સરસ્વતીચંદ્ર ભાગ ૪/દેશપ્રીતિનું મનોરાજ્ય.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 209: Line 209:
“અહંતા મમતા વિનાનું આર્યલોકનું સર્વ પ્રકારનું બન્ધુત્વ આપણી આ આર્યભૂમિમાં સર્વ સંસારમાં રેલાશે – અને કુમુદ ! મ્હારા દ્રવ્યસંચય અને આપણી અદ્વૈત વાસનાઓ આ મહાન્ સમારંભના પાયાને ચણશે – એ પાયામાં ઈંટ અને વજ્રલેપનું કર્મ કરશે, રખેને આ દાનશક્તિમાં ન્યૂનતા આવે, રખેને સ્થૂલસમાગમથી આપણને કોઈ જાતની સંતતિ થાય અને પુત્રયજ્ઞના ધર્મબન્ધનથી આ લોકયજ્ઞમાં અર્પવાની સામગ્રીમાંથી કંઈ પણ અંશ પુત્રાદિકને માટે રાખવો પડે ! રખેને લોકને અર્પવાનાં આપણાં આયુષ્યનો કોઈ પણ અંશ આપણા સ્થૂલધર્મમાં રોકવો પડે ! રખેને આપણી પૂર્ણાહુતિમાં કંઈ પણ સંકોચ રાખવો પડે – એ ભીતિથી આપણાં સૂક્ષ્મ જીવનનું આપણે સૂક્ષ્મ અદ્વૈત રચાયું છે તેમાં સ્થૂલ અદ્વૈત નહી ઉમેરીયે | પ્રિયતમ ! સૂક્ષ્મ હૃદયની પ્રિયતમ ! ત્હારું હૃદય મ્હારા હૃદયમાં આ રીતે પ્રાપ્ત થયું છે કે નહી તે કહી દે કે આપણે હરિ, કુન્તી, અને પાણડવો જેવા પાંચાલીના સપ્તાચલનું પૂજન કરવા નીકળીયે અને આપણું સૂક્ષ્મ લગ્ન સંપૂર્ણ થાય ! આપણાં આયુષ્યના એ સપ્તાચલની યાત્રામાં હું તને પગલે પગલે મ્હારા સામી અચલ ઉભી દેખું છું ! હું પણ ત્હારી સામે એવે જ પગલે ઉભો છું. મારી પાછળ પગલે પગલે તું આવે છે એને હું ત્હારી પાછળ પગલે પગલે સ્થિર પગલે આવું છું ! આપણાં પગલાં સાથે સાથે ઉપડે છે ! હું તને પગલે પગલે સાથે લેઉં છું ને તું આવે છે ! તું તેજરૂપ છે ને મ્હારા હૃદયરૂપી તેજને તું પ્રાપ્ત થાય છે ! [૧] પ્રિયતમા ! આયુષ્યની સહચારિણી ! આપણો શુદ્ધ સંપૂર્ણ વિવાહ થયો ! આપણે તેજરૂપ થઈ વરી ચુકયાં !”
“અહંતા મમતા વિનાનું આર્યલોકનું સર્વ પ્રકારનું બન્ધુત્વ આપણી આ આર્યભૂમિમાં સર્વ સંસારમાં રેલાશે – અને કુમુદ ! મ્હારા દ્રવ્યસંચય અને આપણી અદ્વૈત વાસનાઓ આ મહાન્ સમારંભના પાયાને ચણશે – એ પાયામાં ઈંટ અને વજ્રલેપનું કર્મ કરશે, રખેને આ દાનશક્તિમાં ન્યૂનતા આવે, રખેને સ્થૂલસમાગમથી આપણને કોઈ જાતની સંતતિ થાય અને પુત્રયજ્ઞના ધર્મબન્ધનથી આ લોકયજ્ઞમાં અર્પવાની સામગ્રીમાંથી કંઈ પણ અંશ પુત્રાદિકને માટે રાખવો પડે ! રખેને લોકને અર્પવાનાં આપણાં આયુષ્યનો કોઈ પણ અંશ આપણા સ્થૂલધર્મમાં રોકવો પડે ! રખેને આપણી પૂર્ણાહુતિમાં કંઈ પણ સંકોચ રાખવો પડે – એ ભીતિથી આપણાં સૂક્ષ્મ જીવનનું આપણે સૂક્ષ્મ અદ્વૈત રચાયું છે તેમાં