ગુજરાતી નિબંધ-સંપદા/શિરીષ પંચાલ/અપરાધ વિના જ શિક્ષા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''અપરાધ વિના જ શિક્ષા'''}} ---- {{Poem2Open}} ઓગણીસમી સદીના મહાન રશિયન નવલકથા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''અપરાધ વિના જ શિક્ષા'''}}
{{SetTitle}}
----
{{Heading|અપરાધ વિના જ શિક્ષા | શિરીષ પંચાલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઓગણીસમી સદીના મહાન રશિયન નવલકથાકાર દોસ્તોએવસ્કીની એક નવલકથાનું શીર્ષક છે ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ’. આ નવલકથાનો નાયક રાસ્કોલનિકોવ બે ખૂન કરે છે અને પરિણામે સજા ભોગવે છે. એણે અપરાધ કર્યો અને પરિણામે સજા ભોગવવી પડી. સીધોસાદો આ કવિન્યાય સમજી શકાય. ખલનાયકને એની દુષ્ટતાનો બદલો ન મળે તો આપણને ક્યારેય કરાર વળતો નથી; જે કૃતિમાં ખલનાયક નાયકને મારી નાખીને ાનયિકા સાથે પરણી જઈ દુનિયાના રંગરાગ ભોગવે તે કૃતિના લેખકને સામાન્ય રીતે કોઈ માફ ન કરે. પણ જે અપરાધ કરે છે તે જ શિક્ષા ભોગવે છે ખરો? ચિત્રગુપ્તના ચોપડામાં ભલે એનો હિસાબ રખાતો હશે, મરી ગયા પછી વૈતરણી પાર કરવા માટે ભલે એને કોઈ સાધન આપવામાં ન આવે કે અંગારા પર એને ચલાવવામાં આવે, પણ આપણી ધનધાન્યથી ભરેલી વસુન્ધરા, આ ગંધવતી પૃથ્વી પર એવા લોકોના ભાગ્યમાં શું લખાયું હોય છે? તેમને કશી આંચ આવતી નથી. જ્યાં કાયદાએ અનેક છટકબારીઓની સગવડ કરી આપી હોય અને સત્તા, ધનની મદદથી ભલભલાને ભ્રષ્ટ કરી શકાતા હોય ત્યાં શિક્ષા વિનાના અપરાધની વાત પણ સમજી શકાય. આવા જગતમાં માનવી વધુ ને વધુ અપરાધ કરવા લલચાય, જેમ જેમ અપરાધ કરવાની આદત કેળવતો જાય તેમ તેમ એનાં પરિણામોથી બચવા માટે વધુ સત્તા, વધુ લક્ષ્મી મેળવવા બધું જ કરી છૂટે, મંદિરના ભગવાનને પણ એ દલાલ બનાવતા સહેજ પણ સંકોચ ન પામે. પણ એક બીજી પરિસ્થિતિ પરાપૂર્વથી ચાલી આવી છે. વીસમી સદીમાં તો કૅન્સરગ્રસ્ત કોષની જેમ વિસ્તરી છે અને તે છે અપરાધ વિનાની શિક્ષા.
ઓગણીસમી સદીના મહાન રશિયન નવલકથાકાર દોસ્તોએવસ્કીની એક નવલકથાનું શીર્ષક છે ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ’. આ નવલકથાનો નાયક રાસ્કોલનિકોવ બે ખૂન કરે છે અને પરિણામે સજા ભોગવે છે. એણે અપરાધ કર્યો અને પરિણામે સજા ભોગવવી પડી. સીધોસાદો આ કવિન્યાય સમજી શકાય. ખલનાયકને એની દુષ્ટતાનો બદલો ન મળે તો આપણને ક્યારેય કરાર વળતો નથી; જે કૃતિમાં ખલનાયક નાયકને મારી નાખીને ાનયિકા સાથે પરણી જઈ દુનિયાના રંગરાગ ભોગવે તે કૃતિના લેખકને સામાન્ય રીતે કોઈ માફ ન કરે. પણ જે અપરાધ કરે છે તે જ શિક્ષા ભોગવે છે ખરો? ચિત્રગુપ્તના ચોપડામાં ભલે એનો હિસાબ રખાતો હશે, મરી ગયા પછી વૈતરણી પાર કરવા માટે ભલે એને કોઈ સાધન આપવામાં ન આવે કે અંગારા પર એને ચલાવવામાં આવે, પણ આપણી ધનધાન્યથી ભરેલી વસુન્ધરા, આ ગંધવતી પૃથ્વી પર એવા લોકોના ભાગ્યમાં શું લખાયું હોય છે? તેમને કશી આંચ આવતી નથી. જ્યાં કાયદાએ અનેક છટકબારીઓની સગવડ કરી આપી હોય અને સત્તા, ધનની મદદથી ભલભલાને ભ્રષ્ટ કરી શકાતા હોય ત્યાં શિક્ષા વિનાના અપરાધની વાત પણ સમજી શકાય. આવા જગતમાં માનવી વધુ ને વધુ અપરાધ કરવા લલચાય, જેમ જેમ અપરાધ કરવાની આદત કેળવતો જાય તેમ તેમ એનાં પરિણામોથી બચવા માટે વધુ સત્તા, વધુ લક્ષ્મી મેળવવા બધું જ કરી છૂટે, મંદિરના ભગવાનને પણ એ દલાલ બનાવતા સહેજ પણ સંકોચ ન પામે. પણ એક બીજી પરિસ્થિતિ પરાપૂર્વથી ચાલી આવી છે. વીસમી સદીમાં તો કૅન્સરગ્રસ્ત કોષની જેમ વિસ્તરી છે અને તે છે અપરાધ વિનાની શિક્ષા.

Navigation menu