શાંત કોલાહલ/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 325: Line 325:


કવિની સર્જકતા ‘ધ્વનિ’ પછીયે પૂરી સક્રિયતાથી ચાલે છે. અને કાવ્યના ઇતિહાસમાં નોંધવાં ઘટે એવાં અનેકાનેક ભલે નાનાં પણ વિસ્મયો સર્જતી રહી છે. એમનાં દશપદી કાવ્યો, એમનાં ચિત્રકાવ્યો, દૈનંદિની-કાવ્યો, સ્વપ્ન-કાવ્યો વગેરેની નોંધ ગુજરાતી કવિતાના ઇતિહાસકારે લેવી જોઈશે અને એ નોંધ લેતાં એમની કાવ્યબાનીની જે નવી તરેહો પ્રગટે છે તેય બતાવવી જોઈશે; અલબત્ત, આ તરેહોમાં કોઈ મોટા ક્રાંતિકારી વિવર્તો જોવા મળતા નથી; આમ છતાં કવિનો ગતિ-વિકાસ અસ્ખલિત છે એટલું સ્પષ્ટ છે.
કવિની સર્જકતા ‘ધ્વનિ’ પછીયે પૂરી સક્રિયતાથી ચાલે છે. અને કાવ્યના ઇતિહાસમાં નોંધવાં ઘટે એવાં અનેકાનેક ભલે નાનાં પણ વિસ્મયો સર્જતી રહી છે. એમનાં દશપદી કાવ્યો, એમનાં ચિત્રકાવ્યો, દૈનંદિની-કાવ્યો, સ્વપ્ન-કાવ્યો વગેરેની નોંધ ગુજરાતી કવિતાના ઇતિહાસકારે લેવી જોઈશે અને એ નોંધ લેતાં એમની કાવ્યબાનીની જે નવી તરેહો પ્રગટે છે તેય બતાવવી જોઈશે; અલબત્ત, આ તરેહોમાં કોઈ મોટા ક્રાંતિકારી વિવર્તો જોવા મળતા નથી; આમ છતાં કવિનો ગતિ-વિકાસ અસ્ખલિત છે એટલું સ્પષ્ટ છે.
<!--Proofread uptill here-->
 
‘વિષાદને સાદ’માં કવિ વિષાદની વાત કરતાયે આનંદની જ અભીપ્સાને વ્યંજિત કરે છે. ગરીબાઈ, સંકુચિતતા, શોષણખોરી, સત્તાભૂખ, યુદ્ધખોરી –આ સર્વનું બેહૂદાપણું એમને અકળાવે છે ને એ અકળામણ ‘ઘઉંમાં ચઢ્યાં કાંઈ ધનેરું’- એ રીતે; ભસ્માસુર, હિરણ્યકશિપુ, પૂતના આદિ પૌરાણિક પાત્રો- ઘટનાઓના સંદર્ભથી, વિશિષ્ટ અર્થઘટન દ્વારા તેમ જ કટાક્ષ-વક્રતા દ્વારા તીક્ષણ રીતે અભિવ્યક્ત થાય છે. આમ છતાં કવિની ભદ્રતા કે સમતા જોખમાતી હોય એવું એમની કાવ્યબાની દર્શાવતી નથી; એમની કાવ્યબાનીમાં જે એક આત્માનુભવે પ્રેરિત ગરિમાનો સ્પર્શ છે તે લેપાતો નથી. વિપરીત વહેણમાંયે એમની કાવ્યબાની જે રીતે આત્મપ્રતિષ્ઠા જાળવે છે તે ઉલ્લેખનીય છે.
‘વિષાદને સાદ’માં કવિ વિષાદની વાત કરતાંયે આનંદની જ અભીપ્સાને વ્યંજિત કરે છે. ગરીબાઈ, સંકુચિતતા, શોષણખોરી, સત્તાભૂખ, યુદ્ધખોરી – આ સર્વનું બેહૂદાપણું એમને અકળાવે છે ને એ અકળામણ ‘ઘઉંમાં ચઢ્યાં કાંઈ ધનેરું’ એ રીતે; ભસ્માસુર, હિરણ્યકશિપુ, પૂતના આદિ પૌરાણિક પાત્રો ઘટનાઓના સંદર્ભથી, વિશિષ્ટ અર્થઘટન દ્વારા તેમ જ કટાક્ષ-વક્રતા દ્વારા તીક્ષ્ણ રીતે અભિવ્યક્ત થાય છે. આમ છતાં કવિની ભદ્રતા કે સમતા જોખમાતી હોય એવું એમની કાવ્યબાની દર્શાવતી નથી; એમની કાવ્યબાનીમાં જે એક આત્માનુભવે પ્રેરિત ગરિમાનો સ્પર્શ છે તે લેપાતો નથી. વિપરીત વહેણમાંયે એમની કાવ્યબાની જે રીતે આત્મપ્રતિષ્ઠા જાળવે છે તે ઉલ્લેખનીય છે.
 
