ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/હાસ્ય અને અદ્ભુત રસ – નવલરામ પંડ્યા, 1836: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
She Stoops to Conquerમાં જે સ્ત્રીને કુરૂપ ગણે તે સ્ત્રી એને દાસીને વેશે મોહ પમાડી સ્વાધીન કરી લે છે. એમ બને કે તે સ્ત્રી આટલી ખટપટ કરવા છતાં ઓળખાઈ નહીં આવે? એ વાત ઉપર તો એ નાટકનું મુખ્ય બંધારણ છે.  
She Stoops to Conquerમાં જે સ્ત્રીને કુરૂપ ગણે તે સ્ત્રી એને દાસીને વેશે મોહ પમાડી સ્વાધીન કરી લે છે. એમ બને કે તે સ્ત્રી આટલી ખટપટ કરવા છતાં ઓળખાઈ નહીં આવે? એ વાત ઉપર તો એ નાટકનું મુખ્ય બંધારણ છે.  
The Good-natured Man: પ્રીતિના દુ:ખનું કેટલુંક તેને અગ્નિ કલ્પીને કીધું હોય (છેક allegorical એમ પણ નહીં, સાધારણ માણસ પણ કહી શકે એ પ્રેમપત્રિકા છે), તો શું એવો કોઈ વાંચનાર નીકળે કે તેને એમ લાગે કે એમાં તો મારું ઘર બાળી મૂકવાની ધમકી છે, અને તેમ ધારી પોલીસને બોલાવી ગડબડાટ કરી મૂકે ત્યાં લગી કોઈ એનો સંદેહ નિવારણ કરનાર મળી જ નહીં આવે? તોપણ ગોલ્ડસ્મિથે એવું જ બંધારણ રાખ્યું છે.
The Good-natured Man: પ્રીતિના દુ:ખનું કેટલુંક તેને અગ્નિ કલ્પીને કીધું હોય (છેક allegorical એમ પણ નહીં, સાધારણ માણસ પણ કહી શકે એ પ્રેમપત્રિકા છે), તો શું એવો કોઈ વાંચનાર નીકળે કે તેને એમ લાગે કે એમાં તો મારું ઘર બાળી મૂકવાની ધમકી છે, અને તેમ ધારી પોલીસને બોલાવી ગડબડાટ કરી મૂકે ત્યાં લગી કોઈ એનો સંદેહ નિવારણ કરનાર મળી જ નહીં આવે? તોપણ ગોલ્ડસ્મિથે એવું જ બંધારણ રાખ્યું છે.
Shakespeare: શું જોડિયા ભાઈ એવા જ સરખા રૂપના નીકળે કે તેની  
Shakespeare: શું જોડિયા ભાઈ એવા જ સરખા રૂપના નીકળે કે તેની પરણી બાયડી ન ઓળખી બીજા સાથે ઘણા વખત સુધી ઘરબાર માંડે? ઓળખાઈ આવે એટલો ભેદ રાખવો એ તો કુદરતનો નિયમ જ જણાય છે. ઘણા ફિલસૂફોએ એ નિયમ કબૂલ રાખી અને ‘Design’ની સાબિતીમાં દાખલ કીધો છે.
પરણી બાયડી ન ઓળખી બીજા સાથે ઘણા વખત સુધી ઘરબાર માંડે? ઓળખાઈ આવે એટલો ભેદ રાખવો એ તો કુદરતનો નિયમ જ જણાય છે. ઘણા ફિલસૂફોએ એ નિયમ કબૂલ રાખી અને ‘Design’ની સાબિતીમાં દાખલ કીધો છે.
કરજદારનું શેર માંસ લેવાની શરત કરનાર, અને કદાપિ કીધી તોપણ શું તે અમલમાં અણાવાઈ છે? અને તે પણ કાયદાની મદદથી? એવો નિર્દય મૂર્ખ કોઈ હોય? તોપણ એ અસંભવિત વર્ણન વડે યહૂદીની લોભી નિર્દયતાની છબી મન ઉપર બરાબર પડે છે.
કરજદારનું શેર માંસ લેવાની શરત કરનાર, અને કદાપિ કીધી તોપણ શું તે અમલમાં અણાવાઈ છે? અને તે પણ કાયદાની મદદથી? એવો નિર્દય મૂર્ખ કોઈ હોય? તોપણ એ અસંભવિત વર્ણન વડે યહૂદીની લોભી નિર્દયતાની છબી મન ઉપર બરાબર પડે છે.
