ટોળાં અવાજ ઘોઘાટ/૩૦ -અજનબી અગેાચર આંતરિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 21: Line 21:
જાનરાયજીના મંદિરમાં રામનવમીના કોઈ દિવસે બપોરે ખેડૂતવૃંદ તાલબદ્ધ ઊછળતું, દાંડિયા સાથે, ગાય છે ગોળાકાર, આ અત્યારે પણ જાણે, પ્રત્યક્ષ.
જાનરાયજીના મંદિરમાં રામનવમીના કોઈ દિવસે બપોરે ખેડૂતવૃંદ તાલબદ્ધ ઊછળતું, દાંડિયા સાથે, ગાય છે ગોળાકાર, આ અત્યારે પણ જાણે, પ્રત્યક્ષ.


રાજા દશરથ ઘેર સૈં વર રચિયો, પરણે રાજકુમારી મારા વાલા.
'''રાજા દશરથ ઘેર સૈં વર રચિયો, પરણે રાજકુમારી મારા વાલા.'''
ગામમાં એક ચીંથરેહાલ ગાંડો. એનું નામ પડી ગયેલું ‘ટીંટોડો.’ એ ભરબજારમાં ઊભો રહીને, સાભિનય, લયબદ્ધ ગાતો હોય :
ગામમાં એક ચીંથરેહાલ ગાંડો. એનું નામ પડી ગયેલું ‘ટીંટોડો.’ એ ભરબજારમાં ઊભો રહીને, સાભિનય, લયબદ્ધ ગાતો હોય :


એક પચી વરહનો ટેંટોડો, ઈના મોંમાં દૂધિયા દાંત, બોલે ટેંટોડો.
'''એક પચી વરહનો ટેંટોડો, ઈના મોંમાં દૂધિયા દાંત, બોલે ટેંટોડો.'''


નામ હશે દામજી ? દામલો, હરિજનનો રૂપાળો છોકરો. મોટી બે આંખ્યુંમાં આંજણ આંજ્યાં હોય, બે ચોટલા લીધા હોય. બૈરાનાં કપડાં પહેરી મેળામાં હાર્મોનિયમ સાથે ગાતો હોય. ‘કુદરતી’ નાટકમાં આ દામલો ‘દેવાંશી’ બનીને આવ્યો છે.
નામ હશે દામજી ? દામલો, હરિજનનો રૂપાળો છોકરો. મોટી બે આંખ્યુંમાં આંજણ આંજ્યાં હોય, બે ચોટલા લીધા હોય. બૈરાનાં કપડાં પહેરી મેળામાં હાર્મોનિયમ સાથે ગાતો હોય. ‘કુદરતી’ નાટકમાં આ દામલો ‘દેવાંશી’ બનીને આવ્યો છે.
આ બધાંને અનિમેષ જોયાં છે અને એક્કાને સાંભળ્યાં છે. એમના શબ્દલયોના તંતુએ તંતુએ મારી લયચેતનાનાં રેશમ વણાયાં છે. ગામડે ગામડે ફરતી દેશી નાટક કંપનીઓ, શામન બંસીવાલા નંદલાલા શીરી ગોકુલકા ઉજિયાલા-ની મથુરાથી આવતા ચોબાઓની કૃષ્ણલીલાઓ, કથા-કીર્તનકારો, મેળામાં કોળી ઠાકરડાઓના રાહડા, ભજનો, ગરબા, ગરબી, બ્રાહ્મણોના મંત્રોચ્ચારો, મોળાકત વગેરે વ્રતો કરતી બાળાઓનાં ગીતો, બાવા-મદારી-જાદુગર-બજાણિયા-ફકીર વગેરેના પદ્યગદ્યના લયલહેકાઓ-આવું આવું અપરિસંખ્યેય હશે મારી લયચેતનાના વસ્ત્રવણાટમાં, જે આરંભાયું હશે ઘોડિયામાં, બાના વહાલભર્યા મીઠા કંઠથી :