સ્થૂલ અદ્વૈત નહી ઉમેરીયે | પ્રિયતમ ! સૂક્ષ્મ હૃદયની પ્રિયતમ ! ત્હારું હૃદય મ્હારા હૃદયમાં આ રીતે પ્રાપ્ત થયું છે કે નહી તે કહી દે કે આપણે હરિ, કુન્તી, અને પાણડવો જેવા પાંચાલીના સપ્તાચલનું પૂજન કરવા નીકળીયે અને આપણું સૂક્ષ્મ લગ્ન સંપૂર્ણ થાય ! આપણાં આયુષ્યના એ સપ્તાચલની યાત્રામાં હું તને પગલે પગલે મ્હારા સામી અચલ ઉભી દેખું છું ! હું પણ ત્હારી સામે એવે જ પગલે ઉભો છું. મારી પાછળ પગલે પગલે તું આવે છે એને હું ત્હારી પાછળ પગલે પગલે સ્થિર પગલે આવું છું ! આપણાં પગલાં સાથે સાથે ઉપડે છે ! હું તને પગલે પગલે સાથે લેઉં છું ને તું આવે છે ! તું તેજરૂપ છે ને મ્હારા હૃદયરૂપી તેજને તું પ્રાપ્ત થાય છે ! [૧] પ્રિયતમા ! આયુષ્યની સહચારિણી ! આપણો શુદ્ધ સંપૂર્ણ વિવાહ થયો ! આપણે તેજરૂપ થઈ વરી ચુકયાં !”


ૐ प्रतिपदसि प्रतिपदे त्वानुपदस्यनुपद त्वा संपदसि संपद तेजासि तेजसे त्वा ॥
ૐ प्रतिपदसि प्रतिपदे त्वानुपदस्यनुपद त्वा संपदसि संपद तेजासि तेजसे त्वा ॥
(સપ્તાચલપૂજનનો મંત્ર)
(સપ્તાચલપૂજનનો મંત્ર)
Line 218: Line 218:
“પુત્ર-વધૂ ! હું પાંચાલી તમારા યોગથી જાગૃત થઈ બોલું છું તે તમારા હૃદયમાં ઉતરો ! હું સર્વ ભારતવર્ષની શકિત છું, ભારતવર્ષની માતા છું ! મ્હારાં બાળક જેને પોતાના રાજાઓ અને મહારાજાએ ક્‌હે છે – તે માત્ર મ્હારાં સ્વપ્નોમાનાં પક્ષી છે ! જે લોક મ્હારી ચતુર્દિશામાંથી આવી મને અડકે છે ને , મ્હારાં બાળકનું મન્થન કરવા પ્રયત્ન કરે છે, જે લોક દેશપરદેશમાંથી આવી મ્હારા શરીર ઉપર સામ્રાજ્ય કરવાની વાસના રાખે છે, તે સર્વને મ્હારાં બાળકનું રૂપ આપી મોડી વ્હેલી મ્હારા સ્વામીની પર્ણકુટીમાં ઘોડીયામાં નાંખી હીંદોળા ખવડાવું છું ! આત્રેયી અનસૂયા દેવીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને બતાવેલો ચમત્કાર મ્હારા શરીરની વાસના રાખનાર સર્વ માનવીઓને, આજ સુધી મ્હેં બતાવ્યો છે ને બતાવીશ ! મ્હારા શુદ્ધ પતિ તે માત્ર પેલા પાંચ અમરવૃક્ષ પાંડવો છે ને તેનો ત્રાતા તે સર્વ લોકનો ત્રાતા જનાર્દન છે ! સુગ્રીવલોકના દેશમાંના મૂર્ખ દુર્યોધન ગમે તે બોલતા કરતા હશે, પણ એ કપિલોક તો માત્ર મ્હારા સ્વામીના રણરથ ઉપરના વિજવાહક છે ! મ્હારી કુખમાં જન્મેલાં સૂક્ષ્મ શક્તિવાળાં મ્હારાં બાળકો ! તમે આ દુર્યોધનને તેનું કર્તવ્ય શીખવતાં ડરશો નહીં ! તેની જાતિચેષ્ટા જોઈ અકળાશો નહી, પણ તેની સાથે સ્વતંત્રતાથી, ચતુરતાથી, શક્તિથી, અને