ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/છિન્નપત્ર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
પણ મૂર્ત-અમૂર્તના આ વિકારશીલ juxtapositionને લેખકે, અંતે, બરાબરનું synchronize કરી આપ્યું છે, ને માલાની એક અત્યંત કરુણ ક્ષણને આકારીને કૃતિનું સમાપન કર્યું છે. જે ખંડમાં- ‘આંધળી ઓરડી’માં- અજયને આપણે પહેલા ટુકડામાં બેઠેલો-બોલતો જોઈએ-સાંભળીએ છીએ તે જ સ્થળવિશેષમાં, અજયની હાજરીમાં, અશોક જેવા એકદમ ચંચલ છીછરા પુરુષમિત્રને હાથે માલાનું શરીર ભોગવાતું બતાવીને લેખકે એની યાતનામાં પરાકાષ્ઠા આણી છે. માલા એ સમયે અજયનાં સંખ્યાબંધ સ્મરણોથી ભાવવિભોર બનેલી હતી અને મકાનમાંના અંતિમ સ્મરણઆલોકમાં ખોવાયેલી નિઃસ્તબ્ધ શૂન્ય હતી. તેવી ભાવમૂર્છનાની પળોમાં એનો આવો સ્થૂળ હ્રાસ અને પરાભવ, કરુણ તો છે જ; પણ ત્યાર પછીની ક્ષણે અજયનો જ શબ્દ આકાર લે છે–"My love, you yield, to absences. I will not return.’<ref>એજન, પૃ. ૮૬</ref> -તેમાં, કૃતિનું એક કલાત્મક અને પ્રાણવંત સમાપન પણ છે.
પણ મૂર્ત-અમૂર્તના આ વિકારશીલ juxtapositionને લેખકે, અંતે, બરાબરનું synchronize કરી આપ્યું છે, ને માલાની એક અત્યંત કરુણ ક્ષણને આકારીને કૃતિનું સમાપન કર્યું છે. જે ખંડમાં- ‘આંધળી ઓરડી’માં- અજયને આપણે પહેલા ટુકડામાં બેઠેલો-બોલતો જોઈએ-સાંભળીએ છીએ તે જ સ્થળવિશેષમાં, અજયની હાજરીમાં, અશોક જેવા એકદમ ચંચલ છીછરા પુરુષમિત્રને હાથે માલાનું શરીર ભોગવાતું બતાવીને લેખકે એની યાતનામાં પરાકાષ્ઠા આણી છે. માલા એ સમયે અજયનાં સંખ્યાબંધ સ્મરણોથી ભાવવિભોર બનેલી હતી અને મકાનમાંના અંતિમ સ્મરણઆલોકમાં ખોવાયેલી નિઃસ્તબ્ધ શૂન્ય હતી. તેવી ભાવમૂર્છનાની પળોમાં એનો આવો સ્થૂળ હ્રાસ અને પરાભવ, કરુણ તો છે જ; પણ ત્યાર પછીની ક્ષણે અજયનો જ શબ્દ આકાર લે છે–"My love, you yield, to absences. I will not return.’<ref>એજન, પૃ. ૮૬</ref> -તેમાં, કૃતિનું એક કલાત્મક અને પ્રાણવંત સમાપન પણ છે.
‘છિન્નપત્ર’માં અગાઉના પચાસ ટુકડાઓમાં અજયનું મનોવિશ્વ narrative addressની પદ્ધતિએ આલેખન પામે છે; ને એમાં માલા-લીલા અને તેમનાં રહસ્યો સાથેના અજયના સમ્બન્ધો, એનાં સ્વરૂપો અને ત્રણેયના વ્યક્તિત્વ પણ ઉપસ્યા કરે છે. આ સંબોધન ‘એક હતો રાજા ને તેને બે હતી રાણી પ્રકારે ગતસમયના એકમોને ક્રમબદ્ધ કહેનારું નથી– સ્મૃતિ અને ભૂતકાળની, અને કલ્પન-પ્રતીકથી વ્યક્ત થતી મનોસ્થિતિઓ, કે જેમાં વિચાર, ચિંતન, લાગણી વગેરે ઓતપ્રોત થઈ ગયાં છે, તેની સંકુલ ભાતો થતું સ્વૈર અને નિરાકાર છે. ચેતનાના વિવિધ સ્તરો પર જિવાતી આ સૃષ્ટિ એના વેદનશીલ સર્જક-નાયકની જ મનોભૂમિની લીલા છે ને તેથી સર્વથા નિર્વાહ છે. ‘છિન્નપત્ર’ને અજયના આ વિશિષ્ટ વ્યક્તિત્વના સંદર્ભમાં જ મુલવી શકાય.
