પર્શ કરનારને જ સ્નાન ​કરાવે છે. સ્થૂલ શરીર પાછળ સાધુજનો શોક કરતા નથી. વિધવાઓ પતિના સૂક્ષ્મ શરીરને અમર ગણી તેના સ્થૂલ શરીરના મૃત્યુને માત્ર ક્ષણિક વિયોગરૂપ ગણે છે અને સ્થૂલ શરીરના કોઈ પણ અંશનો ક્ષય કરતી નથી. કેશકલાપ અને કરકંકણને પતિસંયોગના સંસ્કારોનાં સ્મારક ગણી, પતિના જીવની પઠે જાળવી મૂકે છે; અને બાકીના કૃત્રિમ અલંકારોને તો તેઓ સંયોગકાળે પણ પહેરતાં નથી તો વિયોગમાં તેનો ત્યાગ બાકી રહેતો નથી. આમરણાંત બાહ્ય શોકનો ત્યાગ કરવો એ સાધુ જીવનનું રહસ્ય ગણાય છે અને અંતઃશોકને પતિના સૂક્ષ્મ શરીરના યોગ વડે શમાવે છે. તેમની સૂક્ષ્મ પ્રીતિના અદ્વૈતથી આ યોગ વૈધવ્ય કાળની સાથે જાતે પ્રાપ્ત થાય છે ને પ્રાપ્ત કરવો પડતો નથી. એમના વચનમાં શ્રદ્ધાથી અને આપની આજ્ઞાથી તેમનું વચન પાળી આ કન્થા મેં ધારી છે."


સરસ્વતીચંદ્ર- "પ્રિયજનના મૃત્યુને ક્ષણિક વિયોગ ગણી તેઓ એકવેણી કેશકલાપ રાખે છે ને કેશનો ત્યાગ કરતાં નથી એવું મારા સમજ્યામાં છે. વિયોગકાળે એવી એકવેણી રાખવાનો સંપ્રદાય મેઘદૂતમાં છે[૧] તે અહીં પળાય છે."
સરસ્વતીચંદ્ર- "પ્રિયજનના મૃત્યુને ક્ષણિક વિયોગ ગણી તેઓ એકવેણી કેશકલાપ રાખે છે ને કેશનો ત્યાગ કરતાં નથી એવું મારા સમજ્યામાં છે. વિયોગકાળે એવી એકવેણી રાખવાનો સંપ્રદાય મેઘદૂતમાં છે<ref>आद्ये बद्धा विरहदिवसे या शिखा दाम हित्वा
शापस्यान्ते विगलितशुचा तां मयोद्वेष्टनीयाम ।
स्पर्शक्लिष्टामयमितनखेनासक्त् सारयन्तीं,
गण्डाभोगात्कठिनविषममेकवेणीं करेणा। ॥</ref> તે અહીં પળાય છે."