સાધુતાથી વર્તી તેનામાં સુબુદ્ધિનો ઉદય કરજો ! તે લોકનો, હનૂમાન મ્હારા તમારા છત્રરૂપ ભીમસેનનો ભાઈ છે ને એની વાણીમાં ​બળ મુકે છે[૧], મ્હારા ચક્રવર્તી પતિ અર્જુનના રથ ઉપર કીર્તિધ્વજરૂપ થાય છે ને તેના શત્રુઓનો ધ્વંસ કરે છે ! અનસૂયા દેવી જેવી મ્હારી દેહલતામાંથી એ કપિને હું સ્તન્યપાન આપું છું તો અશ્વત્થામાને પણ આપું છું ! તો મ્હારે માથે કોઈ મનુષ્ય રાજા કે મહારાજા નથી ને મ્હારા શુદ્ધ સ્વરૂપના પતિ થવા ચારે યુગમાં ને ચોખુંટ પૃથ્વીમાં કોઈ મનુષ્યની કે પ્રજાની શક્તિ નથી. કાળ જે સર્વનો નાશ કરે છે ને સ્થૂલ શક્તિવાળા રાજાઓને અને મહારાજાઓને ટુંકાં સ્વપ્ન દેખાડે છે તેણે મ્હારે માથે અમરવૃક્ષ જેવા અમરપતિ મુકેલા છે તેની જ આણમાં ર્‌હેજો ! તેને જ શોધજો ! તેને જ માટે તપ તપજો ! ચિરંજીવોમાં ચિરજીવ ભગવાન્ જગત્તત્રાતા મ્હારા મહા૫રાક્રમી પતિઓનો પાલક છે તેનું જ દાસત્વ કરજો ! તમે સ્થૂલ સૃષ્ટિને માનશો માં ! તેમ સ્થૂલ સૃષ્ટિની અવગણના કરશે માં ! સ્થૂલ દેહને સમર્થ કરી તમારાં સૂક્ષ્મ સ્વરૂપને સાચવશો તો તેને દાસત્વ કે બન્ધન કાંઈ થવાનું નથી ! સ્થૂલરૂપે સર્વે આર્યોનું અને અનાર્યોનું બન્ધુત્વ સ્વીકારજો ! તમે મ્હારે પેટ જન્મ લીધો છે તે પૂર્વકાળના યવનો અને શકલોક તેમ આ કાળના મુસલમાનો અને ઇંગ્રેજો – એ સર્વેને મ્હેં, મ્હારા ઘરનાં પારણામાં બાળક કરી તમારાં ભાઈ બ્હેન કરી હીંદોળ્યાં છે અને હીંદોળવા માંડ્યાં છે તેમની સાથે નિષ્ફળ કોલાહલ અને ક્લેશ કરશો માં ! તમારી સર્વ આશાઓને પરિપાક આપી સફળ કરે એવો મ્હેં તમને સાથ આપ્યો છે તેમાંથી છુટા પડશો માં ! તમારી સૂક્ષ્મ સાધુ શક્તિઓ તમારા સાથીઓને અને અન્ય સંસારને સિદ્ધ કરી આપો ! તમારી સ્થૂલ શકિતઓને વધારજો પણ વધતાં વધતાં પરિબળથી કે દૈવબળથી હીન થાય કે ધ્વસ્ત થાય તો પણ ચંદન જેવા તમારા સૂક્ષ્મ સમર્થ સુગન્ધને ત્યજશો માં ને હૃદયને નિર્બળ કરશે માં ! ધર્મક્ષેત્રની ભૂમિમાં વસનારાં બાળક ! મોક્ષમાર્ગને પ્રત્યક્ષ કરનારા મહાત્માઓ ! તમારી ભૂમિને માથે દુ:ખની વૃષ્ટિ થાય તો બ્હીશો માં ! દુષ્ટ પ્રાણીઓની ગર્જનાઓથી કમ્પશો માં ! અનન્ય સૂક્ષ્મ શક્તિનો અને સમૃદ્ધિનાં દાયાદો ! મ્હારા સ્વામીઓની છાયામાં ચાલશો અને આપણા ચિરંજીવોની ધર્મસંભાવના કરશો તો તમારે માટે अमर शांति છે ! – એ શાંતિ તમારે માટે જ છે. તમારા ઋષિઓની તે અમરપુત્રી કુમારી રહી તમારું જ ભગિનીકૃત્ય કરે છે ને કરશે ! તમારાં હૃદય અને બુદ્ધિ સ્વતંત્ર છે તે સ્વતંત્ર રાખજો ! તમારો સાથ એ