Merry Wives of Windsor અને બીજા ઘણાં શેક્સપિયરનાં હાસ્યરસ નાટકનું બંધારણ એવું જ જણાય છે.
Merry Wives of Windsor અને બીજા ઘણાં શેક્સપિયરનાં હાસ્યરસ નાટકનું બંધારણ એવું જ જણાય છે.
Line 25: Line 24:
“એક દેસાઈને કોઈ બાદશાહે કહ્યું કે તમે તમારા હકના દસ્તાવેજ કાઢો, નહીં તો તમારી જાગીર જપ્ત કરવામાં આવશે, ત્યારે તે બહાદુર ભાઠેલો બોલ્યો, ‘બંદેનવાજ, દિલ્હીની ગાદી તમને જે તાંબાપત્ર ઉપર હિંદુ રાજાઓએ આપી છે તે મંગાવશો તો તેની બીજી બાજુ ઉપર મારી દસ્તાવેજો માલૂમ પડશે.” એમ કોઈ બોલે કે?
“એક દેસાઈને કોઈ બાદશાહે કહ્યું કે તમે તમારા હકના દસ્તાવેજ કાઢો, નહીં તો તમારી જાગીર જપ્ત કરવામાં આવશે, ત્યારે તે બહાદુર ભાઠેલો બોલ્યો, ‘બંદેનવાજ, દિલ્હીની ગાદી તમને જે તાંબાપત્ર ઉપર હિંદુ રાજાઓએ આપી છે તે મંગાવશો તો તેની બીજી બાજુ ઉપર મારી દસ્તાવેજો માલૂમ પડશે.” એમ કોઈ બોલે કે?
અંગ્રેજીમાંથી એવા અનેક દાખલા મળી આવશે.
અંગ્રેજીમાંથી એવા અનેક દાખલા મળી આવશે.
ગુજરાતી ગ્રંથોમાંથી દાખલા
<center>ગુજરાતી ગ્રંથોમાંથી દાખલા</center>
‘રમૂજે દિલ પસંદ’ની સઘળી વાતો અસંભવિત જ છે. વાંચતાં નહીં આવડતું હોય તેથી કદાપિ રડવું આવે, પણ સાંભળનાર સ્ત્રી સમજે કે મારો ધણી મરી ગયો, તે ભૂલથી તેને ઘેર હાયપીટ થઈ રહે, અને છેક ગામની બહાર નાહવા જાય ત્યાં જ કાગળ વાંચતી વખતે એ બધી ભૂલ જણાઈ જાય – એ તે બને? એ અભણ તો હશે, પણ પોતાની ફજેતીનો આટલો ચંદરવો બાંધવાનો વખત આવે ત્યાં લગી બોલે જ નહીં, એવી મૂર્ખ કોઈ હોય નહીં. કદાપિ એમ ધારો કે અજાણ્યે રસ્તે જનાર તે હશે, અને તે એવું ધારીને ચાલ્યો ગયો હશે કે એનું લાગ્યું એ ભોગવે, હું તો મારો ભરમ રાખું, પણ તે સ્ત્રી અજાણ્યા ઉપર આટલો ભરોસો રાખે અને પોતાનો ધણી કેમ અને ક્યારે મૂઓ તે વાતનો ખુલાસો કોઈની પાસે પણ કરી લીધા વગર તે મૂઓ એમ જ નિશ્ચય કરી લૌકિક કામનો આરંભ કરે એ મનુષ્યસ્વભાવ (human nature)થી જ ઊલટું – અસંભવિત એટલું જ નહીં, પણ અશકય.