કુમુદસુંદરી - "તે સત્ય છે. સાંસારિણીઓ નથી સમજતી વિયોગના ધર્મ ને નથી સમજતી સંયોગના મર્મ. દુષ્ટ સંસાર પતિવત્સલા પત્નીને વરધેલી ગણી વખોડે છે ને દંપતીની પ્રીતિ જરી પણ પ્રકાશ પામે તો તેને સ્ત્રીચરિતના ચાળા ગણે છે ! સાધુજનો એથી ઊલટા માર્ગને પ્રમાણે છે. મને તો કંઈ સમજણ ન પડતાં આ કન્થા ધારી અહીં આવી છું. મારા કેશ છે કે નહીં તેનો હું વિચાર કરતી નથી. મારા અંતઃશોકમાં ડૂબી બહારના વિધિની વાત ભૂલી જાઉં છું."
કુમુદસુંદરી - "તે સત્ય છે. સાંસારિણીઓ નથી સમજતી વિયોગના ધર્મ ને નથી સમજતી સંયોગના મર્મ. દુષ્ટ સંસાર પતિવત્સલા પત્નીને વરધેલી ગણી વખોડે છે ને દંપતીની પ્રીતિ જરી પણ પ્રકાશ પામે તો તેને સ્ત્રીચરિતના ચાળા ગણે છે ! સાધુજનો એથી ઊલટા માર્ગને પ્રમાણે છે. મને તો કંઈ સમજણ ન પડતાં આ કન્થા ધારી અહીં આવી છું. મારા કેશ છે કે નહીં તેનો હું વિચાર કરતી નથી. મારા અંતઃશોકમાં ડૂબી બહારના વિધિની વાત ભૂલી જાઉં છું."
Line 109: Line 110:
કુમુદ૦- હું તે મ્હારી જાતને અને જીવનને ગુપ્ત રાખવા જ ઇચ્છું છું. જગત મને મુવેલી જાણે નહી તો મ્હારે જીવવાનો સંદેહ સમજવો. આપનાથી દૂર રહી જીવી શકું એમ નથી, ને આપની પાસે પ્રકટપણે રહી ​કેવળ સૂક્ષ્મ પ્રીતિનો સંબંધ રાખીશ તો પણ જગત અપકીર્તિ કરશે ને માતાપિતાને અને સસરાજીને દુઃખ થશે તે જેવાની સહનશક્તિ મ્હારામાં નથી — તે જોવા કરતાં મરવું સારું.
કુમુદ૦- હું તે મ્હારી જાતને અને જીવનને ગુપ્ત રાખવા જ ઇચ્છું છું. જગત મને મુવેલી જાણે નહી તો મ્હારે જીવવાનો સંદેહ સમજવો. આપનાથી દૂર રહી જીવી શકું એમ નથી, ને આપની પાસે પ્રકટપણે રહી ​કેવળ સૂક્ષ્મ પ્રીતિનો સંબંધ રાખીશ તો પણ જગત અપકીર્તિ કરશે ને માતાપિતાને અને સસરાજીને દુઃખ થશે તે જેવાની સહનશક્તિ મ્હારામાં નથી — તે જોવા કરતાં મરવું સારું.


સર૦– વાણી અને સ્ત્રી બેની સાધુતાને માટે આ દેશના જન ભવભૂતિ જેવાના કાળથી શંકાશીલ અને દુર્જન જણાયા છે [૧] તેમ હજી પણ જણાશે એવી તમને બ્હીક લાગે છે.
સર૦– વાણી અને સ્ત્રી બેની સાધુતાને માટે આ દેશના જન ભવભૂતિ જેવાના કાળથી શંકાશીલ અને દુર્જન જણાયા છે<ref>यथा स्त्रीणां तथा वाचां साधुत्वे दुर्जनो जनः</ref> તેમ હજી પણ જણાશે એવી તમને બ્હીક લાગે છે.


કુમુદ૦– એ બ્હીક ખેાટી નથી.
કુમુદ૦– એ બ્હીક ખેાટી નથી.
Line 125: Line 126:
કુમુદ૦- શું કરવામાં મ્હારી છાતી નહી ચાલે તે હું જાણું છું, પણ શું કરવામાં ચાલશે તે સુઝતું નથી. આપ લોકનું કલ્યાણ કરવાને શક્તિમાન થઈ શકશો - પણ તે, લોકમાં પ્રકટ થયા વિના, બને એમ નથી. એ કલ્યાણકાર્યમાં આપ પ્રવૃત્ત થાવ ત્યારે મ્હારા સહવાસ વિના સ્વસ્થ રહી શકવાના નથી ને એવે કાળે આપની સર્વ ન્હાની ન્હાની વાતોની સંભાળ રાખવાને આપને કુમુદ જેવી સહચારિણી આવશ્યક છે. છતાં કુમુદના સહચારથી આપ જ્ઞાતિબહાર થશો, લોકની નિન્દાના પાત્ર થશો, ને આપે લોકને પ્હેરાવવા ધારેલી પુષ્પમાળાઓને લોક સર્પ જેવી ગણી ફેંકી નાંખશે. હું એવું ઇચ્છું છું કે આપ સંસારમાં પ્રકટપણે
કુમુદ૦- શું કરવામાં મ્હારી છાતી નહી ચાલે તે હું જાણું છું, પણ શું કરવામાં ચાલશે તે સુઝતું નથી. આપ લોકનું કલ્યાણ કરવાને શક્તિમાન થઈ શકશો - પણ તે, લોકમાં પ્રકટ થયા વિના, બને એમ નથી. એ કલ્યાણકાર્યમાં આપ પ્રવૃત્ત થાવ ત્યારે મ્હારા સહવાસ વિના સ્વસ્થ રહી શકવાના નથી ને એવે કાળે આપની સર્વ ન્હાની ન્હાની વાતોની સંભાળ રાખવાને આપને કુમુદ જેવી સહચારિણી આવશ્યક છે. છતાં કુમુદના સહચારથી આપ જ્ઞાતિબહાર થશો, લોકની નિન્દાના પાત્ર થશો, ને આપે લોકને પ્હેરાવવા ધારેલી પુષ્પમાળાઓને લોક સર્પ જેવી ગણી ફેંકી નાંખશે. હું એવું ઇચ્છું છું કે આપ સંસારમાં પ્રકટપણે


यथा स्त्रीणां तथा वाचां साधुत्वे दुर्जनो जनः
यथा स्त्रीणां तथा वाचां साधुत्वे दुर्जनो जनः
​ર્‌હો ને લોકનું કલ્યાણ કરો – પણ મ્હારો સહવાસ આપે સ્વીકારવાથી
​ર્‌હો ને લોકનું કલ્યાણ કરો – પણ મ્હારો સહવાસ આપે સ્વીકારવાથી
એ વાત આપને નિષ્ફળ થશે ને મ્હારો સહવાસ ત્યજવાથી આપના મનનું સ્વાસ્થ્ય થવાનું નથી ને આપના વિના મ્હારી પોતાની દશાની તો વાત જ શી પુછવી ? મ્હારી ઇચ્છા એવી છે કે આપ ચન્દ્રકાંતભાઈ જોડે જઈ મુંબાઈમાં પ્રકટપણે ર્‌હો ને મ્હારા જેવી પણ અકલંકિત અખંડિત કોઈ અન્ય સહચારિણીને ભાગ્યશાળી કરો ને મ્હારા ક્ષુદ્ર દુષ્ટ શરીરને આ ગિરિરાજના ખડકોની કોઈ ઉંડી ખેામાં કે પેલા સમુદ્રમાં બહુ જ સમાસ મળશે ! મ્હારે માટે હવે સંસારમાં કોઈપણ સ્થાન ખાલી નથી ને મ્હારા શબને માટે કોઈ પણ સ્થાન ન્હાનું પડે એમ નથી. ઓ મ્હારા વ્હાલા ! હું કહું છું એ જ સત્ય છે ને સર્વને માટે કલ્યાણકારક છે. હું તમને છેલા પ્રણામ કરી લેવાની આજ્ઞા માગું છું ને ઉઠું છું. મ્હેં આપને ઘણા દુઃખી કર્યા છે તે સર્વથા ક્ષમા કરો એવા આપ ઉદાર છો. ઓ મ્હારા વ્હાલા – મને ઉઠવા દ્યો ! આ એક કામમાં મ્હારી છાતી ચાલે છે !
એ વાત આપને નિષ્ફળ થશે ને મ્હારો સહવાસ ત્યજવાથી આપના મનનું સ્વાસ્થ્ય થવાનું નથી ને આપના વિના મ્હારી પોતાની દશાની તો વાત જ શી પુછવી ? મ્હારી ઇચ્છા એવી છે કે આપ ચન્દ્રકાંતભાઈ જોડે જઈ મુંબાઈમાં પ્રકટપણે ર્‌હો ને મ્હારા જેવી પણ અકલંકિત અખંડિત કોઈ અન્ય સહચારિણીને ભાગ્યશાળી કરો ને મ્હારા ક્ષુદ્ર દુષ્ટ શરીરને આ ગિરિરાજના ખડકોની કોઈ ઉંડી ખેામાં કે પેલા સમુદ્રમાં બહુ જ સમાસ મળશે ! મ્હારે માટે હવે સંસારમાં કોઈપણ સ્થાન ખાલી નથી ને મ્હારા શબને માટે કોઈ પણ સ્થાન ન્હાનું પડે એમ નથી. ઓ મ્હારા વ્હાલા ! હું કહું છું એ જ સત્ય છે ને સર્વને માટે કલ્યાણકારક છે. હું તમને છેલા પ્રણામ કરી લેવાની આજ્ઞા માગું છું ને ઉઠું છું. મ્હેં આપને ઘણા દુઃખી કર્યા છે તે સર્વથા ક્ષમા કરો એવા આપ ઉદાર છો. ઓ મ્હારા વ્હાલા – મને ઉઠવા દ્યો ! આ એક કામમાં મ્હારી છાતી ચાલે છે !
18,450

edits

Navigation menu