આ બધાંને અનિમેષ જોયાં છે અને એક્કાને સાંભળ્યાં છે. એમના શબ્દલયોના તંતુએ તંતુએ મારી લયચેતનાનાં રેશમ વણાયાં છે. ગામડે ગામડે ફરતી દેશી નાટક કંપનીઓ, શામન બંસીવાલા નંદલાલા શીરી ગોકુલકા ઉજિયાલા-ની મથુરાથી આવતા ચોબાઓની કૃષ્ણલીલાઓ, કથા-કીર્તનકારો, મેળામાં કોળી ઠાકરડાઓના રાહડા, ભજનો, ગરબા, ગરબી, બ્રાહ્મણોના મંત્રોચ્ચારો, મોળાકત વગેરે વ્રતો કરતી બાળાઓનાં ગીતો, બાવા-મદારી-જાદુગર-બજાણિયા-ફકીર વગેરેના પદ્યગદ્યના લયલહેકાઓ-આવું આવું અપરિસંખ્યેય હશે મારી લયચેતનાના વસ્ત્રવણાટમાં, જે આરંભાયું હશે ઘોડિયામાં, બાના વહાલભર્યા મીઠા કંઠથી :


હલુલુલુ  હાલવાલ રે ભઈ મારો પારણિયામાં પોઢ્યો,
'''હલુલુલુ  હાલવાલ રે ભઈ મારો પારણિયામાં પોઢ્યો,'''
ખીચડી ખાલમાલ રે ભઈ મારો પારણિયામાં પોઢ્યો.
'''ખીચડી ખાલમાલ રે ભઈ મારો પારણિયામાં પોઢ્યો.'''


ગામના ગ્રંથાલયમાં એક માત્ર કાવ્યગ્રંથ,ક ‘કલાપીનો કેકારવ’, જાણે મારા માટે જ. બાકી ‘સાહિત્યપલ્લવ’ના શાળામાં ચાલતા ખંડો. નવમા ધોરણમાં અમદાવાદ આવ્યો. શ્રી ભારતી વિદ્યાલય (ખાડિયા)માં અઢળક સામયિકો આવે. ‘કુમાર’ અને ‘સંસ્કૃતિ’, સાદ્યંત વંચાઈ જાય. નવમા ધોરણમાં હતો ત્યારે મારું એક કાવ્ય ‘રમકડું’માં પ્રકટ થયેલું. તેના પુરસ્કારના ત્રણેક રૂપિયા આવેલા તેમાંથી, ફરી બાઈન્ડ કરેલું, વિદ્યાર્થીનું નામ-નોંધ –લીટીવાળું એક પુસ્તક ખરીદ્યું, ‘નિશીથ’, તે ખાસ રોમાંચક ઘટના. પ્રથમ પુરસ્કારમાંથી કરેલી ખરીદી. વાપરવા મળતા પૈસામાંથી એ વખતે દર શુક્રવારે લાલદરવાજાના મયદાનમાં ભરાતી ગુજરીમાંથી ‘કુમાર’ ‘સંસ્કૃતિ’, ‘કૌમુદી’ એવાં એવાં સામયિકો નિયમિત ખરીદતો. ‘કુમાર’ની તો એક વડીલ પાસેથી, વ્યવસ્થિત બાંધેલી, જૂની ફાઈલ્સ વાંચવા મળી ગઈ. દશમા કે અગિયારમા ધોરણમાં હતો ત્યારે બચુભાઈએ ‘કવિતા’ના અનિયતકાલિક મણકા શરુ કરેલા તે કાર્યાલયમાં જઈ છૂટક ખરીદતો. કાવ્યો તો રોજ લખાતાં પણ ‘બુધસભા’માં જવાની હિંમત ન હતી. પાંચકૂવા પાસેની એક લાઈબ્રેરી, મણિનગરમાં રામકૃષ્ણ આશ્રમની લાઈબ્રેરી અને એમ.