‘રમૂજે દિલ પસંદ’ની સઘળી વાતો અસંભવિત જ છે. વાંચતાં નહીં આવડતું હોય તેથી કદાપિ રડવું આવે, પણ સાંભળનાર સ્ત્રી સમજે કે મારો ધણી મરી ગયો, તે ભૂલથી તેને ઘેર હાયપીટ થઈ રહે, અને છેક ગામની બહાર નાહવા જાય ત્યાં જ કાગળ વાંચતી વખતે એ બધી ભૂલ જણાઈ જાય – એ તે બને? એ અભણ તો હશે, પણ પોતાની ફજેતીનો આટલો ચંદરવો બાંધવાનો વખત આવે ત્યાં લગી બોલે જ નહીં, એવી મૂર્ખ કોઈ હોય નહીં. કદાપિ એમ ધારો કે અજાણ્યે રસ્તે જનાર તે હશે, અને તે એવું ધારીને ચાલ્યો ગયો હશે કે એનું લાગ્યું એ ભોગવે, હું તો મારો ભરમ રાખું, પણ તે સ્ત્રી અજાણ્યા ઉપર આટલો ભરોસો રાખે અને પોતાનો ધણી કેમ અને ક્યારે મૂઓ તે વાતનો ખુલાસો કોઈની પાસે પણ કરી લીધા વગર તે મૂઓ એમ જ નિશ્ચય કરી લૌકિક કામનો આરંભ કરે એ મનુષ્યસ્વભાવ (human nature)થી જ ઊલટું – અસંભવિત એટલું જ નહીં, પણ અશકય.
‘લાલ બુજરંગ’ સંબંધી વાતો નહીં બને એવી જ છે. ઊંટ સાથે ઘરમાં પેસવાને માટે છાપરું તોડી પડાવે, અને લોકો પાડવા દે એવું મૂર્ખ ગામ કયા દેશમાં હશે તે કદાપિ આપ કવિરાજને માલૂમ હશે. માટલામાંથી ભેંસનું મોં કાઢવાને માટે પહેલું ડોકું કપાવે, અને પછી માટલાને ભાગવાને હકમ આપે એવી મૂર્ખાઈ તે કોણ કરે? એમાં રસ નથી એમ તમે સમજો છો તે તો ખોટું. આ વાર્તામાં મૂર્ખ સત્તાધારીના છર અને વહેમી પરાધીન થઈ પડેલા મૂર્ખોની મૂર્ખાઈનું ચિત્ર ખૂબ છટાથી પાડ્યું છે. એમ થતું નથી, પણ એ ગુણો મનમાં જે શક્તિથી રહેલા છે તે શક્તિને પૂરેપૂરી ખીલવા દીધી હોય તો એવાં રાક્ષસી રૂપ જ પ્રગટ થાય. ઊંચા રસનું પણ એમ જ છે. ગમે તે મનોવિકારના પૂર્ણ બળનું પ્રગટ થયું તે રસ. સંસારમાં તેમનો વિકાર વિવેકથી, રીતભાતથી, પ્રસંગની ખામીથી, અથવા બીજા મનોવિકારથી બરાબર પુષ્ટિ પામતો નથી. કાવ્યસૃષ્ટિ (Poetic world) તે એ જ. દરેક મનોવિકારનું ખરેખરું કેટલું જોર છે તે માણસ પોતાના મનમાં જ જાણે છે—બારણે પ્રગટ કરવાને ચાહતો નથી, અને તેથી તે સંસારમાં જોવામાં આવતું નથી, પણ પ્રકૃતિમાં છે. તેથી જ્યારે કોઈ માણસ તેનાં પરાક્રમ કવિકલ્પિત વર્ણનોમાં વાંચે છે ત્યારે તેનું અંત:કરણ અંદરથી સાક્ષી આપે છે અને એ વર્ણન જ ખરું છે, તથા સંસાર જૂઠો છે એવો ભાસ થાય છે.