‘છિન્નપત્ર’માં અગાઉના પચાસ ટુકડાઓમાં અજયનું મનોવિશ્વ narrative addressની પદ્ધતિએ આલેખન પામે છે; ને એમાં માલા-લીલા અને તેમનાં રહસ્યો સાથેના અજયના સમ્બન્ધો, એનાં સ્વરૂપો અને ત્રણેયના વ્યક્તિત્વ પણ ઉપસ્યા કરે છે. આ સંબોધન ‘એક હતો રાજા ને તેને બે હતી રાણી પ્રકારે ગતસમયના એકમોને ક્રમબદ્ધ કહેનારું નથી– સ્મૃતિ અને ભૂતકાળની, અને કલ્પન-પ્રતીકથી વ્યક્ત થતી મનોસ્થિતિઓ, કે જેમાં વિચાર, ચિંતન, લાગણી વગેરે ઓતપ્રોત થઈ ગયાં છે, તેની સંકુલ ભાતો થતું સ્વૈર અને નિરાકાર છે. ચેતનાના વિવિધ સ્તરો પર જિવાતી આ સૃષ્ટિ એના વેદનશીલ સર્જક-નાયકની જ મનોભૂમિની લીલા છે ને તેથી સર્વથા નિર્વાહ છે. ‘છિન્નપત્ર’ને અજયના આ વિશિષ્ટ વ્યક્તિત્વના સંદર્ભમાં જ મુલવી શકાય.
*
<center>*</center>
પ્રેમાનુભવમાં તથા પ્રકૃતિ કે સંસાર સાથેના તમામ સન્નિકર્ષોમાં જે કંઈ પણ જ્યારે transcendental ગોચર થાય ત્યારે તેને પકડીને શબ્દમાં મૂર્ત કરનારી સર્ગશક્તિ અજયમાં નોંધપાત્ર લક્ષણવિશેષ છે. અનુભૂતિની પાર જનારી એની મેધામાંથી જ અહીં માનુષ્યિક પ્રેમનું એક મૌલિક સ્વરૂપ સ્ફુર્યું છે. લેખકે એને સુન્દરમાં રૂપાન્તરીને ભાષામાં મૂકી આપ્યું છે.
પ્રેમાનુભવમાં તથા પ્રકૃતિ કે સંસાર સાથેના તમામ સન્નિકર્ષોમાં જે કંઈ પણ જ્યારે transcendental ગોચર થાય ત્યારે તેને પકડીને શબ્દમાં મૂર્ત કરનારી સર્ગશક્તિ અજયમાં નોંધપાત્ર લક્ષણવિશેષ છે. અનુભૂતિની પાર જનારી એની મેધામાંથી જ અહીં માનુષ્યિક પ્રેમનું એક મૌલિક સ્વરૂપ સ્ફુર્યું છે. લેખકે એને સુન્દરમાં રૂપાન્તરીને ભાષામાં મૂકી આપ્યું છે.