રાજેન્દ્ર શાહની બાની ‘ચિત્રણા’ ‘મધ્યમા’ની કાવ્યરચનાઓમાં આંખ અને કાનના વિશિષ્ટ સહકારભાવે આગળ વધે છે. ‘પારિજાત’માં ‘કેસરધવલ તેજમ્હોરતું પ્રભાત’ જોવા માટે અને ‘ધંતૂરાનાં જૃંભિત અસ્થિધવલ ફૂલ’ ને ઓળખવા માટે ભાવકે કવિમન સુધી પહોંચવું જ પડે. રાજેન્દ્ર શાહનાં શબ્દચિત્રો અનિવાર્યતયા એમનાં સંવેદનચિત્રો છે. એમની કાવ્યબાનીમાં સપાટીનાં રૂપ નહીં મનમાં સંકુલ-નિગૂઢ રૂપોના સંચારો જોવા મળે છે. કુ. નર્મરા, શકુંતલા તથા સીતાની શબ્દચ્છવિઓમાં રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનું સામર્થ્ય જોઈ શકાશે.
રાજેન્દ્ર શાહની બાની ‘ચિત્રણા’ ‘મધ્યમા’ની કાવ્યરચનાઓમાં આંખ અને કાનના વિશિષ્ટ સહકારભાવે આગળ વધે છે. ‘પારિજાત’માં ‘કેસરધવલ તેજમ્હોરતું પ્રભાત’ જોવા માટે અને ‘ધંતૂરાનાં જૃંભિત અસ્થિધવલ ફૂલ’ ને ઓળખવા માટે ભાવકે કવિમન સુધી પહોંચવું જ પડે. રાજેન્દ્ર શાહનાં શબ્દચિત્રો અનિવાર્યતયા એમનાં સંવેદનચિત્રો છે. એમની કાવ્યબાનીમાં સપાટીનાં રૂપ નહીં મનમાં સંકુલ-નિગૂઢ રૂપોના સંચારો જોવા મળે છે. કુ. નર્મરા, શકુંતલા તથા સીતાની શબ્દચ્છવિઓમાં રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનું સામર્થ્ય જોઈ શકાશે.
‘મધ્યમા’માં દૈનંદિની’ તેમ જ ‘નિદ્રિત નયને’ ના બે કાવ્યસંપુટોમાં કવિ વાસ્તવિકતા અને સ્વપ્નમયતાનાં પરિમાણોમાં પોતાના કાવ્યાનુભવને પ્રગટ કરે છે. અહીં એમની બાની સંકુલ કલ્પનલીલામાંથી કંઇક અરૂઢ એવી અર્થલીલા નિષ્પન્ન કરે છે. એનુંયે ઊંડું આકલન કરવા જેવું છે.
 
રાજેન્દ્ર શાહની ગીતબાનીના વિકાસરૂપે ‘ઉદ્દગીતિ’ અવલોકવા જેવો કાવ્યગ્રંથ છે. એક બાજુ એમની વૃતબદ્ધ બાનીના એક નવા આવિષ્કારરૂપે ‘ઈક્ષણા’, તો ગઝલબાનીના આવિષ્કારરૂપે ‘પંચપર્વા’ ધ્યાનાર્હ છે. એક કવિ વૃતબદ્ધ કવિતા ને ગીતકવિતામાં દ્દઢઆસનબદ્ધ હોય તે જ્યારે ગઝલની લીલામાં ઝુકાવે ત્યારે તેની તે ચેષ્ટાયે રસપ્રદ તો લાગે જ. રાજેન્દ્ર શાહની ગઝલ રાજેન્દ્ર શાહની જ છે એમ કહેવું પડે એવું એનું બાનીનું પોત છે. એમની ગઝલના અવાજમાંયે અનાહત નાદ તો ઊતરે જ. આમ તો રાજેન્દ્ર શાહની સમસ્ત કાવ્યબાનીમાં એ નાદનું તત્ત્વ અનુસ્યૂત છે. કવિ રાજેન્દ્ર શાહના અવાજમાં શાશ્વતીનો અવાજ ભળ્યો જ છે. તેની તો મજા છે, તેનું તો મૂલ્ય છે.
‘મધ્યમા’માં ‘દૈનંદિની’ તેમ જ ‘નિદ્રિત નયને’ ના બે કાવ્યસંપુટોમાં કવિ વાસ્તવિકતા અને સ્વપ્નમયતાનાં પરિમાણોમાં પોતાના કાવ્યાનુભવને પ્રગટ કરે છે. અહીં એમની બાની સંકુલ કલ્પનલીલામાંથી કંઈક અરૂઢ એવી અર્થલીલા નિષ્પન્ન કરે છે. એનુંયે ઊંડું આકલન કરવા જેવું છે.
 
રાજેન્દ્ર શાહની ગીતબાનીના વિકાસરૂપે ‘ઉદ્‌ગીતિ’ અવલોકવા જેવો કાવ્યગ્રંથ છે. એક બાજુ એમની વૃતબદ્ધ બાનીના એક નવા આવિષ્કારરૂપે ‘ઈક્ષણા’, તો ગઝલબાનીના આવિષ્કારરૂપે ‘પંચપર્વા’ ધ્યાનાર્હ છે. એક કવિ વૃતબદ્ધ કવિતા ને ગીતકવિતામાં દૃઢઆસનબદ્ધ હોય તે જ્યારે ગઝલની લીલામાં ઝુકાવે ત્યારે તેની તે ચેષ્ટાયે રસપ્રદ તો લાગે જ. રાજેન્દ્ર શાહની ગઝલ રાજેન્દ્ર શાહની જ છે એમ કહેવું પડે એવું એનું બાનીનું પોત છે. એમની ગઝલના અવાજમાંયે અનાહત નાદ તો ઊતરે જ. આમ તો રાજેન્દ્ર શાહની સમસ્ત કાવ્યબાનીમાં એ નાદનું તત્ત્વ અનુસ્યૂત છે. કવિ રાજેન્દ્ર શાહના અવાજમાં શાશ્વતીનો અવાજ ભળ્યો જ છે. તેની તો મજા છે, તેનું તો મૂલ્ય છે.
 