‘લાલ બુજરંગ’ સંબંધી વાતો નહીં બને એવી જ છે. ઊંટ સાથે ઘરમાં પેસવાને માટે છાપરું તોડી પડાવે, અને લોકો પાડવા દે એવું મૂર્ખ ગામ કયા દેશમાં હશે તે કદાપિ આપ કવિરાજને માલૂમ હશે. માટલામાંથી ભેંસનું મોં કાઢવાને માટે પહેલું ડોકું કપાવે, અને પછી માટલાને ભાગવાને હકમ આપે એવી મૂર્ખાઈ તે કોણ કરે? એમાં રસ નથી એમ તમે સમજો છો તે તો ખોટું. આ વાર્તામાં મૂર્ખ સત્તાધારીના છર અને વહેમી પરાધીન થઈ પડેલા મૂર્ખોની મૂર્ખાઈનું ચિત્ર ખૂબ છટાથી પાડ્યું છે. એમ થતું નથી, પણ એ ગુણો મનમાં જે શક્તિથી રહેલા છે તે શક્તિને પૂરેપૂરી ખીલવા દીધી હોય તો એવાં રાક્ષસી રૂપ જ પ્રગટ થાય. ઊંચા રસનું પણ એમ જ છે. ગમે તે મનોવિકારના પૂર્ણ બળનું પ્રગટ થયું તે રસ. સંસારમાં તેમનો વિકાર વિવેકથી, રીતભાતથી, પ્રસંગની ખામીથી, અથવા બીજા મનોવિકારથી બરાબર પુષ્ટિ પામતો નથી. કાવ્યસૃષ્ટિ (Poetic world) તે એ જ. દરેક મનોવિકારનું ખરેખરું કેટલું જોર છે તે માણસ પોતાના મનમાં જ જાણે છે—બારણે પ્રગટ કરવાને ચાહતો નથી, અને તેથી તે સંસારમાં જોવામાં આવતું નથી, પણ પ્રકૃતિમાં છે. તેથી જ્યારે કોઈ માણસ તેનાં પરાક્રમ કવિકલ્પિત વર્ણનોમાં વાંચે છે ત્યારે તેનું અંત:કરણ અંદરથી સાક્ષી આપે છે અને એ વર્ણન જ ખરું છે, તથા સંસાર જૂઠો છે એવો ભાસ થાય છે.
Line 45: Line 44:
માણસને પોતાના નિષ્ફળ શ્ર્રમોનો વિચાર કરતાં હસવું આવે છે, અને કોઈ વખત ફળીભૂત થયેલા શ્રમોના સ્મરણથી હસવું આવે છે. બાળકનો ઉદ્યોગ જુવાનને, અને જુવાનોનો ઉદ્યોગ વૃદ્ધને હમેશાં હસવા જેવો લાગે છે. દેશકાલના સંબંધે જુદા જુદા કામનું માણસોને જુદું જુદું લાગે છે. જે ક્રિયાથી હિંદુ ભક્તિમાં લીન થઈ જાય છે તે જોઈને મુસલમાન હસે છે. અને તેથી ઊલટું પણ તેમ જ સમજવું. (આ વિચાર આ પેટાને લગતો નથી પણ હાસ્યરસના સામાન્ય વિવેચનમાં લખવો જેઈતો હતો.) નહીં આરંભેલા તરંગોના સ્મરણથી પણ હસવું આવે છે, અને વખતે દિલગીરી થાય છે.
માણસને પોતાના નિષ્ફળ શ્ર્રમોનો વિચાર કરતાં હસવું આવે છે, અને કોઈ વખત ફળીભૂત થયેલા શ્રમોના સ્મરણથી હસવું આવે છે. બાળકનો ઉદ્યોગ જુવાનને, અને જુવાનોનો ઉદ્યોગ વૃદ્ધને હમેશાં હસવા જેવો લાગે છે. દેશકાલના સંબંધે જુદા જુદા કામનું માણસોને જુદું જુદું લાગે છે. જે ક્રિયાથી હિંદુ ભક્તિમાં લીન થઈ જાય છે તે જોઈને મુસલમાન હસે છે. અને તેથી ઊલટું પણ તેમ જ સમજવું. (આ વિચાર આ પેટાને લગતો નથી પણ હાસ્યરસના સામાન્ય વિવેચનમાં લખવો જેઈતો હતો.) નહીં આરંભેલા તરંગોના સ્મરણથી પણ હસવું આવે છે, અને વખતે દિલગીરી થાય છે.
માણસ નિરાશ થયાથી એટલે પોતાની કેવળ અશક્તિ જોઈને હસે છે. એ ગાંડાના હાસ્ય જેવો ભયંકર રસ છે. આ જગો ઉપર માણસ પોતાની મૂર્ખાઈ જોઈને હસે છે. મનમાં છૂપા ભાવરૂપે રહેલા ઉદ્દેશ ઘણા મોટા, અને સાધન ઘણાં હલકાં અથવા નહીં જ,—એથી બીજી મૂર્ખાઈ કેવી? એ હાસ્ય ઘણું Sympathetic નથી, કેમ કે ભાવરૂપે રહેલા ઉદ્દેશનું સ્વરૂપ બીજાથી પૂરેપૂરું ઓળખાતું નથી. જોેનાર તો કાર્યરૂપે તે પ્રગટ થાય ત્યારે જ તેનું બળ માપી શકે છે. અને તેથી તે ઉદ્દેશ અને સાધન વચ્ચેનું અસાધારણ પ્રમાણ બીજાના લક્ષમાં આવતું નથી, પોતાની મૂર્ખાઈ પોતે જોઈ છે. તથાપિ બીજા બરાબર જોઈ શકતા નથી, અને તે કારણને લીધે હસતા પણ નથી.