માલાના સઘળા રહસ્યની માયા, એની મર્મકાયાની ઓળખ – બધું, અજય માટે ‘જીવન’ બની ગયું છે. માલા પોતાના મર્મ માટે મમત્વ ધરાવતી થાય, એની વ્યક્તિમત્તાનું પૂરું દર્શન પ્રગટે, એ પોતે પોતાને પામે, એવી આશાથી અજય પરોવાયો છે. પણ એ પોતાના પ્રેમનું સ્વરૂપ જાણવા ઝંખે છે ત્યારે એના ‘અહં’ની ભૂમિકા પર અજય-માલાનું વિશ્વ ભારે બનવા માંડે છે – સાહજિકતાનો નાશ થવા માંડે છે. પણ અજયની દૃષ્ટિએ એમ થવું એ જ સહજ છે. લીલાની જેમ, અજય અથવા માલા અહંકારને નષ્ટ કરી શકતાં નથી, પણ ‘હું’ના વિલોપનમાં પ્રેમની વ્યાપ્તિ જરૂર જુએ છે – જો કે એ વ્યાપ્તિ તે શૂન્ય છે એમ માનતા અજયની જ નહિ, બલકે આ કદાચ, માનવ-નિયતિની જ કરુણતા છે, જેમાંથી છટકવાનો માર્ગ નથી. અજય પ્રેમની અસીમતા કે પૂર્ણતા જાતના વિગલનમાં જુએ છે ને માલા પાસે એવા જ સમર્પણની અપેક્ષા રાખે છે. જો કે એ બધું સહજતયા સંભવે તેમાં જ એને રસ છે. અજયનો પ્રેમ કોઈ બંધન કે ફાંસો નથી જે માલાને હંમેશને માટે ગ્રસી લે. ઊલટું સામેથી અજયે માલાના સમગ્ર વ્યક્તિત્વને અકબંધ રાખીને જ ચાલ્યા કર્યું છે : ‘પણ તારું એક સ્વતન્ત્ર અસ્તિત્વ છે. ગમે તેટલું મથીએ તો ય બીજાના અસ્તિત્વની આ પૃથક્તાને પૂરેપૂરી ભેદી શકાતી નથી કે નથી પોતાનું પૂરું વિગલન થઈ શકતું. જે આ પૃથક્તાના પાયા પર જ કંઈક ખરું કરી શકે તે સાચો.<ref>એજન, પૃ. ૫૭</ref> આમ અજય પાર્થક્ય ભૂંસી નાખનારો પ્રેમી નથી. તમામ ચીલાચાલુ નવલોના પ્રણય-પ્રેમ-પદાર્થથી અહીં ‘છિન્નપત્ર'નું પ્રેમવિશ્વ અને તેની મીમાંસા જુદાં પડી જાય છે, એટલે કે સમ્યક્‌રૂપમાં અહીં એના સ્વરૂપોને પામી શકીએ છીએ.
માલાના સઘળા રહસ્યની માયા, એની મર્મકાયાની ઓળખ – બધું, અજય માટે ‘જીવન’ બની ગયું છે. માલા પોતાના મર્મ માટે મમત્વ ધરાવતી થાય, એની વ્યક્તિમત્તાનું પૂરું દર્શન પ્રગટે, એ પોતે પોતાને પામે, એવી આશાથી અજય પરોવાયો છે. પણ એ પોતાના પ્રેમનું સ્વરૂપ જાણવા ઝંખે છે ત્યારે એના ‘અહં’ની ભૂમિકા પર અજય-માલાનું વિશ્વ ભારે બનવા માંડે છે – સાહજિકતાનો નાશ થવા માંડે છે. પણ અજયની દૃષ્ટિએ એમ થવું એ જ સહજ છે. લીલાની જેમ, અજય અથવા માલા અહંકારને નષ્ટ કરી શકતાં નથી, પણ ‘હું’ના વિલોપનમાં પ્રેમની વ્યાપ્તિ જરૂર જુએ છે – જો કે એ વ્યાપ્તિ તે શૂન્ય છે એમ માનતા અજયની જ નહિ, બલકે આ કદાચ, માનવ-નિયતિની જ કરુણતા છે, જેમાંથી છટકવાનો માર્ગ નથી. અજય પ્રેમની અસીમતા કે પૂર્ણતા જાતના વિગલનમાં જુએ છે ને માલા પાસે એવા જ સમર્પણની અપેક્ષા રાખે છે. જો કે એ બધું સહજતયા સંભવે તેમાં જ એને રસ છે. અજયનો પ્રેમ કોઈ બંધન કે ફાંસો નથી જે માલાને હંમેશને માટે ગ્રસી લે. ઊલટું સામેથી અજયે માલાના સમગ્ર વ્યક્તિત્વને અકબંધ રાખીને જ ચાલ્યા કર્યું છે : ‘પણ તારું એક સ્વતન્ત્ર અસ્તિત્વ છે. ગમે તેટલું મથીએ તો ય બીજાના અસ્તિત્વની આ પૃથક્તાને પૂરેપૂરી ભેદી શકાતી નથી કે નથી પોતાનું પૂરું વિગલન થઈ શકતું. જે આ પૃથક્તાના પાયા પર જ કંઈક ખરું કરી શકે તે સાચો.<ref>એજન, પૃ. ૫૭</ref> આમ અજય પાર્થક્ય ભૂંસી નાખનારો પ્રેમી નથી. તમામ ચીલાચાલુ નવલોના પ્રણય-પ્રેમ-પદાર્થથી અહીં ‘છિન્નપત્ર'નું પ્રેમવિશ્વ અને તેની મીમાંસા જુદાં પડી જાય છે, એટલે કે સમ્યક્‌રૂપમાં અહીં એના સ્વરૂપોને પામી શકીએ છીએ.
Line 21: Line 21:
‘જે આ ક્ષણે આંસુ બનવા જેટલું નિકટ આવે છે તે જ બીજી ક્ષણે દૂરનું નક્ષત્ર બનીને ચમકે છે.<ref>એજન, પૃ. ૩</ref> અજયની આ ઉક્તિમાં માનુષ્યિક પ્રેમની સ્થિતિ અને આદર્શ બેય વણાયાં છે. આખરે તો ‘છિન્નપત્ર’માં માનુષ્યિક પ્રેમનું ગૌરવ જ ગવાયું છે : અજયના નિર્ભ્રાન્ત પ્રેમભાવની અને માલાના કેન્દ્રસ્થ પ્રેમમર્મની રજૂઆતોમાં બળવત્તા છતાં નબળાઈ, શિખરો ચૂમતી ગરવાઈ છતાં ખાઈના અન્ધકારમાં ચૂપ એવી માણસતાનાં દર્શન થાય છે ને તેથી રચના સાહિત્યકૃતિની કક્ષાએ રહે છે. (આધુનિક સંદર્ભમાં થયેલી આ પ્રેમમીમાંસા ‘સરસ્વતીચન્દ્ર’ પછીનું લાંબા ગાળાનું એ વિશેનું સર્જનાત્મક ચિંતન છે. એના લેખકે જાણ્યે-અજાણ્યે પણ ‘સરસ્વતીચન્દ્ર’ જોડે સન્ધાન સાંધ્યું, તે એમને પોતાને ગમ્યું હશે?
‘જે આ ક્ષણે આંસુ બનવા જેટલું નિકટ આવે છે તે જ બીજી ક્ષણે દૂરનું નક્ષત્ર બનીને ચમકે છે.<ref>એજન, પૃ. ૩</ref> અજયની આ ઉક્તિમાં માનુષ્યિક પ્રેમની સ્થિતિ અને આદર્શ બેય વણાયાં છે. આખરે તો ‘છિન્નપત્ર’માં માનુષ્યિક પ્રેમનું ગૌરવ જ ગવાયું છે : અજયના નિર્ભ્રાન્ત પ્રેમભાવની અને માલાના કેન્દ્રસ્થ પ્રેમમર્મની રજૂઆતોમાં બળવત્તા છતાં નબળાઈ, શિખરો ચૂમતી ગરવાઈ છતાં ખાઈના અન્ધકારમાં ચૂપ એવી માણસતાનાં દર્શન થાય છે ને તેથી રચના સાહિત્યકૃતિની કક્ષાએ રહે છે. (આધુનિક સંદર્ભમાં થયેલી આ પ્રેમમીમાંસા ‘સરસ્વતીચન્દ્ર’ પછીનું લાંબા ગાળાનું એ વિશેનું સર્જનાત્મક ચિંતન છે. એના લેખકે જાણ્યે-અજાણ્યે પણ ‘સરસ્વતીચન્દ્ર’ જોડે સન્ધાન સાંધ્યું, તે એમને પોતાને ગમ્યું હશે?
{{Poem2Close}}
{{Poem2Close}}
 
<center>***</center>
{{reflist}}


<br>
<br>
18,450

edits