રાજેન્દ્ર શાહની કવિતાનો સ્થાયી ભાવ આત્મભાવ છે. એમની કવિતાને સૌથી વધુ આત્મલક્ષી ભૂમિકા પર વિલસવાનું ગમ્યું છે; પરંતુ રાજેન્દ્ર શાહમાંના સર્જકે પરલક્ષી ભૂમિકાએ પણ કવિતાને ચલાવવાનાં સાહસો કર્યાં છે. ‘પ્રસંગસપ્તક’ એવાં સાહસોની જ એક ‘અરુણકથા’ છે. એમની કાવ્યબાનીમાં નાટ્યબાની થવાની ક્ષમતા કેટલી એ મહત્વનો પ્રશ્ન છે. જેમ ઉમાશંકરનું તેમ જ રાજેન્દ્ર શાહના આ ‘પ્રસંગસપ્તક’ની કાવ્યબાનીનું નાટ્યદ્રષ્ટિએ બારીક અન્વેષણ કરવા જેવું છે. ખાસ તો ત્રીજા અવાજની રીતે, નાટ્યપદ્યની અપેક્ષાના સંદર્ભમાં.
રાજેન્દ્ર શાહની કવિતાનો સ્થાયી ભાવ આત્મભાવ છે. એમની કવિતાને સૌથી વધુ આત્મલક્ષી ભૂમિકા પર વિલસવાનું ગમ્યું છે; પરંતુ રાજેન્દ્ર શાહમાંના સર્જકે પરલક્ષી ભૂમિકાએ પણ કવિતાને ચલાવવાનાં સાહસો કર્યાં છે. ‘પ્રસંગસપ્તક’ એવાં સાહસોની જ એક ‘અરુણકથા’ છે. એમની કાવ્યબાનીમાં નાટ્યબાની થવાની ક્ષમતા કેટલી એ મહત્વનો પ્રશ્ન છે. જેમ ઉમાશંકરનું તેમ જ રાજેન્દ્ર શાહના આ ‘પ્રસંગસપ્તક’ની કાવ્યબાનીનું નાટ્યદ્રષ્ટિએ બારીક અન્વેષણ કરવા જેવું છે. ખાસ તો ત્રીજા અવાજની રીતે, નાટ્યપદ્યની અપેક્ષાના સંદર્ભમાં.
રાજેન્દ્ર શાહની સર્જકતાને હજુ ઓટ નથી આવી એ એમનું કવિ તરીકેનું વીર્યત્વ પ્રગટ કરે છે. રાજેન્દ્ર શાહે ‘પત્રલેખા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’ અને ‘દ્વા સુપર્ણા’ આપણને આપ્યા છે. એમનો કવિકંઠ હજુ કાવ્યબાર્ન ની વિવિધ તરેહો નિપજાવવામાં સક્રિય છે. આ સક્રિયતા ‘મીઠા વગરના માણસ’ માટે ‘અલૂણ’ વાપરે, પ્રાસ માટે થઈને ‘માણેક’નું ‘માણિક’ કરે, ક્યારેક ‘જલતુષાર’ કે ‘વાદળી જલભીની’ જેવા શબ્દાળુતાનો વહેમ જન્માવે એવા ઉક્તિપ્રયોગો કરી બેસે એવું બંને, પણ એ સક્રિયતા જ શીમળામાં ‘ભિખ્ખુ’ ને દર્શાવી શકે છે. ‘સાબરનાં નીતરેલ નીર’માં ‘ઝાંઝવાનાં પાણી’યે દેખાડી શકે છે. એ સક્રિયતાએ જ ‘કાંટાળિયા અંધારની ડાળે રતૂમડો અંકોર’ ફૂટે છે અને ‘આયખા કેરા ઓઢણે મીઠી યાદ ભરી’ શકાય છે. આપણે રાજેન્દ્ર શાહની કાવ્યબાનીગત સક્રિયતાને રસપૂર્વક બિરદાવીએ અને એક કાવ્ય જેવું ‘આયુષ્યના અવશેષ’ માટે સર્જ્યું એવું અન્ય કાવ્ય આયુષ્યના પ્રારંભ માટેય સર્જે એમ વાંછીએ.
રાજેન્દ્ર શાહની સર્જકતાને હજુ ઓટ નથી આવી એ એમનું કવિ તરીકેનું વીર્યત્વ પ્રગટ કરે છે. રાજેન્દ્ર શાહે ‘પત્રલેખા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’ અને ‘દ્વા સુપર્ણા’ આપણને આપ્યા છે. એમનો કવિકંઠ હજુ કાવ્યબાર્ન ની વિવિધ તરેહો નિપજાવવામાં સક્રિય છે. આ સક્રિયતા ‘મીઠા વગરના માણસ’ માટે ‘અલૂણ’ વાપરે, પ્રાસ માટે થઈને ‘માણેક’નું ‘માણિક’ કરે, ક્યારેક ‘જલતુષાર’ કે ‘વાદળી જલભીની’ જેવા શબ્દાળુતાનો વહેમ જન્માવે એવા ઉક્તિપ્રયોગો કરી બેસે એવું બંને, પણ એ સક્રિયતા જ શીમળામાં ‘ભિખ્ખુ’ ને દર્શાવી શકે છે. ‘સાબરનાં નીતરેલ નીર’માં ‘ઝાંઝવાનાં પાણી’યે દેખાડી શકે છે. એ સક્રિયતાએ જ ‘કાંટાળિયા અંધારની ડાળે રતૂમડો અંકોર’ ફૂટે છે અને ‘આયખા કેરા ઓઢણે મીઠી યાદ ભરી’ શકાય છે. આપણે રાજેન્દ્ર શાહની કાવ્યબાનીગત સક્રિયતાને રસપૂર્વક બિરદાવીએ અને એક કાવ્ય જેવું ‘આયુષ્યના અવશેષ’ માટે સર્જ્યું એવું અન્ય કાવ્ય આયુષ્યના પ્રારંભ માટેય સર્જે એમ વાંછીએ.
Line 336: Line 341:


‘ધ્વનિ’ના કવિ તરીકે રાજેન્દ્ર શાહને સૌ કોઈ ઓળખે છે. ‘શાંત કોલાહલ’નો કવિ પેલા ‘ધ્વનિ’નો કવિ છે એવી પ્રતીતિ સંગ્રહમાંનાં કાવ્યો જોતાં સહેજમાં થઈ આવે છે.
‘ધ્વનિ’ના કવિ તરીકે રાજેન્દ્ર શાહને સૌ કોઈ ઓળખે છે. ‘શાંત કોલાહલ’નો કવિ પેલા ‘ધ્વનિ’નો કવિ છે એવી પ્રતીતિ સંગ્રહમાંનાં કાવ્યો જોતાં સહેજમાં થઈ આવે છે.
રાજેન્દ્ર શાહની કવિતાનાં કેટલાંક લાક્ષણિક તત્ત્વો, જે પ્રથમવાર ‘ધ્વનિ’માં દેખાયાં તે, અહીં પણ જોવા મળે છે. રાજેન્દ્ર શાહ અંતમુર્ખ કવિ છે. એમની કવિતાસૃષ્ટિ અહંના નાભિકેન્દ્રમાંથી કોઈ પદ્મની જેમ વિકસી છે. કવિ જીવનની વિવિધ અનુભૂતિઓ દ્વારા પોતાના સાચા સ્વરૂપને અવગત કરવા માગે છે. આમ ‘સ્વ’માં ‘સર્વ’નાં દર્શન કરવાની ઉત્કટ મનીષા એમનાં કાવ્યોમાં જોઈ શકાય છે. આ જ કારણે રાજેન્દ્ર શાહની કવિતામાં કોઈ સાંપ્રદાયિક અભિનિવેશ જોવા મળતો નથી. વિષયવૈવિધ્યના અભાવનું કારણ પણ એમની આ અંતર્મુખ મનોવૃત્તિનું પડેલું છે. રાજેન્દ્ર શાહને પાર્થિવ સ્વરૂપોનું આકર્ષણ કેવળ તે પાર્થિવ છે એટલા માટે નથી, પણ એ પાર્થિવ સ્વરૂપો પરમ ચૈતન્યના પ્રકાશને વહે છે તે માટે છે. રાજેન્દ્ર શાહની કવિતાનો વિકાસ અનુભૂતિનાં બાહ્ય-સ્થૂળ આવરણોને ભેદીને એના અંતસ્તલ સુધી પહોંચવાની એમની તીવ્ર મથામણમાં જોઈ શકાય છે. એમનો તત્ત્વરસ જ સૌંદર્યનિષ્ઠારૂપે કવિતામાં પરિણત થયો છે તેમની કવિતામાં ક્યાંય અવસાદ કે હતાશાનો ધ્વનિ મળતો નથી, કેમ કે તેમને પરમ તત્ત્વની ત્રિકાલાબાધિત સત્તામાં સંપૂર્ણ શ્રદ્ધા છે.
 
‘શાંત કોલાહલ’ શીર્ષક રાજેન્દ્ર શાહના કવિ માનસનો અણસાર આપી રહે છે. દેખીતા સંઘર્ષો તળે કવિ પરમ સંવાદિતાના તત્ત્વને જ કામ કરતું જુએ છે. કવિની દ્રષ્ટિ ઝીણી અને ઊંડી છે. તેઓ સાંપ્રત સંગ મોકળે મન રમવાની વાત કરે છે. કવિ વિશ્વના લખ રૂપોને પરમ રસપૂર્વક માણે છે. કવિને મન તો આ સૃષ્ટિ પર ‘અનંત ઓચ્છવ’ જ છે. પ્રત્યેક પળે કવિ ‘ચિરંતનને ઉષ્માભર્યા અભિનવ રૂપને સૌન્દર્ય’ પ્રગટ થતું અનુભવે છે. કવિને માટે કોઈને પણ ઉપેક્ષી કે તુચ્છકારી શકાય એવું રહ્યું નથી. આગતને તેઓ ઉમળકાથી આવકારવા સજ્જ થાય છે. કરાલ કે કોમળ બધા જ પ્રકારનાં સ્વરૂપોમાં કવિ એક અને અદ્વિતીય એવા પરમ તત્ત્વને-મહાકાલને ક્રીડતો જુએ છે. રાજેન્દ્ર શાહ પ્રકૃતિએ સ્વસ્થ કવિ છે. એટલે જ એમનાં કાવ્યોમાં પરમ તત્ત્વના અનુસંધાનમાં માનવ્યનું પણ સમ્યગ દર્શન શક્ય બન્યું છે.
રાજેન્દ્ર શાહની કવિતાનાં કેટલાંક લાક્ષણિક તત્ત્વો, જે પ્રથમવાર ‘ધ્વનિ’માં દેખાયાં તે, અહીં પણ જોવા મળે છે. રાજેન્દ્ર શાહ અંતમુર્ખ કવિ છે. એમની કવિતાસૃષ્ટિ અહમ્‌ના નાભિકેન્દ્રમાંથી કોઈ પદ્મની જેમ વિકસી છે. કવિ જીવનની વિવિધ અનુભૂતિઓ દ્વારા પોતાના સાચા સ્વરૂપને અવગત કરવા માગે છે. આમ ‘સ્વ’માં ‘સર્વ’નાં દર્શન કરવાની ઉત્કટ મનીષા એમનાં કાવ્યોમાં જોઈ શકાય છે. આ જ કારણે રાજેન્દ્ર શાહની કવિતામાં કોઈ સાંપ્રદાયિક અભિનિવેશ જોવા મળતો નથી. વિષયવૈવિધ્યના અભાવનું કારણ પણ એમની આ અંતર્મુખ મનોવૃત્તિનું પડેલું છે. રાજેન્દ્ર શાહને પાર્થિવ સ્વરૂપોનું આકર્ષણ કેવળ તે પાર્થિવ છે એટલા માટે નથી, પણ એ પાર્થિવ સ્વરૂપો પરમ ચૈતન્યના પ્રકાશને વહે છે તે માટે છે. રાજેન્દ્ર શાહની કવિતાનો વિકાસ અનુભૂતિનાં બાહ્ય-સ્થૂળ આવરણોને ભેદીને એના અંતસ્તલ સુધી પહોંચવાની એમની તીવ્ર મથામણમાં જોઈ શકાય છે. એમનો તત્ત્વરસ જ સૌંદર્યનિષ્ઠારૂપે કવિતામાં પરિણત થયો છે તેમની કવિતામાં ક્યાંય અવસાદ કે હતાશાનો ધ્વનિ મળતો નથી, કેમ કે તેમને પરમ તત્ત્વની ત્રિકાલાબાધિત સત્તામાં સંપૂર્ણ શ્રદ્ધા છે.
 
