જનાન્તિકે/એકતાલીસ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|એકતાલીસ|સુરેશ જોષી}} {{Poem2Open}} નોકરી કરવા જાઉં છું ત્યાં બારીમ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|એકતાલીસ|સુરેશ જોષી}}
{{Heading|એકલીસ|સુરેશ જોષી}}


{{Poem2Open}}
{{Poem2Open}}
નોકરી કરવા જાઉં છું ત્યાં બારીમાંથી નજર કરું છું તો એક પ્રચણ્ડકાય વૃક્ષરાજને જોઉં છું, એને ગળે લેટિન ભાષામાં લખેલા એના નામનું પાટિયું ટાંગ્યું છે જોઈને નંબરવાળો ડગલો પહેરતા જેલના કેદી યાદ આવે છે. બોટનિકલ ગાર્ડનના વનસ્પતિપરિવાર વચ્ચે આરણ્યકનો મેળ ખાતો નથી. એના પર્ણમર્મરનો છન્દ સાંભળું છું ને મારામાં રહેલો આરણ્યક એમાં સાદ પૂરાવે છે. સૂડાઓનું ટોળું આવીને એના પર બેસે છે. એ શુકપંક્તિનો વિન્યાસ હું બેઠો બેઠો જોયા કરું છું. એ વૃક્ષરાજની આજુબાજુ વિષાદનો પરિવેશ છે, એકાકીપણાના વર્તુળમાં પુરાઈને એ જે દીનતા ધારણ કરે છે તે નથી સહેવાતી. એની અને મારી શિરાઓમાં ઝંઝાવાતનો ઉદ્દામ લય છે. પુસ્તકોના ઢગ વચ્ચે ઠાવકું મોં રાખીને જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ સાથે વાતો કરતો હોઉં છું ત્યારે મારામાં વસતો ઘણાં વર્ષો પહેલાંનો એ કિશોર છલાંગ ભરીને વૃક્ષની સૌથી ઊંચી ડાળે ચઢીને હીંચવા અધીરો બનીને બેઠો હોય છે, અહીંના સભ્ય પણ્ડિતો વચ્ચે એવું વન્ય વર્તન કાંઈ કોઈ નભાવી નહીં લે, માટે ગમ ખાઈને બેસી રહું છું. મારા ચિત્તના નેપથ્યમાં સ્તબ્ધ બનીને ઊબેલા વૃક્ષ પરથી શુકપંક્તિઓ પાંખ ફફડાવતીકને ઊડી જાય છે.
મૂશળધાર વરસાદ પડે છે. એ જોતાં બૉદ્લેરની પેલી પંક્તિ મનમાં ઝબકી જાય છે :
 
{{space}}When the long lines
{{space}}of rain
{{space}}Are like the bars of a
{{space}}vast prison
 
‘Prison’ જોડે ‘vast’ વિશેષણ મૂકવાથી આખી વાત કેવી ભયંકર બની જાય છે! વિશાળ કારાગારમાંથી મુક્ત કરવાનું વસુદેવકૃત્ય કોણ કરશે? આ પંક્તિ યાદ આવતાં જ મન બૉદ્લેરની કાવ્યસૃષ્ટિની આબોહવામાં ચાલ્યું જાય છે. વિશાળ આકાશ પોતે જ ભારે વજનના ઢાંકણની જેમ સૃષ્ટિને ઢાંકી દે છે. એ ઢાંકણ વસાઈ ગયા પછી નાસી છૂટવાનો માર્ગ જ ક્યાં રહ્યો? આકાશ જ અવકાશ આપે, પણ એ જ જો ઢાંકણ બનીને આપણને પૂરી દે તો અકાવશ ક્યાં રહ્યો? અલંકારશાસ્ત્રમાં જે હીનોપમા ગણાય તે કાવ્યમાં હમેશા હીન બની રહે એવું નથી. અહીં હીનોપમાનું સામર્થ્ય જોઈ શકાશે. અસંખ્ય ઉપાધિઓના ભાર નીચે કચડાઈને કણસતા જીવ ઉપર ઢાંકણ વસાઈ જાય છે. એ આખી ક્ષિતિજને ઢાંકી દે છે ને એને પરિણામે જે દિવસ આપણે નસીબે રહે છે તે રાતથી ય વધુ ગ્લાનિભર્યો હોય છે. આ પછી બૉદ્લેર જે જે કાંઈ વિશાળ પરિમાણ ધરાવે છે તેને સંકોચતો જાય છે. આથી આપણા પ્રાણ પણ ભીંસાઈ સંકોચાઈને રૂંધાવા માંડે છે, પણ આકાશ જ જ્યાં ઢાંકણની જે વસાઈ ગયું હોય ત્યાં નાસી છૂટવાનો રસ્તો જ ક્યાંથી રહે? પરિમાણના આ સંકોચથી જે ભયાનક નિષ્પન્ન થાય છે તેનો સ્વાદ આ કવિતામાં છે. ધરતી આખી ભેજવાળી અંધારી કોટડીના જેવી બની જાય છે ને એની અંદર આશા ભીરુ ચામાચીડિયાની જેમ લૂણો લાગેલી છત સાથે માથું પટક્યા કરે છે, આવે વખતે આપણા મગજની અંદર જુગુપ્સાજનક કરોળિયાનું ટોળું ચૂપચાપ જાળ બાંધ્યા કરતું હોય એવું લાગે છે. ત્યાં એકાએક પ્રાત:કાળની પ્રાર્થનાનો ઘંટારવ ક્યાંકથી સંભળાય છે. પણ આ વાતાવરણમાં એનો આખો સંકેત ફરી જાય છે. એનો નાદ જાણે રોષથી છલાંગ ભરીને આકાશ સામે ઘૂરકી રહે છે. નિરાશ્રિત ભૂતપ્રેતની જેમ હતાશ બનીને એ કણસ્યા કરે છે. એવી પળે ચિત્તના નેપથ્યમાંથી કશાં ઢોલત્રાંસાં વગાડયા વિના કાંઈ કેટલા ય જનાજા મૂંગા મૂંગા એકધારા પસાર થતા હોય એવું લાગે છે. હારી ગયેલી આશા ક્રંદન કરે છે ને આપણી ઝૂકેલી ખોપરી પર આપખુદ ભીતિ પોતે એના વિજયની કાળી પતાકા ફરકાવી દે છે. આવા દિવસે એ કાળી પતાકા સિવાય બીજું કશું ક્યાંક ફરકતું દેખાતું નથી. જયદેવની મેઘમેદુર સૃષ્ટિથી આ સૃષ્ટિ સાવ જુદી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu