ગુજરાતી નિબંધ-સંપદા/શિરીષ પંચાલ/‘છે કો મારું અખિલ જગમાં?’: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''‘છે કો મારું અખિલ જગમાં?’'''}} ---- {{Poem2Open}} કૈંક વિચિત્ર લાગે એવા વિરોધ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''‘છે કો મારું અખિલ જગમાં?’'''}}
{{SetTitle}}
----
{{Heading|‘છે કો મારું અખિલ જગમાં?’ | શિરીષ પંચાલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કૈંક વિચિત્ર લાગે એવા વિરોધાભાસો આપણી આસપાસના વાતાવરણમાં જોવા મળે છે. આપણા જીવનધોરણનો આંક ઊંચો આવ્યો છે એમ આપણને અવારનવાર કહેવામાં આવે છે. આપણને સાચું પણ લાગે છે. જે રીતે સામાન્ય માનવી રેડિયો, ટેપરેકોર્ડર વસાવતો થયો; ઘડિયાળ, મોંઘાં બૂટચંપલ પહેરતો થયો તે રીતે આપણે ગરીબ પ્રજા છીએ એમ ઉપર ઉપરથી તો લાગતું નથી. સામાન્ય માણસ પણ ઘણી વાર તો પચાસ પૈસાની પડીકી દિવસમાં છ-સાત વખત ખાઈ નાખે છે. બીજી બાજુએ જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી બનતી જાય છે. અર્થશાસ્ત્રથી સાવ અજાણ્યો પણ એટલું તો કહી શકે કે જીવનજરૂરિયાતની વસ્તુઓ સોંઘી અને મોજશોખની વસ્તુઓ મોંઘી હોય તો જ પ્રજા બચત કરી શકે. આપણા દેશમાં અને આપણા જેવા બીજા દેશોમાં પરિસ્થિતિ વિપરીત છે. પરિણામે આપણા સામાન્ય કુટુમ્બને મોજશોખ પરવડે છે, બે ટંક નિરાંતે ભોજન પરવડતું નથી. બીજો વિરોધાભાસ શિક્ષણ-જગતમાં જોવા મળે છે. શિક્ષણનાં સાધનો જેમ જેમ વધતાં જાય છે, જેમ જેમ શિક્ષકોના પગાર વધતા જાય છે, જેમ જેમ દેશના અભ્યાસક્રમો વિકસિત દેશોના અભ્યાસક્રમોની સમાંતરે ઘડાતા જાય છે તેમ તેમ આપણું શિક્ષણ કથળતું જાય છે. આપણી મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓને ‘ભણે તે વિદ્યાર્થી નહીં અને ભણાવે તે શિક્ષક નહીં’ જેવું સૂત્ર સહેલાઈથી લાગુ પાડી શકાય. આપણા અભ્યાસક્રમોનાં માળખાંને માનવતાવાદી ભૂમિકા પર તપાસવાનો સમય થઈ ગયો છે. ત્રીજો વિરોધાભાસ સાંસ્કૃતિક વાતાવરણમાં જોવા મળે છે. આજે નગરોમાં અને શહેરોમાં કથાશ્રવણ, પારાયણ, સપ્તાહ, સંતસમાગમ જેવું ભક્તિપૂર્ણ વાતાવરણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. નવરાત્રિ જેવા ધાર્મિક ઉત્સવો રંગેચંગે ઊજવાય છે. એમાં ક્યારેક તો ભક્તિ કરતાં ઝનૂન શણગારેલા સ્વરૂપે દૃષ્ટિગોચર થાય છે. આટલું બધું હોવા છતાં આપણું વાતાવરણ પૂરેપૂરું