માણસ નિરાશ થયાથી એટલે પોતાની કેવળ અશક્તિ જોઈને હસે છે. એ ગાંડાના હાસ્ય જેવો ભયંકર રસ છે. આ જગો ઉપર માણસ પોતાની મૂર્ખાઈ જોઈને હસે છે. મનમાં છૂપા ભાવરૂપે રહેલા ઉદ્દેશ ઘણા મોટા, અને સાધન ઘણાં હલકાં અથવા નહીં જ,—એથી બીજી મૂર્ખાઈ કેવી? એ હાસ્ય ઘણું Sympathetic નથી, કેમ કે ભાવરૂપે રહેલા ઉદ્દેશનું સ્વરૂપ બીજાથી પૂરેપૂરું ઓળખાતું નથી. જોેનાર તો કાર્યરૂપે તે પ્રગટ થાય ત્યારે જ તેનું બળ માપી શકે છે. અને તેથી તે ઉદ્દેશ અને સાધન વચ્ચેનું અસાધારણ પ્રમાણ બીજાના લક્ષમાં આવતું નથી, પોતાની મૂર્ખાઈ પોતે જોઈ છે. તથાપિ બીજા બરાબર જોઈ શકતા નથી, અને તે કારણને લીધે હસતા પણ નથી.
અદ્ભુત રસ
<center>અદ્ભુત રસ|[એક કાગળમાંથી ઉતારો]</center>
[એક કાગળમાંથી ઉતારો]
જે બનાવ આપણા જોેવામાં આવ્યો નથી અથવા (શાસ્ત્રીય રીતે બોલીએ તો) જે બનાવનું કારણ ઇંદ્રિયજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સિદ્ધાંતો ઉપરથી સમજાતું નથી, તેવા બનાવોનો પ્રત્યક્ષ અનુભવ થયાથી અથવા તે બનાવોનું વર્ણન વાંચ્યાસાંભળ્યાથી આપણને આનંદયુક્ત આશ્ચર્ય લાગે છે. તે બનાવોના જે ગુણને લીધે આનંદયુક્ત આશ્ચર્ય ઉત્પન્ન થાય છે તે અદ્ભુત રસ. એ રસ તે બનાવોમાં જ રહેલો છે.
જે બનાવ આપણા જોેવામાં આવ્યો નથી અથવા (શાસ્ત્રીય રીતે બોલીએ તો) જે બનાવનું કારણ ઇંદ્રિયજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સિદ્ધાંતો ઉપરથી સમજાતું નથી, તેવા બનાવોનો પ્રત્યક્ષ અનુભવ થયાથી અથવા તે બનાવોનું વર્ણન વાંચ્યાસાંભળ્યાથી આપણને આનંદયુક્ત આશ્ચર્ય લાગે છે. તે બનાવોના જે ગુણને લીધે આનંદયુક્ત આશ્ચર્ય ઉત્પન્ન થાય છે તે અદ્ભુત રસ. એ રસ તે બનાવોમાં જ રહેલો છે.