‘શાંત કોલાહલ’ શીર્ષક રાજેન્દ્ર શાહના કવિ માનસનો અણસાર આપી રહે છે. દેખીતા સંઘર્ષો તળે કવિ પરમ સંવાદિતાના તત્ત્વને જ કામ કરતું જુએ છે. કવિની દ્રષ્ટિ ઝીણી અને ઊંડી છે. તેઓ સાંપ્રત સંગ મોકળે મન રમવાની વાત કરે છે. કવિ વિશ્વના લખ રૂપોને પરમ રસપૂર્વક માણે છે. કવિને મન તો આ સૃષ્ટિ પર ‘અનંત ઓચ્છવ’ જ છે. પ્રત્યેક પળે કવિ ‘ચિરંતનને ઉષ્માભર્યા અભિનવ રૂપને સૌન્દર્ય’ પ્રગટ થતું અનુભવે છે. કવિને માટે કોઈને પણ ઉપેક્ષી કે તુચ્છકારી શકાય એવું રહ્યું નથી. આગતને તેઓ ઉમળકાથી આવકારવા સજ્જ થાય છે. કરાલ કે કોમળ બધા જ પ્રકારનાં સ્વરૂપોમાં કવિ એક અને અદ્વિતીય એવા પરમ તત્ત્વને મહાકાલને ક્રીડતો જુએ છે. રાજેન્દ્ર શાહ પ્રકૃતિએ સ્વસ્થ કવિ છે. એટલે જ એમનાં કાવ્યોમાં પરમ તત્ત્વના અનુસંધાનમાં માનવ્યનું પણ સમ્યગ્ દર્શન શક્ય બન્યું છે.
 
