ભારતીયકથાવિશ્વ-૫/ભારતીયકથાવિશ્વ૫: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
()
Line 857: Line 857:
આ સાંભળીને બધા ઠગને ગુસ્સો આવ્યો. વેંતિયાને ઊંઘતો જ બાંધી દેવાનું નક્કી કર્યું. વેંતિયો ઊંઘતો હતો ત્યાં જઈને તેને ખાટલા સાથે જ બાંધી દીધો. ‘હવે વાવમાં નાંખી દઈએ તો જિંદગીમાં ક્યારેય પાછો ન આવે અને પછી એની બધી માલમિલકત આપણે લઈ લઈએ.’ આમ વિચારીને વેંતિયાને જંગલમાં લઈ ગયા. ખાટલા સાથે બાંધેલો એટલે હલીચલી શકાય નહીં. ઓછા વજનથી ખાટલો વાવમાં ડૂબે નહીં એટલે વજન વધારવા ખાટલા સાથે પથ્થર બાંધવાનું નક્કી કર્યું ને એ માટે મોટા મોટા પથ્થર ગોતવા ગયા. ખાટલો ત્યાં એક બાજુ મૂક્યો. એટલામાં દૂરથી એક રબારી ત્રણસો ચારસો સાંઢો લઈને આવતો દેખાયો. એને જોઈને વેંતિયાએ રડવાનું ચાલુ કર્યું. ને બબડવા માંડ્યો. ‘મારે પરણવું નથી તોય મારા ભાઈઓ મને પરણાવે છે. હું જેટલી વાર પરણ્યો એટલી વાર મારી બૈરી મરી ગઈ.’ રબારીએ આ વાત સાંભળી. તેણે પૂછ્યું, ‘શું થયું છે ભાઈ?’ વેંતિયો કહે, ‘મારા ભાઈઓએ મને સાત વાર પરણાવ્યો પણ એકેય વાર મારી બૈરી જીવતી રહી નહીં. ફ્રી વખત મને પરણાવે છે. મારે શું કરવું?’ રબારીએ આમતેમ જોયું પછી કહે, ‘અહીં તો કોઈ દેખાતું નથી.’ વેંતિયો કહે, ‘મારા ભાઈઓ કન્યા શોધવા ગયા છે. હું નાસી ન જઉ એટલે મને બાંધી દીધો છે.’ રબારી કહે, ‘હું વાંઢો છું.’ વેંતિયો કહે, ‘જો તારે પરણવું હોય તો મને છોડ. હમણાં એ બધાં આવી જશે. પછી એ કહે એમ તારે કરવાનું. કાંઈ બોલવાનું નહીં.’ રબારીને તો આ જ જોઈતું’તું. તેણે વેંતિયાને છોડ્યો. વેંતિયાએ રબારીને ખાટલા સાથે બાંધી દીધો. ને બધી સાંઢો લઈને નીકળી ગયો. થોડી વારમાં પેલા ભાઈઓ આવ્યા ને કાંઈ પણ જોયા વિના ખાટલાના પાયે પથ્થર બાંધીને ખાટલો વાવમાં નાખી દીધો.  
આ સાંભળીને બધા ઠગને ગુસ્સો આવ્યો. વેંતિયાને ઊંઘતો જ બાંધી દેવાનું નક્કી કર્યું. વેંતિયો ઊંઘતો હતો ત્યાં જઈને તેને ખાટલા સાથે જ બાંધી દીધો. ‘હવે વાવમાં નાંખી દઈએ તો જિંદગીમાં ક્યારેય પાછો ન આવે અને પછી એની બધી માલમિલકત આપણે લઈ લઈએ.’ આમ વિચારીને વેંતિયાને જંગલમાં લઈ ગયા. ખાટલા સાથે બાંધેલો એટલે હલીચલી શકાય નહીં. ઓછા વજનથી ખાટલો વાવમાં ડૂબે નહીં એટલે વજન વધારવા ખાટલા સાથે પથ્થર બાંધવાનું નક્કી કર્યું ને એ માટે મોટા મોટા પથ્થર ગોતવા ગયા. ખાટલો ત્યાં એક બાજુ મૂક્યો. એટલામાં દૂરથી એક રબારી ત્રણસો ચારસો સાંઢો લઈને આવતો દેખાયો. એને જોઈને વેંતિયાએ રડવાનું ચાલુ કર્યું. ને બબડવા માંડ્યો. ‘મારે પરણવું નથી તોય મારા ભાઈઓ મને પરણાવે છે. હું જેટલી વાર પરણ્યો એટલી વાર મારી બૈરી મરી ગઈ.’ રબારીએ આ વાત સાંભળી. તેણે પૂછ્યું, ‘શું થયું છે ભાઈ?’ વેંતિયો કહે, ‘મારા ભાઈઓએ મને સાત વાર પરણાવ્યો પણ એકેય વાર મારી બૈરી જીવતી રહી નહીં. ફ્રી વખત મને પરણાવે છે. મારે શું કરવું?’ રબારીએ આમતેમ જોયું પછી કહે, ‘અહીં તો કોઈ દેખાતું નથી.’ વેંતિયો કહે, ‘મારા ભાઈઓ કન્યા શોધવા ગયા છે. હું નાસી ન જઉ એટલે મને બાંધી દીધો છે.’ રબારી કહે, ‘હું વાંઢો છું.’ વેંતિયો કહે, ‘જો તારે પરણવું હોય તો મને છોડ. હમણાં એ બધાં આવી જશે. પછી એ કહે એમ તારે કરવાનું. કાંઈ બોલવાનું નહીં.’ રબારીને તો આ જ જોઈતું’તું. તેણે વેંતિયાને છોડ્યો. વેંતિયાએ રબારીને ખાટલા સાથે બાંધી દીધો. ને બધી સાંઢો લઈને નીકળી ગયો. થોડી વારમાં પેલા ભાઈઓ આવ્યા ને કાંઈ પણ જોયા વિના ખાટલાના પાયે પથ્થર બાંધીને ખાટલો વાવમાં નાખી દીધો.  
ઘેર જઈને જુએ છે તો તો વેંતિયો બેઠો બેઠો હૂકો પીએ છે! સાથે ડેંકારતી સાંઢોય બેઠી છે. બધાં ભાઈઓ વિચારે કે આને વાવમાં નાખ્યો તોય અહીં સાંઢો લઈને કેવી રીતે બેઠો? તેમણે વેંતિયાને આ અંગે પૂછ્યું. વેંતિયો કહે ‘શું વાત કરું મામા? નાખ્યો નાખ્યો ને વાવની વચમાં કેમ ન નાખ્યો? હું તો આટલી જ સાંઢો લાવી શક્યો છું. હજી બીજી તો કેટલીયે ત્યાં છે.’ બધા કહે, ‘વેંતિયા, અમારેય સાંઢો લાવવી છે.’ વેંતિયો કહે, ‘ચાલો, ઘંટીના પડ લાવો.’ બધા પોતપોતાના ઘરેથી ઘંટીનાં પડ લાવ્યા ને ઊભા રહ્યા. વેંતિયાએ વિચાર્યું કે જો એક પછી એક વાવમાં પડશે તો એક બહાર નહીં નીકળે ત્યાં સુધી બીજો અંદર નહીં પડે. માટે એણે સાતેયને એકસાથે ઊભા રાખી ઘંટીઓનાં પડ બરાબર સાથે બાંધીને, એક, બે, ત્રણ બોલાય પછી સૌએ એક સાથે પડવું તેમ સૂચના આપી. આમ, બધાંય એકસાથે વાવમાં પડ્યા ને સૌના રામ રમી ગયા.  
ઘેર જઈને જુએ છે તો તો વેંતિયો બેઠો બેઠો હૂકો પીએ છે! સાથે ડેંકારતી સાંઢોય બેઠી છે. બધાં ભાઈઓ વિચારે કે આને વાવમાં નાખ્યો તોય અહીં સાંઢો લઈને કેવી રીતે બેઠો? તેમણે વેંતિયાને આ અંગે પૂછ્યું. વેંતિયો કહે ‘શું વાત કરું મામા? નાખ્યો નાખ્યો ને વાવની વચમાં કેમ ન નાખ્યો? હું તો આટલી જ સાંઢો લાવી શક્યો છું. હજી બીજી તો કેટલીયે ત્યાં છે.’ બધા કહે, ‘વેંતિયા, અમારેય સાંઢો લાવવી છે.’ વેંતિયો કહે, ‘ચાલો, ઘંટીના પડ લાવો.’ બધા પોતપોતાના ઘરેથી ઘંટીનાં પડ લાવ્યા ને ઊભા રહ્યા. વેંતિયાએ વિચાર્યું કે જો એક પછી એક વાવમાં પડશે તો એક બહાર નહીં નીકળે ત્યાં સુધી બીજો અંદર નહીં પડે. માટે એણે સાતેયને એકસાથે ઊભા રાખી ઘંટીઓનાં પડ બરાબર સાથે બાંધીને, એક, બે, ત્રણ બોલાય પછી સૌએ એક સાથે પડવું તેમ સૂચના આપી. આમ, બધાંય એકસાથે વાવમાં પડ્યા ને સૌના રામ રમી ગયા.  