જે. લાઈબ્રેરીમાંથી કાવ્યસંગ્રહો વંચાતા રહે. અક્ષરમેળ અને માત્રામેળ છંદો ગુરુ વિના ઉકેલવાના પરિતાપમાં કલાકો સુધી પિંગળનાં પુસ્તકો જે કંઈ પ્રાપ્ય તેમાં ગોથાં માર્યાં કરું. કોલેજમાં પ્રવેશ્યા પછી ‘ગુજરાત કોલેજ’ની લાઈબ્રેરીમાં કાવ્યગ્રંથોનો ખજાનો મળ્યો. વળી મિત્રો મળી ગયા, ગ્રેટ. પ્રથમ મળ્યા શ્રી અબ્દુલકરીમ શેખ, એક જ વર્ગમાં. સેન્સિટિવ, સુંદર માણસ. સરસ છંદોબદ્ધ કવિતા લખે. મનુષ્યના આંતરબાહ્યનાં સુક્ષ્મ વર્ણનો કરતી વાર્તાઓ લખે, ઉત્તમ બધું વાંચે. સાથે ‘નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ’ને એવું ઘણું બધું વાંચ્યાનું સ્મરણ છે. બીજા મળ્યા શ્રી રાધેશ્યામ શર્મા. એ વખતે પણ સિદ્ધ લેખક જેવા. વર્ગમાં પણ માથું ઝુકાવી કંઈ ને કંઈ સડસડાટ વાંચ્યા કરતા હોય અને પુસ્તકોમાં અધોરેખાઓ આંકતા હોય. ઉપરા-ઉપરી વાર્તાઓ લખીને લાવે. પ્રેમથી છલકતું વ્યક્તિત્વ. નાનામાં નાના ખૂણા-ખાંચરાના માણસોને નજીક જઈને ચાહી શકે, પામી શકે એવી અજિબ સરલતા; અને છતાં કળાકારમાં હોય તેવી આંતરિક સંકુલતાઓથી સભર, રાધેશ્યામ. ત્રીજા મિત્ર મળ્યા તે મૂર્તિમંત ભાવોદ્રેક શ્રી રતિલાલ દવે. છંદોબદ્ધ સુંદર, ભાવમય કાવ્યોથી છલકતી કાવ્યપોથીઓ. એક કાવ્ય તો ‘કુમાર’માં છપાઈ પણ ગયેલું. બધા નિતાંત ‘લીટરરી’ રસવાળા. સોબતનાં એ વર્ષો, કાવ્યગોષ્ઠિની મસ્તીનાં સઘન વર્ષો હતાં.
ગામના ગ્રંથાલયમાં એક માત્ર કાવ્યગ્રંથ,ક ‘કલાપીનો કેકારવ’, જાણે મારા માટે જ. બાકી ‘સાહિત્યપલ્લવ’ના શાળામાં ચાલતા ખંડો. નવમા ધોરણમાં અમદાવાદ આવ્યો. શ્રી ભારતી વિદ્યાલય (ખાડિયા)માં અઢળક સામયિકો આવે. ‘કુમાર’ અને ‘સંસ્કૃતિ’, સાદ્યંત વંચાઈ જાય. નવમા ધોરણમાં હતો ત્યારે મારું એક કાવ્ય ‘રમકડું’માં પ્રકટ થયેલું. તેના પુરસ્કારના ત્રણેક રૂપિયા આવેલા તેમાંથી, ફરી બાઈન્ડ કરેલું, વિદ્યાર્થીનું નામ-નોંધ –લીટીવાળું એક પુસ્તક