અધાર્મિક છે. જેમ જેમ પેલું ‘ધાર્મિક’ વાતાવરણ પ્રસરતું જાય છે તેમ તેમ તે સમાજમાં ભ્રષ્ટતા વધતી જાય છે. કોઈ પણ છાપું ઉઘાડીને જુઓ–ખૂન-મારામારી–દંગલ, લૂંટફાટ, વ્યભિચાર, દાણચોરી, કાળાંબજાર, કાળું નાણું; આ ઉપરાંત કાયદાનું ઓઠું લઈને આચરવામાં આવતી ભ્રષ્ટતા કે રાજકારણી ભ્રષ્ટતા તો અમાપ છે. ચોથો વિરોધાભાસ વિજ્ઞાન-ટેક્નૉલોજીથી પ્રભાવિત જગતને લગતો છે. આપણા દેશે પણ આકાશમાં ઉપગ્રહો તરતા મૂક્યા, અવકાશમાં મોકલવા માટે અવકાશયાત્રીઓને તાલીમ આપી. વિજ્ઞાનીઓ એન્ટાર્ક્ટિકા પર છાવણી નાખીને સંશોધન કરી રહ્યા છે, આપણી ઇજનેરોએ એશિયાડ-૮૨ ઊભું કરીને દેશની પ્રતિષ્ઠા વધારી આપી. પણ આ બધી સિદ્ધિઓ ભૂખ્યાને બે ટંક રોટલો અપાવી ન શકી. જેમ જેમ આ સિદ્ધિઓ વધતી ગઈ તેમ તેમ સામાન્ય માનવી આ બધાંથી દૂર ને દૂર સરતો જાય છે. આમ તો સર્જક કે કલાકાર એકદંડિયા મહેલમાં રહેનારા કહેવાય. પણ ખરેખર જો એકદંડિયા મહેલમાં રહેતો હોય તો તે છે સામાન્ય, ગરીબ, પછાત માનવી. એ માનવીને વીસમી સદીનો સ્પર્શ થયો નથી. એ બધેથી અપમાનિત થતો રહ્યો છે. પરિણામે એ કોશેટામાં પુરાઈ ગયો છે. એ જો કોશેટામાંથી બહાર આવે અને માનવ તરીકે જીવવાનો અધિકાર માગે તો આપણે આપણી બધી સુખસવલતો ગુમાવી દેવી પડે. આપણા જાનમાલ સલામત ન રહે. આટલા જ કારણે ગરીબને વધુ ગરીબ બનાવવામાં, રાખવામાં જ આપણી સલામતી છે એમ માનીને જીવીએ છીએ, વર્તીએ છીએ, કાયદાકાનૂનો ઘડીએ છીએ.
કૈંક વિચિત્ર લાગે એવા વિરોધાભાસો આપણી આસપાસના વાતાવરણમાં જોવા મળે છે. આપણા જીવનધોરણનો આંક ઊંચો આવ્યો છે એમ આપણને અવારનવાર કહેવામાં આવે છે. આપણને સાચું પણ લાગે છે. જે રીતે સામાન્ય માનવી રેડિયો, ટેપરેકોર્ડર વસાવતો થયો; ઘડિયાળ, મોંઘાં બૂટચંપલ પહેરતો થયો તે રીતે આપણે ગરીબ પ્રજા છીએ એમ ઉપર ઉપરથી તો લાગતું નથી. સામાન્ય માણસ પણ ઘણી વાર તો પચાસ પૈસાની પડીકી દિવસમાં છ-સાત વખત ખાઈ નાખે છે. બીજી બાજુએ જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી બનતી જાય છે. અર્થશાસ્ત્રથી સાવ અજાણ્યો પણ એટલું તો કહી શકે કે જીવનજરૂરિયાતની વસ્તુઓ સોંઘી અને મોજશોખની વસ્તુઓ મોંઘી હોય તો જ પ્રજા બચત કરી શકે. આપણા દેશમાં અને આપણા જેવા બીજા દેશોમાં પરિસ્થિતિ વિપરીત છે. પરિણામે આપણા સામાન્ય કુટુમ્બને મોજશોખ પરવડે છે, બે ટંક નિરાંતે ભોજન પરવડતું નથી. બીજો વિરોધાભાસ શિક્ષણ-જગતમાં જોવા