ગોવાળિયાનું આસન
===ગોવાળિયાનું આસન ===
એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક સોની અને એક બ્રાહ્મણ રહે. બેય એવા દોસ્તાર કે એક જ ભાણે ખાય. એક વખત સોનીના મનમાં થયું કે પરદેશ કમાવા જઈએ. તેણે બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણ કહે, ‘દોસ્ત, આપણા ગામમાં પેટ ભરીને ખાવાનું મળી રહે છે તો શું કરવા પરદેશ કમાવા જવું?’ સોની કહે, ‘ગામમાં પેટ ભરીને ખાવાનું તો મળી રહે છે પણ પેટી ભરાતી નથી.’ પછી બેય જણા ઊપડી ગયા પરદેશ કમાવા. પરદેશમાં સોનીનું ઘડવાનું કામ બહુ વખણાવા માંડ્યું ને થોડા દિવસમાં બ્રાહ્મણનું વિદ્યાકાર્ય પણ વખણાવા માંડ્યું. આમ બન્નેનો ધંધો સારો ચાલ્યો.  
એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક સોની અને એક બ્રાહ્મણ રહે. બેય એવા દોસ્તાર કે એક જ ભાણે ખાય. એક વખત સોનીના મનમાં થયું કે પરદેશ કમાવા જઈએ. તેણે બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણ કહે, ‘દોસ્ત, આપણા ગામમાં પેટ ભરીને ખાવાનું મળી રહે છે તો શું કરવા પરદેશ કમાવા જવું?’ સોની કહે, ‘ગામમાં પેટ ભરીને ખાવાનું તો મળી રહે છે પણ પેટી ભરાતી નથી.’ પછી બેય જણા ઊપડી ગયા પરદેશ કમાવા. પરદેશમાં સોનીનું ઘડવાનું કામ બહુ વખણાવા માંડ્યું ને થોડા દિવસમાં બ્રાહ્મણનું વિદ્યાકાર્ય પણ વખણાવા માંડ્યું. આમ બન્નેનો ધંધો સારો ચાલ્યો.  
એક દિવસ સોની બ્રાહ્મણ પાસે આવીને કહે, ‘દોસ્ત, આપણે જે થોડું ઘણું કમાયા છીએ તે ઘેર લઈ જઈએ ને બૈરાં-છોકરાંને સારું ખવડાવીએ.’ બ્રાહ્મણ કહે ‘સારું જઈએ.’ બંને જવાની તૈયારીમાં હતા ત્યાં રાજા બ્રાહ્મણને કહે, ‘મારા છોકરાનો અભ્યાસ અધૂરો છે એટલે તમારે થોડા દિવસ વધુ રહેવું પડશે.’ બ્રાહ્મણ કહે, ‘મારે ઘેર બૈરીછોકરાં ભૂખ્યાં છે અને આ થોડુંક કમાયા છીએ તે આપવા જવું છે.’ રાજા કહે, ‘તમે આટલા જ્ઞાની છો, બુદ્ધિશાળી છો તોય તમારે ઘેર દુ:ખ છે?’ પછી રાજાએ ચાર રતન કાઢીને આપ્યાં. કહે, ‘લો આ રતન, એકેક રતન એકેક જિંદગી બરાબર છે.’ રાજા ચાર રતન આપીને કહે, ‘છોકરાને આટલો અભ્યાસ કરાવીને પછી તમે જતા રહેજો.’ બ્રાહ્મણ કહે, ‘સારું.’  
એક દિવસ સોની બ્રાહ્મણ પાસે આવીને કહે, ‘દોસ્ત, આપણે જે થોડું ઘણું કમાયા છીએ તે ઘેર લઈ જઈએ ને બૈરાં-છોકરાંને સારું ખવડાવીએ.’ બ્રાહ્મણ કહે ‘સારું જઈએ.’ બંને જવાની તૈયારીમાં હતા ત્યાં રાજા બ્રાહ્મણને કહે, ‘મારા છોકરાનો અભ્યાસ અધૂરો છે એટલે તમારે થોડા દિવસ વધુ રહેવું પડશે.’ બ્રાહ્મણ કહે, ‘મારે ઘેર બૈરીછોકરાં ભૂખ્યાં છે અને આ થોડુંક કમાયા છીએ તે આપવા જવું છે.’ રાજા કહે, ‘તમે આટલા જ્ઞાની છો, બુદ્ધિશાળી છો તોય તમારે ઘેર દુ:ખ છે?’ પછી રાજાએ ચાર રતન કાઢીને આપ્યાં. કહે, ‘લો આ રતન, એકેક રતન એકેક જિંદગી બરાબર છે.’ રાજા ચાર રતન આપીને કહે, ‘છોકરાને આટલો અભ્યાસ કરાવીને પછી તમે જતા રહેજો.’ બ્રાહ્મણ કહે, ‘સારું.’  
Line 1,008: Line 1,008:
{{Right | (ગુજરાતી રૂપાંતર : મમતા પંડ્યા) }} <br>  
{{Right | (ગુજરાતી રૂપાંતર : મમતા પંડ્યા) }} <br>  
</poem>
</poem>
== કાઠિયાવાડની જૂની વાર્તાઓ ==
== કાઠિયાવાડની જૂની વાર્તાઓ ==
=== બાનરો ===
=== બાનરો ===

Navigation menu