ખરીદ્યું, ‘નિશીથ’, તે ખાસ રોમાંચક ઘટના. પ્રથમ પુરસ્કારમાંથી કરેલી ખરીદી. વાપરવા મળતા પૈસામાંથી એ વખતે દર શુક્રવારે લાલદરવાજાના મયદાનમાં ભરાતી ગુજરીમાંથી ‘કુમાર’ ‘સંસ્કૃતિ’, ‘કૌમુદી’ એવાં એવાં સામયિકો નિયમિત ખરીદતો. ‘કુમાર’ની તો એક વડીલ પાસેથી, વ્યવસ્થિત બાંધેલી, જૂની ફાઈલ્સ વાંચવા મળી ગઈ. દશમા કે અગિયારમા ધોરણમાં હતો ત્યારે બચુભાઈએ ‘કવિતા’ના અનિયતકાલિક મણકા શરુ કરેલા તે કાર્યાલયમાં જઈ છૂટક ખરીદતો. કાવ્યો તો રોજ લખાતાં પણ ‘બુધસભા’માં જવાની હિંમત ન હતી. પાંચકૂવા પાસેની એક લાઈબ્રેરી, મણિનગરમાં રામકૃષ્ણ આશ્રમની લાઈબ્રેરી અને એમ.જે. લાઈબ્રેરીમાંથી કાવ્યસંગ્રહો વંચાતા રહે. અક્ષરમેળ અને માત્રામેળ છંદો ગુરુ વિના ઉકેલવાના પરિતાપમાં કલાકો સુધી પિંગળનાં પુસ્તકો જે કંઈ પ્રાપ્ય તેમાં ગોથાં માર્યાં કરું. કોલેજમાં પ્રવેશ્યા પછી ‘ગુજરાત કોલેજ’ની લાઈબ્રેરીમાં કાવ્યગ્રંથોનો ખજાનો મળ્યો. વળી મિત્રો મળી ગયા, ગ્રેટ. પ્રથમ મળ્યા શ્રી અબ્દુલકરીમ શેખ, એક જ વર્ગમાં. સેન્સિટિવ, સુંદર માણસ. સરસ છંદોબદ્ધ કવિતા લખે. મનુષ્યના આંતરબાહ્યનાં સુક્ષ્મ વર્ણનો કરતી વાર્તાઓ લખે, ઉત્તમ બધું વાંચે. સાથે ‘નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ’ને એવું ઘણું બધું વાંચ્યાનું સ્મરણ છે. બીજા મળ્યા શ્રી રાધેશ્યામ શર્મા. એ વખતે પણ સિદ્ધ લેખક જેવા. વર્ગમાં પણ માથું ઝુકાવી કંઈ ને કંઈ સડસડાટ વાંચ્યા કરતા હોય અને પુસ્તકોમાં અધોરેખાઓ આંકતા હોય. ઉપરા-ઉપરી વાર્તાઓ લખીને લાવે. પ્રેમથી છલકતું વ્યક્તિત્વ. નાનામાં નાના ખૂણા-ખાંચરાના માણસોને નજીક જઈને ચાહી શકે, પામી શકે એવી અજિબ સરલતા; અને છતાં કળાકારમાં હોય તેવી આંતરિક સંકુલતાઓથી સભર, રાધેશ્યામ. ત્રીજા મિત્ર મળ્યા તે મૂર્તિમંત ભાવોદ્રેક શ્રી રતિલાલ દવે. છંદોબદ્ધ સુંદર, ભાવમય કાવ્યોથી છલકતી કાવ્યપોથીઓ. એક કાવ્ય તો ‘કુમાર’માં છપાઈ પણ ગયેલું. બધા નિતાંત ‘લીટરરી’ રસવાળા. સોબતનાં એ વર્ષો, કાવ્યગોષ્ઠિની મસ્તીનાં સઘન વર્ષો હતાં.