રાજેન્દ્ર શાહ સ્નેહમાં જીવનનું સારસર્વસ્વ જુએ છે. એમણે સ્નેહનું ઊલટથી ગાન કર્યું છે. એમણે મુગ્ધાવસ્થાના પ્રેમનું તરલમસ્ત રીતે નિરૂપણ કર્યું છે. એમનાં ગીતોમાં આ પ્રેમનો કસૂંબી રંગ રમણે ચડે છે; પણ રાજેન્દ્ર શાહને મન પ્રણય તે માત્ર બે ઘડીનો ખેલ નથી. સંસારનું કલ્યાણકેન્દ્ર તેઓ નિત્ય વિકાસશીલ દાંપત્યપ્રેમમાં જુએ છે. એમનો પ્રણયાનુભવ તત્ત્વાનુભવનું  જ અવાંતર રૂપ બની રહે છે. દાંપત્યજીવનમાં વિસંવાદિતાના તનિક અંશને પણ ચલાવી લેવા તેઓ તૈયાર નથી. ‘છલનિર્મલ’માં તેઓ કહે છે :
રાજેન્દ્ર શાહ સ્નેહમાં જીવનનું સારસર્વસ્વ જુએ છે. એમણે સ્નેહનું ઊલટથી ગાન કર્યું છે. એમણે મુગ્ધાવસ્થાના પ્રેમનું તરલમસ્ત રીતે નિરૂપણ કર્યું છે. એમનાં ગીતોમાં આ પ્રેમનો કસૂંબી રંગ રમણે ચડે છે; પણ રાજેન્દ્ર શાહને મન પ્રણય તે માત્ર બે ઘડીનો ખેલ નથી. સંસારનું કલ્યાણકેન્દ્ર તેઓ નિત્ય વિકાસશીલ દાંપત્યપ્રેમમાં જુએ છે. એમનો પ્રણયાનુભવ તત્ત્વાનુભવનું  જ અવાંતર રૂપ બની રહે છે. દાંપત્યજીવનમાં વિસંવાદિતાના તનિક અંશને પણ ચલાવી લેવા તેઓ તૈયાર નથી. ‘છલનિર્મલ’માં તેઓ કહે છે :
“આ માલિન્ય કેરા સ્પર્શ થકી હવે નહીં નહીં
{{block center|<poem>“આ માલિન્ય કેરા સ્પર્શ થકી હવે નહીં નહીં{{gap|4em}}
પ્રિય, તવ કરું અવમાન.”
{{gap|4em}}પ્રિય, તવ કરું અવમાન.”
{{Right|(પૃ.૬૦)}}
{{Right|(પૃ.૬૦)}} </poem>}}
આ કવિ ગૃહસ્થાઆશ્રમનો મહિમા પણ ‘મારું ઘર’, ‘ઓરડે અજવાળાં’, ‘શાંતિ’ જેવાં કાવ્યો દ્વારા નિર્દેશે છે. ‘મારું ઘર’ની નીચેની પંક્તિઓ ધ્યાનપાત્ર છે :
આ કવિ ગૃહસ્થાઆશ્રમનો મહિમા પણ ‘મારું ઘર’, ‘ઓરડે અજવાળાં’, ‘શાંતિ’ જેવાં કાવ્યો દ્વારા નિર્દેશે છે. ‘મારું ઘર’ની નીચેની પંક્તિઓ ધ્યાનપાત્ર છે :
“તે મારું કાળ-જૂનું ભવન; નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું :
{{block center|<poem>“તે મારું કાળ-જૂનું ભવન; નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું :
એની સર્વત્ર. જ્યાં જ્યાં ગતિ મુજ ત્યહિં, રેલાય છાયા અદીઠ.
એની સર્વત્ર. જ્યાં જ્યાં ગતિ મુજ ત્યહિં, રેલાય છાયા અદીઠ.
ક્ષેત્રે સંકલ્પ કેરાં અગણિત કંઈ જે બીજ વેરેલ તેનું  
ક્ષેત્રે સંકલ્પ કેરાં અગણિત કંઈ જે બીજ વેરેલ તેનું  
કૉળેલું સ્વપ્ન જાણે અનિમિષ દ્દગ માંડી નિહાળે વ્યતીત!”
કૉળેલું સ્વપ્ન જાણે અનિમિષ દ્દગ માંડી નિહાળે વ્યતીત!”
{{Right|(પૃ. ૧૦૩)}}
{{Right|(પૃ. ૧૦૩)}} </poem>}}
કવિનું ઘર ચાલ દિવાલો વચ્ચે પુરાયેલું નથી. કવિનું ઘર તો અવકાશ-મોકળું છે. એમાં બંધન નહી, પણ મુક્તિ છે. ‘શાંતિ’માં ઘરના સાયંકાલના વાતાવરણનું રમણીય ચિત્ર મળે છે :
કવિનું ઘર ચાલ દિવાલો વચ્ચે પુરાયેલું નથી. કવિનું ઘર તો અવકાશ-મોકળું છે. એમાં બંધન નહી, પણ મુક્તિ છે. ‘શાંતિ’માં ઘરના સાયંકાલના વાતાવરણનું રમણીય ચિત્ર મળે છે :
“ઘર મહીં સહુ નાનાં મોટાં મળે; નિજ ક્ષેત્રનો  
{{block center|<poem>“ઘર મહીં સહુ નાનાં મોટાં મળે; નિજ ક્ષેત્રનો  
શ્રમ સકલ આંહી ભૂલાતો પરસ્પર હૂંફમાં,
શ્રમ સકલ આંહી ભુલાતો પરસ્પર હૂંફમાં,
શિશુની કલવાણી : ગૌરીને ગળે લય પ્રેમનો  
શિશુની કલવાણી : ગૌરીને ગળે લય પ્રેમનો  
પ્રગટી અઘરે આવી આછો રમે કંઈ ક્ષોભમાં.”
પ્રગટી અઘરે આવી આછો રમે કંઈ ક્ષોભમાં.”
{{Right|(પૃ. ૧૧૨)}}
{{Right|(પૃ. ૧૧૨)}}</poem>}}
 
રાજેન્દ્ર શાહની કવિત્વશક્તિનો ઉન્મેષ અહીં જોઈ શકાય છે. ગોપકાવ્યોમાં વાતાવરણનો મધુર અમલ ચઢાવનાર આ કવિ અહીં પણ પ્રસન્નતાની હવા જમાવી શક્યા છે.
રાજેન્દ્ર શાહની કવિત્વશક્તિનો ઉન્મેષ અહીં જોઈ શકાય છે. ગોપકાવ્યોમાં વાતાવરણનો મધુર અમલ ચઢાવનાર આ કવિ અહીં પણ પ્રસન્નતાની હવા જમાવી શક્યા છે.
રાજેન્દ્ર શાહની આરંભની રાગિણી-વિષયક સૉનેટમાળા અને વનવાસીનાં ગીતો આ સંગ્રહનું વિશિષ્ટ પાસું છે. એમની ચિત્રનિર્માણશક્તિનો હૃદ્ય પરિચય અહીં મળે છે. સ્વચ્છ રેખાઓમાં જીવનસંગીતના આધારે રાગસંગીતને શબ્દચિત્રોમાં સાકાર કરવામાં કવિ સફળ થયા છે. એમની કમનીય, મંજુલ પદાવલિનું સામર્થ્ય પણ એમાં જોઈ શકાશે. સૉનેટની સુઘડતા પણ કવિએ જાળવી છે.
રાજેન્દ્ર શાહની આરંભની રાગિણી-વિષયક સૉનેટમાળા અને વનવાસીનાં ગીતો આ સંગ્રહનું વિશિષ્ટ પાસું છે. એમની ચિત્રનિર્માણશક્તિનો હૃદ્ય પરિચય અહીં મળે છે. સ્વચ્છ રેખાઓમાં જીવનસંગીતના આધારે રાગસંગીતને શબ્દચિત્રોમાં સાકાર કરવામાં કવિ સફળ થયા છે. એમની કમનીય, મંજુલ પદાવલિનું સામર્થ્ય પણ એમાં જોઈ શકાશે. સૉનેટની સુઘડતા પણ કવિએ જાળવી છે.
વનવાસીનાં ગીતોમાં વનવાસીનાં જીવન-પ્રકૃતિને કેન્દ્રમાં રાખી પ્રધાનત: પ્રેમ-વીરતાનું મુગ્ધ-મુક્ત ગાન કવિએ છેડ્યું છે. પ્રકૃતિનાં અવનવાં રૂપોની સાથે વનવાસીના મનનું તાદાત્મ્ય કવિએ ઉપસાવ્યું છે. તળપદી બોલીની લઢણોનો પણ વિવેકપુરસ્સર અહીં ઉપયોગ થયો છે. આ કાવ્યોમાં ગીતોના પ્રલંબ લય હિલ્લોલમાં વક્તવ્યને છૂટું લહેરાતું મૂકી દેવાની રાજેન્દ્ર શાહની રીતિ ઉલ્લેખનીય છે.
 