મળે છે. શિક્ષણનાં સાધનો જેમ જેમ વધતાં જાય છે, જેમ જેમ શિક્ષકોના પગાર વધતા જાય છે, જેમ જેમ દેશના અભ્યાસક્રમો વિકસિત દેશોના અભ્યાસક્રમોની સમાંતરે ઘડાતા જાય છે તેમ તેમ આપણું શિક્ષણ કથળતું જાય છે. આપણી મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓને ‘ભણે તે વિદ્યાર્થી નહીં અને ભણાવે તે શિક્ષક નહીં’ જેવું સૂત્ર સહેલાઈથી લાગુ પાડી શકાય. આપણા અભ્યાસક્રમોનાં માળખાંને માનવતાવાદી ભૂમિકા પર તપાસવાનો સમય થઈ ગયો છે. ત્રીજો વિરોધાભાસ સાંસ્કૃતિક વાતાવરણમાં જોવા મળે છે. આજે નગરોમાં અને શહેરોમાં કથાશ્રવણ, પારાયણ, સપ્તાહ, સંતસમાગમ જેવું ભક્તિપૂર્ણ વાતાવરણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. નવરાત્રિ જેવા ધાર્મિક ઉત્સવો રંગેચંગે ઊજવાય છે. એમાં ક્યારેક તો ભક્તિ કરતાં ઝનૂન શણગારેલા સ્વરૂપે દૃષ્ટિગોચર થાય છે. આટલું બધું હોવા છતાં આપણું વાતાવરણ પૂરેપૂરું અધાર્મિક છે. જેમ જેમ પેલું ‘ધાર્મિક’ વાતાવરણ પ્રસરતું જાય છે તેમ તેમ તે સમાજમાં ભ્રષ્ટતા વધતી જાય છે. કોઈ પણ છાપું ઉઘાડીને જુઓ–ખૂન-મારામારી–દંગલ, લૂંટફાટ, વ્યભિચાર, દાણચોરી, કાળાંબજાર, કાળું નાણું; આ ઉપરાંત કાયદાનું ઓઠું લઈને આચરવામાં આવતી ભ્રષ્ટતા કે રાજકારણી ભ્રષ્ટતા તો અમાપ છે. ચોથો વિરોધાભાસ વિજ્ઞાન-ટેક્નૉલોજીથી પ્રભાવિત જગતને લગતો છે. આપણા દેશે પણ આકાશમાં ઉપગ્રહો તરતા મૂક્યા, અવકાશમાં મોકલવા માટે અવકાશયાત્રીઓને તાલીમ આપી. વિજ્ઞાનીઓ એન્ટાર્ક્ટિકા પર છાવણી નાખીને સંશોધન કરી રહ્યા છે, આપણી ઇજનેરોએ એશિયાડ-૮૨ ઊભું કરીને દેશની પ્રતિષ્ઠા વધારી આપી. પણ આ બધી સિદ્ધિઓ ભૂખ્યાને બે ટંક રોટલો અપાવી ન શકી. જેમ જેમ આ સિદ્ધિઓ વધતી ગઈ તેમ તેમ સામાન્ય માનવી આ બધાંથી દૂર ને દૂર સરતો જાય છે. આમ તો સર્જક કે કલાકાર એકદંડિયા મહેલમાં રહેનારા કહેવાય. પણ ખરેખર જો એકદંડિયા મહેલમાં રહેતો હોય તો તે છે સામાન્ય, ગરીબ, પછાત માનવી. એ માનવીને વીસમી સદીનો સ્પર્શ થયો નથી. એ બધેથી અપમાનિત થતો રહ્યો છે. પરિણામે એ કોશેટામાં પુરાઈ ગયો છે. એ જો કોશેટામાંથી બહાર આવે અને માનવ તરીકે જીવવાનો અધિકાર માગે તો આપણે આપણી બધી સુખસવલતો ગુમાવી દેવી પડે. આપણા જાનમાલ સલામત ન રહે. આટલા જ કારણે ગરીબને વધુ ગરીબ બનાવવામાં, રાખવામાં જ આપણી સલામતી છે એમ માનીને જીવીએ છીએ, વર્તીએ છીએ, કાયદાકાનૂનો ઘડીએ છીએ.