Line 36: Line 36:
શબ્દને, લયને, અર્થને તલ્લીનતાથી પામ્યો છું શૈશવમાં, કિશોરાવસ્થામાં, યુવાનવસ્થામાં જેમ, તેમ ક્રમશઃ તિરાડો પણ એમાં સમાન્તર પડતી રહી છે. એકડિયા-બગડિયામાં સાથે ભણતાં હરિજનોનાં એકલ-દોકલ બાળકોને ગાભા જેવા પાથરણા પર અલગ, ખૂણામાં, તિરસ્કૃત દશામાં માંડ બે ચોપડી ભણતાં જોયાં છે. પાણી પાનારી કોળી બાઈ પણ બધા છોકરા પાણી પી લે પછી હરિજનનાં બાળકોને ધિક્કારી ધિક્કારી હડધૂત કરી ખૂબ આઘે-ઊંચેથી પાણી રેડે. મેલું ઉપાડતા હરિજનોને હડધૂત કરતા ઘરના-બહારના વડીલોને, બ્રાહ્મણ-વાણિયા પટેલોને, રોષથી જોતો થયો છું. એમની નાની-મોટી ક્રૂરતાઓ જોઈ વર્ષોથી આ ભદ્ર ગણાતા લોકોને ‘શ્રદ્ધેય’ ગણવાનું છોડી દીધું છે. હરિજનના બાળકને અડવાનું ‘પાપ’ કરતો. જનોઈ શરીર પરથી ઉતારીને ખૂણામાં ઘા કરી જોયા કરતો મારું શું ‘અનિષ્ઠ’ થાય છે તે. વર્ષોથી જનોઈ કાયમ માટે ફગાવી દીધી છે. એક વાર વગડામાં, એક હનુમાનજીના મંદિરમાં મૂર્તિને મુત્રધારાથી પરિપ્લાવિત કરવાનું ‘પાપ’ પણ કરેલું છે. આવી નાની નાની પાપ-પરંપરાઓ સતત ચાલતી રહી છે. વાંકદર્શનને કરને જે કંઈ આત્મસાત્ થતું હતું ત્વરાથી, તલ્લીનતાથી તે ધીમે ધીમે મંદ ગતિએ કતરાતું, ખવાતું, ક્ષીણ થતું રહ્યું છે. કિશોરાવસ્થામાં ગાંધીપરસ્ત, ખાદીનાં કપડાં પહેરતો. રેશનિંગમાં અનાજ સંતાડતાં માતાપિતાને, ઇન્સ્પેક્ટર આવશે ત્યારે ‘કહી’ દઈશ એવી ધમકી આપતો. સત્યનારાયણનો પ્રસાદ અસત્યનારાયણોની વચ્ચે ઊછરતાં ઊછરતાં ખાધો છે. ગાંધીજીની હત્યા વખતે હચમચી ગયેલો. આખો દિવસ જમેલો નહીં. ગાંધીજીને મેં ચાહ્યા છે કુમળી, તરવરતી વયે; અને છતાં પંક્તિ આવે છે તો કેવી આવે છે !-
શબ્દને, લયને, અર્થને તલ્લીનતાથી પામ્યો છું શૈશવમાં, કિશોરાવસ્થામાં, યુવાનવસ્થામાં જેમ, તેમ ક્રમશઃ તિરાડો પણ એમાં સમાન્તર પડતી રહી છે. એકડિયા-બગડિયામાં સાથે ભણતાં હરિજનોનાં એકલ-દોકલ બાળકોને ગાભા જેવા પાથરણા પર અલગ, ખૂણામાં, તિરસ્કૃત દશામાં માંડ બે ચોપડી ભણતાં જોયાં છે. પાણી પાનારી કોળી બાઈ પણ બધા છોકરા પાણી પી લે પછી હરિજનનાં બાળકોને