રાજેન્દ્ર શાહ દેશનાં કેટલાંક અનિષ્ટોનો કવિતામાં પડઘો પાડે છે. આમાં એમની સ્વદેશદાઝ - આગળ વધીને કહેવું હોય તો સત્યદાઝ - તરી આવે છે. તેઓ તત્ત્વપૂત દ્રષ્ટિથી જ અનિષ્ટોના પ્રેરક વેતાલનું નિવારણ થઈ શકશે એમ માને છે; એ વિના પોતાનો કે દેશનો ઉદ્ધાર નહિ થાય એ વિશે તેમને દૃઢ પ્રતીતિ છે.
વનવાસીનાં ગીતોમાં વનવાસીનાં જીવન-પ્રકૃતિને કેન્દ્રમાં રાખી પ્રધાનત: પ્રેમ-વીરતાનું મુગ્ધ-મુક્ત ગાન કવિએ છેડ્યું છે. પ્રકૃતિનાં અવનવાં રૂપોની સાથે વનવાસીના મનનું તાદાત્મ્ય કવિએ ઉપસાવ્યું છે. તળપદી બોલીની લઢણોનો પણ વિવેકપુરસ્સર અહીં ઉપયોગ થયો છે. આ કાવ્યોમાં ગીતોના પ્રલંબ લયહિલ્લોલમાં વક્તવ્યને છૂટું લહેરાતું મૂકી દેવાની રાજેન્દ્ર શાહની રીતિ ઉલ્લેખનીય છે.
 
રાજેન્દ્ર શાહ દેશનાં કેટલાંક અનિષ્ટોનો કવિતામાં પડઘો પાડે છે. આમાં એમની સ્વદેશદાઝ આગળ વધીને કહેવું હોય તો સત્યદાઝ તરી આવે છે. તેઓ તત્ત્વપૂત દૃષ્ટિથી જ અનિષ્ટોના પ્રેરક વેતાલનું નિવારણ થઈ શકશે એમ માને છે; એ વિના પોતાનો કે દેશનો ઉદ્ધાર નહિ થાય એ વિશે તેમને દૃઢ પ્રતીતિ છે.
 
રાજેન્દ્ર શાહની કવિતામાં ક્યારેક તત્ત્વભાર વરતાય છે; તેમ છતાં એમની કવિતા એકંદરે ‘તત્ત્વનું ટૂંપણું’ થવામાંથી બચી છે. જેમ કોઈ અભ્ર પોતાની રસશક્તિથી સૂર્યના કિરણની આંતરસુષમાને સપ્તરંગમાં પ્રગટ કરે છે તેમ રાજેન્દ્ર શાહે જીવનની આંતરસુષમાને અવનવા પ્રકાશરંગો દ્વારા કવિતામાં પ્રગટ કરી બતાવી છે. ‘લાવણ્ય ભીતરનું દાખવતી લલામ’ એવી એમની કાવ્યસૃષ્ટિ છે. રાજેન્દ્ર શાહની દ્રષ્ટિનો વ્યાપ બૃહત્ છે; તેમણે જીવનનું ખંડદર્શન અભિમત નથી. પ્રત્યેક પળને મહાકાલના સંદર્ભમાં મૂલવવાનું એ પસંદ કરે છે. આ કારણે રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિ ભિન્ન રુચિવાળા ને છતાં સુરુચિવાળા સર્વ વાચકોને આંનદપ્રદ થઈ પડે છે.
રાજેન્દ્ર શાહની કવિતામાં ક્યારેક તત્ત્વભાર વરતાય છે; તેમ છતાં એમની કવિતા એકંદરે ‘તત્ત્વનું ટૂંપણું’ થવામાંથી બચી છે. જેમ કોઈ અભ્ર પોતાની રસશક્તિથી સૂર્યના કિરણની આંતરસુષમાને સપ્તરંગમાં પ્રગટ કરે છે તેમ રાજેન્દ્ર શાહે જીવનની આંતરસુષમાને અવનવા પ્રકાશરંગો દ્વારા કવિતામાં પ્રગટ કરી બતાવી છે. ‘લાવણ્ય ભીતરનું દાખવતી લલામ’ એવી એમની કાવ્યસૃષ્ટિ છે. રાજેન્દ્ર શાહની દ્રષ્ટિનો વ્યાપ બૃહત્ છે; તેમણે જીવનનું ખંડદર્શન અભિમત નથી. પ્રત્યેક પળને મહાકાલના સંદર્ભમાં મૂલવવાનું એ પસંદ કરે છે. આ કારણે રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિ ભિન્ન રુચિવાળા ને છતાં સુરુચિવાળા સર્વ વાચકોને આંનદપ્રદ થઈ પડે છે.
રાજેન્દ્ર શાહના ચારેય સંગ્રહો સાથે લેતાં એમાં He repeats himself જેવી પરિસ્થિતિ કેટલેક અંશે જણાવાનો સંભવ રહે છે, પણ એકંદરે જોતાં કવિ પોતાની રૂઢ થઈ ગયેલી રીતિમાંથી બહાર નીકળી જવા સર્ચિત છે. આધુનિક કવિતાનાં કેટલાંક ચલનવલનોનું પ્રતિબિંબ ‘શ્વાનસંગી’, ‘ક્ષણને આધાર’, ‘મેડીને એકાન્ત’, ‘સ્મરણ’ વગેરે કાવ્યોમાં ઝીલી બતાવ્યું છે. અભિવ્યક્તિ અંગેની સભાનતા ભાવપ્રતીકો અને છંદોલયની બાબતમાં તો ખાસ જોઈ શકાય છે. આવાં કાવ્યોમાં ક્યારેક કવિનો કસબ જ આગળ પડી આવતો જોઈ શકાય છે.
 