“પુત્ર-વધૂ ! હું પાંચાલી તમારા યોગથી જાગૃત થઈ બોલું છું તે તમારા હૃદયમાં ઉતરો ! હું સર્વ ભારતવર્ષની શકિત છું, ભારતવર્ષની માતા છું ! મ્હારાં બાળક જેને પોતાના રાજાઓ અને મહારાજાએ ક્‌હે છે – તે માત્ર મ્હારાં સ્વપ્નોમાનાં પક્ષી છે ! જે લોક મ્હારી ચતુર્દિશામાંથી આવી મને અડકે છે ને , મ્હારાં બાળકનું મન્થન કરવા પ્રયત્ન કરે છે, જે લોક દેશપરદેશમાંથી આવી મ્હારા શરીર ઉપર સામ્રાજ્ય કરવાની વાસના રાખે છે, તે સર્વને મ્હારાં બાળકનું રૂપ આપી મોડી વ્હેલી મ્હારા સ્વામીની પર્ણકુટીમાં ઘોડીયામાં નાંખી હીંદોળા ખવડાવું છું ! આત્રેયી અનસૂયા દેવીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને બતાવેલો ચમત્કાર મ્હારા શરીરની વાસના રાખનાર સર્વ માનવીઓને, આજ સુધી મ્હેં બતાવ્યો છે ને બતાવીશ ! મ્હારા શુદ્ધ પતિ તે માત્ર પેલા પાંચ અમરવૃક્ષ પાંડવો છે ને તેનો ત્રાતા તે સર્વ લોકનો ત્રાતા જનાર્દન છે ! સુગ્રીવલોકના દેશમાંના મૂર્ખ દુર્યોધન ગમે તે બોલતા કરતા હશે, પણ એ કપિલોક તો માત્ર મ્હારા સ્વામીના રણરથ ઉપરના વિજવાહક છે ! મ્હારી કુખમાં જન્મેલાં સૂક્ષ્મ શક્તિવાળાં મ્હારાં બાળકો ! તમે આ દુર્યોધનને તેનું કર્તવ્ય શીખવતાં ડરશો નહીં ! તેની જાતિચેષ્ટા જોઈ અકળાશો નહી, પણ તેની સાથે સ્વતંત્રતાથી, ચતુરતાથી, શક્તિથી, અને સાધુતાથી વર્તી તેનામાં સુબુદ્ધિનો ઉદય કરજો ! તે લોકનો, હનૂમાન મ્હારા તમારા છત્રરૂપ ભીમસેનનો ભાઈ છે ને એની વાણીમાં ​બળ મુકે છે[૧], મ્હારા ચક્રવર્તી પતિ અર્જુનના રથ ઉપર કીર્તિધ્વજરૂપ થાય છે ને તેના શત્રુઓનો ધ્વંસ કરે છે ! અનસૂયા દેવી જેવી મ્હારી દેહલતામાંથી એ કપિને હું સ્તન્યપાન આપું છું તો અશ્વત્થામાને પણ આપું છું ! તો મ્હારે માથે કોઈ મનુષ્ય રાજા કે મહારાજા નથી ને મ્હારા શુદ્ધ સ્વરૂપના પતિ થવા ચારે યુગમાં ને ચોખુંટ પૃથ્વીમાં કોઈ મનુષ્યની કે પ્રજાની શક્તિ નથી. કાળ જે સર્વનો નાશ કરે છે ને સ્થૂલ શક્તિવાળા રાજાઓને અને મહારાજાઓને ટુંકાં સ્વપ્ન દેખાડે છે તેણે મ્હારે માથે અમરવૃક્ષ જેવા અમરપતિ મુકેલા છે તેની જ આણમાં ર્‌હેજો ! તેને જ શોધજો ! તેને જ માટે તપ તપજો ! ચિરંજીવોમાં ચિરજીવ ભગવાન્ જગત્તત્રાતા મ્હારા મહા૫રાક્રમી પતિઓનો પાલક છે તેનું જ દાસત્વ કરજો ! તમે સ્થૂલ સૃષ્ટિને માનશો માં ! તેમ સ્થૂલ સૃષ્ટિની અવગણના કરશે માં ! સ્થૂલ દેહને સમર્થ કરી