ધિક્કારી ધિક્કારી હડધૂત કરી ખૂબ આઘે-ઊંચેથી પાણી રેડે. મેલું ઉપાડતા હરિજનોને હડધૂત કરતા ઘરના-બહારના વડીલોને, બ્રાહ્મણ-વાણિયા પટેલોને, રોષથી જોતો થયો છું. એમની નાની-મોટી ક્રૂરતાઓ જોઈ વર્ષોથી આ ભદ્ર ગણાતા લોકોને ‘શ્રદ્ધેય’ ગણવાનું છોડી દીધું છે. હરિજનના બાળકને અડવાનું ‘પાપ’ કરતો. જનોઈ શરીર પરથી ઉતારીને ખૂણામાં ઘા કરી જોયા કરતો મારું શું ‘અનિષ્ઠ’ થાય છે તે. વર્ષોથી જનોઈ કાયમ માટે ફગાવી દીધી છે. એક વાર વગડામાં, એક હનુમાનજીના મંદિરમાં મૂર્તિને મુત્રધારાથી પરિપ્લાવિત કરવાનું ‘પાપ’ પણ કરેલું છે. આવી નાની નાની પાપ-પરંપરાઓ સતત ચાલતી રહી છે. વાંકદર્શનને કરને જે કંઈ આત્મસાત્ થતું હતું ત્વરાથી, તલ્લીનતાથી તે ધીમે ધીમે મંદ ગતિએ કતરાતું, ખવાતું, ક્ષીણ થતું રહ્યું છે. કિશોરાવસ્થામાં ગાંધીપરસ્ત, ખાદીનાં કપડાં પહેરતો. રેશનિંગમાં અનાજ સંતાડતાં માતાપિતાને, ઇન્સ્પેક્ટર આવશે ત્યારે ‘કહી’ દઈશ એવી ધમકી આપતો. સત્યનારાયણનો પ્રસાદ અસત્યનારાયણોની વચ્ચે ઊછરતાં ઊછરતાં ખાધો છે. ગાંધીજીની હત્યા વખતે હચમચી ગયેલો. આખો દિવસ જમેલો નહીં. ગાંધીજીને મેં ચાહ્યા છે કુમળી, તરવરતી વયે; અને છતાં પંક્તિ આવે છે તો કેવી આવે છે !-


હિટલરને હું ધિક્કારી શકતો નથી
'''હિટલરને હું ધિક્કારી શકતો નથી'''
અને ગાંધીને હું ચાહી શકતો નથી.
'''અને ગાંધીને હું ચાહી શકતો નથી.'''


રખડતા ગાંડાઓને પજવતાં બાળકો તો ઠીક પણ મોટેરાંઓને જોઈને તમતમી ગયો છું. બાળકોને રિબાતાં-ઢિબાતાં-ઢોર માર ખાતાં જોયાં છે. મેં માર નથી ખાધો; પણ માર તો મને જ પડ્યો છે. તનતોડ મજૂરી કરતા અધભૂખ્યા લોકોને જોયા છે અને રાજાઓના-ધરમવીરોના-નેતાઓના વૈભવી વરઘોડાઓ, શોભાયાત્રાઓ જોઈને ક્ષુબ્ધ થયો છું. આ એક સતત લાંબી પ્રક્રિયા ચાલી છે. બ્રાહ્મણ-વાણિયા એટલે બધા ભદ્ર લોકો; એમનાં ધરમ, કરમ એમના ધર્મગ્રંથો, તત્વગ્રંથો બધું ધીમે ધીમે ઊથલી પડ્યું છે, ચિત્તકોષોમાંથી. આવી મનોદશામાં ચેવખને ચાહતો થયો. દોસ્તાંયેવ્સ્કી માટે પરમ આદર થયો. ફોઈડનું કંઈક ઊલટથી વંચાયું. (એય જો કે ઊથલી