રાજેન્દ્ર શાહ ભાષારીતિમાં ટાગોરનું અનુકરણ કરે છે એમ કહેવા કરતાં એમના કવિમાનસના ઘડતરમાં ટાગોરનું પ્રદાન મહત્વનું છે એમ કહેવું ઉચિત છે. સંસ્કૃત તત્સમ શબ્દોનો ભાર ક્યારેક કવિતાની પ્રફુલ્લ ગતિને મંથર કે સ્ખલિત કરી દે છે; તેમ છતાં સમગ્રતયા અવલોકતાં કાન્ત, ઉમાશંકરની જેમ આ કવિની સૌષ્ઠવપ્રિયતા એમની એક વિશેષતા લેખાશે. આ સંગ્રહમાં કવિની વિકાસોન્મુખતા અપષ્ટ જણાય છે, જોકે દરેક કવિની પોતાની એક લાક્ષણિક ચાલ હોય છે અને એમાંથી છૂટવું મુશ્કેલ હોય છે. રાજેન્દ્ર શાહને એ મુશ્કેલી છે જ. એમનું કવિ તરીકેનું સ્નિગ્ધગંભીર વ્યક્તિત્વ આસ્વાદ્ય છે, છતાં એમનાં કેટલાંક પ્રણયગીતોમાં અને ‘ફેરિયો અને ફક્કડ’ જેવા કાવ્યમાં ક્યાંય ચમકતી હળવાશ વધુ પ્રમાણમાં માણવા મળે એવી અપેક્ષા રહે છે. એકંદરે એમની કવિતા ધ્યાનસ્થ પ્રસન્ન યોગિનીના જેવી છે. ભાવકને ક્યારેક એવું થાય કે જરા ધ્યાનભંગ થાય, અસ્વસ્થ થાય અને એની ધીર ચાલ અને ગંભીર મુદ્રા બદલે!
રાજેન્દ્ર શાહના ચારેય સંગ્રહો સાથે લેતાં એમાં He repeats himself જેવી પરિસ્થિતિ કેટલેક અંશે જણાવાનો સંભવ રહે છે, પણ એકંદરે જોતાં કવિ પોતાની રૂઢ થઈ ગયેલી રીતિમાંથી બહાર નીકળી જવા સચિંત છે. આધુનિક કવિતાનાં કેટલાંક ચલનવલનોનું પ્રતિબિંબ ‘શ્વાનસંગી’, ‘ક્ષણને આધાર’, ‘મેડીને એકાન્ત’, ‘સ્મરણ’ વગેરે કાવ્યોમાં ઝીલી બતાવ્યું છે. અભિવ્યક્તિ અંગેની સભાનતા ભાવપ્રતીકો અને છંદોલયની બાબતમાં તો ખાસ જોઈ શકાય છે. આવાં કાવ્યોમાં ક્યારેક કવિનો કસબ જ આગળ પડી આવતો જોઈ શકાય છે.
 
રાજેન્દ્ર શાહ ભાષારીતિમાં ટાગોરનું અનુકરણ કરે છે એમ કહેવા કરતાં એમના કવિમાનસના ઘડતરમાં ટાગોરનું પ્રદાન મહત્ત્વનું છે એમ કહેવું ઉચિત છે. સંસ્કૃત તત્સમ શબ્દોનો ભાર ક્યારેક કવિતાની પ્રફુલ્લ ગતિને મંથર કે સ્ખલિત કરી દે છે; તેમ છતાં સમગ્રતયા અવલોકતાં કાન્ત, ઉમાશંકરની જેમ આ કવિની સૌષ્ઠવપ્રિયતા એમની એક વિશેષતા લેખાશે. આ સંગ્રહમાં કવિની વિકાસોન્મુખતા સ્પષ્ટ જણાય છે, જોકે દરેક કવિની પોતાની એક લાક્ષણિક ચાલ હોય છે અને એમાંથી છૂટવું મુશ્કેલ હોય છે. રાજેન્દ્ર શાહને એ મુશ્કેલી છે જ. એમનું કવિ તરીકેનું સ્નિગ્ધગંભીર વ્યક્તિત્વ આસ્વાદ્ય છે, છતાં એમનાં કેટલાંક પ્રણયગીતોમાં અને ‘ફેરિયો અને ફક્કડ’ જેવા કાવ્યમાં ક્યાંય ચમકતી હળવાશ વધુ પ્રમાણમાં માણવા મળે એવી અપેક્ષા રહે છે. એકંદરે એમની કવિતા ધ્યાનસ્થ પ્રસન્ન યોગિનીના જેવી છે. ભાવકને ક્યારેક એવું થાય કે જરા ધ્યાનભંગ થાય, અસ્વસ્થ થાય અને એની ધીર ચાલ અને ગંભીર મુદ્રા બદલે!
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu