ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ નભુભાઈ દ્વિવેદી/તત્ત્વમસિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''તત્ત્વમસિ'''}} ---- {{Poem2Open}} છાંદોગ્યોપનિષદ્‌માં આવો ઇતિહાસ છે. આરુણે...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''તત્ત્વમસિ'''}}
{{SetTitle}}
----
{{Heading|તત્ત્વમસિ | મણિલાલ નભુભાઈ દ્વિવેદી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
છાંદોગ્યોપનિષદ્‌માં આવો ઇતિહાસ છે. આરુણેય શ્વેતકેતુ પિતાની આજ્ઞાથી બાર વર્ષ બ્રહ્મચર્ય વસી મહાવિદ્વાન્ થઈ પોતાને પંડિત માનતો થયો. અભિમાનપૂર્ણ અને ઉદ્ધત થઈ સમાવર્તન પામ્યો. તેને, વિદ્યાથી વિનીતને સ્થાને ઉદ્ધત થયેલો જોઈ, પિતાએ પ્રશ્ન કર્યું: ‘તે આદેશ તારા જાણવામાં છે? જેથી અશ્રુતનું શ્રવણ થાય, અદૃષ્ટનું દર્શન થાય, અમતનું મનન થાય?’ શ્વેતકેતુ તો દૃષ્ટના દર્શનની, શ્રુતના શ્રવણની વિદ્યા જ ભણ્યો હતો, ઇંદ્રિયોથી જેનો સંસર્ગ ન થાય, મનથી જેનું ગ્રહણ ન થાય, તેવા કોઈ પ્રદેશને સમજતો ન હતો. વિજ્ઞાન અને તર્કથી કોઈ પણ વાત અગમ્ય છે, અથવા વિજ્ઞાન અને તર્ક જેટલું સિદ્ધ કરી શક્યાં છે તે કરતાં અન્ય જ્ઞાનનો અવકાશ છે, એમ તે માનતો નહતો. છતાં વર્તમાન સમયના પદાર્થવિજ્ઞાનથી પ્રમત્ત અને તર્ક માત્રની જાલમાં સંતુષ્ટ શ્રોતાના જેવો અશ્રદ્ધાવાન ન હતો. પિતા કહેનાર ત્યાં અશ્રદ્ધા સંભવે જ નહિ. પિતાના વચનનું ‘અદૃષ્ટ તે કેમ દેખાય?’ એવું અભિમાન અને ઉપહાસગર્ભિત ઉત્તર ન નીકળતાં એ જ ઉત્તર નીકળ્યું ‘ભગવન્ એ આદેશ કેવો છે?’ પિતાએ તો એનું નામ જ ‘આદેશ, કહેલું છે. એક આજ્ઞા માત્ર, વચન માત્ર શબ્દ માત્ર કહેવાનો છે એમ જણાવી દીધેલું છે. પુત્રને વિદ્યાથી સ્તબ્ધ જોતાં, તેનામાં વિદ્યાની પારનું જ્ઞાન આવ્યું છે કે નહિ, આવ્યું હશે તો તુરત ‘આદેશ’ એ શબ્દનું રહસ્ય સમજી સામો તેવો જ અનુભવસૂચક શબ્દ ઉચ્ચારશે, એવા આશયથી પિતાનું પ્રશ્ન છે. બ્રહ્મજ્ઞાન કોઈ વસ્તુ, પદાર્થ કે ચિહ્ન નથી, વચન માત્રથી જ, શબ્દ માત્રથી જ, સૂચન કરાય તેવું છે, એટલે પ્રતિવચન કેવું આવે છે તે જોવા જ પિતાનું પ્રશ્ન છે. આમ હોવાથી, પુત્રને, અતિશય સ્તબ્ધ છતાં પણ, ‘ભગવન્! એ આદેશ કેવો છે?’ એવા અતિ વિનીત નમ્રભાવથી, અજ્ઞાનનો સ્વીકાર કરી જ્ઞાનને પ્રાર્થતો જોઈ પિતા થોડાંક દૃષ્ટાંતથી જ પુત્રને બોધ કરે છે. જેમ મૃત્તિકાનો સાક્ષાત્કાર થયો કે મૃત્તિકાનાં જે જે નામરૂપ છે તેનો પણ થયો જ, એમ એકજ્ઞાનથી સર્વજ્ઞાનનો એ આદેશ છે. એવાં જ સુવર્ણ. લોહ, આદિ દૃષ્ટાન્તથી પણ ચેતાવે છે. એટલાથી શિષ્યને બોધ થતો નથી, બહુ બહુ ભેદમય નાનાત્વરૂપ જાલરૂપે વિસ્તરેલાં શાસ્ત્રોનો તેને પરિચય અને વિશ્વાસ છે; તેથી તેવા જ નાનાત્વરૂપ વાગ્વિસ્તારે કરી સૃષ્ટિનો ક્રમ કહે છે, અને તત્ત્વોનું એકએકમાં વિલય થવું સમજાવતે સમજાવતે નાનાત્વનો એકત્વમાં વિલોપ કરવાનું, નાનાત્વનો અધ્યારોપ કરી એકત્વે તેનો અપવાદ કરવાનું, શિખવે છે. પૃથ્વીથી અપ્, અપ્‌થી તેજ, તેજથી સત, એમ મૂલ શોધતે શોધતે સન્માત્રમાં સર્વ નાનાત્વને એકત્ર કરી આપે છે અને નાનાત્વ માત્રથી વિમુક્ત છતાં સર્વ નાનાત્વનું નિર્વાહ જે સત્ તેનું ભાન કરાવે છે. મન, વાણી, ઇંદ્રિય તેના જે જે નિયમો છે, તેનાં જે જે શાસ્ત્ર છે, તેનાં જે જે સત્ય છે, તેમાંનું એ સત્ કાંઈએ નથી. એ બધાંમાં જે સ્થૂલતા આરોપીને વસ્તુ વિચારાદિ દર્શાવાય છે તે તે સ્થૂલતાનો અપવાદ કરતાં જે અવશેષ રહે તે રૂપે એ સત્ મન, વાણી, ઇંદ્રિય અને તેનાં કાર્ય એ સર્વે છે. આવો અબેદ જણાવવા સમષ્ટિગત અભેદ દર્શાવી, વ્યષ્ટિગત અભેદ દર્શાવે છે, તે પુરુષ જે વ્યષ્ટિચૈતન્ય તેની વાણીનો મનમાં, મનનો પ્રાણમાં, પ્રાણનો તેજમાં, તેજનો પરદેવતામાં વિલય દર્શાવે છે. અને છેવટ વ્યષ્ટિસમષ્ટિનો અભેદ અનુભવવા, આ વ્યષ્ટિરૂપ સત્ છે, એમ કહેતાં શ્વેતકેતુને પ્રત્યક્ષ કરાવી દે છે કે એ જે મનોવાગતીત સત્ તે જ તું છે: तत्त्वमसि.
છાંદોગ્યોપનિષદ્‌માં આવો ઇતિહાસ છે. આરુણેય શ્વેતકેતુ પિતાની આજ્ઞાથી બાર વર્ષ બ્રહ્મચર્ય વસી મહાવિદ્વાન્ થઈ પોતાને પંડિત માનતો થયો. અભિમાનપૂર્ણ અને ઉદ્ધત થઈ સમાવર્તન પામ્યો. તેને, વિદ્યાથી વિનીતને સ્થાને ઉદ્ધત થયેલો જોઈ, પિતાએ પ્રશ્ન કર્યું: ‘તે આદેશ તારા જાણવામાં છે? જેથી અશ્રુતનું શ્રવણ થાય, અદૃષ્ટનું દર્શન થાય, અમતનું મનન થાય?’ શ્વેતકેતુ તો દૃષ્ટના દર્શનની, શ્રુતના શ્રવણની વિદ્યા જ ભણ્યો હતો, ઇંદ્રિયોથી જેનો સંસર્ગ ન થાય, મનથી જેનું ગ્રહણ ન થાય, તેવા કોઈ પ્રદેશને સમજતો ન હતો. વિજ્ઞાન અને તર્કથી કોઈ પણ વાત અગમ્ય છે, અથવા વિજ્ઞાન અને તર્ક જેટલું સિદ્ધ કરી શક્યાં છે તે કરતાં અન્ય જ્ઞાનનો અવકાશ છે, એમ તે માનતો નહતો. છતાં વર્તમાન સમયના પદાર્થવિજ્ઞાનથી પ્રમત્ત અને તર્ક માત્રની જાલમાં સંતુષ્ટ શ્રોતાના જેવો અશ્રદ્ધાવાન ન હતો. પિતા કહેનાર ત્યાં અશ્રદ્ધા સંભવે જ નહિ. પિતાના વચનનું ‘અદૃષ્ટ તે કેમ દેખાય?’ એવું અભિમાન અને ઉપહાસગર્ભિત ઉત્તર ન નીકળતાં એ જ ઉત્તર નીકળ્યું ‘ભગવન્ એ આદેશ કેવો છે?’ પિતાએ તો એનું નામ જ ‘આદેશ, કહેલું છે. એક આજ્ઞા માત્ર, વચન માત્ર શબ્દ માત્ર કહેવાનો છે એમ જણાવી દીધેલું છે. પુત્રને વિદ્યાથી સ્તબ્ધ જોતાં, તેનામાં વિદ્યાની પારનું જ્ઞાન આવ્યું છે કે નહિ, આવ્યું હશે તો તુરત ‘આદેશ’ એ શબ્દનું રહસ્ય સમજી સામો તેવો જ અનુભવસૂચક શબ્દ ઉચ્ચારશે, એવા આશયથી પિતાનું પ્રશ્ન છે. બ્રહ્મજ્ઞાન કોઈ વસ્તુ, પદાર્થ કે ચિહ્ન નથી, વચન માત્રથી જ, શબ્દ માત્રથી જ, સૂચન કરાય તેવું છે, એટલે પ્રતિવચન કેવું આવે છે તે જોવા જ પિતાનું પ્રશ્ન છે. આમ હોવાથી, પુત્રને, અતિશય સ્તબ્ધ છતાં પણ, ‘ભગવન્! એ આદેશ કેવો છે?’ એવા અતિ વિનીત નમ્રભાવથી, અજ્ઞાનનો સ્વીકાર કરી જ્ઞાનને પ્રાર્થતો જોઈ પિતા થોડાંક દૃષ્ટાંતથી જ પુત્રને બોધ કરે છે. જેમ મૃત્તિકાનો સાક્ષાત્કાર થયો કે મૃત્તિકાનાં જે જે નામરૂપ છે તેનો પણ થયો જ, એમ એકજ્ઞાનથી સર્વજ્ઞાનનો એ આદેશ છે. એવાં જ સુવર્ણ. લોહ, આદિ દૃષ્ટાન્તથી પણ ચેતાવે છે. એટલાથી શિષ્યને બોધ થતો નથી, બહુ બહુ ભેદમય નાનાત્વરૂપ જાલરૂપે વિસ્તરેલાં શાસ્ત્રોનો તેને પરિચય અને વિશ્વાસ છે; તેથી તેવા જ નાનાત્વરૂપ વાગ્વિસ્તારે કરી સૃષ્ટિનો ક્રમ કહે છે, અને તત્ત્વોનું એકએકમાં વિલય થવું સમજાવતે સમજાવતે નાનાત્વનો એકત્વમાં વિલોપ કરવાનું, નાનાત્વનો અધ્યારોપ કરી એકત્વે તેનો અપવાદ કરવાનું, શિખવે છે. પૃથ્વીથી અપ્, અપ્‌થી તેજ, તેજથી સત, એમ મૂલ શોધતે શોધતે સન્માત્રમાં સર્વ નાનાત્વને એકત્ર કરી આપે છે અને નાનાત્વ માત્રથી વિમુક્ત છતાં સર્વ નાનાત્વનું નિર્વાહ જે સત્ તેનું ભાન કરાવે છે. મન, વાણી, ઇંદ્રિય તેના જે જે નિયમો છે, તેનાં જે જે શાસ્ત્ર છે, તેનાં જે જે સત્ય છે, તેમાંનું એ સત્ કાંઈએ નથી. એ બધાંમાં જે સ્થૂલતા આરોપીને વસ્તુ વિચારાદિ દર્શાવાય છે તે તે સ્થૂલતાનો અપવાદ કરતાં જે અવશેષ રહે તે રૂપે એ સત્ મન, વાણી, ઇંદ્રિય અને તેનાં કાર્ય એ સર્વે છે. આવો અબેદ જણાવવા સમષ્ટિગત અભેદ દર્શાવી, વ્યષ્ટિગત અભેદ દર્શાવે છે, તે પુરુષ જે વ્યષ્ટિચૈતન્ય તેની વાણીનો મનમાં, મનનો પ્રાણમાં, પ્રાણનો તેજમાં, તેજનો પરદેવતામાં વિલય દર્શાવે છે. અને છેવટ વ્યષ્ટિસમષ્ટિનો અભેદ અનુભવવા, આ વ્યષ્ટિરૂપ સત્ છે, એમ કહેતાં શ્વેતકેતુને પ્રત્યક્ષ કરાવી દે છે કે એ જે મનોવાગતીત સત્ તે જ તું છે: तत्त्वमसि.

Navigation menu