પડ્યું છે આજે મનોવિજ્ઞાનના નામનું બધું.) રોષની જગ્યાએ બિનંગતપણું આવતું ગયું. સદ્-અસદ્, પાપ-પુણ્ય, ગુડ-ઇવિલની સમજણ, ભેદબુદ્ધિ ઘસાતી, ઓગળતી, અભિન્ન બનતી ચાલી. શાયલોક પણ વિલન મટી જાય એવો આલેખ ‘મરચન્ટ ઓફ વેનિસ’માં જ મળી રહે છે. દુરિત પણ પરિણામરૂપ છે. ગાંધી-હિટલર પરિણામો છે. કારણોની સંકુલ જટાજાલનાં પરિણામરૂપ માણસનું વ્યક્તિત્વ છે. માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તત્વશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, બધાં, માણસોને ઘડનારાં પરિબળોને પામતાં પામતાં, હાંફી ગયાં છે. માણસ હાંફી રહ્યો છે પોતાના મૂળની શોધમાં. બાયૉલોજીની ખણખોદ ચાલુ છે, ફર્સ્ટ લિવિંગ ઓર્ગેનિઝમનું મૂળિયું તપાસતી. When અને How-ની ધારણાઓ કંઈક આપી શકાઈ છે. Why-ના જવાબમાં શૂન્ય. એકકોષી પ્રથમ જીવથી માંડીને આજના મલ્ટીસેલ્યુલર મેન સુધીના આ બાપડા જીવોનું પોતાનું કર્તવ્ય કેટલું ? Free will, Free choice-ની વાત બધી તળે ઉપર થઈ ગઈ છે, માણસ પણ ગુણધર્મોવાળાં તત્વોનો, સજીવ, તો સજીવ. સમુચ્ચય છે. એ તત્વો અને એના ગુણધર્મો સંધાં હજુ કંઈ ઊકલ્યાં નથી. આવી સ્થિતિમાં ભાવનાની, આદર્શની વાત પરમ કરુણ કે પરમ હાસ્યાસ્પદ લાગે છે. ઉત્ક્રાંતિક્રમ [જો એમાં સત્ય હોય તો]માં મળેલા વિશેષ ભાનને લીધે માણસનું આયુષ્ય વધ્યું છે; પણ એ સભાનતા એને પોતાના મૂલ પ્રયોજનનો અર્થ શોધવા પ્રેરે છે. માણસની વંધ્ય સભાનતા રહસ્યમતા, ગૂઢતા પાસે હીજરાઇ રહી છે કે હસી રહી છે. આત્મસાત્ કરતાં કરતાં રચાયા હતા તે સ્તંભો કડડભૂસ તૂટી રહ્યા છે આંતરિક શબ્દચેતનામાં, લયચેતનામાં. નિરાધાર છે બધું અંદર. ગબડે છે, ખખડે છે, તૂટે છે, ચિરાય છે, અથડાય છે, પછડાય છે આડું અવળું ઈધરતીધર ચિત્રવિચિત્ર સંકુલ, તેમાં ગીત-ગઝલનું સિમ્પલ ગાણું ગાઈ શકાય તેમ રહ્યું નથી, સળંગ. એના પરંપરિત ચરસી લયનાં આવર્તનોમાં ચેતના એકધારી લીન તલ્લીન બની શકે એવા ગંજેરી હાલ ઇન્ટિગ્રેટેડ, રહ્યા નથી. ટ્રાંક્વિલાઈઝરની ટીકડી જેવા ગીત-ગઝલના એકધારા લય-આવર્તનોની થેરપીની જરૂર નથી, છટ્.
રખડતા ગાંડાઓને પજવતાં બાળકો તો ઠીક પણ મોટેરાંઓને જોઈને તમતમી ગયો છું. બાળકોને રિબાતાં-ઢિબાતાં-ઢોર માર ખાતાં જોયાં છે. મેં માર નથી ખાધો; પણ માર તો મને જ પડ્યો છે. તનતોડ મજૂરી કરતા અધભૂખ્યા લોકોને જોયા છે અને રાજાઓના-ધરમવીરોના-નેતાઓના વૈભવી વરઘોડાઓ, શોભાયાત્રાઓ જોઈને ક્ષુબ્ધ થયો છું. આ એક સતત લાંબી પ્રક્રિયા ચાલી છે. બ્રાહ્મણ-વાણિયા એટલે બધા ભદ્ર લોકો; એમનાં ધરમ, કરમ એમના ધર્મગ્રંથો, તત્વગ્રંથો બધું ધીમે ધીમે ઊથલી પડ્યું છે, ચિત્તકોષોમાંથી. આવી મનોદશામાં ચેવખને ચાહતો થયો. દોસ્તાંયેવ્સ્કી માટે પરમ આદર થયો. ફોઈડનું કંઈક ઊલટથી વંચાયું. (એય જો કે ઊથલી પડ્યું છે આજે મનોવિજ્ઞાનના નામનું બધું.) રોષની જગ્યાએ બિનંગતપણું આવતું ગયું. સદ્-અસદ્, પાપ-પુણ્ય, ગુડ-ઇવિલની સમજણ, ભેદબુદ્ધિ ઘસાતી, ઓગળતી, અભિન્ન બનતી ચાલી. શાયલોક પણ વિલન મટી જાય એવો આલેખ ‘મરચન્ટ ઓફ વેનિસ’માં જ મળી રહે છે. દુરિત પણ પરિણામરૂપ છે. ગાંધી-હિટલર પરિણામો છે. કારણોની સંકુલ જટાજાલનાં પરિણામરૂપ માણસનું વ્યક્તિત્વ છે. માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તત્વશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, બધાં, માણસોને ઘડનારાં પરિબળોને પામતાં પામતાં, હાંફી ગયાં છે. માણસ હાંફી રહ્યો છે પોતાના મૂળની શોધમાં. બાયૉલોજીની ખણખોદ ચાલુ છે, ફર્સ્ટ લિવિંગ ઓર્ગેનિઝમનું મૂળિયું તપાસતી. When અને How-ની ધારણાઓ કંઈક આપી શકાઈ છે. Why-ના જવાબમાં શૂન્ય. એકકોષી પ્રથમ જીવથી માંડીને આજના મલ્ટીસેલ્યુલર મેન સુધીના આ બાપડા જીવોનું પોતાનું કર્તવ્ય કેટલું ? Free will, Free choice-ની વાત બધી તળે ઉપર થઈ ગઈ છે, માણસ પણ ગુણધર્મોવાળાં તત્વોનો, સજીવ, તો સજીવ. સમુચ્ચય છે. એ તત્વો અને એના ગુણધર્મો સંધાં હજુ કંઈ ઊકલ્યાં નથી. આવી સ્થિતિમાં ભાવનાની, આદર્શની વાત પરમ કરુણ કે પરમ હાસ્યાસ્પદ લાગે છે. ઉત્ક્રાંતિક્રમ [જો એમાં સત્ય હોય તો]માં મળેલા વિશેષ ભાનને લીધે માણસનું આયુષ્ય વધ્યું છે; પણ એ સભાનતા એને પોતાના મૂલ પ્રયોજનનો અર્થ શોધવા પ્રેરે છે. માણસની વંધ્ય સભાનતા રહસ્યમતા, ગૂઢતા પાસે હીજરાઇ રહી છે કે હસી રહી છે. આત્મસાત્ કરતાં કરતાં રચાયા હતા તે સ્તંભો કડડભૂસ તૂટી રહ્યા છે આંતરિક શબ્દચેતનામાં, લયચેતનામાં. નિરાધાર છે બધું અંદર. ગબડે છે, ખખડે છે, તૂટે છે, ચિરાય છે, અથડાય છે, પછડાય છે આડું અવળું ઈધરતીધર ચિત્રવિચિત્ર સંકુલ, તેમાં ગીત-ગઝલનું સિમ્પલ ગાણું ગાઈ શકાય તેમ રહ્યું નથી, સળંગ. એના પરંપરિત ચરસી લયનાં આવર્તનોમાં ચેતના એકધારી લીન તલ્લીન બની શકે એવા ગંજેરી હાલ ઇન્ટિગ્રેટેડ, રહ્યા નથી. ટ્રાંક્વિલાઈઝરની ટીકડી જેવા ગીત-ગઝલના એકધારા લય-આવર્તનોની થેરપીની જરૂર નથી, છટ્.
Line 52: Line 52:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ??????????
|previous = ૨૯ -તબડક તબડક
|next = ???? ?????
|next = ૩૧- કાવ્યની રચનાપ્રક્રિયા
}}
}}
18,450

edits