તમારાં સૂક્ષ્મ સ્વરૂપને સાચવશો તો તેને દાસત્વ કે બન્ધન કાંઈ થવાનું નથી ! સ્થૂલરૂપે સર્વે આર્યોનું અને અનાર્યોનું બન્ધુત્વ સ્વીકારજો ! તમે મ્હારે પેટ જન્મ લીધો છે તે પૂર્વકાળના યવનો અને શકલોક તેમ આ કાળના મુસલમાનો અને ઇંગ્રેજો – એ સર્વેને મ્હેં, મ્હારા ઘરનાં પારણામાં બાળક કરી તમારાં ભાઈ બ્હેન કરી હીંદોળ્યાં છે અને હીંદોળવા માંડ્યાં છે તેમની સાથે નિષ્ફળ કોલાહલ અને ક્લેશ કરશો માં ! તમારી સર્વ આશાઓને પરિપાક આપી સફળ કરે એવો મ્હેં તમને સાથ આપ્યો છે તેમાંથી છુટા પડશો માં ! તમારી સૂક્ષ્મ સાધુ શક્તિઓ તમારા સાથીઓને અને અન્ય સંસારને સિદ્ધ કરી આપો ! તમારી સ્થૂલ શકિતઓને વધારજો પણ વધતાં વધતાં પરિબળથી કે દૈવબળથી હીન થાય કે ધ્વસ્ત થાય તો પણ ચંદન જેવા તમારા સૂક્ષ્મ સમર્થ સુગન્ધને ત્યજશો માં ને હૃદયને નિર્બળ કરશે માં ! ધર્મક્ષેત્રની ભૂમિમાં વસનારાં બાળક ! મોક્ષમાર્ગને પ્રત્યક્ષ કરનારા મહાત્માઓ ! તમારી ભૂમિને માથે દુ:ખની વૃષ્ટિ થાય તો બ્હીશો માં ! દુષ્ટ પ્રાણીઓની ગર્જનાઓથી કમ્પશો માં ! અનન્ય સૂક્ષ્મ શક્તિનો અને સમૃદ્ધિનાં દાયાદો ! મ્હારા સ્વામીઓની છાયામાં ચાલશો અને આપણા ચિરંજીવોની ધર્મસંભાવના કરશો તો તમારે માટે अमर शांति છે ! – એ શાંતિ તમારે માટે જ છે. તમારા ઋષિઓની તે અમરપુત્રી કુમારી રહી તમારું જ ભગિનીકૃત્ય કરે છે ને કરશે ! તમારાં હૃદય અને બુદ્ધિ સ્વતંત્ર છે તે સ્વતંત્ર રાખજો ! તમારો સાથ એ


૧. વનપર્વ અધ્યાય ૧૫૧ શ્લોક ૧૫–૧૮.
૧. વનપર્વ અધ્યાય ૧૫૧ શ્લોક ૧૫–૧૮.
​સ્વતંત્રતાનો પોષક છે, સૂક્ષ્મ મનુષ્યત્વવાળા તમ આર્યોને બીજું શું
​સ્વતંત્રતાનો પોષક છે, સૂક્ષ્મ મનુષ્યત્વવાળા તમ આર્યોને બીજું શું
જોઈએ ? આ ભૂમિના અમરવૃક્ષ થોડો કાળ દેવદુષ્કાળથી ફાલતા બંધ થયા છતાં આર્યોનાં હૃદયમાં તો વૃક્ષોનાં સૂક્ષ્મ થડ મૂળ સહિત - અમર છે ને તેનું સેવન કરશો તો તમને કોની ભીતિ છે ?” એ પરદેશનાં કે આ દેશનાં સ્થૂલ સત્ત્વો એ અમર વૃક્ષોના સ્થૂલ ભાગને કાપશે તેમ તેમ તેનાં સૂક્ષ્મ અમર મૂળ કાપ્યાં વધશે !”
જોઈએ ? આ ભૂમિના અમરવૃક્ષ થોડો કાળ દેવદુષ્કાળથી ફાલતા બંધ થયા છતાં આર્યોનાં હૃદયમાં તો વૃક્ષોનાં સૂક્ષ્મ થડ મૂળ સહિત - અમર છે ને તેનું સેવન કરશો તો તમને કોની ભીતિ છે ?” એ પરદેશનાં કે આ દેશનાં સ્થૂલ સત્ત્વો એ અમર વૃક્ષોના સ્થૂલ ભાગને કાપશે તેમ તેમ તેનાં સૂક્ષ્મ અમર મૂળ કાપ્યાં વધશે !”
18,450

edits

Navigation menu