બીજી રીતે પણ અદ્ભુત રસ થાય છે. તે બનાવમાં જાતે તો અદ્ભુતપણું કંઈ જ નહીં હોય, પણ જ્યારે યુક્તિથી વર્ણનશૈલી એવી રાખી હોય કે તે બનાવો જગતના સાધારણ નિયમને અનુસરતા છતાં તેનાં કારણો વાંચતી વખતે જણાય નહીં, ત્યારે તે બનાવના પ્રથમ દર્શને આપણને નવાઈ જેવું લાગે છે, અને કેટલેક દરજ્જે ખરા અદ્ભુત રસની મજા આપણે અનુભવીએ છીએ. ઉદાહરણ—કરણઘેલાના કર્તા જેણે માત્ર કૃત્રિમ રસ લખ્યો છે તે હરપાળ સાધના કરવા ગયો તેનું વર્ણન કરતી વખતે તે સ્મશાનમાં અંધારી રાતે શી રીતે જઈ પહોંચ્યો, આસન કરવાને માટે કેટલી મુસીબતે એક મુડદું પેદા કીધું, ઇત્યાદિ ભયાનક વર્ણન કીધા પછી કહે છે કે હરપાળ જાણતો હતો કે સાધનામાં ભંગ પડાવવાને ભૂતાવળ ઘણાં વિઘ્ન વચમાં આણશે, અને તેથી તેણે ચોકસાઈથી નદીમાં ધોઈને તે મુડદ્દું કિનારા પર નાખ્યું. પણ એટલામાં કોઈ આવીને તે મુડદું ખેંચી જવા લાગ્યું, અને એણે આશ્ચર્ય તથા બીકથી ટક ટક જોયા કીધું. પણ પછી કહે છે કે તરત જ વાદળમાંથી ચંદ્રમા બારણે નીકળ્યો, અને તેના અજવાળાની મદદે જુએ છે તો માલૂમ પડ્યું કે એક શિયાળવું તે મુડદું ખેંચી જાય છે. એ વર્ણનમાં શિયાળવાએ ખેંચ્યું એમ અગાઉથી કહ્યું હોત તો આપણને કંઈ અદ્ભુત લાગત નહીં, અને તેથી એ અદ્ભુતપણું એ બનાવમાં રહેતું નથી, વર્ણનશૈલી ઉપર આધાર રાખે છે. એને હું કૃત્રિમ અદ્ભુત રસ કહું છું. કૃત્રિમ એટલે જુગતીથી ઊભો કીધેલો—ખરો નહીં તે.
બીજી રીતે પણ અદ્ભુત રસ થાય છે. તે બનાવમાં જાતે તો અદ્ભુતપણું કંઈ જ નહીં હોય, પણ જ્યારે યુક્તિથી વર્ણનશૈલી એવી રાખી હોય કે તે બનાવો જગતના સાધારણ નિયમને અનુસરતા છતાં તેનાં કારણો વાંચતી વખતે જણાય નહીં, ત્યારે તે બનાવના પ્રથમ દર્શને આપણને નવાઈ જેવું લાગે છે, અને કેટલેક દરજ્જે ખરા અદ્ભુત રસની મજા આપણે અનુભવીએ છીએ. ઉદાહરણ—કરણઘેલાના કર્તા જેણે માત્ર કૃત્રિમ રસ લખ્યો છે તે હરપાળ સાધના કરવા ગયો તેનું વર્ણન કરતી વખતે તે સ્મશાનમાં અંધારી રાતે શી રીતે જઈ પહોંચ્યો, આસન કરવાને માટે કેટલી મુસીબતે એક મુડદું પેદા કીધું, ઇત્યાદિ ભયાનક વર્ણન કીધા પછી કહે છે કે હરપાળ જાણતો હતો કે સાધનામાં ભંગ પડાવવાને ભૂતાવળ ઘણાં વિઘ્ન વચમાં આણશે, અને તેથી તેણે ચોકસાઈથી નદીમાં ધોઈને તે મુડદ્દું કિનારા પર નાખ્યું. પણ એટલામાં કોઈ આવીને તે મુડદું ખેંચી જવા લાગ્યું, અને એણે આશ્ચર્ય તથા બીકથી ટક ટક જોયા કીધું. પણ પછી કહે છે કે તરત જ વાદળમાંથી ચંદ્રમા બારણે નીકળ્યો, અને તેના અજવાળાની મદદે જુએ છે તો માલૂમ પડ્યું કે એક શિયાળવું તે મુડદું ખેંચી જાય છે. એ વર્ણનમાં શિયાળવાએ ખેંચ્યું એમ અગાઉથી કહ્યું હોત તો આપણને કંઈ અદ્ભુત લાગત નહીં, અને તેથી એ અદ્ભુતપણું એ બનાવમાં રહેતું નથી, વર્ણનશૈલી ઉપર આધાર રાખે છે. એને હું કૃત્રિમ અદ્ભુત રસ કહું છું. કૃત્રિમ એટલે જુગતીથી ઊભો કીધેલો—ખરો નહીં તે.
1,026

edits

Navigation menu